નવી દિલ્હીઃ મેટા પ્લેટફોર્મની નવી એપ થ્રેડસે લોન્ચ થવાના એક જ દિવસમાં ધૂમ મચાવી દીધી છે. માર્ક ઝુકરબર્ગની આ નવી એપને ટ્વિટર ક્લોન કહેવામાં આવી રહી છે. હવે ટ્વિટરે મેટા પ્લેટફોર્મને એક પત્ર લખીને કોર્ટમાં જવાની ધમકી આપી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગને કોર્ટમાં જવાની ધમકી ટ્વિટરે આપી છે ટ્વિટરના વકીલ એલેક્સ સ્પાઇરોએ મેટાને એક પત્ર મોકલ્યો છે. એક જ દિવસમાં મેટાની નવી એપ થ્રેડસ (Threads)ને 50 મિલિયનથી વધુ યુઝર્સે સાઇનઅપ કરી દીધી છે. ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સનો લાભ નવી થ્રેડ્સ એપ એલન મસ્કના ટ્વિટરને આકરી ટક્કર આપશે.
ટ્વિટરના વકીલે પત્રમાં મેટા પર ટ્વિટરના એ ભૂતપૂર્વ કર્મચારીઓ ભરતી કરવાનો આરોપ લગાવ્યો છે, જેમની પાસે ટ્વિટરના ટ્રેડ સિક્રેટ અને બીજી ખાનગી માહિતીનું એક્સેસ હતું. ન્યૂઝ વેબસાઇટ સેમાફોરે સૌથી પહેલાં આ માહિતી જાહેર કરી હતી.
સ્પાઇરોએ પત્રમાં લખ્યું છે કે ટ્વિટરનો ઇરાદો પોતાની ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટી (બૌદ્ધિક સંપતિ) અધિકારીઓને સખતાઈથી લાગુ કરવાના છે અને અમારી માગ છે કે મેટા તત્કાળ અસરથી ટ્વિટરના કોઈ પણ ટ્રેડ સિક્રેટ અથવા ખાનગી માહિતીનો ઉપયોગ કરવાનું બંધ કરે. આ મામલાથી જોડાયેલાં સૂત્રોના હવાલાથી પત્રમાં લખેલી માહિતીની પુષ્ટિ કરી હતી. જોકે મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને એક થ્રેડ્સ પોસ્ટમાં કહ્યું હતું કે થ્રેડ્સની એન્જિનિયરિંગ ટીમમાં કોઈ પણ ભૂતપૂર્વ ટ્વિટર કર્મચારી સામેલ નથી- એવી કોઈ વાત નથી.
આ સમાચારને લઈને માલિક એલન મસ્કે ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘Competition is fine, cheating is not” (પ્રતિસ્પર્ધા સારી છે, પણ બેઇમાની નહીં).
અમદાવાદઃ મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઇકોર્ટ તરફથી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. રાહુલ ગાંધીએ સુરત સેશન કોર્ટના ચુકાદાની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ સજા અટકાવવાની માગને લઈને દાખલ કરેલી અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટના આ ચુકાદા પછી રાહુલ ગાંધી માટે 2024ની લોકસભાની ચૂંટણી લડવી મુશ્કેલ બની ગઈ છે.
મોદી સરનેમ કેસમાં સુરત સેશન કોર્ટે 23 માર્ચ, 2023એ રાહુલ ગાંધીને દોષી ઠેરવતાં બે વર્ષની સજા સંભળાવી હતી. હાઇકોર્ટે ચુકાદો સંભળાવતી વખતે રાહુલ ગાંધીની સામે લંબિત 10 ક્રિમિનલ કેસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યોગ્ય છે અને એ આદેશમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી, એટલે અરજી નકારી કાઢવામાં આવે છે. હાલ રાહુલ ગાંધી ના તો ચૂંટણી લડી શકશે અને ના તો તેમનું સંસદપદ બહાલ કરવાની માગ કરી શકે છે. જોકે તેમની પાસે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ છે.
શું છે મામલો?
વર્ષ 2019માં કર્ણાટકની કોલરમાં ચૂંટણી સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે. તેમણે કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કોમન કેમ છે? બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? ત્યાર બાદ ગુજરાત ભાજપના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત સેશન કોર્ટમાં એના વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ મામલે સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે દોષી ઠેરવતાં વર્ષની સજા સંભળાવી હતી. ત્યાર બાદ લોકસભા સચિવાલય દ્વારા રાહુલની સંસદનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા અને શૈલેશ પરમાર કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા. જ્યારે ચુકાદા પહેલાં કોર્ટ પહોંચેલા રાહુલ ગાંધીની લીગલ ટીમના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે ચુકાદો ખૂબ મહત્ત્વનો છે. રાહુલ ગાંધીની સજા પરનો સ્ટેની માગ કરી છે. હાઇકોર્ટ સજા પર સ્ટે યથાવત્ રાખે તો અમે સુપ્રીમ કોર્ટ જઈશું, રાહુલ ગાંધીએ મોદી વિશે વાત કરી હતી, કોઈ સમાજ વિશે નહીં.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,494 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,912 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,127 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1455એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 56,697 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.28 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,42,260 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 856 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહે ગઈ કાલે પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેનાં મિત્રો અને પ્રશંસકોએ એને સોશિયલ મિડિયાના માધ્યમથી આ વિશેષ દિવસની શુભેચ્છા આપી હતી. પરંતુ રણવીરની અભિનેત્રી પત્ની દીપિકા પદુકોણે રણવીરના જન્મદિવસ વિશેની કોઈ પોસ્ટ શેર કરી નહોતી. આને લીધે રણવીરનાં પ્રશંસકો દીપિકાથી નારાજ થયાં છે.
ઘણા લોકોએ દીપિકાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની છેલ્લી પોસ્ટના કમેન્ટ વિભાગમાં નારાજગી વ્યક્ત કરતા સંદેશા લખ્યા છે. કેટલાક લોકોએ એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે રણવીર-દીપિકાનાં સંબંધમાં કોઈ બગાડો તો નથી થયોને. એક જણે લખ્યું છે, ‘રણવીરના જન્મદિવસ વિશે દીપિકા તેનાં ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરશે એની રાહ જોવામાં મારો આખો દિવસ નીકળી ગયો, પણ દીપિકાએ એકેય પોસ્ટ શેર કરી નહીં.’ અન્ય એક પ્રશંસકે સવાલ સાથે લખ્યું છે, ‘તેં તારા પતિના જન્મદિવસ વિશેની પોસ્ટ નથી મૂકી?’
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મિડિયા પર રણવીર અને દીપિકા, બંનેનાં અઢળક ફોલોઅર્સ છે. બોલીવુડના આ દંપતીને પ્રશંસકો ખૂબ ચાહે છે. રણવીર અને દીપિકા એકબીજાં પ્રત્યે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવાનું ભૂતકાળમાં ક્યારેય ચૂક્યાં નથી. તેથી આ વખતે દીપિકાએ રણવીરના જન્મદિવસની નોંધ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર ન લેતાં એ ચર્ચાનો વિષય બની ગયો છે.
મુંબઈઃ એક તરફ, ટમેટાં સહિત શાકભાજી અતિશય મોંઘાં થતાં સામાન્ય જનતાને પરસેવો છૂટી રહ્યો છે તેવામાં હવે ભારતીયોનાં રસોડાની શાન કહેવાતા મસાલાના ભાવમાં પણ આગ લાગી છે. અનેક શહેરોમાં ટમેટાં પ્રતિ કિલો રૂ. 150-160ના ભાવે વેચાય છે અને શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યાં હવે ભારતીય લોકોનાં ભોજનને સ્વાદિષ્ટ બનાવતા મસાલા પણ મોંઘા થઈ ગયા છે. ગરમ મસાલો તો સામાન્ય માનવીની પહોંચ બહાર થઈ ગયો છે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, મુંબઈની મસાલા બજારમાં મસાલાના ભાવમાં અચાનક ધરખમપણે વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં મસાલાની કિંમતમાં અત્યંત તેજી જોવા મળી છે. મસાલાના ભાવ ડબલ થઈ ગયા છે. જૂના મસાલા અને નવા મસાલાની કિંમતમાં આસમાન-જમીનનો ફરક આવી ગયો છે. કશ્મીરી મરચું, જે પહેલાં પ્રતિ કિલો રૂ.300-500ના ભાવે વેચાતું હતું, તે હવે રૂ.500-700ના ભાવે મળે છે. જીરું હાલ છૂટક બજારમાં 800 રૂપિયે કિલો મળે છે, તો જથ્થાબંધ બજારમાં એનો ભાવ રૂ.550-680 પ્રતિ કિલો બોલાય છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં હળદરની કિંમત સતત વધી રહી છે.
વાનગીઓનાં સ્વાદને વધારતા ગરમ મસાલાના ભાવમાં તો 80 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
મસાલાના ભાવ વધવાનું કારણ શું?
આ વર્ષે દેશમાં ચોમાસું મોડું બેઠું છે. આખું વર્ષ હવામાન પરિબળ ‘એલ-નિનો વર્ષ’ રહેવાની સંભાવના છે. આની નકારાત્મક અસર અનેક પ્રકારની ખેતી પર પડી છે. મસાલાની મોંઘારત પાછળ ઓછી વાવણી અને ઓછું ઉત્પાદન કારણરૂપ છે. મસાલા બજારના જાણકારોનું કહેવું છે કે મસાલા બનાવવા માટે જે ઉપયોગમાં લેવાય છે તે તરબૂચના બીજની નિકાસ આ વર્ષે વધારવામાં આવી છે, એને કારણે દેશમાં મસાલાના ઉત્પાદન પર માઠી અસર પડી છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે..
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
સતયુગમાં જન્મ યોગબળથી થાય છે. જીવન કામ- ક્રોધ વગેરે વિકારોથી સંપૂર્ણ મુક્ત હતું. ત્યાં દેવતાઓ પૂરા જીવન દરમિયાન સંપૂર્ણ પાપ રહિત હતા. સ્ત્રી – પુરુષની સંખ્યા સ્વાભાવિક રીતે સરખી હતી. ત્યાં બધાને એક દીકરો, એક દીકરી હશે. બધાની આત્મિક દ્રષ્ટી-વ્રુત્તિ હોવાના કારણે કોઈપણ પ્રકારની ઈર્ષ્યા કે દ્વેષ ન હતો. ગાય પણ વાઘ થી ડરતી ન હતી. મનુષ્ય તથા પ્રાણીઓમાં પણ અહિંસાની ભાવના હતી. આ કારણે જ સર્વશ્રેષ્ઠ-નિષ્પાપ દાંપત્યજીવનના પ્રતીક સમાન શ્રી લક્ષ્મી તથા શ્રી નારાયણની આજે પણ મંદિરોમાં પૂજા થાય છે. કોઈપણ વસ્તુ હંમેશા એક સમાન નથી રહી શકતી. પરિવર્તન સંસારનો નિયમ છે. દ્વાપરયુગ આવવાથી ગૃહસ્થ જીવનમાં પાપની પ્રવેશતા થઈ. બાળકોનો જન્મ વિકારથી થવા માંડ્યો. વિકારોના કારણે ઉત્પન્ન થયેલ દુઃખ થી પરેશાન થઈ કેટલાક લોકોએ ગૃહસ્થનો સંન્યાસ કરવાની શરૂઆત કરી. તેઓ યોગી, તપસ્વી અથવા ઋષિ-મુનિ કહેવડાવવા લાગ્યા. તેઓ વિકારો થી બચવાના ઉપાયો તથા પરમાત્માને પ્રાપ્ત કરવાની દિશામાં મનન- ચિંતન કરવા લાગ્યા.
આ સમયે વિવિધ શાસ્ત્રોની પણ રચના થઈ. ભક્તિમાર્ગના શાસ્ત્રોમાં લખ્યું છે કે રાજા પરીક્ષિત કે જે પાંડવોનો ઉત્તરાધિકારી હતો તેના સમયમાં કળિયુગે સોનામાં વાસ કર્યો. આ શાસ્ત્ર મતને આધાર બનાવીને લોકો ધનને માયા માનવા લાગ્યા. તેઓ સ્ત્રી- બાળકો, ઘર-પરિવારની સાથે ધન-સંપત્તિનો સન્યાસ કરવા લાગ્યા. એવી માન્યતા બની ગઈ કે ઈશ્વર તથા શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિમાં ઘન-સંપત્તિ વિઘ્ન રૂપ છે. પરંતુ ભગવાન શિવે પ્રજાપિતા બ્રહ્માના મખકમલ દ્વારા એ રહસ્ય ખોલ્યું કે પહેલું પાપ જે સૌથી પહેલા માનવ જાતિના પતનનું કારણ બન્યું તે ધન નહિ પણ દેહ અભિમાન દ્વારા ઉત્પન્ન કામ-વાસના છે. આ કામ-વાસના જ દેવતાઓને વામમાર્ગમાં લઇ જવા નિમિત્ત બની. કામ વિકારને જ ક્રિશ્ચિયન ગ્રંથોમાં આદમ તથા ઇવ દ્વારા પ્રતિબંધિત ફળ ખાવું તેમ કહેવાયું છે. આ કામ વિકાર રૂપી પ્રતિબંધિત ફળને ચાખી લીધા બાદ બહુજ દુઃખ અને ગરીબીના પહાડ કેવી રીતે તૂટી પડ્યા તેનુ ક્રિશ્ચન ગ્રંથોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે. દેવતાઓ વામમાર્ગમાં ગયા તેના પરિણામે આવેલ પ્રાકૃતિક આપત્તિઓના કારણે દેવતાઓની સ્વર્ગીય સભ્યતા- સંસ્કૃતિ નાશ પામી.
“સોનાની દ્વારકા પાણીમાં જતી રહી” એમ કહીને દૈવી સભ્યતાના વિનાશનું વર્ણન કરવામાં આવેલ છે. ગૃહસ્થ જીવન સમાજની અનિવાર્ય સંસ્થા છે તથા સમાજની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. માટે ગૃહસ્થ જીવનમાં પાપની પ્રવેશતા થી સંસારની તમામ પ્રક્રિયા દુષિત બની ગઈ. એક વ્યક્તિ રાજા, મંત્રી, દ્વારપાલ, કિસાન વિગેરે કોઈ પણ હોય પરંતુ તે કોઈ ઘરનો સભ્ય તો જરૂર હોય જ છે. જન્મ પ્રક્રિયાના દુષિત બનવાના કારણે કોઈપણ આત્મા પવિત્ર રહી નથી શકતી તથા દુઃખના વિષ ચક્રમાંથી પસાર થવા માટે બંધાઈ જાય છે.
વર્તમાન સમયે આરક્ષણ નીતિ અપનાવવામાં આવેલ છે. સમાજના તે વર્ગ કે જે કમજોર છે, જેની પાસે ધન, શિક્ષણ, સાધનોની અછત છે, જે વર્ગને આગળ વધવામાં મુશ્કેલીઓ દેખાય છે તે વર્ગને આરક્ષણ આપીને આગળ વધારવામાં આવે છે. તેવી જ રીતે દ્વાપર યુગની શરૂઆતમાં ઋષિમુનિઓએ એ વસ્તુ જાણી લીધી એટલે કે આગળ જતા વિકારોનો પ્રભાવ વધી જશે. પરિણામે અનેક મુશ્કેલીઓનો સમાજે સામનો કરવો પડશે. માટે જ ઋષિ-મુનિઓએ આશ્રમ વ્યવસ્થા દ્વારા બ્રહ્મચર્યને આરક્ષિત કરી દીધું હતું.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)