શપથવિધિ પૂર્વે પંચદેવ મંદિરમાં પૂજા

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરતા પહેલા વિજય રૂપાણી ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં પહોંચ્યા હતા. અહીંયા તેમણે નીલકંઠવર્ણી ભગવાન સ્વામીનારાયણની મૂર્તી પર દુગ્ધાભિષેક કર્યો હતો અને સાથે જ પંચદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.