સુરત ઉમિયાધામમાં દુર્ગાષ્ટમી નિમિત્તે મહાઆરતી…

ઉમિયામાતાનો જયજયકાર… પાટીદાર સમાજના કુળદેવી ઉમિયામાતાનાં સુરતમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર ઉમિયાધામમાં 17 ઓક્ટોબર, બુધવારે આસો સુદ આઠમ-દુર્ગાષ્ટમી નિમિત્તે મહાઆરતી કરવામાં આવી હતી. ૧૫૫ મશાલ સાથે સ્વયંસેવકો અને માથે ગરબી લઈને ૮૧ બહેનોએ આખા પરિસરમાં ફરીને માત્ર ત્રણ જ મિનિટમાં ૩૫ હજાર દીવડા પ્રગટાવ્યા હતાં.