Home Blog Page 5009

આ ફોર્મ્યુલાથી જાણો કે નિવૃત્તિ પછી તમને કેટલું પેન્શન મળશે?

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રના કામ કરતા કર્મચારીઓની પાસે તેમની નિવૃત્તિ પછી જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોવિડન્ટ ફંડ હોય છે. નિવૃત્ત થવા પર કર્મચારીને તેમનું એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ)નું પૂરેપૂરું ફંડ મળે છ. એ સાથે જ એમ્પ્લોયી પેન્શન સ્કીમ હેઠળ તેમને પેન્શન મળવાનું પ્રારંભ થાય છે. ઇપીએફ અને ઈપીએસ-બંનેમાં કર્મચારી દ્વારા અપાયેલું યોગદાન છે. ઇપીએસ હેઠળ મહિને ન્યૂનતમ પેન્શન રૂ. 1000ની રકમ નિર્ધારિત કરાયેલી છે, જ્યારે વધુમાં વધુ માસિક પેન્શન રૂ. 7,500 છે.

હવે તમારે ઈપીએસ હેઠળ તમને કેટલું માસિક પેન્શન મળશે તો એના માટે તમારે ઇપીએસ કેલક્યુલેટર અથવા ઇપીએસ પેન્શન કેલક્યુલેટરની જરૂર પડશે.

જે તે માલિક (કંપની) દ્વારા કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ હેઠળ 12 ટકાનું યોગદાન આપવામાં આવે છે. જોકે એ પૂરું પ્રોવિડન્ટ ફંડમાં નથી જતું. બલકે તેનો કેટલોક હિસ્સો ઇપીએસમાં પણ જાય છે. ઇપીએસમાં પેન્શન માટે બેઝિક સેલરી રૂ. 15,000 રાખવામાં આવી છે, જેનો 8.33 ટકા હિસ્સો ઇપીએસમાં જાય છે.

એનો મતલબ એ થયો કે રૂ. 15,000 અથવા એનાથી વધુ બેઝિક સેલેરીવાળા કર્મચારીનું યોગદાન પ્રતિ મહિને રૂ. 1,250 ઇપીએસમાં જાય છે. આ પહેલાં બેઝિક સેલેરી રૂ. 6,500 રાખવામાં આવી હતી. હવે જો કર્મચારીની બેઝિક સેલેરી રૂ. 15,000 છે, તો રૂ. 1,250 ઇપીએસમાં મૂકવામાં આવશે. જો કોઈ કર્મચારીની બેઝિક સેલેરી રૂ. 35,000 છે, તે પણ ઈપીએસમાં રૂ. 1,250 જ મૂકવામાં જશે, પણ બેઝિક સેલરી રૂ. 14,000 છે તો ઈપીએસમાં રૂ. 1,166 મૂકવામાં આવશે.ઈપીએસમાં જનારા બધા પૈસા સરકાર પાસે હોય છે અને કર્મચારી નિવૃત્ત થયા બાદ તેને પેન્શન મળે છે. માસિક પેન્શનનું ફંડ કર્મચારીની સર્વિસ અને એક નિયત ફોર્મ્યુલા પર નિર્ભર કરે છે.

આ છે ઇપીએસ ફોર્મ્યુલા

ઈપીએસ ફોર્મ્યુલામાં પહેલાં પેન્શનેબલ સેલરી અને સર્વિસ પિરિયડનો ગુણાકાર કરવામાં આવે છે અને પછી એને 70 વડે ભાગાકાર કરવામાં આવે છે.એટલે રૂ. 15,000થી વધુની સેલરી હોય તો પણ ગણતરી રૂ. 15,000થી જ કરવામાં આવે છે. બેઝિક સેલરી ફિક્સ્ડ હોવા પર વધુમાં વધુ માસિક પેન્શન રૂ. 7,500 જ છે.

આવો, ઉદાહરણ દ્વારા સમજીએ…

જો કોઈ કર્મચારી 30 વર્ષ નોકરી કરી છે અને તેની બેઝિક સેલરી રૂ. 15,000થી વધુ છે તો તેની મહત્તમ માસિક પેન્શન ફોર્મ્યુલા અનુસાર (15,000શ*30)/70= રૂ. 6,429 થશે.

 

 

 

ક્રિસ્ટ્રીના કુકનો આ રેકોર્ડ મહિલા અવકાશયાત્રીઓ માટે સીમાચિહ્નરૂપ

વકાશ યાત્રીનું નામ પડે એટલે સૌ કોઈના મોઢે નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિનનું નામ આવે. ચંદ્રની ધરતી પર સૌથી પહેલા આ બંને પહોંચ્યા હતા. ઘણા ઓછા લોકોને ખબર હશે કે, આ બંને અવકાશયાત્રીઓના કમાન્ડ મોડયૂલ પાયલટ મિશેલ કોલિન્સ હતા. જો કે કોલિન્સ ચંદ્રની ધરતી પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ ન હતા એટલા માટે તેમનું નામ ઓછા લોકો જાણતા હોય છે.

આના પરથી એવો સવાલ થાય કે તમને અત્યાર સુધીના કેટલા અંતરિક્ષયાત્રીઓના નામ યાદ છે? તમે ગૂગલ કે વિકિપીડિયાની મદદ લીધા વગર કેટલા નામ બતાવી શકો? નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિન જેવા નામ લગભગ દરેકને યાદ છે. પણ એ સિવાયના નામ જો કોઈને પૂછવામાં આવે તો તેણે ચોક્કસ ગૂગલની મદદ લેવી પડે ખરું ને…

અમેરિકાની જાણીતી અંતરીક્ષ એજન્સી નાસાની વૈજ્ઞાનિક ક્રિસ્ટીના કુક આંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પરથી લગભગ 11 મહિના બાદ ગુરૂવારે સુરક્ષીત પૃથ્વી પર પાછી ફરી. અવકાશમાં તેમનું આ મિશન કોઇ મહિલાનું અત્યાર સુધીનું સૌથી લાંબુ મિશન છે, કુક આંતરરાષ્ટ્રિય સમયાનુસાર 6 ફેબ્રુઆરીએ સવારે 9.12 વાગ્યે પૃથ્વી પર પરત ફરી. કુક ગયા વર્ષે 14 માર્ચે પૃથ્વીથી રવાના થઇ હતી, તેમણે કહ્યું કે હું હાલ બહુ અભિભૂત અને ખુશ છું.

મિશિગનમાં જન્મેલી અને વ્યવસાયથી એન્જીનિયર કુક 41 વર્ષની છે.

બની શકે કે ક્રિસ્ટ્રીનાનું નામ કદાજ તમને યાદ હોય. ક્રિસ્ટીના અને જેસિકા મેયરે ઓલ-વુમન સ્પેસવોક કરીને રેકોર્ડ બનાવી દીધો છે. કુકે તેમના મિશનમાં 6 વખત સ્પેસવોક કર્યું અને સ્પેસમાં રેકોર્ડ ટાઈમ સુધી રહી. ક્રિસ્ટ્રીનાએ સ્પેસ સાયન્સમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. ઓક્ટોબરમાં સ્પેસવોક સાથે જ તે ઈતિહાસના પાનામાં પણ નોંધાઈ ગઈ.

તેમણે અંતરિક્ષમાં 328 દિવસ વિતાવ્યા તેમની સાથે યુરોપિય અંતરિક્ષ એજન્સીનાં લુકા પરમિતાનો અને રશિયન અંતરિક્ષ એજન્સીનાં એલેક્ઝાન્ડર સ્કોવોર્તસોવ પણ હતાં, અંતરિક્ષ એજન્સી રોસ્કોસમોસ દ્વારા લેન્ડિંગ સ્થળનો બનાવવામાં આવેલા વિડિયોમાં કુક મોડ્યુલથી નિકળતા સમયે હસતા જોવા મળ્યા છે.

નવાઈની વાત એ છે કે, કુક અને મેયરની આ સ્પેસવોક અચાનક થઈ ગયું હતું. નાસા પાસે 48 એક્ટિવ-ડ્યૂટી અંતરિક્ષ યાત્રી છે, જેમાંથી 16 મહિલાઓ છે. ગયા માર્ચમાં પ્રથમ મહિલા સ્પેસવોક  એની મેક્લેન અને કુક દ્વારા કરવાની આશા હતી પણ મહિલાઓની સાઈઝના હિસાબે માત્ર એક જ સૂટ ઉપલબ્ધ હતું, એટલા માટે નાસાએ માત્ર પુરુષ અંતરિક્ષયાત્રી સાથે આ સ્પેસવોક કરવું પડયું. જો એ સમયે ઓલ-ફિમેલ સ્પેસવોક થઈ ગયું હોત તો કુક નહીં પણ મેક્લેન આની કમાન્ડર હોત. ત્યારે આ કહાની મેક્લેનની હતો.

પૃથ્વી પર પરત ફરવાની સાથે જ કુકના નામે વધુ એક ઉપબલ્ધી જોડાઈ ગઈ છે. તે સૌથી વધુ 328 દિવસ સુધી સ્પેસમાં રહેનારી મહિલા અવકાશયાત્રી બની ગઈ છે. આ પહેલા સૌથી વધુ સમય સુધી સ્પેસમાં એકલા રહેવાનો રેકોર્ડ અમેરિકાની સ્કૉટ કેલીના નામે હતો. તો ત્રણ સ્પેસ મિશન સાથે સૌથી વધુ 665 દિવસ સુધી સ્પેસમાં રહેવાનો રેકોર્ડ પેગી વિટસનના નામ પર છે.

ક્રિસ્ટીના કુકે મિઝુના મસ્ટર્ડ ગ્રીન્સ પર માઈક્રોગ્રેવિટીમાં રિસર્ચ કર્યું છે. તેમણે પ્લાન્ટ હેલ્થ, સેલ્યુલર ડિવેલર મેન્ટ અને ટિશ્યૂ ગ્રોથ પર ગ્રેવિટી અને સ્પેસના રોલનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત કુકે વૃક્ષોનો ગ્રોથ માનવ સમુદાયને કેવી રીતે પ્રભાવિત કરે છે એના પર પણ રિસર્ચ કર્યું છે.

ક્રિસ્ટ્રીનાનો આ રેકોર્ડ્સ અન્ય રીતે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે બદલાવ તરફ ઈશારો કરે છે. પ્રથમ ઓલ-ફીમેલ સ્પેસવોકને આપણે નિહાળી લીધી. કુક અને મેયરે બીજી અને ત્રીજી ઓલ-ફીમેલવૉકમાં પણ ભાગ લીધો. આવા અન્ય અંતરિક્ષયાત્રીઓ પણ ભવિષ્યમાં સ્પેસવૉક કરશે પણ તેમને યાદ રાખવામાં નહીં આવે કારણ કે આપણે લીડ કરનારને જોઈ લીધા છે અને ભવિષ્યમાં મહિલાઓ સ્પેસમાં કોઈ અપવાદ નહી હોય.

રાશિ ભવિષ્ય 08/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ તા. 08/02/2020

દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય નાણાં પ્રધાન બનાવાય એવી અટકળો

મુંબઈ – મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારમાં સ્થાન પામે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. એમને નાણાં ખાતું આપવામાં આવે એવી અટકળો છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ગઈ વેળાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે બેઠક મેળવી શકી હતી તે છતાં એને સત્તાથી દૂર રહેવાનો વારો આવ્યો તે છતાં પક્ષની કેન્દ્રીય નેતાગીરીએ ફડણવીસમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ફડણવીસને કદાચ નાણાં પ્રધાન બનાવવામાં આવશે.

2019ની લોકસભા ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી સરકાર ફરી સત્તા પર આવી છે. ત્યારબાદ નિર્મલા સીતારામનને નાણાં પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ છેલ્લા અમુક દિવસોથી એમની કામગીરીની ટીકા શરૂ થઈ છે.

નાણાં મંત્રાલય જેવું મહત્ત્વનું ખાતું સંભાળ્યા બાદ સીતારામને એને શોભે એવી કામગીરી કરી બતાવી નથી એવું ઘણાયનું માનવું છે.

કહેવાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એમની કામગીરીથી નારાજ થયા છે. તેથી હવે મોદી જ નાણાં મંત્રાલયની જવાબદારી ફડણવીસને સોંપે એવી શક્યતા છે.

દેવેન્દ્ર ફડણવીસને પહેલેથી જ આર્થિક વિષયનો સારો એવો અભ્યાસ છે. એમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રનું સરસ રીતે નેતૃત્ત્વ સંભાળતા રાજ્યની આર્થિક સ્થિતિ સુદ્રઢ થયું છે. તેથી જ હવે એમને સીધા કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકેની જવાબદારી આપવામાં આવી શકે છે. દેશની હાલની આર્થિક પરિસ્થિતિને જોતાં ફડણવીસ માટે નવી જવાબદારી મોટો પડકાર બની શકે એમ છે.

ફડણવીસ બે દિવસ પહેલાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને દિલ્હીમાં મળ્યા હતા. એ મુલાકાત બાદ ફડણવીસની વરણી કેન્દ્રીય પ્રધાનમંડળમાં કરાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

જો ફડણવીસને કેન્દ્રમાં લઈ જવામાં આવે તો મહારાષ્ટ્રમાં ભાજપમાં પણ મોટા ફેરફારો આવી શકે એમ છે. હાલ ફડણવીસ મહારાષ્ટ્ર વિધાનસભમાં વિરોધ પક્ષના નેતા છે. પરંતુ જો એમનો સમાવેશ કેન્દ્રીય કેબિનેટમાં કરાશે તો મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતાનું પદ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલને અથવા ભૂતપૂર્વ રાજ્ય નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારને સોંપવામાં આવે એવી ધારણા છે.

એવી જ રીતે, અનેક દિવસોથી નારાજ થયેલાં ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન પંકજા મુંડેને રાજ્ય ભાજપ એકમનું નેતૃત્ત્વ સોંપવામાં આવે એવી પણ ચર્ચા છે.

હેપ્પી સ્ટ્રીટ: એક તસવીરી ઝલક…

અમદાવાદના લો ગાર્ડન ખાતે ‘હેપ્પી સ્ટ્રીટ’ ખુલ્લી મુકવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બિજલ પટેલની હાજરીમાં ‘હેપ્પી સ્ટ્રીટ’નું ઉદ્ઘાટન કર્યું હતું.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં લૉ ગાર્ડનની ફૂટપાથ પર વર્ષોથી લોકો સ્ટ્રીટ ફૂડ માણતા હતા. કોલેજ, ગાર્ડન, આર્ટ ગેલેરીઓ, મનોરંજન પૂરું પાડતા હોલની એકદમ વચ્ચે આવેલી ગલીનું જૂનું ખાણીપીણી બજાર તોડી પાડવામાં આવ્યું. થોડા સમય બાદ અમદાવાદ મહાનગરપાલિકાની મંજૂરી બાદ એકદમ અદ્યતન સુવિધાઓ સાથે ખાઉં ગલી હેપ્પી સ્ટ્રીટ ના નામે તૈયાર કરવામાં આવી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલી ‘હેપ્પી સ્ટ્રીટ’માં એક તરફ લો ગાર્ડન તરફથી શરૂ થતી 31 મોટી અને ત્રણ પ્રકારની 11 નાની ફૂડ વાન ઊભી રહેશે. એક ફૂડ વાન આગળ 24 લોકો બેસી શકે તેટલી જ જગ્યા રખવામાં આવી છે.

પાર્કિંગની સાઈડમાં એક સાયકલ ટ્રેક અને ફૂટપાથ પણ બનાવવામાં આવી છે. આખી સ્ટ્રીટને હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે.

8 કરોડના ખર્ચે આ સ્ટ્રીટ બનાવવામાં આવી છે. નવેમ્બરમાં જ ‘હેપ્પી સ્ટ્રીટ’ના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી.

અમદાવાદમાં મનોરંજન અને ફૂડ બંને નો સમન્વય આ હેપ્પી સ્ટ્રીટમાં જોવા મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

દિલ્હીમાં મતદાનના એક દિવસ પહેલાં કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે.  ચૂંટણી પંચે શનિવારના સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે. ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં શનિવારે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.

આ પહેલાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્ની સાથે કોનોટ પ્લેસની પાસે પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં શુક્રવારે પૂજા-અર્ચના કરી હતી. તેમણે હનુમાન મંદિર જઈને દેશ અને દિલ્હીની પ્રગતિ માટે હનુમાનજીના આશાર્વાદ લીધા હતા. ભગવાનજીએ કહ્યું કે સારું કામ કરી રહ્યા છો, આ પ્રકારે લોકોની સેવા કરતા રહો, મહેનતનું ફળ મારી પર છોડી દો.

 

 

 

દિલ્હીમાં જીત માટે અમિત શાહના આત્મવિશ્વાસ પાછળ શું કારણ?

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે દાવો કર્યો કે, દિલ્હીમાં ભાજપ 70 માંથી 45 સીટ જીતીને સરકાર બનાવશે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે, દિલ્હીમાં વાતાવરણ ભાજપ તરફી બની ગયું છે અને કેટલાક નેતાઓના ચહેરાઓ જાણે કરમાઈ જ ગયા છે.

સ્વાભાવિક રીતે બધાને એ પ્રશ્ન થાય કે આખરે જનતા વચ્ચે આમ આદમી પાર્ટીની આટલી સારી છબી હોવા છતા પણ શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લાગી રહ્યું છે કે જનતા કેજરીવાલને બીજીવાર તક નહી આપે? હકીકતમાં આ દાવા પાછળ વડાપ્રધાન મોદી અને અમિત શાહની સાથે જ પાર્ટીના કેટલાય દિગ્ગજ નેતાઓની રેલીઓમાં ઉમટી રહેલી ભીડ, પાર્ટીના આંતરિક સર્વેમાં કથિત રીતે સામે આવ્યું કે જનતાનો બદલાયેલો મિજાજ અને કેટલાક ઓપિનિયન પોલ્સના પરિણામો છે. ભાજપના નેતાઓનું માનવું છે કે, ગૃહમંત્રી અમિત શાહ અને બાદમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલીઓએ દિલ્હીની ચૂંટણીના માહોલને બદલવાનું કામ કર્યું તો હવે વડાપ્રધાન મોદીની રેલીઓ બાદ માહોલ ભાજપના પક્ષમાં દેખાવા લાગ્યો છે.

આ દાવા પાછળ પાર્ટીનો એક આંતરિક સર્વે છે કે ઈસ્ટ દિલ્હીમાં થયેલી વડાપ્રધાન મોદીની રેલી બાદ દિલ્હીના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં કરાવવામાં આવ્યો હતો. આ સર્વેના પરિણામોના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે શાહીનબાગ, સર્જિકલ સ્ટ્રાઈક, બાટલા હાઉસ જેવા મુદ્દાઓ પર મોદીએ જે પ્રકારે ખૂલીને પોતાની વાત જનતા સામે મૂકી છે તેની લોકો પર ખૂબ ઉંડી અસર પડતી દેખાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોદીની રેલી પહેલા જેટલા સર્વે કરાવવામાં આવ્યા હતા, તેમાં ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપતી તો દેખાઈ રહી હતી પરંતુ પરિણામો આમ આદમી પાર્ટીના પક્ષમાં જ જતા હતા. જો કે, પહેલા યોગી આદિત્યનાથ અને પછી વડાપ્રધાન મોદીની રેલીઓ બાદ ટક્કર જોરદાર બની ગઈ છે અને પરિણામો હવે ભાજપના પક્ષમાં આવતા દેખાઈ રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આ સર્વેમાં ઘણી સીટો પર કોંગ્રેસ પણ બાજી મારતી દેખાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે મોડી સાંજે કરાવવામાં આવેલા એક સર્વેમાં ભાજપને 27 સીટો, આપને 26 અને કોંગ્રેસને 8 થી 9 સીટો મળતી દેખાઈ રહી છે જ્યારે બાકીની સીટો પર ખૂબ જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે અને પરિણામો કોઈપણના પક્ષમાં આવી શકે છે. પાર્ટી નેતાઓ અનુસાર, આ સર્વે સોમવારની રેલી બાદ કરાવવામાં આવ્યો જ્યારે વડાપ્રધાન મોદીએ મંગળવારે સાંજે પણ વેસ્ટ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં પણ એક મોટી રેલીને સંબોધિત કરી હતી. ત્યારે એ રેલી બાદ માહોલ બદલવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને વેસ્ટ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની સ્થિતિ વધારે સુધરે તેવી અપેક્ષાઓ છે.

પાર્ટીના નેતાઓએ ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. અમિત શાહે એકલાએ દિલ્હીની 50 વિધાનસભામાં પ્રચાર કર્યો જે એક રેકોર્ડ ગણી શકાય. ભાજપના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, અમિત શાહે 23 જાન્યુઆરીથી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરુ કર્યો હતો. 6 ફેબ્રુઆરીની સાંજે પ્રચાર ખતમ થવા સુધી તેઓ 41 વિધાનસભા ક્ષેત્રોમાં જનસભા અને 12 વિસ્તારોમાં રોડ-શો કરી ચૂક્યા હતા.તો પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ દિલ્હીમાં 29 જનસભાઓની સાથે-સાથે 15 રોડ શો કર્યા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આક્રામક અંદાજમાં પ્રચાર કર્યો હતો.

ચાલો ચેપ્લીનના મેળામાં…

ચાર્લી ચેપ્લીનની નકલ કરવાની અનેક ભારતીય કલાકારોએ કોશિશ કરી, પણ કોને મળી કેટલી સફળતા?

કોણ અસલી, કોણ નકલીઃ પગથિયે બેઠેલો જયેશ ચૌહાણ નકલી અને બાજુમાં ઊભેલો ચાર્લી ચેપ્લીન છે અસલી


(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી ૨૦૦૪ અંકનો)


વિશ્વ વિખ્યાત વિદૂષક ચાર્લી ચેપ્લીનનો બૉલીવૂડ પર પ્રભાવ એટલો બધો છે કે નૂર મોહમ્મદ ચાર્લીથી માંડીને આજના રાજેશ પૂરી, જયેશ ચૌહાણ, જૉની લીવર સુધી કોઈ પણ એવો ભારતીય હાસ્ય કલાકાર નહીં હોય જે ચેપ્લીનથી પ્રભાવિત ન હોય.

જયેશ ચૌહાણ

૧૯૪૦થી માંડીને પચાસના દસક સુધી હાસ્ય કલાકાર તરીકે હંગામા બની જનાર નૂર મોહમ્મદ તો ચાર્લીના સ્વાભાવિક અભિનયથી એટલા દીવાના હતા કે એમણે પોતાનું નામ જ નૂર મોહમ્મદ ચાર્લી કરી નાખ્યું. ફિલ્મોમાં હાસ્યનો એક યુગ આ કૉમેડિયનને નામે ગાજ્યો. આબેહૂબ ચેપ્લીન કટ મૂછો રાખનાર નૂર મોહમ્મદે ‘નદી કિનારે’, ‘સુખ-દુ:ખ’, ‘ઠોકર’, ‘ધીરજ’, ‘મેરી આંખે’, ‘અછૂત’, ‘ચાર ચક્રમ’, ‘ઢિંઢોરા’, ‘આજ કા હિંદુસ્તાન’, ‘સંજોગ’  અને ‘પાગલ’ જેવી ડઝનબંધ ફિલ્મોમાં દર્શકોને પેટ પકડીને હસાવ્યા.

‘પાગલ’માં તો નૂર મોહમ્મદે કમાલ કરી દીધી. એમાં એમને સંગીતજ્ઞની ભૂમિકા નિભાવી હતી. ગાતા ગાતા એ પાગલ બની જાય છે અને પરિવારના લોકો એને પાગલખાનામાં ભરતી કરાવી દે છે. ત્યારે ચાર્લી ગીતો દ્વારા પાગલખાનાના સ્ટાફ અને પાગલોનેય પોતાના ચેલા બનાવી દે છે. એક વાર રાગ માલકૌંસ ગાતા ગાતા ચાર્લી એવો તો ખોવાઈ ગયો કે કૂદીને ઝાડ પર ચડી ગયો અને બાકીનો રાગ ઝાડ પર ઊંધા લટકીને પૂરો કર્યો. એમનું આ દ્રશ્ય ચાહકોને આજે પણ યાદ છે.

૧૯૫૦નો દાયકો જૉની વૉકરને નામે રહ્યો. ‘બાઝી’થી માંડીને ‘અજી બસ શુક્રિયા’, ‘મધુમતી’, ‘પ્યાસા’, ‘નયા દૌર’, ‘ચૌદવીં કા ચાંદ’, ‘પૈગામ’, ‘ચંગેઝ ખાન’ અને ‘જૉની વૉકર’ જેવી સેંકડો ફિલ્મોમાં જૉની વૉકરે કોણ જાણે કેટલીયે ફિલ્મોના પાત્રોને ચેપ્લીનના વાઘા પહેરાવ્યા, પરંતુ જૉની વૉકરની ખૂબી એ રહી કે એણે ચાર્લીની અભિનય શૈલી અને બીજી ચીજોનો એટલી ખૂબસૂરતીથી પ્રયોગ કર્યો કે નકલ પકડાઈ ન જાય. જૉની વૉકરે કહેલું- ‘ચેપ્લીનની સ્ટાઈલ અને નૅચરલ ઍક્ટિંગની નકલ કરવી આસાન કામ નથી. અમે સેંકડો ફિલ્મોમાં કામ કર્યું પણ ચેપ્લીનથી અડધુંય ન કરી શક્યા.’ જૉની વૉકરે ચાર્લીની હેટ અને સાંકડી મોહરીવાળી પેન્ટ સિવાય ચેપ્લીનની લાકડીનો પણ કેટલીયે ફિલ્મોમાં પ્રયોગ કર્યો. ‘નયા દૌર’માં ‘મૈ બંબઈ કા બાબૂ’ ડાન્સ કરવામાં જૉનીએ ચેપ્લીનના જ સ્ટેપ્સ અને સ્ટાઈલનો અચ્છો પ્રયોગ કર્યો. ચેપ્લીનના સ્વાભાવિક અભિનયની સ્ટાઈલ જૉની વૉકરે ખૂબીપૂર્વક અપનાવી હતી. તેથી જ જૉનીએ ચેપ્લીનની વેશભૂષા અથવા પોષાકની નકલથી જાતને ઉગારી લીધી. જૉની વૉકરે ચેપ્લીનની આ ચીજોનો ખૂબીપૂર્વક અલગ અલગ શૈલીમાં પ્રયોગ કર્યો.

છેલ્લા બે દશકાથી રાજેશ પુરીએ ચેપ્લીનના વ્યક્તિત્વને આત્મસાત કરી રાખ્યું છે. પૉલિશની ડબ્બીના વિજ્ઞાપનથી માંડીને સ્ટેજ અને ફિલ્મો સુધી રાજેશ પુરીએ પોતાની જાતને ચાર્લીના આકારમાં ઢાળી લીધી છે. એટલી હદ સુધી સામ્ય જમાવ્યું છે કે રાજેશ પુરી અને ચેપ્લીનના પાત્ર મેકઅપ પછી સાથે રાખવામાં આવે તો અસલી નકલી ઓળખવા મુશ્કેલ બની જાય. એ કહે છે: ‘હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે મેં પહેલી વાર ચાર્લીની ફિલ્મ ‘ગૉલ્ડ રશ’  જોયેલી અને ફિલ્મમાંની ચાર્લીની અદાઓ મારા બાળ માનસ પર બરાબર જડાઈ ગઈ. પછી તો ચાર્લીની ફિલ્મોનો નશો જ ચડતો ગયો. ‘ધ કિડ’, ‘મોડર્ન ટાઈમ્સ’, ‘ધ ગ્રેટ ડિક્ટેટર’, ‘સીટી લાઈટ્સ’ કોણ જાણે કેટલીયે વાર જોઈ હશે. થોડો મોટો થયો નાટકોમાં અભિનય કરવા લાગ્યો ત્યારે ‘યહૂદી કી લડકી’માં ચેપ્લીન રુપે કામ કર્યું. આ પાત્ર જોયા પછી ‘ચેરી બ્લૉસમ’વાળાએ વિજ્ઞાપન ફિલ્મમાં લીધો. દર્શકો જોઈને ચકરાઈ ગયા કે અસલી ચેપ્લીન ઍડ્ ફિલ્મોમાં કેવી રીતે આવી ગયો. પછી આ જ વિજ્ઞાપનથી પ્રભાવિત થઈને સર રિચર્ડ એટબનરો (‘ગાંધી’ ફેમ) એ મને પત્ર લખ્યો, અને ચેપ્લીનની આત્મકથા પર આધારિત ફિલ્મમાં ચાર્લીની ભૂમિકા માટે કરારબદ્ધ કર્યો.

રાજેશ પુરી

માત્ર ભારતના જ નહીં બલકે દુનિયાના કેટલાયે અભિનેતાઓએ ચેપ્લીન બનવાની કોશિશ કરી પરંતુ સફળ કોઈ ન થયું. એકમાત્ર અપવાદ છે રાજેશ પુરી. એનું રહસ્ય માત્ર એના અભિનયમાં નહીં બલકે અભિનય સાતે ઊંચાઈ અને ચહેરામાં પણ અકબંધ છે. એમનો બાંધો ચેપ્લીન સાથે જબરું સામ્ય ધરાવે છે. તેથી જ એટબનરોએ કહેલું કે અન્ય અભિનેતા તો ચેપ્લીનની નકલ કરે છે, પરંતુ રાજેશ પુરી ચેપ્લીનનો આત્મા છે.

ભારતીય કૉમેડિયનોમાં રાધાકિશન, ગોળમટોળ  ગોપ, મહેમૂદ, ભગવાન દાદા, કૅશ્ટો મુખર્જીએ પણ ચેપ્લીનની મૂંછોની નકલ કરી હતી. ચેપ્લીને એ મૂંછો અડોલ્ફ હિટલર પાસેથી અપનાવી હતી. પરંતુ ચેપ્લીનના પોષાક અને અભિનયથી માંડીને હર અંદાઝમાં પોતાના અભિનયને ઢાળનાર રાજ કપૂરનું નામ અગ્રગણ્ય છે. ‘આવારા’માં પહેલી વાર રાજ કપૂરે ચેપ્લીનની વેશભૂષા અપનાવીને પડદા પર અભિનય કર્યો ત્યારે રાજ કપૂર લોકોનો માનીતો બની ગયો. પછી તો હેટ, ટૂંકું પેન્ટ અને સામાન્ય જૂતાં રાજ કપૂરના અભિનયનું અંગ બની ગયાં. ‘આવારા’થી માંડીને ‘મેરા નામ જોકર’ સુધી રાજ કપૂરે ચેપ્લીનને આદર્શ માનીને બરાબર અપનાવ્યો.

ચાર્લીનો વેશ રાજકપૂરના અભિનયનો અંશ બની રહ્યો

મહેમૂદે ચેપ્લીનની મૂંછો તો કેટલીયે ફિલ્મોમાં વાપરી, પરંતુ સંપૂર્ણ ઈમેજ ‘હમજોલી’ના એક ગીત-‘જોડી હમારી જમેગા કૈસે જાની’માં અરૂણા ઈરાની સાથે ઉપસાવી. પરંતુ અભિનય અને અદાઓમાં મહેમૂદ ચેપ્લીનથી ઘણો પાછળ રહી ગયો.

અસરાનીએ ‘શોલે’માં પાગલ જેલરની ભૂમિકા ભજવી ત્યારે ચેપ્લીનની સ્ટાઈલની નકલ કરી અને દર્શકોએ અસરાનીની ઑવર ઍક્ટિંગને નવાજી. એવી જ રીતે અનિલ કપૂરે ‘મિ. ઈન્ડિયા’માં ચેપ્લીનની ઈમેજ પકડવાની કોશિશ કરેલી પણ પોષાક સિવાય કાંઈ જ પકડી ન શક્યો. રિશી કપૂરે પણ ‘નસીબ’માં આબેહૂબ ચેપ્લીનની નકલ કરી અને લાકડી પકડીને ચાર્લીની સ્ટાઈલમાં નાચવા-ગાવાની કોશિશ કરી પરંતુ એ પણ વેશભૂષા સુધી જ સીમિત રહી ગયો.

‘શોલે’માં અસરાનીનો હિટલર વેશ અને ચેપ્લીન શૈલી

ચેપ્લીનની ફિલ્મોની વાર્તાઓ અને દ્રશ્યોની નકલ ભારતીય ફિલ્મોમાં થઈ પરંતુ આ બધાથી ચડિયાતો મહેમૂદ નીકળ્યો. ‘ધ કિડ’ પરથી હિંદીમાં ‘કુંઆરા બાપ’ બનાવી અને હસાવતા હસાવતા દર્શકોના મર્મ પર પ્રભાવ પાડ્યો.

મહેમૂદ

રામેશ્ર્વરીની ‘સુનયના’ ચેપ્લીનની ‘સીટી લાઈટ્સ’નું સુંદર રૂપાંતર હતી. પરંતુ આ બાબત અભિનેતા રાજેશ પુરીને જ પુષ્કળ સફળતા મળી. એણે ફ્રેન્ચ કલાકારને ચેપ્લીનની ફિલ્મોની નકલ કરીને ફિલ્મ બનાવતો જોયો અને એને થયું કે ભારતમાં આવું કેમ ન થાય?

‘બેની હિલ નામના ફ્રેન્ચ અભિનેતાને તો સફળતા ન મળી પરંતુ મેં જ્યારે ‘મિ. ફન્ટૂશ’ સિરિયલ બનાવી અને પ્રસારિત કરી ત્યારે આબાલવૃદ્ધ સૌને ગમી ગઈ. મને એકસ્ટેન્શન તો મળ્યું પણ વ્યસ્તતાને લીધે હું ‘મિ. ફન્ટૂશ’ને આગળ ન વધારી શક્યો. હવે ફરીથી ‘મિ. ફન્ટૂશ’ને ટીવીમાં શરૂ કરવાની કોશિશ કરી રહ્યો છું.’ રાજેશ પુરી કહે છે.

મિ. ફન્ટૂશમાં ચાર્લીના વેશમાં રાજેશ પુરી

કિશોરકુમારથી માંડીને કેશ્ટો મુખર્જી સુધીના દરેક ભારતીય કૉમેડિયનના ઘરમાં ચેપ્લીનની તસવીરો લટકતી દેખાશે. એવી જ લાઈફ સાઈઝ તસવીર રાજેશ પુરીના ઘરમાં પણ છે. ખૂબી એ છે કે ચેપ્લીનના સ્વાંગમાં તસવીર રાજેશ પુરીની પોતાની છે. પરંતુ લોકો એને જ અસલી ચાર્લી ચેપ્લીન માની લે છે.

કિશોરકુમાર

ચાર્લી ચેપ્લીન: કૉમેડિયનની ટ્રૅજેડી

કૉમેડિયન તરીકે સ્વાભાવિક અભિનય દ્વારા દુનિયાભરના લોકોને હસાવનાર મહાન અભિનેતા ચેપ્લીનનો જન્મ ૧૬ એપ્રિલ, ૧૮૮૮ના દિને દક્ષિણ લંડનના એક નિર્ધન પરિવારમાં થયેલો. ચેપ્લીનના પિતા મ્યુઝિકલ પ્લેના અચ્છા કલાકાર હતા. પરંતુ શરાબની લતે ચેપ્લીનના પિતાનું જીવન છીનવી લીધું. ત્યારે ચેપ્લીનની માએ જાતે સ્ટેજ પર ગાવાનું અને કમાવાનું શરૂ કર્યું. કિશોર ચાર્લી પણ મા સાથે મંચ પર ગાવા લાગ્યો. એક વાર મા ગાતી હતી ત્યારે બીમારીને લીધે ઉધરસ ચડી અને ચાર્લીએ માનું અધૂરું ગીત જેક જોન્સ પૂરું કર્યું અને નાટ્ય મંડળીના મૅનેજરે ચાર્લીને વિદૂષક તરીકે રાખી લીધો. આ કંપનીના નાટકોમાં ચાર્લીની પ્રતિભાથી પ્રભાવિત થઈને ૧૯૧૩માં નિર્માતા-નિર્દેશક મૅક સીનેટે પોતાની ફિલ્મોમાં પાંચ-દસ મિનિટની બે રીલોવાળી મૂક ફિલ્મોમાં કૉમેડિયન રૂપે ચમકાવ્યો. વાસ્તવમાં ચાર્લીની કોથળા જેવી પેન્ટ અને ઢીલા કોટની સાથે પગમાં મોટી સાઈઝના જૂતાં અને હેટ ગરીબીની નિશાની હતા. આ કોઈ અભિનેતાનો પોષાક નહોતો બલકે એક ગરીબ ઈન્સાનની મજબૂરી અને સમાધાન હતું. અને બધી જ ફિલ્મોમાં આ પહેરવેશ ચાર્લીનો ટ્રેડમાર્ક બની ગયો. વિવેચકોએ કટાક્ષમાં કહ્યું પણ ખરું કે ચાર્લી ગરીબીને ગ્લોરિફાઈ કરે છે. પરંતુ ચાર્લી સાંભળીને હસતો અને ભૂલી જતો.

ચાર્લી હંમેશાં કહેતો કે ભૂખે જ એને કલાકાર બનાવ્યો છે. ચાર્લીએ આજીવિકા ખાતર લાકડા કાપ્યા. બાળકોને નૃત્યની તાલીમ આપી. ફાટેલા જર્જરિત જૂતાં અને થીગડાંવાળા કપડા પહેરીને બે પેનીની બ્રેડ લઈને પાણીમાં બોળીને ખાધી. આ બધું એના જીવનનો હિસ્સો બની ગયું. જીવનના આ કટુ અનુભવોએ ચાર્લીના અભિનયને ધારદાર બનાવ્યો. ‘મૅબલ્સ સ્ટ્રેન્જ પ્રીડિકામૈટ’માં એણે ઉચ્ચભ્રૂ ધનવાનો પર પોતાની શૈલીમાં એવા જબરદસ્ત કટાક્ષ કર્યા હતા કે પ્રહાર સહીને પણ એ લોકો હસ્ય વિના નહોતા રહેતા. એ ફિલ્મમાં ચાર્લી એ જ ફાટેલા જૂતાં અને જર્જરિત કપડાં પહેરીને એક આલિશાન હૉટેલમાં જઈને લૉબીમાં સોફા પર બેસી જાય છે. ધનવાન સ્ત્રીઓ એના પગ કચડીને જાય છે ત્યારે એ દરેક વખતે ઊઠીને એમને નમ્રતાપૂર્વક કહે છે: વેરી સૉરી.

ચાર્લી ઝાઝું ભણ્યો નહોતો, પરંતુ એની સેન્સ ઑફ હ્મુમર-વિનોદવૃત્તિ કોઈ પણ શિક્ષિત વ્યક્તિ કરતા અનેકગણી વધુ હતી. જીવનની નાની નાની ક્રિયાઓથી એ લોકોના ચહેરા પર સ્મિત પ્રગટાવતો. દારુણ ગરીબીના દિવસોમાં જ્યારે એક વાર સ્ટેજ પર ગીત ગાતો હતો, નાચતો હતો ત્યારે દર્શકોએ ખુશ થઈને સ્ટેજ પર સિક્કાઓ વરસાવ્યા. પ્રોગ્રામ મૅનેજર ખિસ્સામાંથી રૂમાલ કાઢીને સિક્કા એકઠા કરવા લાગ્યો. એ જોઈને ચાર્લીને સમજતા વાર ન લાગી કે મૅનેજર જ બધા સિક્કા લઈ જશે. ત્યારે ચાર્લીએ પોતાનું ડાન્સ સોંગ અટકાવી દીધું અને દર્શકોને ફરિયાદ ભર્યા સૂરમાં કહ્યું કે પેલો મૅનેજર બધા જ સિક્કા ઊંચકીને લઈ જશે. તેથી પહેલાં હું કેટલાક સિક્કા એકઠા કરી લઉં પછી ગીત સંભળાવીશ. સાંભળીને દર્શકોએ અટ્ટહાસ્ય કર્યું. આ મહાન વિદૂષકની એ જ તો કમાલ હતી કે ગમે તેવી સ્થિતિમાં હાસ્યકટાક્ષનો દોર વહેવડાવી શકતો.

 

 

(નરેન્દ્ર ઉપાધ્યાય)

ચાર દિવસની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 164 અને નિફ્ટી 39 પોઇન્ટ તૂટ્યા

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સતત ચાર દિવસની તેજી પર બ્રેક લાગી હતી. બજાર ખૂલતાની સાથે રોકાણકારોએ ઊંચા મથાળે શેરોમાં સાવચેતીનું વલણ અપનાવતાં નફારૂપી વેચવાલી કરી હતી. જેથી સેન્સેક્સ 164 પોઇન્ટ ઘટીને 41,142ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ વેચવાલીના દબાણે 39 પોઇન્ટ ઘટીને 12,98ના મથાળે બંધ રહ્યો હતો.

વૈશ્લવિક બજારોમાં અમેરિકી બજારોમાં જોરદાર તેજી થઈ હતી. ખાસ કરીને ચીને અમેરિકાથી આયાતી માલસામાન પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો, જેથી ડાઉ જોન્સ, નેસ્ડેક અને એસ એન્ડ પી. 500 ઇન્ડેક્સ તેજી સાથે બંધ રહ્યા હતા, પણ એશિયન માર્કેટોમાં નબળાઈ પ્રવર્તતી હતી.

જોકે સ્થાનિક બજારોની વાત કરીએ કો રોકાણકારોએ સપ્તાહના અંતિમ દિવસે સાવચેતીરૂપે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આઇટી, મેટલ, ફાર્મા, ઓટો, રિયલ્ટી, મિડિયા અને એફએમસીજી શેરોમાં રોકાણકારોએ નફારૂપી વેચવાલી કરી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વાતાવરણ સુસ્ત હતું. વળી આવતી કાલે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન થવાનું છે એટલે રોકાણકારોએ સાવધાનીનું વલણ અપનાવ્યું હતું.

દિલ્હીના ચૂંટણી દંગલમાં કોનું મંગલ થાય છે, એ જોવું રહ્યું, બજારના ખેલાડીઓ પણ દિલ્હીની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે. સત્તા પક્ષ ભાજપે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગડ અને છેલ્લે મહારાષ્ટ્રમાં પણ સત્તા ગુમાવી છે. દિલ્હી સર કરવા માટે આપ પક્ષ અને ભાજપે જોરદાર કેમ્પેન કર્યા છે. દિલ્હી ચૂંટણીનું પરિણામ આવતા સપ્તાહે 11 ફેબ્રુઆરીએ જાહેર થવાનું છે.