પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં NDA ગઠબંધને મહિલા મતદારોને લક્ષ્ય બનાવીને મોટું પગલું ભર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ નો શુભારંભ કરશે. આ કાર્યક્રમમાં તેઓ બિહારની 75 લાખ મહિલાઓનાં બેંક ખાતાંમાં સીધા 10,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે. કેન્દ્રની મોદી સરકાર અને બિહારની નીતિશ સરકારના નેતૃત્વમાં ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. ત્યાર બાદ મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની વધારાની મદદ પણ આપવામાં આવશે.
‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ થી બિહારની મહિલાઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા શુક્રવારે એટલે કે 26 સપ્ટેમ્બરે ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ નો પ્રથમ હપતાના પૈસા મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે સરકાર તરફથી વિશાળ કાર્યક્રમનું આયોજન થવાનું છે. એ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમ સાથે ઓનલાઈન જોડાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક અનુદાન 10,000 રૂપિયાનું રહેશે.
बिहार की माताओं-बहनों और बेटियों के कल्याण के लिए डबल इंजन सरकार समर्पित भाव से कार्य कर रही है। इसी क्रम में आज ‘मुख्यमंत्री महिला रोजगार योजना’ का शुभारंभ करना मेरे लिए बहुत गर्व की बात है। https://t.co/pntJaWKPRm
અધિકારીઓએ જણાવ્યું કે રોજગાર શરૂ કર્યા પછી મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની વધારાની આર્થિક સહાય પણ આપવામાં આવશે. PM મોદી અને બિહારના CM નીતીશકુમારની હાજરીમાં 75 લાખ મહિલાઓના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં જન પ્રતિનિધિઓ સિવાય જિલ્લા સ્તરના અધિકારીઓ અને સ્વયં સહાયતા જૂથ સાથે જોડાયેલી આશરે 1000થી વધુ મહિલાઓ ભાગ લેશે.
‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ નો હેતુ શું?
સરકારની આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવો અને સ્વરોજગાર તથા આજીવિકાના અવસરો દ્વારા તેમના સશક્તીકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ રાજ્યના દરેક પરિવારની એક મહિલાને આર્થિક સહાય આપવામાં આવશે. જેથી તેઓ પોતાની પસંદગીનો રોજગાર અથવા આજીવિકા પ્રવૃત્તિઓ શરૂ કરી શકે. જેને કારણે તેઓ ખેતી, પશુપાલન, હસ્તકલા, સીલાઈ અને અન્ય લઘુ ઉદ્યોગોમાં પોતાનું કાર્ય શરૂ કરી શકે.
નવરાત્રી અને લોક ગરબી કે ગરબાનું આપણાં શાસ્ત્રોમા જેટલું આધ્યાત્મિક મહત્વ છે એટલું જ મહત્વ એની લોક વાયકાઓ, લોકલાગણીઓ સાથે છે. સમયે સમયે યુગ પરિવર્તન થતાં લોકબોલી, અને એના ભાવો સાથે ગરબીના તાલ અને બોલ પણ બદલાયા છે.’પાવલી લઈને હું તો પાવાગઢ ગઇતી ‘ થી ‘ચાર ચાર બંગડી વાળી ગાડી ‘ સુધી, લોકોના મનનાં ઉભાર ગરબામાં પીરસાતા ગયાં.
આપણી સંસ્કૃતિ એક અમૂલ્ય સાહિત્ય સંપન્ન વારસો ધરાવે છે. એ વરસો,આપણને આપણાં સુઘી જીવંત, અને એના ખરા સ્વરૂપે એજ રીતે આપણને જો મળી શક્યો છે અને આપણે આપણાં લોકસાહિત્યના હાર્દને જો જાણી શક્યા હોય તો એનો શ્રેય સાહિત્યકાર, કવિઓને જાય છે, જેમણે એમની કલમ અને વ્યક્તવ્ય દ્વારા આજે ગુજરાતી સાહિત્યને આપણાં હ્રદયમાં ધબકતું રાખ્યું છે. બાકી દુનિયાનું દરેક એઆઈ, મેટા કે ગુગલ,ગુજરાતી પરંપરાગત લોકગીત કે પ્રાચીન ગરબીના અર્થ સમજાવવા હજુ પણ અસમર્થ છે.
એક ખૂબ લોકપ્રિય ગરબો છે ‘દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાડ રે…’એનો અર્થ કદી જાણ્યો હોય તો ખરેખર આપણાં રોમ રોમ ખીલી ઉઠે. દૂધથી ભરેલી તલાવડી હોય અને ફરતે મોતીડાની પાળ હોય એ શક્ય નથી, તો પછી વાત શુ છે? એ છે સોરઠી ગરબાની દંતકથા. કહેવાય છે કે સોરઠમાં એકવાર જ્યારે માતાજીનું આઠમું નોરતું હતું ત્યારે એક સોરઠી બાઈને પણ ગરબે ઘુમવાનું મન થયું. પરંતુ એના ખોળામાં છએક માસનો દિકરો હતો. ગરબામાં જવા માટે એ જલ્દી જલ્દી ઘરનું કામકાજ પતાવી, છોકરાને ખવડાવી અને સુવડાવીને સહેલીઓ સાથે ગરબે ઘૂમવા જાય છે… એનો પતિ તો આંગણામાં જ હોય છે. બેએક કલાક પછી પેલો બાળ રડવા માંડે છે અને આ બાજુ માતૃત્વને એના ભણકારા વાગતાં જ એ હાંફળી-ફાંફળી દોડતી ઘરે આવે છે અને ઘરમાં જઈને રડતા બાળકને છાતીએ વળગાડે છે. એને આમ અચાનક દોડતી આવેલી જોઈને એનો પતિ પણ એની પાછળ ઘરમાં આવે છે. માતૃત્વથી નીતરતી અને પોતાના બાળકમાં સંપૂર્ણપણે તન્મય થઈ ગયેલી એ બાઈ ઉતાવળમાં બાળકને ધવડાવતી વખતે પોતાની છાતી ઢાંકવાનું ભૂલી જાય છે. અને આ દૃશ્ય એનો પતિ જોઈ રહે છે. માતૃત્વથી તરબતર પોતાના બાળકને માત્ર દૂધ જ નહીં, પરંતુ જાણે સાક્ષાત પ્રેમ અને મમતાનું અમૃતપાન કરાવી રહેલી પત્નિનાં ગળામાંની મોતીની માળા એ ધાવતાં બાળકનાં મોં સુધી સ્પર્શતી રહે છે. મા-બાળકનાં વ્હાલનું એ અદભૂત દૃશ્ય જોઈને એનાં પતિનાં મ્હોંમાંથી સહજ શબ્દો સરી પડે છે કે,“દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…”.
રમેશપારેખનુ ‘વ્હાલ બાવરી’નુ ગીત ‘સાંવરિયા રે મારો સાંવરિયો’…એનો લૌકિક અર્થ કરો તો આજે પણ રુંવાડા ઉભા થઇ જાય. એક નારી, પ્રેમ વિહવળ બનીને જે વ્યથા રજૂ કરે છે, એના શબ્દો જો તમે ધ્યાનથી સાંભળો તો એમાં ઓતપ્રોત થઇ જવાનું મન થાય. Jv પ્લાનેટમા એ રમેશ પારેખના ગીતનું ઘણી સરસ રીતે અર્થઘટન કર્યું છે. એ કહે છે કે પ્રેમ ઘેલી નારીઓની કલ્પના રજૂ કરતું આ ગીત અદ્ભૂત છે, ‘ધરું ખોબો ને દઈ દે દરિયો, મને પૂછો કે ઘર મારું કેવડું, મારા વ્હાલમજી બાથ ભરે એવડું..’ એના વ્હાલમના પ્રેમથી તરબરતાં આલિંગનની વિશાળતાને શબ્દોથી શણગારવામાં આવી છે. ભાગ દોડ વાળા જીવનમાં પોતાનાઓને સાંભળવાનો સમય નથી મળતો તો પુસ્તકો શોધીને વાંચવાનો સમય ક્યાંથી મળે, પણ આવાં ઇતિહાસના રૂપલા હીરા મોતીઓ આપણને પીરસી રહ્યા છે, આપણાં ચાહિતા લેખકો, સાહિત્યકારો, અને કવિઓ, અને એ પણ આપણાં યુવાઓના માધ્યમો સોશિયલ મીડિયા દ્વારા…
એક એવો સમય હતો જયારે દીકરીઓ પરણીને સાસરે જતી, મોટા ઘૂંઘટની અંદર ઘૂંટાતી જીંદગીની પરીકલ્પના આજે કરવી અશક્ય છે, જ્યાં ઘરની વહુઆરુને ખોંખારો ખાવાની પણ પરવાનગી ના હોય ત્યાં રાસ રમઝટની વાત તો બહુ દૂરની હોય છે. દીકરી સાસરિયે છે અને વર્ષો પછી ફરી એજ કુળમા બીજી દીકરીનું સગપણ નકી કરવા દાદા આવે છે, પણ કોઈ સંજોગોમા, દાદા અને દીકરી વચ્ચે વાતચીત શક્ય નથી કેમકે એ સમયમાં મર્યાદાની કિંમત ખૂબ વધુ હતી, દાદા એ જ કુળમાં પોતાની બીજી દીકરીને વળાવવાનુ વિચારે છે, ત્યારે પહેલી દીકરી એમના દાદાને ના પાડવા ઘૂંઘટમાંથી આ ગીત લલકારે છે, દાદા હોં દીકરી,વાગડમા ના દેજો હોં સહી, વાગડની વઢીયાળી સાસુ દોહલી રે લોલ’…. આ ગરબો ગવાય રહ્યો છે ચોકમાં, આટલી ઘૂંઘટા તાણેલી દીકરીઓમાંથી દાદા તેમની દીકરીનો અવાજ સાંભળીને એને ઓળખી જાય છે. અને આ ગીત ત્યારે સંવાદ બની જાય છે. સાસરીમાં માત્ર વહુનો હોંકારો સાંભળનારા કોઈ એને ઓળખી શકતા નથી, આમ એ લહેકો એની મર્યાદા સાચવી ગયો છે.
આપણી સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ છે, જ્યાં આજની તારીખે પણ દરેક રીતો અને રિવાજોના બોલ છે, ગીત છે અને સંગીત છે. લલણીના, પ્રેમના ગીત, વિદાયના ગીત, પરોઢીયા થી લઈને નિંદરણીના ગીત,.. ગણેશ સ્થાપનાથી લઈને અરૂંધતીના તારો જોવાના ગીત… અને એવા ગીત આજની તારીખે પણ ગજરાતમા બને છે,જેને માત્ર ગુજરાત કે ભારતમાંજ નહીં પરંતુ ગ્લોબલ લેવલે વિશ્વના સૌથી પ્રસિદ્ધ મ્યુઝિક એવોર્ડસમા સ્થાન મળેલ છે, એવા આદિત્ય ગઢવી દ્વારા ગવાયેલ ‘અલબેલી મતવાળી મૈયા’ને ગ્રેમિએવોર્ડની પર્ફોમન્સ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. એ ગુજરાતીઓ માટે ખરેખર ગર્વની વાત છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે કયો નિર્ણય લઈ લે તે કહેવું મુશ્કેલ છે. હવે તેમણે પહેલી ઓક્ટોબરથી ફાર્મા ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી બ્રાન્ડેડ અને પેટન્ટ મેડિસિન પ્રોડક્ટ્સ પર 100 ટકા ભારે ટેરિફ લગાવવાનો જાહેર કર્યો છે. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું છે કે પહેલી ઓક્ટોબર, 2025થી અમે કોઈ પણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ દવા પર 100 ટકા ટેરિફ લગાવીશું. આ ભારે ટેરિફથી છૂટ મેળવવા માટે કંપનીઓએ અમેરિકા અંદર જ ઉત્પાદન શરૂ કરવું પડશે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પના આ નિર્ણયની પ્રતિકૂળ અસર ભારતીય કંપનીઓ પર પણ થશે, કારણ કે અમેરિકા માટે દવાઓના સૌથી મોટા સપ્લાયર્સમાં ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે.
હાલ ભારતીય દવા પર કેટલો ટેક્સ?
હાલ અમેરિકાથી ભારત આવતી દવાઓ પર 10.91 ટકા ટેક્સ લાગે છે. જ્યારે અમેરિકા ભારતીય દવાઓ પર કોઈ ટેક્સ લગાવતું નથી. જોકે બીજી એપ્રિલ, 2025ના ટેરિફ જાહેરાત વખતે ટ્રમ્પે ફાર્મા સેક્ટરને બહાર રાખ્યું હતું, પરંતુ હવે 100 ટકા ટેરિફ જાહેર કરવામાં આવ્યો છે.
મેડ ઇન અમેરિકા પર ઝીરો ટેરિફ
ટ્રમ્પે લખ્યું છે કે જો કંપનીઓ અમેરિકામાં દવાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી ન રહી હોય. તેમણે છૂટની કડક શરતો પણ સ્પષ્ટ કરી હતી “કન્સ્ટ્રક્શન અન્ડર પ્રોસેસ” એટલે કે નિર્માણ કાર્ય શરૂ થવું અથવા ચાલુ હોવું એટલે કે જો પ્લાન્ટનું નિર્માણ શરૂ થઈ ગયું છે તો આ દવાઓ પર કોઈ ટેરિફ લાગશે નહીં.
Starting October 1st, 2025, we will be imposing a 100% Tariff on any branded or patented Pharmaceutical Product, unless a Company IS BUILDING their Pharmaceutical Manufacturing Plant in America. “IS BUILDING” will be defined as, “breaking ground” and/or “under construction.”…
એ સિવાય રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલી ઓક્ટોબરથી કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50 ટકા, ફર્નિચર પર 30 ટકા અને ભારે ટ્રકો પર 25 ટકા શુલ્ક વસૂલવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની પણ મોટો અસર પડશે.
અમેરિકન જનતા પર વધશે ખર્ચનો બોજ
વર્ષ 2024માં અમેરિકાએ લગભગ 233 અબજ ડોલરની દવાઓ અને ઔષધીય ઉત્પાદનોની આયાત કરી હતી. દવાઓ પર ભારે ટેરિફથી અમેરિકામાં દવાઓના ભાવમાં મોટો વધારો થશે, જેનો બોજ સીધો જનતાને સહન કરવો પડશે. ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકન જનતા પર બુમરેંગ સાબિત થશે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
મુંબઈ: સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું, એવા લોકપ્રિય સાહિત્યકારની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ ૨૦૦૫થી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરે છે.વર્ષ ૨૦૨૪ માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવે છે. સાહિત્ય વિભાગમાં રાજકોટસ્થિત કવિ લલિત ત્રિવેદી, રાજકોટથી પ્રગટ થતાં વર્તમાનપત્ર ‘ફૂલછાબ’ના તંત્રી જ્વલંત છાયા અને કલા વિભાગમાં મુંબઈસ્થિત નાટ્યકલાકાર મીનળ પટેલની પસંદગી કરવામાં આવી છે. જવલંત છાયાએ આ પહેલાં ‘ચિત્રલેખા’ના રાજકોટ ખાતેના પત્રકાર તરીકે ફરજ બજાવી છે.આ ત્રણેય પારિતોષિક કથાકાર મોરારિબાપુના હસ્તે એનાયત કરવામાં આવશે. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂપિયા ૫૧,૦૦૦ (એકાવન હજાર)ના ચેકનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ૨૮ સપ્ટેમ્બરે, સાંજે ૬.૦૦ વાગ્યે હિંદુસ્તાની પ્રચાર સભા હૉલ, મહાત્મા ગાંધી મહાત્મા મેમોરિયલ બિલ્ડિંગ, ચર્ની રોડ, મુંબઈ ખાતે યોજાશે.હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે નવીનભાઈ દવે, ટ્રસ્ટી તરીકે રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત તથા કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે ગોપાલ દવે, હિતેન આનંદપરા, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોષી કાર્યરત છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત કાર્યરત છે. જેના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.
ગુજરાત સાયન્સ સિટીના એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્ક સહિતના સાયન્સ સીટીના વિવિધ આકર્ષણો આવેલા છે.
ગુજરાત સાયન્સ સિટીમાં દરરોજ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ સહીત મોટી સંખ્યા માં મુલાકાતીઓ આવે છે. તેઓની આ મુલાકાત ને ‘સાયન્સ સફર’ બનાવવા શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓને જુદા વર્કશોપ્સ વડે વિજ્ઞાનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે.
આ વર્કશોપ્સમાં વિદ્યાર્થીઓને STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) વિષયક શિક્ષણ આપવામાં આવશે. વર્કશોપ્સમાં હેન્ડ્સ ઓન એક્ટિવિટી સાથે સાઉન્ડ, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ, હીટ એન્ડ કેન્ડલ, મશીન્સ, એસ્ટ્રોનોમી, ફોર્સ, પ્રેસર એન્ડ ફ્રિકશન, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ, લિવિંગ સિસ્ટમ, આર્ટ એન્ડ મેથેમેટિક્સ, સ્પોર્ટ્સ એન્ડ મેથેમેટિક્સ, બેઝિક એરિથમેટિક એન્ડ નંબર સીસ્ટમ, એડવાન્સ્ડ એરિથમેટિક એન્ડ કમ્પ્યુટેશનલ થિંકિંગ, થ્રી-ડી વિઝ્યુલાઈઝેશન એન્ડ જીયોમેટ્રી, ફેક્ટર્સ એન્ડ ફ્રેક્શન્સ, અલજેબ્રા એન્ડ મોશન, ICT એન્હેન્સ્ડ લર્નિંગ, પેપરબેઝ્ડ મેથેમેટિક્સ જેવા વિષયો અંગે શિક્ષણ આપવામાં આવશે.
અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે H1B વિઝા માટેની ફીઝમાં (એક લાખ ડૉલર કરવાની) અચાનક વધારો કરી દેવાની સૂચના જે રીતે બહાર પાડી છે, તેને કારણે એવા ઘણા H1B visa હોલ્ડર્સ અને અરજદારો છે, જેઓ આ જાહેરાત સમયે ભારતમાં હતા અથવા ભારત આવવાની યોજના ઘડતા હતા અથવા ભારત આવવા નીકળી ચૂક્યા હતા, તેઓ દરેકને તાત્કાલિક પોતાની યાત્રા અટકાવવી પડી અને યુ.એસ. પરત થવું પડયું. જે તેમની માટે આર્થિક અને માનસિક આઘાત હતો, કારણ કે આ બદલાવને કારણે તેમણે ભારતમાં રહેવાથી એક લાખ ડોલર ભરવા પડશે અથવા તેમના વીઝા કેન્સલ થશે એવી મુંઝવણમાં મુકાઈ ગયા હતા.અમેરિકાનો આ નિર્ણય સ્થાનિક ધોરણે પ્રવર્તતી બેરોજગારીની સમસ્યાને કારણે હોઇ શકે એ સમજી શકાય એવું છે. અમેરિકાનાં નિયમાનુસાર કંપનીઓને એમની જરૂરિયાત અનુસાર સ્થાનિક સ્તરે વ્યક્તિ ન મળતી હોય તો જ એ કંપનીઓ અન્ય દેશના લોકો માટે H1B વિઝાની અરજી કરી શકે છે.
આવા સંજોગોમાં હવે ભારતીયોએ શું કરવું જોઈએ?
પહેલાં તો એ સમજી લઈએ કે જે અમેરિકન કંપનીઓએ લાયક અને અનુભવી ભારતીયોને નોકરીઓ આપી છે એ લોકોને કોઈ વાંધો નહીં આવે. કેમ કે એમની કંપનીઓએ એક લાખ ડૉલર ભરવા પડશે નહીં. જો ભવિષ્યમાં આ કંપનીઓ ભારતથી કોઈ રિક્રૂટ કરે તો તેમના વિઝાનો પ્રબંધ કંપની પોતે કરશે, કેમ કે કંપનીને તેમની જરૂરિયાત છે અથવા હશે.
જે વિદ્યાર્થીઓ અમેરિકામાં રહીને ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને અમેરિકામાં નોકરી કરતા હોય તેમની કંપનીઓ એકથી ત્રણ વર્ષ સુધીમાં H1B વિઝાની પ્રક્રિયા કરતી હોય છે. જો આવા વિદ્યાર્થીઓ માટે H1B વિઝાનો પ્રબંધ નહીં થઈ શકે તો તેઓએ ભારત પાછા આવવાની તૈયારી રાખવી પડશે.
જે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓના રિટાયરમેન્ટ ફંડમાંથી રકમ વાપરીને અથવા મા-બાપના એકમાત્ર રહેઠાણના ઘર સામે અથવા અન્ય કોઈ રીતે લોન લઈને અમેરિકાનું સ્વપ્ન જોતાં હોય, તેમણે અમેરિકા જવાના પોતાના ખ્યાલ વિશે પુનઃ વિચાર કરવો જરૂરી બને છે. શું અમેરિકામાં લીધેલી માસ્ટરની ડિગ્રી તેમને મદદ કરી શકશે? જો તેમને અમેરિકામાં નોકરી ન મળી શકે તો શું તેઓ અમેરિકામાં ટકી શકશે અને એ લીધેલી લોનની ચુકવણી તેઓ કરી શકશે?હકીકતમાં, આમ પણ ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં અમેરિકામાં અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા લગભગ ત્રણ દશકમાં અમેરિકામાં H1 વિઝા ઉપર કામ કરતાં આઇટી પ્રોફેશનલ્સે ભારત પાછા ફરવાની ચિંતા કરવાનું મૂકી દીધું છે. કેમ કે આમાંના ઘણાં યુ.એસ.ના નાગરિક અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર બની ગયા છે, જેથી તેમની લાઈફ યુ.એસ.માં સેટલ્ડ છે.
અનેક H1B વિઝા ધારકોએ તેમની બચતનું આયોજન કર્યું છે, જેથી જો તેમને ભારત પાછાં ફરવાનું થાય તો તેમને ચિંતા નથી. સદનસીબે મોટાભાગના લોકોએ ઘણી સફળતા મેળવી છે. કેવળ છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓએ પાછા ફરવું પડ્યું છે, જે સિલસિલો હજી સુધી ચાલુ છે. ઘણા લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશો તરફ પણ વિકલ્પ તરીકે નજર ફેરવી રહ્યા છે. એટલે એક વાત તો નક્કી જ છે કે જો તમે અમેરિકાના કાયમી નાગરિક ન બન્યા હો તો તમારે ભારતમાં કાયમી રહેઠાણ અને બચત માટે તૈયારી રાખવી જ પડશે. જો સ્થળાંતર કરવું પડે તો ભારતમાં ઠરીઠામ થાવ ત્યાં સુધીનાં અમુક વર્ષો સુધી આ બચત તમને ઉપયોગી થઈ શકે.
હવે આગળ શું?
અમેરિકા જવાની યોજના ઘડતા અગાઉ જ વિદ્યાર્થીઓએ તેમની આર્થિક પરિસ્થિતિનો યોગ્ય રીતે ક્યાસ કાઢવો પડશે. જે વિદ્યાર્થીઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ એક્સટેન્શન પર હોય તેમણે બચત કરવા ઉપર ભાર આપવો પડશે અને પાછા ફરવાની તૈયારી રાખવી પડશે.
શું ટ્રમ્પ OPT ના નિયમમાં બદલાવ કરી શકે છે?
આ બાબતે કંઈ કહી ન શકાય, પરંતુ એમના આ નિર્ણયથી અમેરિકન યુનિવર્સિટીઓ અને એને સંલગ્ન અન્ય વ્યવસાયો ઉપર એની અવળી અસર અવશ્ય પડશે. H1Bની વધારી છે, જેને કારણે વધુ આઉટસોર્સિંગ કરવું પડશે. પરંતુ ટ્રમ્પ એ મુદ્દે પછીથી ફરી કોઈ આકરો નિર્ણય લઈ શકે છે. વિઝાની ફી એક લાખ ડૉલર છે. એટલે જે લોકોને H1B વિઝા મળશે એ લોકોએ ત્રણથી છ વર્ષમાં વિઝા ફીની આંશિક અથવા પૂરી રકમ તેમની કંપનીને ચૂકવવી પડશે (જો તેમની કંપની ન ચૂકવે તો). અમેરિકન કાયદા હેઠળ આવી માલિક કંપની તેના કર્મચારીઓ પાસે કાનૂની બોન્ડ કરાવી શકે છે.ટૂંકમાં, આગામી વર્ષોમાં અમેરિકા ઉપરનું અવલંબન ઓછું કરવામાં જ શાણપણ છે. કેમ કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ હવે બદલાવ આવી રહ્યા છે. જો H1B વિઝા ફી મંજૂર થઈ જાય તો નોકરિયાતોએ એમના નોકરીદાતાઓ સાથે ફ્લેક્સિબલ રહેવું પડશે. આ સાથે યોગ્ય ગાઈડ-કન્સલટન્ટ પાસેથી માર્ગદર્શન મેળવવું હિતાવહ રહેશે. મહત્વનું એ છે કે ભારત તેમજ અમેરિકાની જીવનશૈલીની સરખામણી કરવાનું છોડી દેવું અને જો તમારે ભારત પાછું ફરવું પણ પડે તો નિરાશ ન થવું કેમ કે ભારત સરકાર વધુ નોકરીઓનું સર્જન કરવા અને સ્ટાર્ટ-અપ શરૂ કરવા માટે કટિબધ્ધ છે.
(અપૂર્વ પરીખ-અમેરિકા)
(લેખક મૂળ ભારતીય છે, તેમણે અમેરિકામાં અને ભારતમાં અમેરિકન કંપનીમાં પણ ઘણાં વરસો સિનીયર લેવલે જોબ કરી છે અને હાલ નિવૃત છે.)