GalleryNews & Event પંડિત જસરાજનું પાર્થિવ શરીર મુંબઈ નિવાસસ્થાને લવાયું… August 19, 2020 Share on Facebook Tweet on Twitter સુર સમ્રાટ ‘પદ્મવિભૂષણ’ પંડિત જસરાજનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર માટે અમેરિકાથી 19 ઓગસ્ટ, બુધવારે મુંબઈ લાવવામાં આવ્યું. વર્સોવા, અંધેરી (વેસ્ટ)સ્થિત નિવાસસ્થાને એમના પરિવારજનોએ દિવંગતને શ્રદ્ધાંજલિ આપી. 90 વર્ષીય મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું ગઈ 17 ઓગસ્ટે ન્યૂજર્સીસ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું હતું. મુંબઈ નિવાસસ્થાને પિતાના પાર્થિવ શરીરના આગમન બાદ પુત્રી દુર્ગા જસરાજ અને પુત્ર શારંગ દેવે મિડિયાકર્મીઓનો આભાર માની હાથ જોડીને એમને વિદાય કર્યા હતા. પંડિત જસરાજના અંતિમ સંસ્કાર ગુરુવારે બપોરે વિલે પારલે સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. (તસવીરોઃ દીપક ધુરી) તસવીરમાં (ડાબેથી જમણે): પુત્રી દુર્ગા જસરાજ, પત્ની મધુરા જસરાજ, પુત્ર શારંગ દેવ. (તસવીરઃ પ્રિતમ શર્મા, મિડિયા કોઓર્ડિનેટર, જસરાજ પરિવાર)