ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’ના વૈજ્ઞાનિકોએ બનાવેલા ચંદ્રયાન-3 અવકાશયાને 23 ઓગસ્ટ, બુધવારે ચંદ્ર ગ્રહની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએથી સફળતાપૂર્વક ઉતરાણ કરતાં ભારતે ઈતિહાસ સર્જ્યો છે. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિને લોકોએ ટીવી તથા સોશિયલ મિડિયા નેટવર્ક્સ પર નિહાળી હતી અને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સાથે દેશમાં ઠેકઠેકાણે લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં આનંદ દર્શાવતા નાગરિકો
આસામના નાગોન જિલ્લાના નગરની શાળામાં વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી.