Home Blog Page 4944

ભારતના લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓની અલભ્ય તસવીરોનું અમદાવાદમાં પ્રદર્શન

અમદાવાદઃ વર્ષ ૧૯૬૨ થી ૨૦૧૯ સુધી ગુજરાત રાજ્યમાં યોજાયેલી વિધાનસભા, લોકસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની ગાથા દર્શાવતું તસવીર પ્રદર્શન અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું છે. ગુજરાતમાં મતદાનની તવારીખને તાદૃશ્ય કરતું અલભ્ય તસવીર પ્રદર્શન ‘એલીયોન્સ ફ્રાન્સેસ દ અમદાવાદ’, માણેકબાગ ખાતે યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનની તસવીરો દર્શકોને સાત દાયકાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં યોજાઈ ગયેલી વિવિધ ચૂંટણીઓની એક અદભુત સફર પર લઇ જાય છે. આ પ્રદર્શન જાહેર જનતા માટે ૨૨ માર્ચ, ૨૦૨૦ સુધી ખુલ્લું રહેશે.

આ પ્રદર્શનને ‘ઈન્ડેલીબલ ઈન્ક, ઈન્ડેલીબલ લીગસી’ નામ આપવામાં આવ્યું છે.

ભારતની ચૂંટણી પરંપરાની દાયકાઓ જૂની તેમજ સાંપ્રત બ્લેક એન્ડ વ્હાઈટ, કલર તસવીરોનો આ સંગ્રહ ફોટો જર્નાલિસ્ટ શુકદેવ ભચેચ, કલ્પિત ભચેચનો છે.  જેમાં મતદાર, મતદાન કેન્દ્ર, મતગણતરી, સુરક્ષા વ્યવસ્થા સાથે માનવ મનને સ્પર્શી જાય એવી લાગણીસભર તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

ચૂંટણીની તસવીરોના પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે સંજય પ્રસાદ (ચૂંટણી કમિશનર ગુજરાત), મુરલી ક્રિષ્ના (મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે જણાવ્યું કે, શહેર કરતાં ગ્રામ્ય સ્તરે ચૂંટણી પ્રક્રિયામાં જનભાગીદારી વધુ જોવા મળે છે. ૧૯૬૨માં રાજ્યમાં ૧૦,૯૦૦ મતદાન મથકો હતા તથા ૯૫ લાખ મતદાતાઓ હતા જ્યારે વર્તમાનમાં ૫૦ હજાર મતદાન મથકો અને ૪ કરોડ ૬૦ લાખ મતદાતાઓ નોંધાયા છે. આ તસવીરો ફક્ત વીતી ગયેલા સમયની યાદગીરી નથી પરંતુ ચૂંટણીઓમાં ભાગ લેવા ઉત્સુક મતદારોના ઉત્સાહનું પ્રતિબિંબ છે.

મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિશ્નાએ જણાવ્યું કે, આ તસવીરો થકી નગરજનો ભૂતકાળની ચૂંટણીઓની યાદ તાજી કરશે. અહીંની તસવીરોમાંથી પ્રેરણા મેળવી લોકો સરકાર ચૂંટવાની લોકતાંત્રિક પ્રક્રિયામાં વધુ ઉત્સાહથી જોડાય છે તે ઇચ્છનીય છે.

રાજ્ય ચૂંટણી પંચના સચિવ મહેશ જોષી, અધિક મુખ્ય ચૂંટણી અધિકારી આર.કે. પટેલ, સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અજય ભટ્ટ, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરા, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, ઇતિહાસવિદ્ રિઝવાન કાદરી, પ્રૉ. મકરંદ મહેતા તથા આમંત્રિત મહેમાનો પણ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

મહિલાઓની T20I WC ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 85-રનથી પરાજય

મેલબર્ન : અહીંના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓની T20I વર્લ્ડ કપની આજે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ભારતનો ગયા વખતના ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયા સામે 85-રનથી નિરાશાજનક પરાજય થયો છે. આખરી સ્કોર આ મુજબ રહ્યોઃ

ઓસ્ટ્રેલિયાઃ 184-4 (20)

ભારતઃ 99 (19.1).

ઓસ્ટ્રેલિયાએ આ પાંચમી વખત T20I વર્લ્ડ કપ સ્પર્ધા જીતી છે.

ભારતે આ પહેલી જ વાર આ સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, પણ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ એલિસા હિલી (75) અને બેથ મૂની (78 નોટઆઉટ)ની ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ 115 રનની ભાગીદારી કરીને જે દબાણ ઊભું કર્યું હતું એમાંથી તે છેક સુધી બહાર આવી શકી નહોતી.

ભારતના દાવમાં, ટોપ સ્કોરર રહી દીપ્તી શર્મા, જેણે 33 રન કર્યા હતા. ટોચની પાંચ બેટ્સવુમન નિષ્ફળ જતાં ભારત ક્યારેય 185 રનના ટાર્ગેટને ચેલેન્જ આપવા સમર્થ રહ્યું જ નહોતું. શેફાલી વર્માએ બે, સ્મૃતિ મંધાનાએ 11, વિકેટકીપર તાનિયા ભાટિયાએ બે રન કર્યા હતા, જેમિમા રોડ્રિગ્સ ઝીરો પર, કેપ્ટન હરમનપ્રીત કૌર ચાર રન કરીને આઉટ થઈ હતી.

ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર મેગન શટ 3.1 ઓવરમાં 18 રનમાં 4 વિકેટ લઈને ટીમની બેસ્ટ બોલર રહી. જેસ જોનાસને 20 રનમાં 3 વિકેટ લીધી હતી. અન્ય ત્રણ બોલર – સોફી મોલિનુક્સ, ડેલિસા કિમીન્સી અને નિકોલા કેરીએ 1-1 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી.

એલિસા હિલીને ‘પ્લેયર ઓફ ધ ફાઈનલ મેચ’ અને બેથ મૂનીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવી છે.

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓની T20I વર્લ્ડ કપની 8 માર્ચ, રવિવારે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ભારતનો ગયા વખતના ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયા સામે 85-રનથી નિરાશાજનક પરાજય થયો. આખરી સ્કોર આ મુજબ રહ્યોઃ ઓસ્ટ્રેલિયાઃ 184-4 (20), ભારતઃ 99 (19.1). ઓસ્ટ્રેલિયાએ આ પાંચમી વખત T20I વર્લ્ડ કપ સ્પર્ધા જીતી છે. ભારતે આ પહેલી જ વાર આ સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. વિકેટકીપર એલિસા હિલી (75) અને બેથ મૂની (78 નોટઆઉટ)ની ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ 115 રનની ભાગીદારી કરી હતી. એલિસા હિલીને ‘પ્લેયર ઓફ ધ ફાઈનલ મેચ’ અને બેથ મૂનીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવી હતી.








એલિસા હિલી જ્યારે 9 રન પર હતી ત્યારે એનો કેચ પડતો મૂકનાર અને બાદમાં બેટિંગમાં માત્ર બે જ રન કરી શકનાર શેફાલી વર્મા ટીમના પરાજયથી નિરાશ થઈ ગઈ હતી.
























































ઓસ્ટ્રેલિયાનાં દંતકથા સમાન ટેનિસ ખેલાડી બિલી જીન-કિંગ રનર્સ-અપ ભારતીય ટીમની ખેલાડીઓને મેદાન પર જઈને મળ્યાં હતાં અને એમની સાથે પ્રોત્સાહક વાતો કરી હતી.




મની લોન્ડરિંગ કેસઃ યસ બેન્કના સ્થાપક રાણા કપૂર 11 માર્ચ સુધી કસ્ટડીમાં

મુંબઈ : અહીંની સ્પેશિયલ હોલીડે કોર્ટે યસ બેન્કના સ્થાપક સીઈઓ રાણા કપૂરને આજે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા છે, જ્યાં એમને 11 માર્ચ સુધી રાખવામાં આવશે. ઈડી એજન્સીના અધિકારીઓએ 31 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ આજે સવારે રાણા કપૂરની ધરપકડ કરી હતી.

ત્યારબાદ એમને પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

આ કાયદા અંતર્ગત કેસ વિશેની પૂછપરછ માટે રાણા કપૂરને 7 માર્ચના શનિવારે ઈડી એજન્સીની મુંબઈસ્થિત કાર્યાલયમાં લઈ જવામાં આવ્યા હતા.

તપાસનીશ અધિકારીઓએ કપૂરના પત્નીને પણ પૂછપરછ માટે આજે કાર્યાલયમાં બોલાવ્યા હતા.

એજન્સીના અધિકારીઓએ મુંબઈના વરલી વિસ્તારમાં આવેલા ‘સમુદ્ર મહલ’ કોમ્પલેક્સમાં રાણા કપૂરના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. નાણાકીય કૌભાંડમાં સંડોવાયેલી દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (DHFL) સાથે સંકળાયેલા કેસના સંબંધમાં કપૂર સામે પૂછપરછ કરવામાં આવી છે. યસ બેન્કે DHFL કંપનીને આપેલી લોન કથિતપણે નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) બની ગઈ છે.

દરમિયાન, યસ બેન્કના ખાતેદારોને રાહત થાય એવા સમાચાર એ છે કે એમને તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને યસ બેન્ક તથા અન્ય બેન્કોના એટીએમમાંથી પૈસા ઉપાડવાની પરવાનગી આપવામાં આવી છે. આ પહેલાં તેઓ માત્ર યસ બેન્કમાં જઈને જ પૈસા ઉપાડી શકતા હતા.

આ કટોકટીના સમયમાં ધીરજ રાખવા બદલ બેન્કે તેના ગ્રાહકોનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારે ભારતીય રિઝર્વ બેન્કે યસ બેન્ક પર એમ કહીને પ્રતિબંધો મૂક્યા હતા કે યસ બેન્ક તેની મૂડી વધારવામાં નિષ્ફળ ગઈ છે અને એને કારણે તેની નાણાકીય ક્ષમતા સતત રીતે ઘટી ગઈ છે.

કેન્દ્ર સરકારે યસ બેન્કને કટોકટીમાંથી બહાર લાવવા માટે એક યોજના ઘડી છે. આરબીઆઈની મુસદ્દા પુનર્ઘડતર યોજના અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં 49 ટકા હિસ્સો ખરીદશે. એસબીઆઈ સોમવારે પોતાનો આખરી અહેવાલ આરબીઆઈને સુપરત કરશે.

વિશ્વ મહિલા દિન.. સાચી ઉજવણી: ૩૦૦ મહિલાઓને ઘરઆંગણે રોજગારી

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: ૮ મી માર્ચ, વિશ્વ મહિલા દિવસ…

એક સમયે ઘરનો ઉંબરો ઓળંગતા અચકાતી મહિલાઓ આજે વિશ્વ ખુંદવા સમર્થ બની છે. આમ તો મહિલાઓનું યોગદાન જોતા કોઈ ચોક્કસ દિવસે જ તેમનું મહત્વ આંકવું એ તેમને અન્યાય બરાબર છે… સમાજમાં કદાચ મહિલાઓ ના હોય તો સમાજ હોય કે કેમ…? એ જ સૌથી મોટો પ્રશ્ન છે… વિશ્વ આખુ “મહિલા દિન” ની ઉજવણી ૮મી માર્ચે કરે છે પણ સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટે અનોખી રીતે ઉજવણી કરી છે એટલું જ નહી પરંતુ સાચા અર્થમાં કરી છે.

વિશ્વ મહિલા દિવસની ઉજવણી નોખા ચિલે કરવામાં આવી. ગામડા ગામની બહેનો જે ક્યારેય એક-બે પ્રસંગને બાદ કરતાં બહાર નીકળેલ નથી તેવી બહેનોને વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રવાસનો આનંદ આપવામાં આવ્યો. આ પ્રસંગે બૉસ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા લીલાપુર અને હઠિપુરા ગામની બહેનોને  સ્વનિર્ભર બનાવવાના હેતુથી સિલાઈ તાલીમ ત્રણ મહિના સુધી આપ્યા બાદ આ તાલીમ બધ્ધ બહેનોને અરવિંદ કંપનીમાં નોકરીની ઑફર કરવામાં આવી .

માનવ સેવા ટ્રસ્ટના શ્રી મનુભાઈ બારોટ કએ છે કે, “વિશ્વ મહિલા દિવસના પ્રસંગે તાલીમાર્થીઓને રોજગારી થકી આર્થિક સહયોગ થાય તેનાથી મોટી બીજી કઈ ભેટ હોઈ શકે?  સાણંદ આસપાસના ગામડા ગામની બહેનો આજે પગભર બની છે તેનાથી મોટી ઉજવણી શું હોય…? અમે એવો ધ્યેય રાખ્યો છે કે આ બહેનો ઘરનો ઉંબરો ઓળંગી વિશ્વ ખુંદે… “ એમ તેઓ ઉમેરે છે.

આ પ્રસંગે વન રક્ષક નીલમબેન અને અરવિદ કંપનીના દર્શનાબેન દ્વારા યોગ્ય માર્ગદર્શન આપેલ . પ્રવાસનો આનંદ માણતા તમામ બહેનોએ નળ સરોવરમાં નૌકા વિહારનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે સમાજ માં બહેનોની સ્થિતિ મજબૂત થાય અને આર્થિક રીતે ઘરમાં મદદરૂપ થઈ શકે . જો મહિલાઓ સ્વનિર્ભર બનશે તો પોતાના કુટુંબનો વિકાસ વધુ બજબૂતાઈથી કરી શકશે. આ સિલાઈ વર્ગ થકી અત્યાર સુધી જુદા-જુદા પાંચ ગામની આશરે 300 થી વધારે બહેનોને રોજગારી અપાવવામાં સફળતા હાસિલ કરી છે.

કુદરતી કલરમાં પ્રેમનો રંગ ઉમેરી પાર્ટનરને કરો રંગોથી તરબોળ…

નવી દિલ્હી:  હોળીના તહેવારમાં રંગીન કલરની સાથે પ્રેમનો રંગ ન ભળે તો બધી તૈયારીઓ નકામી છે. હોળીના તહેવારમાં તમારા પાર્ટનરને રંગે તો ચોક્કસ રંગવાનું જ…પણ કેમિકલવાળા કલરને બદલે તમે તમારા હાથે તૈયાર કરેલા કલરથી. આ કલરથી તેમની ત્વચા પણ નહીં બગડે અને હોળી પણ સુંદર રીતે ઉજવી શકશો.

હોળીમાં તમે કુદરતી રંગોથી તમારા પાર્ટનરને તરબોળ કરી શકો છો એ પણ કેમિકલયુક્ત કલરના ઉપયોગ વગર. આ માટે જરૂરી છે કે, તમે ઘરે જ કુદરતી કલર બનાવો…આ કલર બનાવવા ખૂબ જ સરળ છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે રાસાયણિક કલરથી કેવી રીતે દૂર રહીને કુદરતી રંગ વડે હોળીની ઉજવણી કરવી.

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં તમે હોળીની તૈયારી શરૂ કરી પણ દીધી હશે. હોળી દરમ્યાન સૌથી મોટો ડર રાસાયણિક રંગોને કારણે ત્વચા અને વાળને થતાં નુકસાનની હોય છે. મોટાભાગના લોકો રંગોની આડઅસરના ડરને કારણે રંગોનો તહેવાર હોળીની ઉજવણી કરતા નથી. જો તમે પણ આવા લોકોમાં સામેલ છો, તો આ સમય છે તમારી અંદરનો ડર દૂર કરવાનો. કારણ કે અમે તમારા માટે કુદરતી રંગો બનાવવાની અવનવી રીત લાવ્યા છીએ. તો જલ્દી તૈયાર થઈ જાવ…

જો તમે એવું માનતા હોવ કે લાંબા સમય સુધી ત્વચા પર ટકાવી રાખવા માટે ફક્ત રાસાયણિક રંગોની જ જરૂર હોય છે, તો પછી તમે સંપૂર્ણપણે ખોટા છો. કારણ કે કુદરતી રંગો પણ લાંબા સમય સુધી ટકી રહે છે. એના માટે તમારે બીટ અને કાચી હળદરની જરૂર છે.

બીટની પેસ્ટ અને હળદરની પેસ્ટ તમારા પ્રિયજનોને લાલ-પીળા રંગે રંગવા પૂરતા છે. આ રંગ તેમની ત્વચા પર લાંબા સમય સુધી રહેશે. એમાય વળી કાચી હળદરનો રંગ તો ઓછામાં ઓછું બે વાર સ્નાન કર્યા પછી જ શરીર પરથી ઉતરે છે. એટલે કે, તમારા પ્રિયજનોની ત્વચા બગડશે પણ નહીં અને રંગબેરંગી કલર વડે તમે આનંદ ઉલ્લાસથી હોળીનો તહેવાર ઉજવી શકશો.

આ ઉપરાંત જો તમારે કુદરતી કલર વડે જ હોળી રમવી હોય તો તમે ગાજર ને છીણીને અથવા તેનું જ્યૂસ બનાવીને આછા કપડાંમાં કે ચાળણીથી ચાળવું. જ્યૂસને પી જાવ અને બાકીનો પલ્પ છાંયોમાં સૂકવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને એક બારીક પાવડરમાં ક્રશ કરો અને તેમાં થોડી માત્રામાં ટેલ્કમ પાવડર ઉમેરો. બસ, તમારા પાર્ટનરને રંગે રંગવા તમારી પાસે તૈયાર છે કુદરતી ગુલાલ.

 

આ ઉપરાંત તમે પાલક અને મેથીને વાટીને લીલો રંગ તૈયાર કરી શકો છો. તમારા પાર્ટનરને ઓર્ગેનિક કલરથી રંગવા માટે આનાથી વધુ સારી તક બીજી નહીં મળે… તૈયાર પેસ્ટમાં થોડું પાણી ભેળવીને પાર્ટનરને લીલા રંગે રંગી દો.

ભીનો મરુન રંગ –  આ રંગ માટે બીટનો છુંદો કરી એની પેસ્ટ તૈયાર કરી એને રંગની જેમ વાપરી શકાય. બીટનો જ્યૂસ બનાવી લિક્વિડ કલરની જેમ પણ રમી શકાય છે.

સફેદ ગુલાલ – સફેદ ગુલાલ ઘણા લોકો માટે હોળીમાં મહત્વનો હોય છે. પ્રાકૃતિક રંગમાં એ પણ ઉપલબ્ધ છે. માર્કેટમાંથી સફેદ ચંદન ખરીદી લાવે, એને ઝીણો વાટી દઈને એમાં ટેલકમ પાવડર મેળવી લઈએ એટલે સફેદ ગુલાલ તૈયાર.

લાલ રંગ – કેસુડાના ફૂલ ફેબ્રુઆરી માર્ચમાં સરળતાથી મળી રહે છે. એને સૂકવી દીધા પછી વાટીને એનો પાવડર બનાવી દઈ શકાય છે. આ ફૂલોને પાણીમાં ભીંજવી રાખીને પિચકારીમાં ભરી રમી શકાય.

ગુલાબી રંગ – પ્રાકૃતિક રીતે ગુલાબી રંગથી હોળી રમવી હોય તો ગુલાબોની પાંખડીઓ ભેગી કરી દેવી પડશે. ગુલાબ ખરીદી એને સૂકવી દઈ હોળીના એક દિવસ અગાઉ એને વાટી દઈ ચૂરો બનાવી દેવો. એ ચૂરાને પાણીમાં ભેળવી મજાથી હોળી રમાશે.

પીળા રંગ માટે ગેંદાના ફૂલ અને કાચી હળદરની જરૂર પડશે. કાચી હળદરને પાણીમાં ઉકાળી અને ગેંદાના ફૂલોને સૂકાવવા મૂકી દઈ પ્રાકૃતિક પીળા રંગની તમે લિજ્જત માણી શકશો.

ફૂલો સૂકવવા માટે પોલિથિન કે કપડાની થેલી ન વાપરવી એનાથી એમાં ફંગસ લાગી શકે છે. ફૂલોને કાગળ પર જ પાથરી સૂકવવા. એના પર દુપટ્ટા કે સાડી જેવા હલકા કપડા ઢાંકી દેવા. ફૂલોને છાયડામાં જ પ્રાકૃતિક રીતે સૂકાઈ જવા દેવા, એમને તડકામાં ન રાખવા.

સુવિચાર – ૮ માર્ચ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૮ માર્ચ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 08/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

પંચાંગ તા. 08/03/2020

SBIએ યસ બેન્કને બચાવવા માટે યોજના બનાવી

નવી દિલ્હીઃ નાણાકીય કટોકટીથી ઘેરાયેલી યસ બેન્કને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કેવી રીતે બચાવશે એની યોજના જણાવી છે. એસબીઆઇ યસ બેન્કના 40 ટકા શેરો ખરીદી લેશે.  એની સાથે બેન્ક રૂ. 2,450 કરોડનું મૂડીરોકાણ પણ યસ બેન્કમાં કરશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે હાલ ખાતાધારકોએ તેમના રૂપિયા બાબતે ચિંતા કરવાની જરાય જરૂર નથી.

અકાઉન્ટહોલ્ડર્સના રૂપિયા સુરક્ષિત

એસબીઓઆઇના ચેરમેને કહ્યું હતું કે યસ બેન્કમાં હાલ રૂ. 50,000ની ઉપાડમર્યાદા નક્કી કરવાથી તેના ખાતાધારકોને મુશ્કેલીઓ જરૂર ઊભી થઈ છે, પણ તેમણે ડરવાની જરાય જરૂર નથી. નાણાપ્રધાન નિર્મલા સીતારામન પણ ખાતાધારકોને હૈયાધારણ આપી ચૂકી છે કે તેમના પૈસા સુરક્ષિત છે. ચેરમેને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે યસ બેન્કને હાલ 20,000 કરોડની જરૂર છે. બેન્ક હાલમાં રૂ. 2,450 કરોડ ઠાલવશે.

તેમણે કહ્યું હતું કે લોકો એસબીઆઇમાં રોકાણ કરવા ઇચ્છતા હોય તો તેમના માટે આ એક મોટી તક છે. તેમણે યસ બેન્ક માટે મૂડીરોકાણની યોજના વિસ્તારપૂર્વક જણાવતાં કહ્યું હતું કે અમે નવ માર્ચે ફરી એક વાર ઝર્વ બેન્કની પાસે જઈશું. એસબીઆઇ મુંબઈ સ્ટોક એક્સચેન્જને જણાવી દીધું છે કે એસબીઆઇ બોર્ડે યસ બેન્કમાં રોકાણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.