Home Blog Page 779

ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત લોકો સુખને કદી પામી શકતા નથી!

એક પ્રસંગ રાજપરિવારમાં મોટી થયેલ સીતા જ્યારે વનવાસી બની. ત્યાં તે સોનેરી મૃગના આકર્ષણમાં ફસાઈ ગઈ. પરિણામે અશોકવાટિકા (વાસ્તવમાં શોક વાટિકા)માં તેને કષ્ટનો સામનો કરવો પડ્યો. કવિ કાલિદાસના એક નાટક પ્રમાણે મહાતપસ્વી ઋષિ વિશ્વામિત્ર એક અપ્સરા પ્રત્યે આકર્ષિત થયાનું વર્ણન છે. આ બધા પ્રસંગોમાં નારીનું વસ્તુ-વૈભવ પ્રત્યે આકર્ષણ, પુરુષનું નારીના શરીર પ્રત્યે આકર્ષણ જેવા ખરાબ પરિણામોને દર્શાવવામાં આવેલ છે.

કર્મઇન્દ્રિયોના આકર્ષણથી જે થોડા સમય માટે આત્માની પ્રાપ્તિ થાય છે, તે તેને ધીરે-ધીરે વિનાશ તરફ લઈ જાય છે. આ આકર્ષણ બહારની ચમક દમક હોય છે. જેમાં આપણી કર્મઇન્દ્રિયો ફસાય જાય છે. તેમાં વિવેકનો અભાવ હોય છે. આકર્ષણ કરનાર વસ્તુ જ્યાં સુધી નજરની સામે હોય છે ત્યાં સુધી કર્મેન્દ્રિયો મધમાં ફસાયેલ માખીની જેમ પોતાના અસ્તિત્વને જોખમમાં મૂકીને તેમાં ફસાયેલ રહે છે. અને તે આકર્ષણ નજરોથી દૂર થતાં જ ખાલીપણા કે ખોખલાપણાનો અનુભવ કરે છે. મન તે આકર્ષણની વારંવાર યાદ અપાવીને ફક્ત આશ્વાસન આપે છે. આવા આકર્ષણ બુદ્ધિને ભ્રમિત કરે છે, તથા બુદ્ધિ પર પર પડદો નાખી દે છે. જેવી રીતે ધુમ્મસની વચ્ચે વિમાનના પાયલોટને હવાઈ માર્ગ દેખાતો નથી તેવી જ રીતે મોહમાં સાચો માર્ગ ખોવાઈ જાય છે.

આકર્ષણની ઉત્પત્તિ ખાલી મનમાં થાય છે. સંસ્કાર ખરાબ હોવાથી બુદ્ધિ ભ્રષ્ટ બની જાય છે. બુદ્ધિ ચંચળ બનીને વસ્તુ તથા વ્યક્તિઓ પાછળ દોડે છે. જે મૃગતૃષ્ણા સમાન છે. પછી મુખથી શબ્દો એવા નીકળે કે, મારું મન આજે અશાંત છે. મારી તો શાંતિ જ છીનવાઈ ગઈ. ઈચ્છા નથી પરંતુ આ બધું સારું લાગે છે. આ આકર્ષણનું સૂક્ષ્મ રૂપ છે. જે તોફાનમાં ઉડતા તણખલાની જેમ મનને ભટકાવે છે. માટે જ કહેવતમાં કહેવાયું છે કે, પરમાનંદ આંતરિક સંપત્તિ છે, તે આત્માની પોતાની સંપત્તિ છે. આ માટે આત્મિક સ્વરૂપમાં સ્થિત થવું જરૂરી. પરમાનંદના રસમાં જેટલા ઊંડા ઉતરીશું તેટલો તે અલૌકિક આનંદ વધતો જશે. ઈશ્વર અનુભૂતિ દ્વારા પ્રાપ્ત પરમાનંદ શીતળતાની ઊંડાઈમાં ઉતરવાનો, ઈચ્છા માત્રમ અવિદ્યા બનવાનો, જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરાવે છે. માટે જ કહેવાયું છે કે, જે વ્યક્તિ વસ્તુ-વ્યક્તિ પ્રત્યે આકર્ષિત હોય છે તે કદી હર્ષિત રહી શકતો નથી.

જે પ્રકારે મહાસાગરમાં સતત ઉઠનારી લહેરોનો પ્રહાર કિનારા પર આવીને વિખરાઈ જાય છે. તેવી જ રીતે મનુષ્યના મનરૂપી સાગરમાં ઉઠતી આનંદની લહેરો તેના ચહેરા પર ફેલાઈ જાય છે. દેવતાઓને હંમેશા હર્ષિત બતાવેલ છે. કારણ કે તેમની અંદરનો આનંદ હંમેશા ચહેરા પર છલકાતો રહે છે. ગરુડ પુરાણના એક શ્લોકમાં બહારના આકર્ષણમાં ફસાયેલ મનુષ્યની દૂર્દશાનું વર્ણન કરવામાં આવેલ છે.- હરણ ઇન્દ્રિયોને વશ થઈને સારા-નરસાનું ભાન ભૂલી જાય છે. બલ્બની રોશની પ્રત્યે પતંગિયું તેના તરફ આકર્ષાય છે અને તે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. જીભના સ્વાદની લાલસા મનુષ્યને મૃત્યુ તરફ ધકેલી દે છે.

એક એક ઇન્દ્રિયને વશીભૂત થયેલ આ જીવોની કેવી દૂર્દશા થાય છે! તો જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોનો ગુલામ છે તેની કેટલી દૂર્દશા થાય છે?? તેનું સહજ રીતે અનુમાન લગાવી શકીએ. માટે પોતાનું કલ્યાણ ઈચ્છતી વ્યક્તિએ ચિત્તમાં એ ધારણ કરી લેવું જોઈએ કે પરમ સુંદર, પરમ આકર્ષણમૂર્ત તો એક પરમાત્મા જ છે. જે હંમેશા પાવન છે. તેમના સ્નેહમાં બંધાયેલ આત્માનું હંમેશા કલ્યાણ જ કલ્યાણ છે. પરમાત્મા પરમાનંદના સાગર પણ છે. સત્યમ, શિવમ, સુન્દરમ તેમના આ ગુણો પ્રત્યેનું આકર્ષણ મન-બુદ્ધિને ખેંચી, સ્વયંમાં સમાવી આનંદથી ભરપૂર કરી દે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

દિવસભર તન અને મન તરોતાજાં રાખવાં હોય તો…

એક જૂની કહેવત પ્રમાણે સ્વાસ્થ્ય જાળવવા માટે બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવો જોઈએ, જ્યારે ડિનર ભિક્ષુકની જેમ એટલે કે મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. આ કહેવત દ્વારા બ્રેકફાસ્ટ સારી રીતે પેટ ભરીને કરવાનું સૂચવવામાં આવ્યું છે. સવારના સમયે કરેલો હેલ્ધી બ્રેકફાસ્ટ શરીરને આખા દિવસ માટેની ઊર્જા આપે છે તેમ જ દિવસભરનાં કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. એવી રીતે પેટ ભરીને સવારનો નાસ્તો શારીરિક તેમ જ માનસિક બન્ને પ્રકારની કામગીરી માટે મહત્ત્વપૂર્ણ છે.

બ્રેકફાસ્ટ એટલે બ્રેક યૉર ફાસ્ટ. ફાસ્ટ મતલબ ઉપવાસ અને બ્રેક એટલે તોડવું. રાત્રે આઠ-નવ વાગ્યાની આસપાસ ભોજન કર્યા બાદ વળતી સવાર સુધી એટલે કે લગભગ દસથી 12 કલાક આપણે કશું ખાતાં નથી. રાતની ઊંઘ દરમિયાન શરીરની એનર્જી બર્ન થઈ જાય છે. સવારે ઊઠીએ ત્યારે પેટ સાવ ખાલી હોય છે. આ કારણે પણ સવારનો નાસ્તો ખૂબ મહત્ત્વનો છે, જેનાથી દિવસભર શરીર અને મગજ સંતુષ્ટ રહે છે. સવારે નાસ્તો કરવાથી બૉડીમાં હૅપ્પી હોર્મોન્સ ઉત્પ્ન્ન થાય છે, જે માણસને કામ કરવાની શક્તિ આપે છે આથી સવારે નાસ્તો કરવાનું ટાળવું ન જોઈએ. ઘણા લોકો વજન ન વધવા દેવાને કારણે પણ બ્રેકફાસ્ટ કરતા નથી, પરંતુ સવારનો નાસ્તો તો આપણને આદર્શ વજન જાળવવામાં મદદ કરે છે.

ધારો કે આપણે સવારે નાસ્તો ન કરીએ તો એ પછી ખાતી વખતે પેટ તદ્દન ખાલી હોવાને કારણે ઓવરઈટિંગ થઈ શકે છે, એનાથી મેદસ્વિતાની સમસ્યા પણ થાય છે અને મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. સવારનો નાસ્તો ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બ્રેકફાસ્ટ તમારું ચયાપચય (ડાઈજેશન) સુધારે છે, જેના દ્વારા તમે કૅલરી બર્ન કરી શકો છો તેમ જ લેવાયેલાં પોષક તત્ત્વોનો પૂરતો ઉપયોગ કરી શકો છો.

સમયની પ્રતિકૂળતાને કારણે અથવા તો ઘણી વખત સવારનો નાસ્તો અનુકૂળ ન હોવાને કારણે ઘણા લોકો બ્રેકફાસ્ટ કરવાનું ટાળતા હોય છે, પરંતુ સવારનો નાસ્તો કરવાથી શરીરની કાર્યક્ષમતા વધે છે. અમુક અભ્યાસના તારણ મુજબ તો નિયમિત બ્રેકફાસ્ટ લેવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે તથા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. અગર ડાયાબિટીસ ન હોય તો એ રોકવા માટે પણ બ્રેકફાસ્ટ મહત્ત્વપૂર્ણ છે. આમ, સામાન્ય રીતે નાસ્તો કરવાથી તમારા શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્યનાં વિવિધ પાસાં પર સકારાત્મક અસર પડે છે, જે સ્વસ્થ જીવનશૈલી માટે એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.

બ્રેકફાસ્ટના ફાયદા દ્વારા આપણે એનું મહત્ત્વ તો જાણ્યું, પરંતુ હેલ્ધી બ્રેકફાસ્ટ કેવા પ્રકારનો હોવો જોઈએ? તો જાણી લો, શિરામણ એટલે કે નાસ્તો પૌષ્ટિક હોવો જોઈએ, જેમાં કાર્બોહાઈડ્રેટની સાથે સાથે સારી ગુણવત્તાવાળું પ્રોટીન તેમ જ વિટામિનના સમન્વયવાળો સવારનો આહાર આપણને આખો દિવસ સ્ફૂર્તિ અપાવશે. દૂધ સાથે સિરિયલ્સ, ડ્રાયફ્રૂટ્સ અથવા ફ્રૂટ તેમ જ સીડ્સનું મિશ્રણ પોષકતામાં વધારો કરશે. દૂધ અથવા યોગર્ટ (દહીં) સાથે કૉર્નફ્લેક્સ, ઓટ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સનો સમાવેશ હોય એવો મ્યુસલી જેવો બ્રેકફાસ્ટ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે. સાથે સીઝનલ ફ્રૂટ કમ સે કમ 100 ગ્રામ સારું વિટામિન્સ તેમ જ મિનરલ્સ અપાવશે. અગર ભારતીય ટ્રેડિશનલ હેલ્ધી નાસ્તાની વાત કરીએ તો, ઉપમા અને પૌંઆ એ ઑલ ટાઈમ ફેવરીટ ડિશ છે. આ ઉપરાંત, બાફેલાં કે ફણગાવેલાં કઠોળ સારા પ્રકારના પ્રોટીનનો સ્રોત છે. આ સિવાય ગુજરાતી ટ્રેડિશનલ વાનગીમાં ઢોકળાં, બેસન ચિલ્લા (પૂડલા), ખમણ, મૂઠિયાં, વગેરે હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે લઈ શકાય.

શક્ય હોય ત્યાં સુધી સવારનો નાસ્તો ચા સાથે ન લેવો, કારણ કે ચા પોષક તત્ત્વોને શરીરમાં ભળતાં રોકે છે આથી સવારનો નાસ્તો દૂધ સાથે કરવો.

જે લોકો સવારે નાસ્તો નથી કરતા એમણે ચેતવાની જરૂર છે, કારણ કે જ્યારે આપણે ઊઠીએ છીએ ત્યારે સુગર લેવલ સૌથી વધારે ડાઉન હોય છે. આ સમયે મગજ, લીવર તથા હૃદયને ઑક્સિજન અને સુગરની સૌથી વધારે જરૂરત હોય છે. આ સમય દરમિયાન શરીરને સુગર રૂપી ઊર્જા ન મળે તો યાદશક્તિની બીમારી, સ્ટ્રેસ, તણાવ, બ્લડ પ્રેશર, કૉલેસ્ટરોલનું પ્રમાણ વધવું, પાચનશક્તિ નબળી પડવી, વગેરે તકલીફ થઈ શકે છે.

આ જ કારણે સૌથી વધારે મહત્ત્વનું અગર કોઈ ભોજન હોય તો એ છે સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ. સમયની અનુકૂળતા શોધીને પણ સવારનો નાસ્તો ફરજિયાત કરવો જોઈએ. અમુક રિસર્ચ પ્રમાણે જે લોકો સવારનો નાસ્તો નથી કરતા એમને અમુક બીમારી થવાની શક્યતા 30થી 40 ટકા વધી જાય છે. નવાઈ લાગે, પણ હકીકત એ છે કે વજન વધવા પાછળનું સૌથી મોટું રિસ્ક ફૅક્ટર કોઈ છે તો એ છે સવારનો નાસ્તો ના કરવો એટલે તમને બ્રેકફાસ્ટ કરવાની આદત નથી તો એની શરૂઆત કરી દેવી જોઈએ. બ્રેકફાસ્ટ તરીકે તમે દૂધ સાથે ફક્ત ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો અથવા તો થોડા ડ્રાય હેલ્ધી નાસ્તા સાથે સીઝનલ ફ્રૂટ ખાઈને દિવસની શરૂઆત કરી શકો છો.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૧ જુલાઈ ૨૦૨૫

Chitralekha Gujarati – 21 July, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

ભારતીય વાસ્તુ અને ભારતીયોની વિચારધારા

કોઈને દુખી કરીને સુખી થવાય એ વિચાર ભારતીય નથી. શ્વેત પ્રજા જાતજાતની તાંત્રિક વિધિ કરતી હોય એવી ફિલ્મો બનાવતી હોય ત્યારે એમની વિચારધારા સમજાય. એ વિચારમાં કોઈનું નુકશાન કરીને પોતાનો લાભ લેવાની વૃત્તિ સાફ દેખાય છે. ભારતમાં સાત્વિક ઉર્જાની વાત કરવામાં આવી છે. મંત્ર, તંત્ર, ચેતના જે માનવના ઉત્થાન સાથે જોડાયેલ છે એનો વિચાર છે. આપણી પાસે ઉર્જાના આટલા પ્રબળ સ્ત્રોત હોવા છતાં આપણે નકારાત્મક વિધિવિધાન તરફ જતા રહ્યા એ અધોપતનની નિશાની છે. સ્વની સમજણ ન હોય ત્યારે જ આવા ઉપચારની જરૂર પડે. સતત કોઈનું નુકશાન કરવાની વૃત્તિથી કર્મ જાગૃત થાય ત્યારે જે તે વ્યક્તિનો અંત ભયાનક જ હોય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: અમે જે સોસાયટીમાં રહીએ છીએ એમાં મોટાભાગના લોકો ગુજરાતના નથી. અન્ય રાજ્યમાંથી ધંધાર્થે કે પછી નોકરી માટે એ આવ્યા છે. એ લોકો રહે છે એનો વાંધો નથી પણ એમના વિચારો અત્યંત ભયાનક છે. નવરાત્રીમાં એ લોકો પૈસા લઈને પ્રસાદ આપે છે અને એમના તહેવાર હોય ત્યારે સોસાયટીના પૈસે જમણવાર કરે છે. ગાયત્રી યજ્ઞ કે શિવ પૂજા હોય તો ધમાલ કરે, બંધ કરાવવા પ્રયાસ કરે અને એમની તાંત્રિક વિધિઓ સોસાયટીના ખર્ચે કરે. શ્રાદ્ધમાં વાસ નાખવા પર પ્રતિબંધ છે. પણ પિતૃદોષની વિધિ જાહેરમાં થઇ શકે.

વાત અહી અટકતી નથી. વડસાવિત્રી પૂનમ એટલે ગુજરાતમાં સૌભાગ્વતી સ્ત્રી માટેનું અગત્યનું વ્રત ગણાય. એ દિવસે કીટીમાં દારૂની પાર્ટી અને સ્ટ્રીપ માટે કોઈ છોકરાને બોલાવીને ગુજ્જુ તો બેકવર્ડ હોતે હે કહીને ગુજરાતી બહેનોનું વ્રત પણ અટકાવ્યું. ફોરવર્ડ થવા જતા આપણી સ્ત્રીઓ સંસ્કાર ચુકી રહી છે. એ લોકો ત્રણ પેઢીથી ગુજરાતમાં રહેતા હોવા છતાં આપણી સાથે હિન્દીમાં જ વાત કરે. આતો સારું છે કે અમે આવ્યા, બાકી ગુજરાતીઓ તો ભૂખે મારી જાત. જેવું કહીને નીચા દેખાડે. વાત વાતમાં ગુજરાત તો સંસ્કાર વિનાનું સ્ટેટ છે એવું કહે. એક વખત હિંમત કરીને મેં કહ્યું, કે ન ફાવતું હોય તો પાછા જતા રહો. બસ, પછી અમારા પરિવાર પર જાતજાતની તાંત્રિક વિધિ શરુ કરી છે. રસ્તા પર જતા હોઈએ અને માથા પર કશુક નાખી દે, ઘરની બહાર મરેલા જાનવરો નાખી જાય. શું ગુજરાતમાં રહીને ગુજરાતી રહેવું એ ગુનો છે? જો આ લોકો મહારાષ્ટ્રમાં હોત તો? વાંક આપણા લોકોનો પણ છે. એ લોકો આપણને નીચા દેખાડે છે અને આપણે એમનાથી પ્રભાવિત થઇ જઈએ છીએ.

શું આવી વિધિથી નુકશાન ન થાય એના માટે ભારતીય વાસ્તુમાં કોઈ ઉપાય છે?

જવાબ: અન્ય રાજ્યમાંથી આવાનાર વ્યક્તિ ગુજરાતમાં કમાવા માટે આવે છે. એમના માટે આ જગ્યા લાગણી ઉભી કરવા માટે નથી. એમને એમની જગ્યા જ વ્હાલી લાગવાની. તમે એમને જે જવાબ આપ્યો એ યોગ્ય છે. પણ તમારા જેવી હિંમત કેટલા લોકો કરશે? કોઈ વારંવાર અપમાન કરે તો એને એની જગ્યા બતાવવી જરૂરી હોય છે. ભારત દેશ બધાનો છે. પણ એમાં કોઈ એક રાજ્યના લોકો અન્ય રાજ્યના લોકોનું અપમાન કરે તે યોગ્ય ન જ ગણાય. વળી ગુજરાતમાંથી આપણા પ્રધાનમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી આપણા દેશને મળ્યા છે. એ વાત એ લોકો કેમ ભૂલી જાય છે? અને એમના ગુજરાતના કાર્યકાળમાં જ આવા લોકો ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં તક વધારે છે. પણ એ વાત એ લોકોને સમજાવવી અઘરી છે. પોતાના રાજ્યમાં અપમાનજનક સ્થિતિમાં જીવવું એ દુખદ ઘટના છે. એના માટે બધા ગુજરાતીઓએ વિચારવું પડશે.

જે સ્ત્રી ગુજરાતમાં સંસ્કૃતિ વિરુદ્ધ વાતાવરણ ઉભું કરે છે એ કદાચ પોતાના રાજ્યમાં લાજ કાઢીને પણ ફરતી  હોય. કારણ કે એનો સમાજ ત્યાં છે. એમની દેખાદેખીમાં આપણે આપણા નિયમો ન જ છોડાય. તાંત્રિક વિધિ કરતા મંત્રની શક્તિ હમેશા વધારે જ રહી છે. ભારતીય નિયમોથી એ નકારાત્મક શક્તિની અસરમાંથી ચોક્કસ બહાર નીકળી શકાય છે.

સુચન: ભારતીય વાસ્તુમાં ઉત્તરભારતીય અને દક્ષિણભારતીય વિચારો અમુક જગ્યાએ અલગ પડે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

પંચાંગ 11/07/2025

કેનેડામાં કપિલ શર્માના કાફે પર થયું ફાયરિંગ

પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા વિશે એક મોટા સમાચાર બહાર આવ્યા છે. કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ગોળીબાર થયો છે. આશ્ચર્યજનક વાત એ છે કે કપિલનો આ કાફે તાજેતરમાં જ ખોલવામાં આવ્યો હતો. આ ફાયરિંગ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં, એક વ્યક્તિ રાત્રે કાફેની બારીઓ પર ગોળીબાર કરતો જોવા મળે છે. તે વ્યક્તિ કારમાં છે અને આ વીડિયો પણ ત્યાંથી બનાવવામાં આવી રહ્યો છે.

કપિલનો આ કાફે કેનેડાના સરે વિસ્તારમાં છે. થોડા દિવસો પહેલા, આ કાફે મોટા પાયે ખોલવામાં આવ્યો હતો. કપિલના આ કાફેમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. કપિલે પોતે થોડા દિવસો પહેલા તેના આ આંતરરાષ્ટ્રીય કાફેનો વીડિયો શેર કર્યો હતો. ફાયરિંગનો આ વીડિયો રાત્રિનો છે, જ્યાં એક કાર સવાર કાફેની બારીઓ પર ગોળીબાર કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કપિલના કાફેમાં ગોળીબારની જવાબદારી કોણે લીધી?

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ ઘટનાની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ ગેંગ દ્વારા લેવામાં આવી છે. આ કેસમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સંગઠન સાથે સંકળાયેલા આતંકવાદી હરજીત સિંહ ઉર્ફે લડ્ડીનું નામ સામે આવી રહ્યું છે. લડ્ડી એક કુખ્યાત આતંકવાદી છે, જેનું નામ પહેલા પણ ઘણી ઘટનાઓમાં સામે આવ્યું છે. લડ્ડી NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં પણ સામેલ છે.

કપિલ શર્માનું આ કાફે ક્યારે ખુલ્યું હતું?

કપિલનું આ કાફે ખુલ્યાને માત્ર 6 દિવસ થયા છે. કપિલ અને તેની પત્ની ગિન્ની ચતરથે સોશિયલ મીડિયા પર કાફેના સુંદર ચિત્રો અને વીડિયો શેર કર્યા હતા. કપિલ શર્મા ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. આવી સ્થિતિમાં, ફાયરિંગ જેવી સનસનાટીભરી ઘટનાએ વિસ્તારના દરેકને હચમચાવી નાખ્યા છે. મળતી માહિતી મુજબ, આ ઘટનાને ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે. હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જો કે, કપિલનું કાફે જે બિલ્ડિંગમાં સ્થિત છે તેનો માલિક કોઈ બીજું છે.

ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતને મોટો ફટકો,પંત થયો ઈજાગ્રસ્ત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવાર, 10 જુલાઈના રોજ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર શરૂ થઈ હતી. પરંતુ પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાને એવો ઝટકો લાગ્યો, જેના કારણે તેનું તણાવ વધી ગયો છે. આ શ્રેણીમાં પોતાના બેટ અને વિકેટકીપિંગથી મજબૂત ભૂમિકા ભજવી રહેલા ઉપ-કેપ્ટન ઋષભ પંત મેચની વચ્ચે જ ઈજાગ્રસ્ત થઈ ગયા, જેના કારણે તેમને મેદાન છોડીને પાછા ફરવું પડ્યું. આવી સ્થિતિમાં, પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ માટે ઉતરવું પડ્યું.

ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચના પહેલા દિવસે ટોસ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાએ પહેલા ફિલ્ડિંગ કરવી પડી. ટીમ ઈન્ડિયાને પહેલા સત્રમાં જ 2 સફળતા મળી, જેમાં પંતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી કારણ કે બંને વખત પંતે વિકેટ પાછળ કેચ પકડ્યા હતા. પરંતુ બીજા સત્રમાં, પંત લાંબા સમય સુધી મેદાન પર રહી શક્યો નહીં અને ઈજાને કારણે પરત ફરવું પડ્યું.

બોલ રોકવાનો પ્રયાસ કરતી વખતે ઈજાગ્રસ્ત

આ બધું પહેલા દિવસના બીજા સત્રમાં થયું, જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઇનિંગની 34મી ઓવર ફેંકી. આ ઓવરનો પહેલો બોલ લેગ સ્ટમ્પની બહાર હતો, જેને વિકેટકીપર પંતે ડાબી બાજુ ડાઇવ કરીને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો અને બોલ 4 રન માટે ગયો. જોકે, બીજી જ ક્ષણે બધાનું ધ્યાન 4 રન પર નહીં પણ પંત પર હતું કારણ કે તે પીડાથી ચીસો પાડવા લાગ્યો. ખરેખર, ડાઇવિંગને કારણે, તેના ડાબા હાથની આંગળી વળી ગઈ અને તે પીડાથી પરેશાન થઈ ગયો.

પંત મેદાન છોડીને ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો

ટીમ ઇન્ડિયાના ડૉક્ટર તરત જ મેદાનમાં પહોંચ્યા અને ‘મેજિક સ્પ્રે’ લગાવીને પીડા ઘટાડવાનો પ્રયાસ કર્યો. આ કારણે, પંતે ફરીથી વિકેટકીપિંગ શરૂ કર્યું પરંતુ આ દરમિયાન તે ગ્લોવ્સ પહેરીને પણ પીડામાં જોવા મળ્યો. પંતે તે ઓવરના બાકીના 5 બોલમાં પણ વિકેટકીપિંગ કર્યું પરંતુ ઓવર પૂરી થતાં જ પેવેલિયન પરત ફર્યો. આવી સ્થિતિમાં, ધ્રુવ જુરેલને તેના સ્થાને વિકેટકીપિંગ માટે લાવવામાં આવ્યો.

ટેનિસ ખેલાડી રાધિકા યાદવની ગોળી મારીને હત્યા

ટેનિસ ખેલાડી રાધિકા યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રાધિકાની હત્યા ગુરુગ્રામના સુશાંત લોક-2 સ્થિત તેના નિવાસસ્થાન E-157 પર કરવામાં આવી હતી. રાધિકાને તેના પિતાએ ગોળી મારી હતી. રાધિકાના પિતાએ લાઇસન્સ પ્રાપ્ત રિવોલ્વરથી ત્રણ ગોળી મારી હતી. ગુરુગ્રામ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને રાધિકાના પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

રાધિકા યાદવની ગોળી મારીને હત્યા

ગુરુગ્રામ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાધિકાના પિતા રીલ બનાવવાની તેની આદતથી ખૂબ ગુસ્સે હતા. રાધિકા રીલ બનાવતી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હતી. આ મામલે રાધિકાના પિતાએ તેમની પુત્રીને ત્રણ ગોળી મારી હતી. પોલીસે રાધિકાના પિતાની ધરપકડ કરી છે. આ સાથે, જે રિવોલ્વરથી રાધિકાના પિતાએ હત્યા કરી હતી, તે હથિયાર પણ પોલીસે જપ્ત કર્યું છે.

રાધિકા યાદવ કોણ હતી?

રાધિકાનો જન્મ 23 માર્ચ 2000 ના રોજ થયો હતો. રાધિકા યાદવ 25 વર્ષીય ટેનિસ ખેલાડી છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. tenniskhelo.com અનુસાર, આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશનમાં રાધિકાનું રેન્કિંગ ડબલ્સ ટેનિસ ખેલાડીમાં 113 હતું. ITF ડબલ્સમાં ટોચના 200 માં રાધિકાનું આ શ્રેષ્ઠ રેન્કિંગ હતું.

રાધિકા યાદવ દેશની ઉભરતી ખેલાડી હતી, પરંતુ તેના પિતાએ પોતે જ તેની પુત્રીની હત્યા કરી દીધી. રાધિકા યાદવની ટેનિસ સફર શરૂ થાય તે પહેલાં જ તેની જીવનયાત્રાનો અંત આવી ગયો. આ સમાચાર બહાર આવ્યા પછી, ગુરુગ્રામના સેક્ટર 57 માં શાંતિ છવાઈ ગઈ છે. આ ઘટનાથી આસપાસના બધા લોકો આશ્ચર્યચકિત છે. રાધિકાની હત્યાએ બધાને ચોંકાવી દીધા છે.