ઉગે તે આથમે જ છે

      ઉગે તે આથમે જ છે

 

ઉગે તે આથમે ને જન્મે તે મરે. ચડે તે પડે. ઊગે તેવું આથમવું. માણસને માથે સુખ-દુ:ખ આવ્યાં જ કરવાના, એકની એક સ્થિતિ હમેશાં ન રહેવી એ સંદર્ભમાં જ આ કહેવત વપરાય છે. કહેવાયું છે કે –

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

એથી જ શાણા સાહેબીથી લેશ ફુલાતા નથી

ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેમને નથી

એ જ શૂરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી

સંસ્કૃતમાં કહ્યું છે કે – चक्रवत् परिवर्तन्ते दु:खानि च सुखानि च

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)