કોવિડ-19ના વિભિન્ન કેસમાં વૈજ્ઞાનિકોએ નોંધ્યો રોગપ્રતિકારક શક્તિનો તફાવત!

ગંભીર એવા કોવિડ-19ના ઘણાં કેસોમાં વૈજ્ઞાનિકોને રોગપ્રતિકારક શક્તિને લઈને તફાવત જોવા મળ્યો છે. રોગપ્રતિકારક શક્તિ, જે અગાઉ પ્રારંભિક અવસ્થામાં દર્દીને રોગથી થનારા મૃત્યુના જોખમ ઓળખવામાં તથા તેને માટે દવા સૂચવવામાં મદદરૂપ હતી. તે રોગપ્રતિકારક શક્તિની વર્તમાન સમયમાં ખોટી કામગીરી, કોરોનાવાયરસના સંક્રમિતોને કોવિડ-19ના માઠાં પરિણામ સુધી લઈ જાય છે.

યુએસની ‘યેલ યુનિવર્સિટી’ના સંશોધકોએ ‘યેલ ન્યુ હેવન હોસ્પિટલ’ના 113 દર્દીઓની તપાસ કરતી વખતે જાણ્યું કે, કોરોના વાયરસના ઈલાજ દરમ્યાન હોસ્પિટલમાં દાખલ થવાથી માંડીને ડિસ્ચાર્જ સુધી અને અમુક કિસ્સામાં મૃત્યુ પામેલાં દરેક દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ એકમેકથી ભિન્ન જોવા મળી હતી!

જર્નલ ‘નેચર’માં પબ્લિશ થયેલાં આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, કોવિડ-19 રોગના પ્રારંભિક તબક્કે દરેક દર્દીએ એક જેવી જ રોગપ્રતિકારક શક્તિ નોંધાવી હતી! સંશોધનકારોએ જણાવ્યું કે, ‘જેમણે આ રોગના સામાન્ય લક્ષણોનો અનુભવ કર્યો હતો. તેમના શરીરમાં રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવો અને વાયરલ કણોનું સ્તર સમયાંતરે ઘટતાં જોવા મળ્યાં હતા.’

‘આ અભ્યાસ એ બતાવે છે કે, કઈ રીતે લોકોની રોગપ્રતિકારક શક્તિ ‘સાર્સ-કોવિડ-2’ને પ્રતિભાવ આપે છે! રોગ પ્રતિકારક શક્તિના ખોટા પ્રતિભાવો આ રોગના ગંભીર કેસ સાથે સંકળાયેલા જોવા મળ્યાં હતા. જેમાંથી અમુક કેસ મૃત્યુ્દરના રહ્યાં છે.’ યેલ યુનિવર્સિટીના સિનિયર લેખક અકીકો ઈવાસાકીએ તેમના એક ટ્વિટમાં નોંધ્યું.

પ્રારંભિક અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે, કોવિડ-19ના ગંભીર કેસોમાં રોગપ્રતિકારક શક્તિએ તેના નુકસાનકારક પરમાણુ સાઈટોકાઈન્સનું મોટા પ્રમાણમાં તોફાન ફેલાવ્યું હતુ. પરંતુ વૈજ્ઞાનિકો કહે છે, ‘આ પ્રતિક્રિયાના ચોક્કસ તત્વો અજાણ છે.’

વર્તમાન અધ્યયન પ્રમાણે અકીકો ઇવાસાકીએ જણાવ્યું, ‘રોગપ્રતિકારક શક્તિના એક પરમાણુ આલ્ફા ઈંટરફેરોન – જે ફ્લૂ વાયરસ જેવા જીવાણુઓ સામે લડવા માટે ગતિશીલ થયેલાં સાઈટોકાઈન્સ છે, તે જોખમી પરિબળ સાબિત થયાં છે. કેમ કે, આલ્ફા ઈંટરફેરોનનું ઉંચું સ્તર ધરાવનાર કોવિડ-19ના દર્દીઓની, નીચલા સ્તરવાળા દર્દીઓ કરતાં વધુ ખરાબ સ્થિતિ થઈ રહી હતી. જાણે આ કોવિડ-વાયરસ આલ્ફા ઈંટરફેરોનની કોઈ દરકાર લેતો જ નથી. કહેવાનો અર્થ એ કે, જે સાઈટોકાઈન, ફ્લૂના જીવાણુઓ સામે લડે છે, તે અહીં કોરોના સામે લડવામાં મદદ નથી કરતા, પરંતુ નુકસાન પહોંચાડે છે.’

તે જ પ્રમાણે, પ્રોટીનનું એક સંકુલ, જે રોગજનક પરિબળોને શોધીને, તે ઈન્ફેક્શનનો ખાત્મો કરવા માટે તાત્કાલિક બળવતર પ્રતિભાવ આપે છે. તેની પણ આ સક્રિયતા સંશોધકોના કહેવા પ્રમાણે, કોરોના વાયરસના નબળા પરિણામ તથા મૃત્યુ સાથે સંકળાયેલી છે. પરંતુ એક સારી વાત એ છે કે, જે લોકો આ ઈન્ફેક્શનની સામે સારો પ્રતિભાવ રાખે છે. તેમનામાં પરિબળોની વૃદ્ધિ ઉચ્ચ માત્રામાં થાય છે. એટલે કે, એક પ્રકારના રોગપ્રતિકારક શક્તિના પરમાણુની માત્રા વધે છે. જે ફેફસાં તેમજ રક્તવાહિનીઓની દિવાલોમાં નુકસાન પામેલી પેશીઓનું સમારકામ કરે છે!

વૈજ્ઞાનિક વધુમાં ઉમેરે છે કે, ‘અભ્યાસમાં ઓળખાયેલા ઉપર જણાવેલાં વિભિન્ન ઈન્ફ્લેમેશન માટેની દવાઓ કોવિડ-19ના ગંભીર કેસોની સારવારમાં મદદરૂપ થઈ શકે છે!’