નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના વિમાનના બે પાઇલટ્સની છેલ્લી વાતચીતની કોકપિટ રેકોર્ડિંગ એવી સંભાવના તરફ ઈશારો કરે છે કે કેપ્ટને વિમાનના એન્જિન માટેના ફ્યુઅલનો પ્રવાહ બંધ કરી દીધો હતો. આ માહિતી અમેરિકન મિડિયા વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા આપવામાં આવી છે.
અહેવાલ અનુસાર બોઈંગ 787 ડ્રીમલાઇનર ચલાવી રહેલા ફર્સ્ટ ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું કે તેમણે રનવે પરથી ઊડાન ભરીને તરત પછી સ્વિચને કટ-ઓફ સ્થિતિમાં શા માટે મૂકી છે. ઓફિસરે ગભરાટ વ્યકત કર્યો હતો, જ્યારે કેપ્ટન શાંત રહ્યા હતા.આ પ્લેન ક્રેશમાં કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદરનાં મોત થયાં હતાં. બંનેને અનુક્રમે 15,638 કલાક અને 3403 કલાકની ઉડાનનો અનુભવ હતો. વોલ સ્ટ્રીટ જર્નલે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વિચ ઉડાન પછીની થોડી જ ક્ષણોમાં એક પછી એક બંધ થયાં હતાં. રિપોર્ટ મુજબ વિમાનના ઉડાન ભરવાથી લઈને દુર્ઘટના સુધીનો સમય માત્ર 32 સેકંડનો હતો.
અહેવાલમાં મામલાની જાણકારી ધરાવતાં સૂત્રોએ અમેરિકન પાઇલટ્સ અને સુરક્ષા નિષ્ણાતોના હવાલા આપતાં જણાવ્યું છે કે રિપોર્ટમાં આપેલી વિગતો દર્શાવે છે કે કેપ્ટને જ આ સ્વિચ બંધ કરી હતી. જોકે રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે આ નિર્ણય ભૂલથી થયો હતો કે ઈરાદાપૂર્વક.
નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામમોહન નાયડુએ ગયા સપ્તાહે કહ્યું હતું કે આ રિપોર્ટ માત્ર પ્રાથમિક તારણો પર આધારિત છે અને અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી કોઈ નિશ્ચિત નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.






કાર્યક્રમની શરૂઆત ઇન્દ્રશીલ તીર્થ મંદિર ખાતે મંદિરના પૂજારીઓના નેતૃત્વમાં આયોજીત હવન સાથે થઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર અગ્નિને આહૂતિ અર્પણ કરવાથી શાંતિનું વાતાવરણ સર્જાયું હતું, જેમાં ઉપસ્થિત તમામ લોકો માટે આશીર્વાદ માંગવામાં આવ્યા હતા. તેના પછી, માતાજી સંજનાનંદ ગિરીજીએ એક શક્તિશાળી અને જ્ઞાનવર્ધક પ્રવચન આપ્યું, જેમાં તેમણે મા કામાખ્યાની દિવ્ય ઊર્જા, આંતરિક શુદ્ધિકરણ અને આધુનિક જીવનમાં આધ્યાત્મિક આધારના મહત્વ પર વાત કરી હતી.




જામનગરમાં આવેલી વનતારાની અલાયદી સંરક્ષિત ફેસિલિટીમાંથી સ્થળાંતરિત કરાયેલા હરણોને ખાસ ડિઝાઇન કરેલી એમ્બ્યુલન્સમાં કચ્છ લાવવામાં આવ્યા હતા. સંરક્ષિત વિસ્તારમાં આ હરણોને છોડવાની પ્રક્રિયા વન વિભાગના સીધા નિરીક્ષણ અને નિર્દેશન હેઠળ કરવામાં આવી હતી, જેમાં વનતારા દ્વારા સ્થાપિત સંરક્ષણ નિયમો અનુસાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે તકનીકી અને સંસાધનોની સહાય પૂરી પાડવામાં આવી હતી.
ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડો. બ્રિજ કિશોર ગુપ્તાએ જણાવ્યું કેઃ “આ પહેલ સંરક્ષણ માટેનો સહયોગી અભિગમ દર્શાવે છે, જ્યાં બન્નીના ઘાસના મેદાનોમાં જૈવવિવિધતાને મજબૂત કરવા માટે વૈજ્ઞાનિક નિપૂણતા અને સંસાધનને લગતી સહાયનું સંયોજન કરવામાં આવે છે.”
ગુજરાતના કચ્છ જિલ્લામાં 2618 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બન્નીના ઘાસના મેદાનો એશિયાના સૌથી મોટા અને પર્યાવરણીય રીતે સૌથી મહત્વપૂર્ણ ઘાસના મેદાનોમાંનું એક છે. સર્વેક્ષણોમાં આ પ્રદેશમાં સસ્તન પ્રાણીઓની 12 પ્રજાતિઓ નોંધવામાં આવી છે, જેમાં છ માંસાહારી અને બે શાકાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રજાતિઓમાં ચિંકારા (ઇન્ડિયન ગઝેલ), ભારતીય વરુ, ગોલ્ડન શિયાળ, નીલગાય, પટ્ટાવાળા ઝરખ અને શિયાળનો સમાવેશ થાય છે. બન્નીના પર્યાવરણીય વ્યવસ્થાપનમાં ગુજરાત વન વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું નિરંતર જારી રાખતાં ક્ષતિગ્રસ્ત વિસ્તારોને પુનર્સ્થાપિત કરવા, આક્રમક પ્રજાતિઓને નિયંત્રિત કરવી અને સ્થાનિક વન્યજીવનને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ એવા સ્થાનિક ઘાસના વિકાસને પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



