‘લાલબાગચા રાજા’ ગણપતિનું વિસર્જન…

મુંબઈના મધ્ય ભાગમાં આવેલા લાલબાગ વિસ્તારના ગણેશોત્સવ મંડળના સુપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ ગણપતિની 22 ફૂટ ઊંચી મૂર્તિનું આજે વહેલી સવારે દક્ષિણ મુંબઈના ગિરગાંવ ચોપાટીના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. એ વખતે હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. મૂર્તિ સરઘસાકારે 20 કલાકે લાલબાગ મંડપેથી ગિરગાંવ ચોપાટી પહોંચી હતી.