દિલ્હીમાં મતદાનના એક દિવસ પહેલાં કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે.  ચૂંટણી પંચે શનિવારના સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે. ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં શનિવારે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.

આ પહેલાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્ની સાથે કોનોટ પ્લેસની પાસે પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં શુક્રવારે પૂજા-અર્ચના કરી હતી. તેમણે હનુમાન મંદિર જઈને દેશ અને દિલ્હીની પ્રગતિ માટે હનુમાનજીના આશાર્વાદ લીધા હતા. ભગવાનજીએ કહ્યું કે સારું કામ કરી રહ્યા છો, આ પ્રકારે લોકોની સેવા કરતા રહો, મહેનતનું ફળ મારી પર છોડી દો.