|
જણનારીમાં જોર નહિ એમાં સુયાણી શું કરે ? |
પ્રસૂતિની આખીય પ્રક્રિયામાં સૌથી વધુ પીડાજનક સમય એ બાળક અવતરે તે છે. આ સમય માને માટે અસહ્ય પીડાનો છે પણ સાથોસાથ બાળક અવતરે તે માટે તેણે પણ પોતાનું બધું જોર એકઠું કરીને આ પ્રક્રિયામાં ભાગીદાર બનવાનું હોય છે.
દાયણ માત્ર સહાયકનું કામ કરી શકે પણ જણનારીની વતી આ જોર લગાવવાની કામગીરી ન કરી શકે.

મદદગાર તો મદદ કરે બાકી પોતાનામાં શક્તિ જોઈએ. આ સંદર્ભમાં વપરાતી બીજી એક કહેવત ‘આપ વિના બળ નહીં અને મેઘ વિના જળ નહીં’ છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)


