વાનખેડેમાં ભારત-શ્રીલંકા T20I મેચ માટે લોકોમાં ઉત્સાહ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 3 જાન્યુઆરી, મંગળવારે ભારત અને શ્રીલંકા વચ્ચે 3-મેચની શ્રેણીની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ જોવા માટે ઘણા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેડિયમ ખાતે ક્રિકેટચાહકોની મોટી ભીડ જોવા મળી હતી. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દસૂન શનાકાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.