લોકો ફક્ત ક્યારેક જ પ્રામાણિક કેમ હોય છે?

ઘણા લોકો આશીર્વાદ માંગે છે, પણ બહુ ઓછા લોકોને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું શા માટે? કારણ કે જે આપનાર છે, તે તો હંમેશા આપતો જ હોય છે, પણ જે લેવાવાળો છે, તેની પ્રામાણિકતા ક્યાંક ખોવાઈ ગઈ છે. જે લોકો આશીર્વાદ આપી રહ્યા છે તેઓ ઉદારતાથી આપી રહ્યા છે, પરંતુ જે લોકો તેમને પ્રાપ્ત કરે છે તેઓએ પ્રામાણિક રહેવું જોઈએ. પ્રામાણિકતા એ આશીર્વાદ મેળવવાની લાયકાત છે. અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ક્ષણે સાચો અને પ્રામાણિક બની શકે છે.

લોકો ફક્ત ક્યારેક જ પ્રામાણિક કેમ હોય છે?

ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે તેઓ કોઈ સાંસારિક સુખથી વંચિત રહી જશે. આનંદ અને સુખની ઇચ્છા તેમને નિષ્ઠાવાન બનાવે છે. જ્યારે તમે નિષ્ઠાવાન હોવ છો, ત્યારે તમે તૃષ્ણા રહીત દરેક સુખનો આનંદ માણી શકો છો. પ્રામાણિકતાનો અર્થ એ છે કે તમારી અંદર રહેલ ગહનતા સાથે જોડાઈ રહેવું.

જ્યારે આપણે જીવનમાં અટવાયેલા અનુભવીએ છીએ અને આગળ વધવામાં અસમર્થ હોઈએ છીએ, અથવા જ્યારે આપણે ઇચ્છાઓથી ભરેલા હોઈએ. જ્યારે જીવન શુષ્ક બની જાય, કોઈ ઉત્સાહ ના હોય, નીરસતા હોય, ત્યારે આપણે શું કરવું જોઈએ?

ઉદાર બની જાઓ – આ ક્ષણે જ, કાલે નહીં. રાજકુમારી અને ગરીબ બંને ઉદાર હોઈ શકે છે. ઉદારતા એ આત્માનો ગુણ છે. જ્યારે તમે ઉદાર બનો છો, ત્યારે તમારું જીવન દયા અને પ્રેમથી ભરેલું બની જાય છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)