પરમાત્મા સાથે લગાવ એ નિર્ભયતાનો આધાર છે

મનમાં ન ઉતરવાના કારણે વારંવાર જૂઠ ના આધારે તેના સ્વરૂપને કાપવા-જોડવામાં બહુ જ સમય વ્યર્થ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જેવી રીતે આત્મા વગરનું શરીર ગમે તેટલા ઉપાય કરવા છતાં દરેક સેકન્ડે કરમાતું જાય છે અને છેવટે હાડપિંજર બની જાય છે. તેવી જ રીતે સત્યરૂપી આત્મા થી વિરુદ્ધ વાત પણ મનની નીડરતાને ધીરે-ધીરે નષ્ટ કરે છે. અસત્ય આચરણ જ ભૂતનું સ્વરૂપ ધારણ કરીને મનુષ્યને ડરાવે છે.

જ્યાં મારા પણું છે (લગાવ,આસક્તિ) ત્યાંથી ભયની પ્રવેશતા થાય છે. ભક્તિ માર્ગના શાસ્ત્ર રામાયણમાં આવો પ્રસંગ વર્ણન કરેલ છે. સીતા જંગલમાં ફરતા એકદમ નિર્ભય છે. પરંતુ એક દિવસ સોનાના હરણમાં મારા પણું ઉત્પન્ન થવાથી આંતરિક મનમાં ભય ઉત્પન્ન થાય છે. ઘાયલ હરણના મુખથી હાય લક્ષ્મણ! એ અવાજ સાંભળીને મજબૂત મન વાળી સીતાના મનમાં ભય ઉત્પન્ન થાય છે તથા તે ધ્રુજી ઉઠે છે. જેના શરણમાં તે પોતે ભયમુક્ત રહી તે લક્ષ્મણને તે ખરું ખોટું કહી બેસે છે અને વાણીની સૌમ્યતા ગુમાવીને મનોબળ વગરની સીતા વિકારો (રાવણ) ના વશ થઈ જાય છે. ભયની પ્રવેશતા ના કારણે તમામ નકારાત્મક વૃત્તિઓ તેનામાં પ્રવેશી જાય છે.

પ્રકૃતિ આત્માને વશ સત્તા છે, જેને સાધનના રૂપમાં રાખવામાં આવેલ છે પરંતુ મનુષ્ય લગાવના કારણે પ્રકૃતિને જીવનનો આધાર બનાવી લે છે. પરમાત્મા સાથે લગાવ એ નિર્ભયતાનો આધાર છે અને પ્રકૃતિ સાથે લગાવ એ ભયનો આધાર છે. આત્મા જે પ્રકૃતિના આધારે થોડા સમય માટે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ જતું રહેવાનો ભય પણ તેને રહે છે. પદાર્થોનો રસ શરીર દ્વારા લેવામાં આવે છે, મનુષ્યને આ શરીર રૂપી સાધન ન રહેવાનો, તે બીમાર થવાનો કે અશક્ત થવાનો ભય સતત રહે છે.

 

પદાર્થોનો રસ શરીર દ્વારા લેવામાં આવે છે માટે જ આ શરીર રૂપી સાધન અશક્ત બીમાર થવાનો ભય કે મૃત્યુનો ભય સતત રહે છે. તે ઉપરાંત પ્રકૃતિનું સુખદાઇ રૂપ બદલાઈ જવાનો કે છીનવાઈ જવાનો ભય પણ સાથે રહે છે. માટે જ પદાર્થો તથા વૈભવનો આનંદ સાચો આનંદ નથી માનવામાં આવતો કારણ કે તેમાં ભય સમાયેલો હોય છે.” હું તથા મારું”- તેનાથી મુક્ત થતા જ આપણે હલકા બની જઈએ છીએ તથા સાચી ખુશીનો અનુભવ કરીએ છીએ.

પથ્થર થી હીરા બની જોઈએ છીએ તથા અનેક પ્રકારના બંધન થી છૂટીને શ્રીકૃષ્ણ સમાન સતોગુણી બની જઈએ છીએ. પહેલાના જમાનામાં રાજા પોતાની રાજ્ય શક્તિ દ્વારા પ્રજાને નિશ્ચિંત રહેવાનું વચન આપતા હતા. પરંતુ આજે પ્રજાના પ્રજા પર રાજ્યમાં ઉપરથી નીચે સુધી બધાના ગળા ઉપર ભયની તલવાર લટકી રહી છે. જે જેટલા ઉપર છે તેટલી તે તલવાર તેનાથી નજીક છે. થોડા દિવસ પહેલા સમાચાર પત્રમાં સમાચાર હતા કે ચૂંટણીના એક ઉમેદવાર સુરક્ષા ગાર્ડની ફોજ થી ઘેરાયેલા હોવા છતાં પણ વોટ આપવા માટે બહાર ન નીકળેલ. ડરના માર્યા ઘરમાં જ રહ્યા.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)