પરિપૂર્ણતાની પ્રાપ્તિ

કોઈ કાર્ય દ્વારા પરિપૂર્ણતા પ્રાપ્ત થતી નથી. જો તમે ધ્યાનથી જોશો, તો તમે જાણશો કે તમારા જીવનના ઘણા બધા મુદ્દાઓ પર, તમે વિચાર્યું, “જો આવું થાય, તો મારું જીવન પૂર્ણ બની જશે.” જ્યારે તમે બાળક હતા ત્યારે તમે વિચાર્યું, “જો હું આ રમકડું મેળવીશ, તો મારું જીવન પૂર્ણ બની જશે. ”તમને તે મળી ગયું, પરંતુ થોડા અઠવાડિયા પછી તમને તેની કંઈ ફરક નહીં પડે. જીવન પરિપૂર્ણતા પ્રાપ્ત કર્યું નહી. જ્યારે તમે શાળામાં હતા ત્યારે તમે વિચાર્યું હતું કે જો તમે પરીક્ષા પાસ કરો છો, તો જીવન પૂર્ણ બનશે. તે થયું, અને હજી પણ કંઇ બન્યું નહીં. પછી તમે વિચાર્યું કે જો તમે તમારું શિક્ષણ પૂર્ણ કરશો, તો તમારું જીવન પૂર્ણ બનશે. તે પણ બન્યું. હવે તમે વિચાર્યું કે, જો તમે તમારા પોતાના બે પગ ઉપર ઉભા ના થયા તો આ બધા શિક્ષણનો શું ફાયદો? તે થયું. ત્રણ મહિના પછી તમે વિચારવા લાગ્યા કે, ગધેડાની જેમ કામ કરવાનો શું ફાયદો? જો તમે તે માણસ અથવા સ્ત્રી જે તમારા હૃદયમાં છે, એની સાથે લગ્ન કરો, તો તમારું જીવન પૂર્ણ બની જશે. તે થયું અને પછી તમે જાણો છો કે શું થયું!

તમે ભલે ગમે તે કાર્યો કર્યા હોય, જીવનને કોઈ પરિપૂર્ણતા મળી નથી. તમે કરેલી કેટલીક ક્રિયાને કારણે પરિપૂર્ણતા આવશે નહીં. ફક્ત જો તમારી આંતરિક પ્રકૃતિ પૂર્ણ બને છે, તો તમારું જીવન પરિપૂર્ણ બનશે. જો તમારી આંતરિક પ્રકૃતિ અબાધ્ય હશે, તો તમારું જીવન પણ અબાધ્ય બનશે. હવે, તમે કાં તો તમારી આંખો બંધ કરીને બેસી શકો છો અથવા તો તમારું જીવન પૂર્ણ બને તે રીતે તમે વિવિધ કાર્યો કરી શકો છો. જ્યારે માણસ એવી સ્થિતિમાં પહોંચી જાય કે જ્યાં તે પોતાની અંદર હોય, ત્યારે તેને કોઈ કાર્ય કરવાની જરૂર હોતી નથી અને જે કાર્યો તે કરે છે તે ફક્ત બાહ્ય પરિસ્થિતિ માટે જરૂરી હોય એ હદ સુધી જ કરે, ત્યારે તે માણસ સંપૂર્ણ બની ગયો છે.

કૃપા કરી જુઓ, તમે એક પછી એક કાર્યો કેમ કરી રહ્યા છો? તે પરિપૂર્ણતા તરફ છે. જે લોકો અતિશય કાર્યો કરે છે, જ્યારે તમે તેમને પૂછો કે તેઓ જે કરી રહ્યાં છે તે શા માટે કરે છે, ત્યારે તેઓ જવાબ આપે છે, “બીજું શું કરવું? ખોરાક, પત્ની, બાળકો – તેમની સંભાળ કોણ લેશે? ”સત્ય એ છે કે, જો તમે તેની બધી જરૂરિયાતો પૂરી કરો, તો પણ આ વ્યક્તિ એક દિવસ પણ શાંતિથી બેસી શકશે નહીં. તે ત્રણ કલાક પણ બેસી શકતો નથી! તેણે કંઇક કરતા રહેવું પડે છે. આ એટલા માટે છે કે તમારી આંતરિક પ્રકૃતિ પરિપૂર્ણ થઈ નથી અને તમે તેને કાર્યો દ્વારા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો. તમારી ક્રિયાઓ તમારા ખોરાક અથવા આરામ માટે નથી થઈ રહી; તે બધું પરિપૂર્ણતાની શોધમાં થઈ રહ્યું છે. ભલે આ જાગૃતિ સાથે અથવા એના વગર થયું હોય, આ કાર્યો અબાધ્યની શોધ સૂચવે છે.

જો, તમારી અંદર, તમારા આંતરિક સ્વભાવને પરિપૂર્ણતા પ્રાપ્ત થઈ છે, તો કાર્યો કરવાની જરૂર રહેશે નહીં. જો બાહ્ય પરિસ્થિતિ થોડા કાર્યોની માંગ કરે છે, તો તમે તેને આનંદથી કરી શકો છો. જો તેની જરૂર નથી, તો તમે ફક્ત આંખો બંધ કરીને બેસી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ એવી સ્થિતિમાં પહોંચી જાય છે જ્યાં કોઈ કાર્ય કરવાની જરૂર નથી હોતી, તો અમે કહી શકીએ કે તે વ્યક્તિ અબાધ્ય બની ગઈ છે. તેનો અર્થ એ નથી કે આ વ્યક્તિ કોઈ પણ કામ કરતી નથી. જો બાહ્ય પરિસ્થિતિ તેની માંગ કરે છે, તો તે ચોવીસ કલાક કામ કરી શકે છે. પરંતુ કાર્યો તેના આંતરિક સ્વભાવ માટે જરૂરી નથી. તે કાર્યો માટે બંધાયેલા નથી. તે કાર્યો વગર પણ એ સામાન્ય માણસ છે.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)