![]() સાપ પણ દરમાં જતાં સીધો થાય છે |
સાપ વાંકોચૂંકો ચાલે છે અને એટલે જ આ વાંકીચૂંકી ગતિરેખાને સર્પાકાર કહે છે. આમ સાપની હલનચલનની પદ્ધતિ જ વાંકાચૂંકા ચાલવાની છે. પણ આ જ સાપને જો દરમાં જવું હોય એટલે કે પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય તો એ સીધો રહીને જ જઇ શકે છે કારણ કે દર સીધી લીટીમાં ખોદાયેલ હોય છે.
વાંકોચૂંકો માણસ એટલે સરળ ન હોય તેવો દોઢો માણસ. એ ભલે આખા ગામનો ઉતાર હોય તો પણ પોતાના ઘરમાં તો એને સીધા રહેવું જ પડે છે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
