મીરા રોડ (પૂર્વ)માં ‘લતા મંગેશકર નાટ્યગૃહ’નું લોકાર્પણ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 11 ઓક્ટોબર, મંગળવારે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરારોડ (પૂર્વ)માં રાષ્ટ્રીય મહામાર્ગ (વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે) નંબર-8 ખાતે ‘ભારતરત્ન ગાન સમ્રાજ્ઞી લતા મંગેશકર નાટ્યગૃહ’ ઈમારતનું લોકાર્પણ કર્યું હતું. એ પ્રસંગે મીરા ભાઈંદર મહાનગરપાલિકા કમિશનર દિલીપ ઢોલે તથા અન્ય અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)

આ નાટ્યગૃહ શરૂ થવાથી મીરા રોડ અને ભાઈંદર (પૂર્વ) ઉપનગરોમાં રહેતાં લોકોને નાટકો જોવા માટે છેક મુંબઈ જવું નહીં પડે.