‘વિશ્વ હાસ્યદિવસ’: હસતા રહો, ખીલતા રહો અને સ્વસ્થ રહો…

તમારું સ્મિત મારો દિવસ સારો બનાવે છે. એટલે હસતા રહો અને બીજાને પણ ખુશ રાખો. ‘હેપ્પી વર્લ્ડ લાફ્ટર ડે 2020’. ‘વર્લ્ડ લાફ્ટર ડે’ દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે દુનિયાભરમાં ખુશી ફેલાવવા માટે ઊજવવામાં આવે છે. આ વખતે આ દિવસ ત્રીજી મેએ આવ્યો છે. આ વાર્ષિક સ્તરીય ઉજવણીનો દિવસ છે, જેમાં વિશ્વભરમાં હાસ્ય અને તેનાથી થતા લાભાલાભ વિશે જાગરુકતા લાવવા માટે ઊજવવામાં આવે છે. આ વર્ષે આ ઉત્સવ કોવિડ-19ના ફેલાવાને કારણે ઓનલાઇન જ ઊજવાઈ રહ્યો છે.

જ્યારે તમે હસો છો, ત્યારે તમે તમે બદલાઈ જાઓ છો અને જ્યારે તમે બદલાઓ છો ત્યારે તમારી આસપાસની દુનિયા પણ બદલાઈ જાય છે.

શું તમે જાણો છો કે વિશ્વમાં લાફ્ટર ક્લબના રૂપમાં અગણિત સામૂહિક જૂથો છે, જે નિયમિત રૂપે આંતરરાષ્ટ્રીય હાસ્ય ટેક્નિકનો અભ્યાસ કરે છે, જે સમગ્ર જગતના કલ્યાણને પ્રોત્સાહન આપે છે. આમ તો આપણે જાણીએ જ છીએ કે હસવાથી આપણને સુખદ અનુભવ થાય છે, પણ બહુ ઓછા લોકોને માલૂમ હશે કે હાસ્ય એ એક સારો વ્યાયામ પણ છે, જે આપણા રોજિંદા સ્વાસ્થ્યને સારું બનાવે છે. એમાં કોઈ શંકા નથી કે હસવું તે માનસિક તંગદિલી અને દર્દને દૂર કરવાનો કે એને હળવું કરવાનો પ્રકાર પણ છે. આ હાસ્ય અને એના અનેક સ્વાસ્થ્યના લાભો વિશે જાગરુકતા વધારવાનો દિવસ છે.

વર્લ્ડ લાફ્ટર ડેનો ઇતિહાસ

શું તમે જાણો છો કે વિશ્વવ્યાપી હાસ્ય યોગ આંદોલનના સંસ્થાપક ડો. મદન કટારિયા દ્વારા 1998માં વર્લ્ડ લાફ્ટર ડેની શરૂઆત કરવામાં આવી હતી. 70થી વધુ દેશોમાં વર્લ્ડ લાફ્ટર ડે મેના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે. ડો. કટારિયાએ 1995માં લાફ્ટર યોગ આંદોલનની શરૂઆત એ ઉદ્દેશ સાથે કરી હતી કે ચહેરાની પ્રતિક્રિયા એ દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિના ચહેરા પરના ભાવ તેની ભાવનાઓ પર અસર કરે છે. એ હાસ્યના માધ્યમથી ભાઈચારા અને દોસ્તીની વૈશ્વિક ચેતનાનું નિર્માણ પણ કરે છે.

“HAPPY-DEMIC”

“HAPPY-DEMIC” શું છે એ તમે જાણો છો? એ હતો, ભારતની બહારનો પહેલો વર્લ્ડ લાફ્ટર ડે. એ 2000માં ડેન્માર્કના કોપનહેગનના ટાઉન હોલ સ્કેવેરમાં યોજાયો હતો જેમાં 10,000થી વધુ લોકો એકત્ર થયા. એ ઘટના ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવી છે.

વર્લ્ડ લાફ્ટર ડે કેવી રીતે ઊજવાય છે?

આવા દિવસે લોકો લાફ્ટર ક્લબમાં જાય છે, એકત્ર થાય છે અને એકસાથે હસે છે. કેટલાક લોકો સોશિયલ મિડિયા પર હેશટેગ ‘વર્લ્ડ લાફ્ટર ડે’ પર સરસ મજાના જોક્સ શેર કરે છે. કોમેડી અને મનોરંજનથી ભરપૂર દોસ્તોની સાથે ફિલ્મો જુએ છે, આટલું જ નહીં લોકો પાર્કમાં એકત્ર થઈને હાસ્યના યોગનો અભ્યાસ પણ કરે છે.

પરંતુ હાલ કોવિડ-19ને કારણે દુનિયા આખી એક મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહી છે અને હાસ્ય સમારોહ ઓનલાઇન આયોજિત કરવામાં આવે છે.

હાસ્યના સ્વાસ્થ્ય લાભ કયા છે?

  • એ સંપૂર્ણ શરીરને આરામ આપે છે.
  • એ શરીરની રોગપ્રતિકારક શક્તિને બળવાન બનાવે છે, માનસિક તાણના હોર્મોનને ઘટાડે છે, સંક્રમણથી લડતા એન્ટિબોડીઝને વધારે છે.
  • એ હૃદયને મજબૂત કરે છે. હાસ્યથી રક્તવાહિનીઓની કામગીરીમાં સુધારો થાય છે અને બ્લડ સરક્યુલેશન પણ સારું થાય છે.
  • હાસ્યથી કેલરી બર્ન થાય છે. એક અભ્યાસ મુજબ દિવસમાં 10થી 15 મિનિટ સુધી હસવાથી આશરે 40 કેલેરી બર્ન થાય છે.
  • હાસ્ય લાંબો સમય સુધી જીવવામાં પણ મદદ કરે છે.
  • એ ગુસ્સાને શાંત કરે છે.
  • હાસ્ય તમને આરામ કરવામાં અને રિચાર્જ થવામાં મદદ કરે છે.
  • હાસ્ય ચિંતા અને માનસિક તાણને ઘટાડે છે.
  • આનાથી દર્દ ઓછું થઈ જાય છે.
  • માંસપેશીઓને આરામ મળે છે.
  • હાસ્ય T-કોશિકાઓને વધારે છે. આ T-કોશિકાઓ તમને બીમારી સામે લડવામાં મદદ કરે છે.
  • હાસ્ય એક કુદરતી વ્યાયામ છે.
  • આ એક પૂરક કેન્સર થેરપી છે. કેટલાક અભ્યાસ કેન્સર સારવારમાં હાસ્યનો સીધો સકારાત્મક પ્રભાવ બતાવે છે.
  • હાસ્યથી લોહીમાં ઓક્સિજન વધી જાય છે.
  • હાસ્ય યાદશક્તિમાં સુધારો કરે છે.
  • હાસ્ય રચનાત્મકતાને વધારે છે.
  • હાસ્ય સંબંધોને મજબૂત બનાવે છે.

 હાસ્ય એક ટોનિક છે, રાહત છે, દર્દ માટે દવા સમાન છે અને હાસ્ય વિના એક દિવસ પણ વ્યર્થ છે.