Home Blog Page 2756

રાશિ ભવિષ્ય 26/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 26/06/2023

ભારતે અમેરિકાના આઠ ઉત્પાદનો પરની પ્રતિકારાત્મક કસ્ટમ્સ ડ્યૂટી હટાવી લીધી

નવી દિલ્હીઃ ભારત સરકારે ચણા, દાળ અને સફરજન સહિત અમેરિકાથી આયાત કરાતા આઠ ઉત્પાદનો પરની અતિરિક્ત કસ્ટમ્સ ડ્યૂટીને હટાવી લેવાનું નક્કી કર્યું છે. 2018માં અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર વેરો લાદ્યા બાદ ભારત સરકારે 2019માં વળતા જવાબ રૂપે અમેરિકાના આઠ ઉત્પાદનો પર અતિરિક્ત કસ્ટમ્સ ડ્યૂટી લાગુ કરી હતી.

પરંતુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે બંને દેશે એમની વચ્ચેના વ્યાપાર વિવાદોનો અંત લાવી દેવાનું અને પ્રતિકારાત્મક ડ્યૂટી દૂર કરવાનું નક્કી કર્યું હતું. 2018માં, અમેરિકાએ ભારતના સ્ટીલ ઉત્પાદનો પર 25 ટકા અને અમુક એલ્યુમિનિયમ ઉત્પાદનો પર 10 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાદી હતી. તેના વળતા જવાબ તરીકે ભારત સરકારે અમેરિકાના 28 ઉત્પાદનો પર અતિરિક્ત કસ્ટમ્સ ડ્યૂટી નાખી હતી.

ચેન-મંગળસૂત્ર ખેંચવાના 50 કેસમાં સંડોવાયેલા ગુનેગારને પોલીસે આખરે પકડ્યો

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાની પોલીસે આજે 24-વર્ષના એક ઈસમને ઝડપી લીધો હતો, જે સ્ત્રીઓનાં ગળામાંથી ચેન અને મંગળસૂત્ર ખેંચવાના 50થી વધારે કેસોમાં વોન્ટેડ હતો.

આરોપી ઈરાની ગેંગનો સભ્ય છે. તેને પકડવા માટે મીરા-ભાઈંદર-વસઈ-વિરાર (MBVV) તેમજ કલ્યાણ શહેરની પોલીસે સાથે મળીને કામગીરી બજાવી હતી. MBVV પોલીસે આરોપીને એક સીસીટીવી ફૂટેજમાં જોયો હતો અને તે આંબિવલી ઉપનગરમાં હોવાનું શોધી કાઢ્યું હતું. તે પછી પોલીસોએ એનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા આરોપી જંગલ જેવા એક વિસ્તારમાં છુપાઈ ગયો હતો, પરંતુ પોલીસોએ આખરે અને પકડી લીધો હતો.

 

ઈજિપ્તમાં સર્વોચ્ચ રાજનૈતિક એવોર્ડ દ્વારા પીએમ મોદી સમ્માનિત

ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તહ અલ-સીસીએ રવિવાર, 25 જૂને પાટનગર કેરોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશનો સર્વોચ્ચ રાજકીય પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ આપીને એમનું બહુમાન કર્યું હતું. મોદી આફ્રિકા ખંડના આરબ દેશ ઈજિપ્તની બે દિવસની મુલાકાતે આવ્યા છે.

પીએમ મોદીને આપવામાં આવેલો ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ એવોર્ડ. પીએમ મોદીને દુનિયાના અનેક દેશો દ્વારા આપવામાં આવેલો આ 13મો સર્વોચ્ચ રાજકીય એવોર્ડ છે.

વડા પ્રધાન મોદી કેરોમાં હેલિઓપોલિસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાતે આવ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઈજિપ્ત વતી લડીને પોતાના જાનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

હેલિઓપોલિસ યુદ્ધ કબ્રસ્તાન ખાતે પીએમ મોદી વિઝિટર્સ બુકમાં હસ્તાક્ષર સાથે સંદેશ લખી રહ્યા છે

કેરોમાં આગમન કર્યા બાદ વડા પ્રધાન મોદીનું ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એમની સાથે ઈજિપ્તના વડા પ્રધાન મુસ્તફા મદબોલી પણ છે.

આખરે સરફરાઝ ખાનના સંયમનો અંત આવ્યો; BCCIને બતાવ્યો અરીસો

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વેસ્ટ ઈન્ડિઝ ખાતેના આગામી પ્રવાસ માટે દેશની ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની શ્રેણીઓ માટેની ટીમ જાહેર કરી દીધી છે. પરંતુ એમાં એક એવા ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી, જે તાજેતરમાં જોરદાર ફોર્મમાં રમ્યો હતો. આ ખેલાડી છે સરફરાઝ ખાન. મુંબઈનિવાસી આ વિકેટકીપર-બેટ્સમેન પોતાની અવગણનાથી ક્રિકેટ બોર્ડ પર નારાજ થયો છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ ખાતેના લાંબા પ્રવાસ માટે ઘણા નવા અને યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, પણ સરફરાઝ ખાન પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે.

સરફરાઝે આની હૈયાવરાળ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કાઢી છે. એણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડિયો શેર કર્યો છે, જે 45 સેકંડનો છે. આ વિડિયોમાં સરફરાઝની બેટિંગ હાઈલાઈટ્સ જોઈ શકાય છે. આમાં તેણે બેકગ્રાઉન્ડમાં ‘મંજર હૈ’ ગીત વાગતું મૂક્યું છે અને કેપ્શનમાં ‘વન લવ’ એવું લખ્યું છે.

તેણે એક વધુ ફોટો પણ મૂક્યો  છે જેમાં ‘લક્ષ્ય તો હર હાલ મેં પાના હૈ’ ગીતની કડી લખી છે.

સરફરાઝ ખાને પ્રથમ શ્રેણીની મેચોમાં ઘણો સારો દેખાવ કર્યો છે. એણે કુલ 37 મેચોમાં 79.65ની સરેરાશ સાથે 3,505 રન કર્યા છે. એણે 13 સેન્ચૂરી અને 9 અડધી સેન્ચુરી ફટકારી છે.

સરફરાઝની પસંદગી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ન કરાતાં દંતકથા સમાન બેટર સુનીલ ગાવસકરે પણ નારાજગી વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે, ‘સરફરાઝે રણજી ટ્રોફીની છેલ્લી ત્રણ મોસમમાં લગભગ 100ની સરેરાશ સાથે રન કર્યા છે. રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે એણે આનાથી વધારે શું કરવું પડશે? ટીમમાં એની પસંદગી કરવી જોઈતી હતી.’

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ મેચ, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવાની છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકા ટાપુના રોસો શહેરના વિન્ડસર પાર્ક મેદાન પર અને બીજી તથા આખરી ટેસ્ટ મેચ 24 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ)ના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે. ત્યારબાદ બંને ટીમ 27, 29 જુલાઈ અને 1 ઓગસ્ટે અનુક્રમે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. પહેલી બે મેચ બાર્બેડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટિન ઓવલ મેદાન પર રમાશે અને ત્રીજી મેચ ટ્રિનિડાડના ટેરોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. તે પછી બંને ટીમ 3, 6, 8, 12, 13 ઓગસ્ટે પાંચ ટ્વેન્ટી-20 મેચ રમશે, જેમાં પહેલી મેચ ટ્રિનિડાડના લારા સ્ટેડિયમમાં, બીજી અને ત્રીજી મેચ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં, ચોથી અને પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે.

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.

ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર વીજળીનો કરંટ લાગતાં મહિલાનું કરૂણ મૃત્યુ

નવી દિલ્હીઃ આજે વહેલી સવારે લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે અહીં એક બાજુ વરસાદ પડી રહ્યો હતો ત્યારે બીજી બાજુ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર દુઃખદ ઘટના બની હતી. સ્ટેશન સંકુલમાં વીજળીના એક જીવંત તારનાં સંપર્કમાં આવતાં એક મહિલાનું આકસ્મિક રીતે મૃત્યુ નિપજ્યું હતું. દુર્ઘટના સ્ટેશનના એક્ઝિટ દ્વાર નંબર-1 નજીક બની હતી. મૃતકનું નામ સાક્ષી આહુજા છે, તેમની ઉંમર 34 વર્ષ હતી. તેઓ ચંડીગઢ જનારી ટ્રેન પકડવા માટે જતાં હતાં. એમની સાથે એમનાં બહેન પણ હતાં. મૃતકનાં પરિવારજનોએ પોલીસમાં બેદરકારીને કારણે મૃત્યુની ફરિયાદ નોંધાવી છે.

પ્રાથમિક તપાસ અનુસાર, દુર્ઘટના વખતે વરસાદ ચાલુ હતો. સાક્ષી આહુજા સ્ટેશન તરફ ચાલતાં જતાં હતાં. એ વખતે અચાનક એ સંતુલન ખોઈ બેઠાં હતાં અને બાજુમાં રહેલો વીજળીનો એક થાંભલો પકડી લીધો હતો, પરંતુ તે થાંભલા પર વીજળીના પ્રવાહવાળા કેટલાક તાર હતા જેના સંપર્કમાં તેઓ આવી ગયાં હતાં. મહિલાને તરત જ લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલાં ઘોષિત કર્યાં હતા.

મૃતદેહને શબઘરમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાક્ષીનાં બહેન માધવી ચોપરાએ સંબંધિત સત્તાવાળાઓ વિરુદ્ધ બેદરકારી રાખવાનો આરોપ મૂકતી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ફોજદારી કાયદાની કલમ 287 (મશીનરીને લગતી બેદરકારી) અને 304-A (બેદરકારીને કારણે મોત નિપજાવવું) હેઠળ ફરિયાદ નોંધી છે અને તપાસ આદરી છે.

મૃતક સાક્ષી આહુજાનાં મહિલાનાં પરિવારમાં એનાં પતિ અને સગીર વયનાં બે સંતાન છે.

રામાનંદ સાગરની પૌત્રીનો નેટફ્લિક્સ નિર્માતાઓ પર લૈંગિક સતામણીનો આરોપ

મુંબઈઃ ‘રામાયણ’ ટીવી સિરિયલ અને ‘આંખે’, ‘ઘૂંઘટ’, ‘આરઝૂ’ જેવી હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક રામાનંદ સાગર (ચંદ્રમૌલી ચોપરા)ની પૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મિડિયા પર ખૂબ જ સક્રિય છે. એણે હાલમાં જ એક પોસ્ટ મૂકીને નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ પર ગંભીર આરોપ મૂક્યો છે.

સાક્ષીએ લાંબા લખાણવાળી પોસ્ટ મૂકી છે જેને કારણે સૌનું ધ્યાન એની પર ખેંચાયું છે.

સાક્ષી ચોપરા એનાં હોટ ફોટોગ્રાફ્સ અને વિડિયો અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. ગઈ કાલે એણે પોતાની કેટલીક તસવીરો સાથે લખાણ જોડીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં છે. એમાં તેણે લખ્યું છે: ‘નેટફ્લિક્સ ઈન્ડિયા શો વખતે મારી જાતીય સતામણી કરવામાં આવી હતી. મારી કપડાં પહેરવાની સ્ટાઈલ નોખી હોવાથી એમણે એવું માની લીધું હશે કે હું બધું ચલાવી લઈશ… મેં સ્વીકારેલા કરારમાં માત્ર એટલું જ વચન આપવામાં આવ્યું હતું કે દિવસમાં માત્ર એક જ ફોન કરવાનો રહેશે. પણ @netflix_in એ એક વર્ષથી પણ વધારે વખત મારો સંપર્ક કર્યો હતો…’

સાક્ષીએ વધુમાં લખ્યું છે, ‘શરૂઆતમાં મેં શોમાં હાજરી આપવાનો ઈનકાર કર્યો હતો, પણ ત્યારબાદ શોનાં વરિષ્ઠોએ બેઠક બોલાવી હતી અને મને શો કેવા પ્રકારનો હશે એ વિશે મને ખાતરી આપી હતી. શોમાં સક્રિય થવા માટે એમની તરફથી મને સતત ફોન કરવામાં આવતા હતા. પરંતુ એમણે મને શો વિશે યોગ્ય માહિતી આપી નહોતી. શોમાં માત્ર ગેમ હશે એવું મને જણાવવામાં આવ્યું હતું, શોમાં શું ચાલી રહ્યું છે એ વિશે મારી માતા મને ફોન કરીને પૂછતી હતી, પરંતુ દરેક કોલ પર મેનેજરનો ચોકીપહેરો રહેતો હતો. એવા એક કોલ પર હું વાત કરતી હતી ત્યારે નિર્માતાઓએ મારાં હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો… હું કયાં કપડાં પહેરવાનું પસંદ કરું છું એ મહત્ત્વનું નથી. મારી વિનયશીલતાનું જાહેરમાં અપમાન કરવાની મેં કોઈને પણ પરવાનગી આપી નથી… મને ધમકી આપવામાં આવતી કે કામ પૂરું કર્યા વગર જમવાનું આપવામાં નહીં આવે.’

(તસવીર સૌજન્યઃ સાક્ષી ચોપરા ઈન્સ્ટાગ્રામ)

બંગાળમાં બે ગૂડ્સ ટ્રેન અથડાઈ; એન્જિન, બોગીઓ પાટા પરથી ઉથલી પડ્યા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ રાજ્યના ઓંદાગ્રામ કે ઓંદા રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે બે ગૂડ્સ ટ્રેન અથડાઈ પડી હતી. એક ગૂડ્સ ટ્રેન મેઈન લાઈનને બદલે લૂપ લાઈન પર પ્રવેશી હતી અને એ જ પાટા પર ઊભેલી બીજી ગૂડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. અથડામણને લીધે એન્જિન તથા 12 બોગીઓ પાટા પરથી ઉથલી પડી હતી. કેટલીક બોગીઓ બાજુની મેઈન લાઈન પર જઈને પડી હતી. આ ઘટનાને લીધે હજી ગઈ બીજી જૂને ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતની યાદ ફરી તાજી થઈ છે.

ગૂડ્સ ટ્રેન અથડાવાને કારણે ખડગપુર-બાંકુરા-આદ્રા લાઈન પર ટ્રેન વ્યવહાર થંભાવી દેવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, ગૂડ્સ ટ્રેનના એન્જિન ડ્રાઈવર (લોકો પાઈલટ)ને ઈજા થઈ છે. અકસ્માતની જાણ થતાં રેલવેના સંબંધિત ટોચના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા.

‘અદાણી ડે’ ઉજવણીઃ વર્લ્ડ કપ-2023 જીત માટે ટીમ ઈન્ડિયાને અદાણી ગ્રુપનું સમર્થન

અદાણી ગ્રુપે તેનો સ્થાપના દિવસ 24 જૂન, શનિવારે અમદાવાદમાં અનોખી રીતે ઉજવ્યો હતો. આઈસીસી ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનું ભારતમાં આયોજન થવાનું છે તે નિમિત્તે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 1983માં લંડનમાં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતીને ઈતિહાસ સર્જનાર ભારતીય ટીમનું સમ્માન કર્યું હતું અને આ વર્ષની વર્લ્ડ કપ સ્પર્ધા જીતવા માટે ભારતીય ટીમ માટે ’જીતેંગે હમ’નો નારો આપ્યો છે. આ પ્રસંગે ’83ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ તથા અન્ય સાથીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.