TMKOC: દિલીપ જોષી પહેલા આ પાંચ અભિનેતાઓને ‘જેઠાલાલ’ના રોલની મળી હતી ઓફર

મુંબઈ: લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. દિલીપ જોષીએ જેઠાલાલના પાત્રને જીવંત કર્યું છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે દિલીપ જોશી જેઠાલાલ માટે પહેલી પસંદ ન હતા. તેમની પહેલા આ ભૂમિકા 5 કલાકારોને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કોઈને કોઈ કારણસર ના પાડી દીધી હતી.

રાજપાલ યાદવ


પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવનારા રાજપાલ યાદવને જેઠાલાલ બનવાનો મોકો મળ્યો હતો. પરંતુ તેમણે પોતાના અન્ય પ્રોજેક્ટને કારણે ઓફર ઠુકરાવી દીધી. તે ફક્ત તેના બોલિવૂડ કરિયર પર ફોકસ કરવા માંગતા હતા.

કીકુ શારદા

‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળેલા કીકુ શારદાને પણ ‘જેઠાલાલ’નો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. તે પણ કપિલ શર્માના શોમાં વ્યસ્ત હતા તેથી તેમણે આ ઓફરનો અસ્વીકાર કર્યો હતો.

યોગેશ ત્રિપાઠી

‘ભાબીજી ઘર પર હૈ’ અને ‘હપ્પુ કી ઉલ્તાન પલટન’માં જોવા મળેલા યોગેશ ત્રિપાઠીને ‘જેઠાલાલ’ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ તે એક સાથે અનેક પ્રોજેક્ટ્સમાં કામ કરવા માંગતા ન હતા. એટલા માટે તેણે મેકર્સને ના પાડી હતી.

અહસાન કુરેશી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ સ્ટેન્ડઅપ કોમેડિયન અહસાન કુરેશીનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે ‘જેઠાલાલ’ની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી હતી.

અલી અસગર

 

કપિલ શર્માની ઓનસ્ક્રીન દાદી એટલે કે અલી અસગરને પણ જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. તેની પાસે પહેલેથી જ ઘણી વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ હતી, જેના કારણે તેણે આ ભૂમિકાને ભજવવાની ના પાડી હતી.