Home Blog Page 4692

અમેરિકાના સિનસિનાટીમાં ગોળીબારઃ ચારનાં મોત, 18 ઘાયલ

સિનસિનાટીઃ અમેરિકાના સિનસિનાટીમાં રવિવારે સવારે ત્રણેક જગ્યાએ ગોળીબારમાં 18 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ચારનાં મોત થયાં છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે પડોશના એવોનડેલમાં ગોળીબારમાં ઘાયલ 21 વર્ષીય એન્ટોનિયો બ્લેયરનું હોસ્પિટલમાં મોત થયું છે.  

મદદનીશ પોલીસ વડા પોલ ન્યુડીગેટે જણાવ્યું હતું કે શહેરના ઓવર-ધ રિને વિસ્તારમાં ગોળીબારની એક ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેની ઓળખ 34 વર્ષના રોબર્ટ રોગર્સ અને 30 વર્ષના જેક્વિઝ ગ્રાંટ તરીકે થઈ હતી. જોકે આ ગોળીબારમાં મૃત્યુ પામેલી ચોથી વ્યક્તિની માહિતી શેર નથી કરવામાં આવી.

આ સિવાય પાડોશના વોલનટ હિલ્સમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. એવોનડેલમાં ચાર લોકોને ગોળી વાગી હતી, પોલીસના જણાવ્યા મુજબબે લોકોના માર્યા જવાની આશંકા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર એક-દોઢ કલાકના અંતરે ગોળીબારની આ ઘટનાઓ બની હતી. ન્યુડીગેટે કહ્યું હતું કે આ ત્રણે ઘટનાઓ એકમેકથી અલગ છે, પરંતુ ભયાનક છે.

 

 

પ્યારની વાત – ૧૭ ઓગસ્ટ, ૨૦૨૦

પ્યારની વાત – ૧૭ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 17/08 થી 23/08/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે, નવી કાર્યપ્રણાલીથી લાભ થાય.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.

રાશિ ભવિષ્ય 17/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડ પ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

સ્ત્રી એ પ્રકૃતિની અભિવ્યક્તિ છે…

જ્યાં પણ સમાજ આધ્યાત્મલક્ષી હતો, પુરુષ કે સ્ત્રી હોવામાં કોઈ સમસ્યા નહોતી કારણ કે તમારૂં પુરુષ કે સ્ત્રી હોવું એ મૂળભૂત રીતે માત્ર શારીરિક છે. જો ભૌતિકતાથી ઉપર કોઈ વસ્તુ તમારી અંદર જીવંત વાસ્તવિકતા બની જાય તો તમે તમારી ભૌતિકતાને ખૂબ જ સરળતાથી સંચાલિત કરી શકો છો.

હજી દુનિયા સ્ત્રી માટે સરળ નથી – તેના શરીરમાં પણ એવી ઘણી ઓછી સ્ત્રીઓ છે  જેઓ સંપૂર્ણ સહેલાઇથી શેરીઓમાં ચાલી શકે છે. બીજી બધી પોતાની માટે વધુ પડતી સભાન છે. જો કોઈ સ્ત્રી તેના શરીરને લઈને એવી આરામદાયક સ્થિતિમાં હોય કે તેને હંમેશાં શરીરના અંગો વિશે સભાન રહેવું ન પડે…

એક સ્ત્રી બનવા માટે, તમારે પુરુષને દૃશ્યથી દૂર લઈ જવાની જરૂર નથી અને એકલા રહેવાનું પસંદ કરવાની જરૂર પણ નથી. તે કોઈ સમાધાન નથી. જો તમારી પસંદગી એકલા રહેવાની છે અને તમે પોતાનામાં જ ખુશ છો, તો તે બરાબર છે, પરંતુ સ્ત્રી બનવા માટે તમારે પુરુષને દૂર કરવાની જરૂર નથી. હકીકતમાં, સ્ત્રીને અભિવ્યક્તિ આપવા માટે તમારે પુરુષના વરખની જરૂર છે.

જો તમે એકલા રહો છો, તો તમારે જાતે જ તમારા અસ્તિત્વની કાળજી લેવી પડશે. રોજીની તમારી અસ્તિત્વની લડાઈમાંતમે સ્ત્રી હોવાનો શું અર્થ  થાય છે તે ધીમે ધીમે ભૂલી શકો છો કારણ કે જ્યાં સુધી તમે પોતાને સખત નહીં કરો અને પોતાના માર્ગના અવરોધ નહીં હટાવો, ત્યારે પુરૂષોની સમસ્યા તમારી સમસ્યા બની જાય છે. થોડા સમય પછી તમે સ્ત્રી હોવાનો અર્થ શું છે તે સંપૂર્ણપણે ભૂલી જશો.

સ્ત્રી હોવાનો મૂળભૂત અર્થ છે કે તે અસ્તિત્વની પ્રક્રિયા દ્વારા સંચાલિત થતી નથી. તે આરામ કરી શકે છે અને તેની આજુબાજુની વસ્તુઓનો આનંદ લઈ શકે છે. પુરૂષને પણ આની જરૂર છે. તે જે પણ કમાય છે, તેની અસ્તિત્વની પ્રક્રિયા ગમે તે હોય, તેને ઘરે આવવાની અને આરામ કરવાની જરૂર હોય છે, અને સ્ત્રી વગર તે આરામ કરવામાં અસમર્થ છે. જો તે બધા પુરુષો વચ્ચે હોય, તો તે હંમેશા સંચાલિત રહેશે – પરંતુ થોડુંક સંચાલન જરૂરી છે, નહીંતર  વસ્તુઓ થશે નહીં.

તેથી આ આરામ અને સંચાલન વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. અહીં જ પુરુષત્વ અને સ્ત્રીત્વ, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વ્યક્તિગતરીતે લોકો અન્ય વ્યક્તિને પોતાના જીવનમાં લાવે છે કે નહીં તે એક વ્યક્તિગત પસંદગી છે, પરંતુ સામાજિક રીતે માનવતાની દ્રષ્ટિએ, સ્ત્રી પ્રકૃતિને પુરુષ પ્રકૃતિ જેટલી જ અભિવ્યક્તિ મળે તે ઘણું મહત્વપૂર્ણ છે. જેવી રીતે  આપણે ઘણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો બનાવ્યા છે,તેવી જ રીતે આપણે ઘણા કલાકારો અને સંગીતકારો પણ બનાવવા પડશે. જો આપણે ફક્ત એક જ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું તો  વસ્તુઓ ચાલતી રહેશે, પરંતુ તે વિશ્વનો નાશ કરશે.

આજે દુનિયા ફક્ત એટલા માટે બચી રહી છે કેમ કે વિશ્વના પચાસ ટકા લોકો સુસ્ત છે. તે આળસુ લોકો છે જેઓ આ ગ્રહને બચાવી રહ્યા છે. ઉપલબ્ધ ટેકનૉલોજીથી, જો બધા 7 અબજ લોકો પોતાને સંપૂર્ણ પણે સંચાલિત કરતા આલ્ફા નર બનાવે, તો આ ગ્રહ વધુ લાંબુ ટકશે નહીં. દુ:ખની વાત છે કે માનવ સુસ્તી, આ ગ્રહને બચાવી રહી છે. માનવીય બુદ્ધિ નહી, માનવીય પ્રેમ નહી, માનવીય કરુણા પણ નહી – માનવીય સુસ્તી વિશ્વને બચાવી રહી છે. જો સ્ત્રીત્વ અને પૌરૂષત્વને સમાન અભિવ્યક્તિમળે તો માનવીય સમજ ગ્રહને ચોક્કસપણે બચાવી શકે.

  • સદગુરૂ જગ્ગી વાસુદેવ

(ઇશા ફાઉન્ડેશનના સ્થાપક-પ્રણેતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના બેસ્ટસેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

 

 

૧૭ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 17/08/2020

ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું હાર્ટ એટેકથી નિધન, એ કોરોનાગ્રસ્ત પણ હતા

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં હોમગાર્ડ ખાતાના પ્રધાન અને ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર ચેતન ચૌહાણનું આજે સાંજે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એમને કોરોના વાઈરસનો ચેપ પણ લાગ્યો હતો. એ 73 વર્ષના હતા. એમનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો.

ગઈ 12 જુલાઈએ ચૌહાણની તબિયત બગડતાં એમને લખનઉની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં કોરોના ટેસ્ટમાં એ પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યાં એમી તબિયત બગડતાં છેલ્લા અમુક દિવસોથી એમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં ગઈ કાલે એમની તબિયત વધારે બગડી હતી અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગયા શુક્રવારથી જ એમના શરીરના અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા.

ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય હતા. ભૂતપૂર્વ સંસદસભ્ય ચૌહાણ અમરોહામાં નૌગાવાં સાદાત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી.

ક્રિકેટર તરીકે ચેતન ચૌહાણ 40 ટેસ્ટ મેચ અને સાત વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં રમ્યા હતા. એમની ક્રિકેટ કારકિર્દી 12 વર્ષની રહી હતી (1969-1981). એ જમણેરી બેટ્સમેન હતા અને ઓપનિંગમાં રમતા હતા. દંતકથા સમાન ઓપનર સુનીલ ગાવસકર સાથે એમણે 10 ટેસ્ટ દાવમાં સેન્ચૂરીની ભાગીદારી કરી હતી. આ જોડીએ ટેસ્ટ મેચોમાં 3,000થી વધારે રન બનાવ્યા હતા. 1979માં, ઓવલમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ગાવસકર અને ચૌહાણે પહેલી વિકેટ માટે 213 રનની ભાગીદારી કરી હતી, જે એમની બેસ્ટ હતી.

ગાવસકરના એ સૌથી લાંબા સમય સુધીના ઓપનિંગ જોડીદાર રહ્યા હતા. બંનેએ 59 દાવમાં 53.75ની સરેરાશ સાથે ભાગીદારીના 3,010 રન કર્યા હતા.

ચૌહાણ ટેસ્ટ ક્રિકેટમાં એકેય સદી ફટકારી શક્યા નહોતા. 80થી વધારે રનના સ્કોર પર એ સાત વખત આઉટ થયા હતા. એક વાર તો 93 અને બીજી વાર 97 રનના વ્યક્તિગત સ્કોર પર એ આઉટ થયા હતા.

સ્થાનિક સ્તરે, ચૌહાણ રણજી ટ્રોફીમાં દિલ્હી અને મહારાષ્ટ્ર વતી રમ્યા હતા. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં એમણે 11,173 રન કર્યા હતા.

ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ એમણે ભારતીય ટીમના મેનેજર અને દિલ્હી ક્રિકેટ એસોસિએશનના વહીવટમાં સામેલ થયા હતા. 2001માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના એ મેનેજર હતા, જે શ્રેણી ભારતે જીતી હતી.

ધોનીએ કર્યું ગુડબાય, હેલિકોપ્ટર શોટની ખોટ સાલશે…

દેશના 74મા સ્વાતંત્ર્ય દિવસે મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધું. આ ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેને તેની 16 વર્ષની કારકિર્દી દરમિયાન ભારતીય ટેસ્ટ, વન-ડે ઈન્ટરનેશનલ્સ અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સમાં ભારતની સફળતામાં બહુમૂલ્ય પ્રદાન કર્યું છે.

ધોની બેટ્સમેન તરીકે એની આકર્ષક ફટકાબાજી દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણીતો. એમાંય એનો હેલિકોપ્ટર શોટ જોવાની વિશેષ મજા આવે. હવે એ શોટ જોવા નહીં મળે, દર્શકોને એની ખોટ સાલશે.

હેલિકોપ્ટર શોટ એવા પ્રકારનો ફટકો છે જે જોતી વખતે એમ લાગે કે આ રમવો તો બહુ આસાન છે, પણ જ્યારે રમવાનું આવે ત્યારે બેટ્સમેનને ભારે પડી જાય. બાવડાઓ સાથે બેટને ઘૂમાવતો શોટ રમતી વખતે વિશેષ કાળજી રાખવી પડે. પણ ધોની એમાં પાવરધો. વિરેન્દર સેહવાગ, બ્રેટ લી, ડીન જોન્સ અને વી.વી.એસ. લક્ષ્મણ જેવા અનેક બેટ્સમેનોએ ધોનીના એ શોટની નકલ કરવાની કોશિશ કરી જોઈ હતી, પણ એકેય જણ ફાવ્યો નહોતો.

આમ તો સર વિવિયન રિચર્ડ્સ, સચીન તેંડુલકર, અબ્દુલ રઝાક આ શોટ રમતા હતા, પણ ધોનીની સ્ટાઈલનો જોટો જડે નહીં. ધોનીએ હેલિકોપ્ટર શોટને લોકપ્રિય બનાવ્યો.

ધોની હેલિકોપ્ટર શોટ મારવાનું ટેનિસ બોલથી રમીને શીખ્યો હતો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ધોનીની નિવૃત્તિની જાહેરાત બાદ પોતાના પ્રત્યાઘાત આપ્યા છે અને કહ્યું છે કે દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ ધોનીની અનોખી ક્રિકેટ સ્ટાઈલ અને ખાસ કરીને હેલિકોપ્ટર શોટને મિસ કરશે.

ધોનીએ તેના નેતૃત્ત્વમાં ભારતને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ (2007) અને ODI વર્લ્ડ કપ ટ્રોફી (2011) અપાવી છે. તે ઉપરાંત 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતને વિજેતા બનાવ્યું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં પીળા રંગની જર્સીમાં સજ્જ થઈને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને એણે 3 વાર (2010, 2011, 2018માં) વિજેતા બનાવી હતી.

ધોનીની આખરી ઈન્ટરનેશનલ મેચ બની રહી 2019ની વર્લ્ડ કપ સેમી-ફાઈનલ મેચ, જેમાં ભારત હારી ગયું હતું.

ધોનીના કારકિર્દીના આંકડા પર એક નજરઃ

એ 90 ટેસ્ટ, 350 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 98 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં રમ્યો હતો. એમાં તેણે અનુક્રમે 4,876, 10,773 અને 1,617 રન કર્યા. વન-ડે ક્રિકેટમાં એની બેટિંગ સરેરાશ રહી 50.53.

કેપ્ટન તરીકે એ 332 આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યો જે એક વિક્રમ છે. કેપ્ટન તરીકે એણે ટીમને 41 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં જીત અપાવી. 60 મેચોમાં સુકાન સંભાળીને ભારતને 27માં જીત અપાવીને એ દેશનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો છે.

ધોની એની પહેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ – જે વન-ડે ઈન્ટરનેશનલ મેચ હતી, તે 2004ની 23 ડિસેંબરે બાંગ્લાદેશ સામે રમ્યો હતો. એની આખરી વન-ડે ઈન્ટનેશનલ મેચ હતી 2019ના વર્લ્ડ કપમાં, ન્યૂઝીલેન્ડ સામેની મેચ, જે ભારત હારી ગયું હતું. ધોની એની પહેલી ટેસ્ટ મેચ 2005માં (શ્રીલંકા સામે) રમ્યો હતો અને એની આખરી ટેસ્ટ મેચ 2014માં હતી, જે ઓસ્ટ્રેલિયા સામે હતી.

વિકેટકીપર તરીકેનો દેખાવ આ મુજબ રહ્યોઃ

ટેસ્ટ મેચોમાં 256 કેચ પકડ્યા અને 38 સ્ટમ્પિંગ કરી. વન-ડે ક્રિકેટમાં 321 કેચ પકડ્યા અને 123 સ્ટમ્પિંગ કરી જ્યારે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં 57 કેચ અને 34 સ્ટમ્પિંગ.

ધોની સાથે સુરેશ રૈનાએ પણ ક્રિકેટને રામરામ કરી દીધા

ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી એની થોડી જ મિનિટો બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી દેતાં ભારતીય ક્રિકેટચાહકોને ડબલ-આંચકો લાગ્યો હતો.

સુરેશ રૈના કારકિર્દી દરમિયાન 19 ટેસ્ટમાં રમ્યો જેમાં 768 રન બનાવ્યા. એણે પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હતી. પણ ત્યારબાદ એ બીજી સદી ફટકારી શક્યો નહીં.

એ 226 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં પણ રમ્યો અને 5,615 રન કર્યા. એમાં તેણે કુલ પાંચ સદી ફટકારી હતી.

રૈના કુલ 78 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યો હતો. ટ્વેન્ટી-20 ક્રિકેટમાં સદી ફટકારનાર એ પહેલો ભારતીય બેટ્સમેન બન્યો હતો. ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારવાનું પહેલું બહુમાન રૈનાએ મેળવ્યું છે.

એ મોટા ભાગની આંતરરાષ્ટ્રીય મેચો ધોનીના સુકાનીપદ હેઠળ રમ્યો હતો.

ત્રીજા કે ચોથા ક્રમે બેટિંગ કરનાર રૈનાની બેટિંગ સરેરાશ આ મુજબ રહીઃ

ટેસ્ટ મેચ – સરેરાશ 25

વન ડે ઈન્ટરનેશનલ્સ – સરેરાશ 35

ટ્વેન્ટી 20 ઈન્ટરનેશનલ્સ – સરેરાશ 30

રૈના એની ફિલ્ડિંગ ચપળતા માટે અને કેચ ઝડપવા માટે પણ જાણીતો થયો છે.

2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો રૈના પણ સભ્ય હતો.

આમ હવે ટીમ ઈન્ડિયાના ચાહકોને ધોની અને રૈનાની ફટકાબાજી, ચોગ્ગા-છગ્ગાની આતશબાજી હવે ફરી જોવા નહીં મળે, પણ સ્મૃતિમાં તો કાયમ રહેશે.

BSE સ્ટાર MFએ બ્રોકરેજ મેનેજમેન્ટ સર્વિસીસ લોન્ચ કરી

મુંબઈઃ BSE સ્ટાર MFએ તાજેતરમાં બ્રોકરેજ મેનેજમેન્ટ સર્વિસીસ લોન્ચ કરી છે, જે ડિસ્ટ્રિબ્યુટર્સ/IFAને મૂલ્ય આધારિત સરળ સર્વિસ પૂરી પાડવાની સાથે એએમસીઝને પણ આ સર્વિસનો લાભ આપશે.

બ્રોકરેજ મેનેજમેન્ટ સર્વિસીસ સરળ, પારદર્શક, સચોટ, વિશ્વસનીય અને વિવિધ ફીચર્સથી સજ્જ છે. આ સર્વિસીસ માટે BSEએ PGIM MF, LIC MF અને ક્વોન્ટમ MF સાથે ભાગીદારી કરી છે. આ સર્વિસીસ આગામી દિવસોમાં અન્ય AMC માટે પણ ઉપલબ્ધ થશે.

સ્ટાર MF- બ્રોકરેજ મેનેજમેન્ટ સર્વિસીસમાં રેડી ટુ પ્લગ-ઈન મોડ્યુલ, મલ્ટી-ડાઈમેન્શન ડેશબોર્ડ/રિપોર્ટસ, કસ્ટમાઈઝેબલ રેટ સેટ-અપ માસ્ટર, AMC માટે ત્વરિત કેમ્પેઈન ક્રિયેશન, સચોટ બ્રોકરેજ ગણતરી, સાપ્તાહિક/માસિક અને એડ-હોક રિપોર્ટ્સ, IFA માટે સરળ બ્રોકરેજ રિસકન્સીલીયેશન અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે એક સપોર્ટ ટીમનો પણ સમાવેશ થાય છે.

આ બાબતે બીએસઈના મ્યુચ્યુઅલ ફંડ્સના બિઝનેસ હેડ ગણેશ રામે કહ્યું કે, આઈએફએ/ડિસ્ટ્રિબ્યુટર્સને મૂલ્ય વર્ધિત સર્વિસીસ પૂરી પાડવા માટે બીએસઈ સ્ટાર એમએફ અવિરત પ્રયત્નો કરી રહ્યું છે. મહામારીની પરિસ્થિતિમાં પણ BSEએ EKYC, એમપેનલમેન્ટની સમાન પદ્ધતિ, SIP પોઝ, AOF વિવર વગેરે મૂલ્ય વર્ધિત સર્વિસીસ લોન્ચ કરી છે.