ઘેટી ચરવા ગઈ ને ઊન મૂકીને આવી

 

ઘેટી ચરવા ગઈ ને ઊન મૂકીને આવી

ઘેટી કોઈના ખેતરમાં ઘૂસી જાય અને સરસ મજાનો ચારો ચરવા મળે એટલે કદાચ માલીક ખુશ થાય કે આજે બારોબાર આ પ્રાણીને ખવરાવવાનો ખર્ચો નીકળી ગયો. પણ એ દરમિયાન જો ખેતરનો માલીક આવી જાય અને ઘેટીના શરીરે ઉગેલ સરસ મજાનું ઊન ઉતારી લે તો ચારો ખાધો એના કરતાં વધુ રકમનું ઊન ખોવું પડ્યું. એ રીતે ફાયદો લેવા જતાં સરવાળે નુકશાન થાય ત્યારે આ કહેવત વપરાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]