‘અદાણી ડે’ ઉજવણીઃ વર્લ્ડ કપ-2023 જીત માટે ટીમ ઈન્ડિયાને અદાણી ગ્રુપનું સમર્થન

અદાણી ગ્રુપે તેનો સ્થાપના દિવસ 24 જૂન, શનિવારે અમદાવાદમાં અનોખી રીતે ઉજવ્યો હતો. આઈસીસી ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનું ભારતમાં આયોજન થવાનું છે તે નિમિત્તે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 1983માં લંડનમાં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતીને ઈતિહાસ સર્જનાર ભારતીય ટીમનું સમ્માન કર્યું હતું અને આ વર્ષની વર્લ્ડ કપ સ્પર્ધા જીતવા માટે ભારતીય ટીમ માટે ’જીતેંગે હમ’નો નારો આપ્યો છે. આ પ્રસંગે ’83ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ તથા અન્ય સાથીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.