દિવાળીમાં હજારો દિવડાઓથી ઝળહળતું અક્ષરધામ

ગાંધીનગરસ્થિત અક્ષરધામ મંદિર BAPS સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલું ધર્મ અધ્યાત્મનું એક મહત્વનું કેન્દ્ર છે. હિંદુ ધર્મના શિક્ષણ, પ્રદર્શન અને સત્સંગ પ્રવચનોનું આ વિશાળ સ્થાપત્ય વિશ્વ પ્રસિદ્ધ બની ગયું છે. અમદાવાદ-ગાંધીનગરના મુલાકાતે આવતા પ્રવાસીઓ આ અક્ષરધામની અવશ્ય મુલાકાત લેતા હોય છે.

દિવાળીના પર્વ નિમિતે અક્ષરધામના આખાય સંકુલને દીવડાઓથી સુશોભિત કરવામાં આવે છે. આ દિવસે અક્ષરધામ હજારો દિવડાંઓથી ઝગમગી ઉઠે છે. સાથે અક્ષરધામ પરિસરમાં ‘ગ્લો ગાર્ડન ‘ પણ તૈયાર કરવામાં આવે છે , જે રાત્રિ પ્રકાશમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

વર્ષોથી અક્ષરધામ સંસ્થા પરંપરાગત શૈલીમાં દીપોત્સવીના ઉત્સવને આ રીતે રોશનીથી ઉજવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)