અમદાવાદમાં રામાયણ નાટક કોણે ભજવ્યું? ઈન્ડોનેશિયાના મુસ્લિમોએ…

30 સપ્ટેંબર, શનિવારે દશેરા નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, PDPU સભાગૃહ ખાતે પવિત્ર હિંદુ ગ્રંથ રામાયણના પ્રસંગો પરથી એક અનોખું નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટકની વિશેષતા એ હતી કે એ ઈન્ડોનેશિયાના મુસ્લિમ કલાકારોએ ભજવ્યું હતું. એમનો અસાધારણ, અદ્દભુત લાઈવ પરફોર્મન્સ જોઈને દર્શકો વાહ-વાહ પોકારી ઊઠ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)