Home Blog Page 2726

તિસ્તા સેતલવાડને SC તરફથી રાહત, ગુજરાત સરકારને નોટિસ પાઠવી

સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને આપવામાં આવેલી વચગાળાની સુરક્ષા વધારી દીધી છે. હવે આગામી સુનાવણી 19 જુલાઈએ થશે. તેણે સેતલવાડની અરજી પર ગુજરાત સરકારને નોટિસ પણ જારી કરી હતી અને સંબંધિત પક્ષકારોને 15 જુલાઈ સુધીમાં આ મામલે દસ્તાવેજો ફાઇલ કરવા જણાવ્યું હતું.

તિસ્તા સેતલવાડ પર આરોપો

ગુજરાત હાઈકોર્ટે શનિવારે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજીને ફગાવી દીધી હતી અને તેને 2002 પછીના ગોધરા રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવાઓ બનાવવા સંબંધિત કેસમાં તાત્કાલિક આત્મસમર્પણ કરવા જણાવ્યું હતું. જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટે સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેણીને તરત જ આત્મસમર્પણ કરવા કહ્યું હતું કારણ કે તે પહેલેથી જ વચગાળાના જામીન પર જેલની બહાર હતી.

ગયા વર્ષે 25 જૂને અટકાયત કરવામાં આવી હતી

ગોધરાકાંડ પછીના રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવ્યા હોવાના આરોપસર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સાથે ગયા વર્ષે 25 જૂને સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટે 30 જુલાઈ, 2022ના રોજ આ કેસમાં સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની મુક્તિ ખોટા કામ કરનારાઓને સંદેશ આપશે કે વ્યક્તિ આરોપો લગાવી શકે છે અને મુક્તિથી છૂટકારો મેળવી શકે છે.

અગાઉ 3 ઓગસ્ટ, 2022 ના રોજ હાઇકોર્ટે સેતલવાડની જામીન અરજી પર રાજ્ય સરકારને નોટિસ જારી કરી હતી અને આ મામલે સુનાવણી માટે 19 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી.  હાઇકોર્ટે તેમની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યા પછી તેણે વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટ (SC) માં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે તેમને વચગાળાના જામીન આપ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટમાં તેમની નિયમિત જામીન અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેમનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેમને કેસની તપાસમાં તપાસ એજન્સીને સહકાર આપવા પણ કહ્યું હતું. સેતલવાડ 3 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યા હતા.

આઇસી15 ઇન્ડેક્સમાં 265 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નફો અંકે કરાવાને લીધે બુધવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.65 ટકા (265 પોઇન્ટ) ઘટીને 40,486 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,751 ખૂલીને 40,883ની ઉપલી અને 40,416 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મુખ્ય ઘટેલા કોઇનમાં પોલકાડોટ, અવાલાંશ, ઈથેરિયમ અને બીએનબી સામેલ હતા.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમ ક્રીપ્ટોકરન્સી ક્ષેત્ર માટે વ્યાપક કાયદો ઘડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. દેશની ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટીએ કહ્યું છે કે તમામ ક્રીપ્ટો એસેટ કંપનીઓએ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી વખતે સરકારે ઘડેલા નિયમોનું ઓક્ટોબર સુધીમાં પાલન કરવું આવશ્યક છે. બીજી બાજુ, દક્ષિણ આફ્રિકા પણ ક્રીપ્ટોકરન્સી સંબંધિત કાયદો ઘડવા માટે પ્રયત્નશીલ છે. ક્રીપ્ટો એક્સચેન્જોએ ફરજિયાતપણે લાઇસન્સ લેવું પડે એવો કાયદો ઘડવાનો પ્રસ્તાવ છે.

તબરેઝ અંસારી લિંચિંગ કેસમાં તમામ 10 દોષિતોને 10 વર્ષની કેદ, 4 વર્ષ પછી આવ્યો ચૂકાદો

ઝારખંડના જાણીતા મોબ લિંચિંગ તબરેજ અન્સારીના મોતના કેસમાં આજે સાંજે ચાર વાગ્યે સરાયકેલા કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. વાસ્તવમાં, સરાઈકેલા કોર્ટે તમામ દસ દોષિતોને આઈપીસી કલમ 304 (હત્યાની રકમ ન હોવાનો દોષી માનવહત્યા) હેઠળ 10 વર્ષની જેલની સજા ફટકારી છે. ગુનેગારોમાં ભીમ સિંહ મુંડા, કમલ મહતો, મદન નાયક, અતુલ મહાલી, સુનામો પ્રધાન, વિક્રમ મંડલ, ચામુ નાયક, પ્રેમ ચંદ મહાલી, મહેશ મહાલીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

 

તબરેઝને ચોરીની શંકાના આધારે માર મારવામાં આવ્યો હતો

18 જૂન 2019 ના રોજ, તબરેઝને ધટકીડીહમાં ચોરીની શંકામાં ટોળાએ માર માર્યો હતો. જે બાદમાં પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી મેડિકલ તપાસ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જ્યાં તબરેઝની તબિયત બગડતાં 21 જૂને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ક્રમમાં, 22 જૂન 2019 ના રોજ, તબરેઝનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ કેસમાં પોલીસે કુલ 13 લોકોની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી પપ્પુ મંડલ સિવાય તમામ 12 આરોપીઓ જામીન પર બહાર હતા.

બચાવ પક્ષે એવી દલીલ કરી હતી

બીજી તરફ બચાવ પક્ષના વકીલ એસસી હાજરાએ જણાવ્યું કે સમગ્ર મામલાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. તબરેઝની હત્યા મોબ લિંચિંગ નહોતી. તેની ખોટી રજૂઆત કરવામાં આવી છે. રાજકારણ અને પોલીસે મળીને કેસને ખોટી દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે કાયદામાં વિશ્વાસ છે, ન્યાય ચોક્કસ મળશે.

જાપાની ગ્રુપે સાબરમતી મલ્ટિમમોડલ ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લીધી

અમદાવાદઃ વડા પ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ બુલેટની ઝડપે થઈ રહ્યું છે. જેના માટે સાબરમતી રેલવે સ્ટેશનની પાસે નવ માળનું એક બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે, જેનું 90 ટકાથી વધુ કામ થઈ ચૂક્યું છે. આ બિલ્ડિંગ પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. એ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ છે. આ દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન છે.

જાપાન ઇન્ડિયા એસોસિયેશનના અધ્યક્ષ અને જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન, સુગા યોશિહિદેના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય જાપાની પ્રતિનિધિ મંડળ દ્વારા રાજેન્દ્ર પ્રસાદ, MD-NHSRCLની સાથે અમદાવાદમાં MAHSR પ્રોજેક્ટના સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ અને SBS લોન્ચિંગ સાઇટની મુલાકાત લેવામાં આવી હતી.

જાપાન સરકારના પ્રતિનિધિ સભાના સભ્યો, ભારતમાં જાપાનના એમ્બેસેડર, જેઆર ઇસ્ટ (ઇસ્ટ જાપાન રેલવે કંપની) JICA (જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી), MOFA) ( જાપાન- વિદેશ મંત્રાલય) અને NHSRCLના વરિષ્ઠ અધિકારી પણ પ્રતિનિધિમંડળમાં સામેલ થયા હતા.

પહેલાં બુલેટ ટ્રેન વર્ષ 2022 સુધી ચલાવવાનું લક્ષ્ય હતું, પણ હવે એને વધારીને 2023 કરવામાં આવ્યું છે. જોકે માર્ચમાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હવે 2026 સુધીને એ ચાલુ થવાની શક્યતા છે.

 

 

 

 

 

વર્લ્ડ કપ 2023: ભારત-પાક મેચમાં સૌરવ ગાંગુલી રમી રહ્યા છે મોટી રમત, દિગ્ગજ ક્રિકેટરે કર્યો ચોંકાવનારો દાવો

હાલમાં જ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારત-પાકિસ્તાન મેચ પર નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની મેચ લગભગ દરેક વખતે એકતરફી રહી છે. આ મેચોમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. તેણે કહ્યું કે ભારત-પાકિસ્તાન મેચ માટે લોકોમાં ભારે ઉત્સાહ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ગુણવત્તાયુક્ત મેચો થઈ નથી. ભારતીય ટીમ પાકિસ્તાન પર પ્રભુત્વ જમાવી રહી છે. સાથે જ તેણે કહ્યું હતું કે વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મજેદાર મેચ રમાશે. બંને ટીમો વચ્ચે ક્વોલિટી ક્રિકેટ જોવા મળશે.

સૌરવ ગાંગુલીના નિવેદન પર બાસિત અલીએ શું કહ્યું?

જો કે હવે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી બાસિત અલીએ સૌરવ ગાંગુલીના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. બાસિત અલીએ કહ્યું કે હું ભારતીય ક્રિકેટ અને બીસીસીઆઈમાં પ્રશાસક તરીકે સૌરવ ગાંગુલીનું સન્માન કરું છું, પરંતુ તેણે ભારત-પાક મેચ પર જે નિવેદન આપ્યું છે તેનાથી હું સહમત નથી. તેણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે સૌરવ ગાંગુલી એક શાનદાર કેપ્ટન રહ્યો છે. તેણે ભારતીય ટીમને ઘણા મહાન યુવા ખેલાડીઓ આપ્યા છે, પરંતુ તેણે ભારત-પાકિસ્તાન મેચ પર જે નિવેદન આપ્યું તેનાથી મને ઘણું આશ્ચર્ય થયું છે. બાસિત અલી તેની યુટ્યુબ ચેનલ પર બોલી રહ્યા હતા.

‘સૌરવ ગાંગુલી મનની રમત રમે છે…’

બાસિત અલી માને છે કે સૌરવ ગાંગુલી મનની રમત રમી રહ્યો છે. આ સાથે તેણે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપનું ઉદાહરણ આપ્યું. બાસિત અલીએ કહ્યું કે તે મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું, તો આપણે કેવી રીતે કહી શકીએ કે ભારત-પાકિસ્તાન મેચ એકતરફી છે. આ સિવાય તેણે કહ્યું કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, તે મેચમાં ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી હતી કારણ કે વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી. બાસિત અલી કહે છે કે ભારત-પાકિસ્તાનની મેચની સરખામણીમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ક્યાંય ટકતી નથી… ભારત-પાકિસ્તાન મેચ જોનારા ચાહકોની સંખ્યા ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોનારા ચાહકો કરતાં ઘણી વધારે છે.

ભારતીય ખેલાડીઓ બાર્બેડોસમાં દંતકથાસમાન બેટ્સમેન સર ગાર્ફિલ્ડ સોબર્સને મળ્યા

બ્રિજટાઉન (બાર્બેડોસ): રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમના ખેલાડીઓ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે આવ્યા છે. તેઓ આ અઠવાડિયાના આરંભમાં બાર્બેડોસ આવી પહોંચ્યા હતા. બ્રિજટાઉન શહેરના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ભારતીય ખેલાડીઓ ક્રિકેટ પ્રેક્ટિસ કરતા હતા અને વોલીબોલ રમતા હતા. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે-મેચની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકા ટાપુના રોસો શહેરના વિન્ડસર પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના ભારતીય ખેલાડીઓ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝના દંતકથા સમાન બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન સર ગાર્ફિલ્ડ સોબર્સને મળ્યા હતા. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પ્રત્યેક ખેલાડીની સોબર્સ સાથે ઓળખાણ કરાવી હતી. 86 વર્ષના સોબર્સની સાથે એમના જીવનસાથી પણ હતાં. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તે મુલાકાતનો એક વિડિયો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. બાર્બેડોસ સોબર્સનું વતન છે.

ડાબોડી બેટ્સમેન અને ડાબોડી સ્પિનર સોબર્સ એમની કારકિર્દીમાં વેસ્ટ ઈન્ડિઝ વતી 93 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં તેમણે 26 સેન્ચુરી સહિત 8,032 રન કર્યા હતા. એમનો હાઈએસ્ટ સ્કોર 365* રન હતો, જે ઘણા વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. બાદમાં વેસ્ટ ઈન્ડિઝના જ બ્રાયન લારાએ (400*) તોડ્યો હતો. સોબર્સ 383 પ્રથમ કક્ષાની મેચોમાં પણ રમ્યા હતા. 1968ની 31 ઓગસ્ટે સોબર્સે સ્વોન્સી શહેરમાં ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં નોટિંગહામશાયર ટીમના કેપ્ટન તરીકે રમતાં ગ્લેમોર્ગનના બોલર માલ્કમ નેશની એક જ ઓવરમાં છ બોલમાં છ સિક્સર મારી હતી.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકા ટાપુના રોસો શહેરના વિન્ડસર પાર્ક મેદાન પર અને બીજી તથા આખરી ટેસ્ટ મેચ 24 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ)ના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે. ત્યારબાદ બંને ટીમ 27, 29 જુલાઈ અને 1 ઓગસ્ટે અનુક્રમે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. પહેલી બે મેચ બાર્બેડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટિન ઓવલ મેદાન પર રમાશે અને ત્રીજી મેચ ટ્રિનિડાડના ટેરોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. તે પછી બંને ટીમ 3, 6, 8, 12, 13 ઓગસ્ટે પાંચ ટ્વેન્ટી-20 મેચ રમશે, જેમાં પહેલી મેચ ટ્રિનિડાડના લારા સ્ટેડિયમમાં, બીજી અને ત્રીજી મેચ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં, ચોથી અને પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે.

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.

ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.

ગોળીબારની ઘટનાઓઃ બાઇડનની બંદૂક પર પ્રતિબંધ મૂકવા માગ

વોશિંગ્ટનઃ તાજેતરમાં બનેલી શૂટિંગની સિલસિલાબંધ ઘટનાઓમાં કમસે કમ 10 લોકોના મોતથી વ્યથિત થઈને બંદૂકની હિંસા સામે અમેરિકાના પ્રમુખ જો બાઇડને સાંસદોને પગલાં લેવાની અરજ કરી હતી. તેમણે બંદૂક પર પ્રતિબંધ મૂકવા કાયદો ઘડવાની પણ માગ કરી હતી.  અમેરિકામાં ગન કલ્ચર ફૂલ્યુંફાલ્યું છે, જેમાં ગમેત્યારે ગોળીબારની ઘટના બનતી રહી છે.વ્હાઇટ હાઉસ દ્વારા જારી થયેલા નિવેદનમાં બાઇડને રિપબ્લિકન સાંસદોને પણ નવા કાયદાને ટેકો આપવા અરજ કરી હતી. તેમણે  હથિયારો પર પ્રતિબંધ, જેતે વ્યક્તિના ભૂતકાળની તપાસ અને ગનના ઉત્પાદકોને કાયદાકીય છૂટને નાબૂદ કરવાની દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં આપણા દેશે દુખદ અને સંવેદનહીન ગોળીબારની ઘટનાઓ –ફિલાડેલ્ફિયાથી માંડીને ફોર્ટ વર્થ, બાલ્ટિમોરથી માંડીને શિકાગો સુધી સહન કરી છે. અમેરિકામાં જેવો એક લાંબો વીકએન્ડ શરૂ થયો, જે મંગળવારે સ્વતંત્રતા દિવસની સાથે પૂરો થયો, ત્યાં સુધી ગોળીબારની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી.

શિકાગોના ઇલિયોનોસમાં આવી ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય વ્યક્તિઓને ઇજા થઈ હતી. ત્યાર બાદ બે વધુ ગોળીબારની ઘટનાઓ બની હતી, જેમાં અનેક જણ ઘાયલ થાય હતા. આ સિવાય વિચિટામાં નવ લોકો ઘાયલ થયા હતા, જ્યારે બાલ્ટિમોરની ઘટનામાં બે લોકોનાં મોત થયાં હતાં અને 28 લોકો ઘાયલ થયા હતા.

સોમવારે પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં પાંચ લોકોનાં મોત થયાં હતા, જેમાં બે બાળકો ઘાયલ થયા હતા, જ્યારે ટેક્સાસના ફોર્ટવર્થમાં ગોળીબારની ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા હતા.

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૫ જૂલાઈ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૫ જૂલાઈ, ૨૦૨૩

ચાર વર્ષમાં ચાર વાર ફૂટ, ત્રણ વાર બદલાયા CM

 મુંબઈઃ ‘ઘર ફૂટે ઘર જાય’ એ કહેવત મહારાષ્ટ્રના રાજકારણ બરાબર લાગુ પડે છે. છેલ્લાં ચાર વર્ષોમાં ચાર વાર ફૂટ પડી છે અને ત્રણ વાર મુખ્ય પ્રધાન બદલાયા છે. સત્તાની મલાઈ ખાવા મહારાષ્ટ્રમાં ડર્ટી પોલિટિક્સ રમાઈ રહ્યું છે. બીજી જુલાઈએ NCP નેતા અજિત પવારે રાજ ભવનમાં ઉપ મુખ્ય પ્રદાનપદના શપથ લઈને સૌને ચોંકાવ્યા હતા. એ સાથે NCPમાંથી આઠ અન્ય વિધાનસભ્યો શિંદે-ફડણવીસ સરકારમાં સામલે થયા હતા. અજિત પાવરનો દાવો છે કે તેમની પાસે NCPના 40 વિધાનસભ્યોનો ટેકો છે. જોકે મહારાષ્ટ્રના રાજકારણમાં ઊલટફેર થવો એ કોઈ નવી વાત નથી. એનો જૂનો ઇતિહાસ છે.

ઓક્ટોબર, 2019માં જ્યારથી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં અને કોઈ પાર્ટીને પૂર્ણ બહુમત ના મળતાં રાજકારણના ખેલા શરૂ થયા હતા. વિધાનસભાની ચૂંટણી પરિણામો આવ્યા પછી શિવસેનાએ ભાજપ સામે મુખ્ય મંત્રીપદની માગ મૂકી હતી, જે ભાજપે ફગાવી. ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય મંત્રીપદ મામલે ખેંચતાણ થઈ હતી. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું.  

23 નવેમ્બર, 2019એ સવારે પાંચ કલાકે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન અને NCPના અજિત પવારે ઉપ મુખ્ય પ્રધાનના શપથ લીધા હતા. એ પછી ફડણવીસ સરકાર પડ્યા પછી કોંગ્રેસ, શિવસેના અને NCPએ ગઠબંધનવાળી મહાવિકાસ આઘાડી (MVA) સરકાર બનાવી હતી. એમાં શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રીપદે આરૂઢ થયા હતા. ત્યારે પણ અજિત પવારને ડેપ્યુટી CM બનાવાયા હતા. આ સરકાર અઢી વર્ષ સુધી ચાલી હતી. ત્યાર બાદ જૂન, 2022માં શિવસેનાના 40 વિધાનસભ્યોની સાથે એકનાથ શિંદેએ બળવો પોકાર્યો હતો અને શિંદેએ ભાજપ સાથે સરકાર બનાવી હતી. હજી આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને હવે, અજિત પવારે NCPમાં કાકા પવાર સામે બળવો પોકારીને સરકારમાં સામેલ થયા છે.

 

 

 

 

 

-તો ભારતમાં પેટ્રોલ 15 રૂપિયે પ્રતિ લીટર મળી શકેઃ ગડકરી

જયપુરઃ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ જેવા તમામ મોટા શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ખૂબ ઊંચા છે ત્યારે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે જો ટ્રાન્સપોર્ટને લગતી અમુક શરતોનું પાલન કરવામાં આવે તો દેશમાં ઈંધણનો ભાવ પ્રતિ લીટર 15 રૂપિયા સુધી નીચે જઈ શકે એમ છે.

(ફાઈલ તસવીર)

એક જાહેર સભાને સંબોધિત કરતાં ગડકરીએ કહ્યું હતું કે, જો સરેરાશ 60 ટકા ઈથેનોલ અને 40 ટકા વીજળી લેવામાં આવે તો દેશમાં પેટ્રોલ પ્રતિ લીટર 15 રૂપિયા જેટલા ઓછા ભાવે મળી શકે. દેશમાં પેટ્રોલ પ્રતિ લીટર 15 રૂપિયે મળે તે એક સપનાની વાત જેવું લાગે, પણ આ પરિસ્થિતિ વાસ્તવિક બની શકે જો પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડી દેવામાં આવે અને લોકો એમના વાહનો ચલાવવા માટે વીજળી અને ઈથેનોલનો વપરાશ વધારી દે તો. આમ થાય તો પ્રદૂષણ અને આયાત, બંને ઘટી જાય. હાલ રૂ.16 લાખ કરોડની આયાત કરવામાં આવે છે અને જો આ રકમ બચી જાય તો એ ખેડૂતોને મળતી થાય.