અમદાવાદ: 18 જૂન, 2025ના રોજ, સુરતની કાપોદ્રા પોલીસે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની ધરપકડ કરી છે. આ ધરપકડ 2024માં નોંધાયેલા એક ખંડણી કેસમાં કરવામાં આવી છે, જેમાં જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયાએ કીર્તિ અને તેના સાગરીતો સામે 2 કરોડ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ મૂક્યો હતો. ફરિયાદ અનુસાર, કીર્તિએ જમીન વિવાદને લઈને બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી હતી અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું.
કીર્તિ પટેલ કોણ છે?
કીર્તિ પટેલ ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય ચહેરો છે, જેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેની રીલ્સ અને લાઈવ વિડીયો ઘણીવાર વાયરલ થાય છે, પરંતુ તે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહે છે. અગાઉ 2020માં પુણે પોલીસે તેની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરી હતી, જ્યારે 2022માં અમદાવાદમાં મારામારી અને ધમકીના કેસમાં પણ તે સામેલ હતી.
સોશિયલ મીડિયા પ્રોફાઈલ
કીર્તિનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ રિલ્સ, ડાન્સ વિડીયો અને લાઈવ સેશન્સથી ભરેલું છે. તેની પોસ્ટ્સમાં ઘણીવાર બિભત્સ ભાષા અને નફ્ફટ શૈલી જોવા મળે છે, જે તેના ફોલોઅર્સને આકર્ષે છે. જો કે, તેના વિવાદિત નિવેદનો અને લાઈવમાં અપશબ્દોનો ઉપયોગ તેને વિવાદના કેન્દ્રમાં લાવે છે. 
હવે શું?
સુરત પોલીસે કીર્તિને કોર્ટમાં રજૂ કરી, જ્યાંથી તેને લાજપોર જેલમાં મોકલવામાં આવી છે. આ કેસે સોશિયલ મિડીયા પર હોબાળો મચાવ્યો છે. જ્યાં લોકો તેના વિવાદિત ભૂતકાળ અને વર્તમાન કેસ પર ચર્ચા કરી રહ્યા છે.






સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસને વ્યાપક જનભાગીદારીથી ઉજવવાનું વિસ્તૃત કાર્ય આયોજન રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે ૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. આ ઉપરાંત રાજ્યની ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો અને ૨૫૧ તાલુકા પંચાયતો ખાતે પણ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૧૦.૪૦ લાખ લોકોને જોડવાનું આયોજન છે. રાજ્યભરમાં યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો ૨૧મી જૂને યોગ દિવસમાં જોડાય તે હેતુથી૧૫ થી ૨૦ જૂન દરમિયાન દરેક જિલ્લામાં કોમનયોગ પ્રોટોકોલના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાના-રીરી ગાર્ડન, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, વડનગર રેલ્વે સ્ટેશન તથા વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સ્ટ્રીટ, વોચ ટાવર, હાથી દેરાસર અને બી.એન.શાહ હાઈસ્કૂલ એમ 11 આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોગ દિવસ કાઉન્ટડાઉન રૂપે યોજવામાં આવ્યા હતા.
વર્ષે શાળા કોલેજોના છાત્રો આ યોગ દિવસે ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે ૪૫ હજાર પ્રાથમિક શાળાઓ, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૨૬૦૦ કોલેજ અને ૩ યુનિવર્સિટી મળી ૬૦,૧૦૦ સ્થળોએ શિક્ષકો-વિદ્યાર્થીઓ મળીને અંદાજે ૫.૭૩ લાખ લોકો યોગમય બનશે. ઉપરાંત રાજ્યની ૨૮૭ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ૧૪૭૭ પી.એચ.સી., ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ, ૩૦ જેલ, ૩૩ પોલીસ હેડક્વાટર્સ અને ૧૧૫૨ પોલીસ મથકો ખાતે પણ યોગ દિવસ ઉજવવામાં આવશે. રાજ્યમાં ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ પણ સામુહિક યોગ કાર્યક્રમ યોજાશે. આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસના ઉપલક્ષમાં વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે.




