મુંબઈમાં ‘મહાપરિનિર્વાણ દિવસ’ નિમિત્તે આંબેડકરને અપાઈ શ્રદ્ધાંજલિ…

ભારતના બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના હિમાયતી ‘ભારત રત્ન’ ડો. બાબાસાહેબ આંબેડકરના પુણ્યતિથિ દિવસ 6 ડિસેમ્બરને ‘મહાપરિનિર્વાણ દિન’ તરીકે મનાવવામાં આવે છે. આજે, રવિવારે 64મા મહાપરિનિર્વાણ દિવસને મુંબઈના દહિસર (પૂર્વ)ના કેતકીપાડા વિસ્તારમાં દલિત સમાજના લોકોએ મીણબત્તી પેટાવીને ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. (તસવીરોઃ દીપક ધુરી)

મહાપરિનિર્વાણ દિવસે દલિત લોકો બોરીવલી ઉપનગરના ગોરાઈ વિસ્તારમાં આવેલા ગ્લોબલ વિપસ્સના મેડિટેશન સેન્ટર ‘પેગોડા’ની મુલાકાતે પણ જતા હોય છે, પરંતુ આ વખતે કોરોના વાઈરસ રોગચાળાને કારણે પેગોડાને 5-7 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો મહાનગરપાલિકા તંત્રએ આદેશ આપ્યો છે તેથી એ સૂમસામ દેખાય છે.