Home Blog Page 2552

હિન્દુ ધર્મથી નફરત કરે છે I.N.D.I.A. ગઠબંધનઃ ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મની વિરુદ્ધ વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ પક્ષોના ગઠબંધન INDIA પર નિશાન સાધ્યું છે. શાહે વિપક્ષના ગઠબંધન પર મતબેન્ક તથા તુષ્ટિકરણ કરવાના રાજકારણ માટે સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

ગૃહપ્રધાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેમણે હિન્દુ સંગઠનોને લશ્કરે તૈયબાથી વધુ ખતરનાક જણાવ્યા છે. હવે વિરોધ પક્ષોના નેતાઓ INDIAના નેતાઓ મત બેન્ક તથા તુષ્ટિકરણના રાજકારણ માટે સનાતન ધર્મ સંદર્ભે વાત કરી છે.

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનના પુત્ર ને તેમના મંત્રીમંડળમાં મંત્રી ઉદયનિધિએ વિવાદિત નિવેદન આપીને રાજકીય તોફાન ઊભું કર્યું હતું. દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ની યુવા શાખાના સચિવની ટિપ્પણીથી તેમણે અને તેમની પાર્ટીએ ભાજપના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.

તેમણે કહ્યું હતું કે તામિલનાડુના મુખ્ય પ્રધાનના પુત્ર સહિત DMKના નેતા કહી રહ્યા છે કે સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ. શાહે રાજસ્થાનમાં એક જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે આ લોકો મત બેન્કની અને તુષ્ટિકરણના રાજકારણ માટે સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી છે. અમારી સંસ્કૃતિ, અમારો ઇતિહાસ અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે બજેટ પર પહેલો અધિકાર અલ્પસંખ્યકોનો છે, જ્યારે અમે કહીએ છીએ કે બજેટ પર પહેલો અધિકાર ગરીબોનો, આદિવાસીઓનો અને દલિતોનો અને પછાતોનો છે. આ લોકો મત બેન્કની લાલચમાં અલ્પસંખ્યકોનો પહેલો અધિકાર સિદ્ધ કરી દીધો છે, એમ તેમણે કહ્યુ હતું.

 

 

 

 

 

 

 

કોરાનાના 60 નવા કેસો, એકનું પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,326 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,0323 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,64,858 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 65 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 491એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9583 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.47 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,68,099 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 75 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ગુરુ પ્રત્યેનો પ્રેમ અને તેનું મહત્વ શું છે?

પ્રશ્ન: શું કોઈએ ગુરુ પ્રત્યે પ્રેમની અનુભૂતિ કરવી જોઈએ? તે એવી ભાવના છે જેનો આપણામાંના ઘણા લોકો અનુભવે છે.

સદગુરુ: જેને તમે પ્રેમ કરો છો – ગુરુ, તમારા પતિ, તમારા બાળકો, ગમે તે – તે ફક્ત તમારી ભાવના છે. તે યોગ્ય કે ખોટું નથી પણ અત્યારે, જો તે તમારા જીવનમાં સૌથી વધુ તીવ્ર વસ્તુ હોય, તો તેને વધુ તીવ્ર બનાવો.

જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે એ તમારી અંદરની સૌથી સુખદ સ્થિતિ છે. પ્રેમ એ તમારા અસ્તિત્વમાં હોવાની એક અદ્દભૂત રીત છે. પરંતુ શું તે અંતિમ રીત છે? ના. પ્રેમનો અર્થ છે, મૂળભૂત રીતે, તમને હજી પણ કોઈક અથવા કોઈની સાથે એક થવાની ઝંખના છે. તમે માત્ર ઝંખના કરો છો. તે તમને ત્યાં ક્યારેય પહોંચાડશે નહીં. પ્રેમ એ લક્ષ્ય નથી. પ્રેમ એ એક વાહન છે જે તમને ચોક્કસ દિશા તરફ લઈ જાય છે.

પ્રેમ લગભગ તમને એવું અનુભવ કરાવે છે કે તમે એક છો. પરંતુ અમુક સમયે, તમે તમારા પ્રેમથી પૂરતા પ્રમાણમા હતાશ થાઓ છો. જો તમે ક્યારેય હિમાલયની મુસાફરી બસ દ્વારા કરી હોય, તે એવું લાગે છે કે તમે ક્યાય પહોચતા નથી. એવું લાગે છે કે આ માત્ર મુસાફરી જ છે. શરૂઆતમાં, તે આનંદકારક લાગશે. થોડા સમય પછી, તે નિરાશાજનક બનશે કારણ કે તમે ક્યાંક જવા માંગો છો.

હમણાં તમે બસમાં છો – તે ઠીક છે. પરંતુ જો બસ ક્યાંય જતી નથી, તો કોઈ અર્થ નથી. તેથી જ્યારે તમે “ગુરુ પ્રત્યેનો પ્રેમ” કહો છો, તો મુદ્દો એ છે કે, જો તમે પોતાને પ્રેમના વાતાવરણમાં ફેરવો છો, તો તે આનંદથી આ દુનિયામાંથી પસાર થવાની સંભાવના છે, પછી તમારી આસપાસ ગમે એ થઈ રહ્યું હોય.

જો તમારામાં કોઈ પ્રેમ નથી, તો તમારે તમારા અસ્તિત્વના આનંદની ખબર હોવી જ જોઇએ. તમારા શરીરના દરેક કોષને મધુર બનવું જોઈએ. તમે કોઈને પ્રેમ કરતા નથી, તમે કોઈને પસંદ કે નાપસંદ કરતા નથી – તમે તમારી અંદરથી એટલા સુખદ છો કે ફક્ત તમારી હાજરી જ સુખદ છે. જ્યાં સુધી તમે આવા ન બનો, ત્યાં સુધી પ્રેમમય રહેવું જ શ્રેષ્ઠ રીત છે.

જે ક્ષણે તમે કોઈને પ્રેમ કરો છો, તમે અપેક્ષા કરો છો કે કોઈ તમને જવાબ આપે. જ્યારે તે કોઈ જવાબ આપે છે, ત્યારે બે લોકો વચ્ચે આપ-લે/વ્યવહાર થાય છે. થોડા સમય પછી, આ વ્યવહાર અપેક્ષાની ભાવના તરફ દોરી જાય છે. ચોક્કસ પ્રકારનું વર્તન અપેક્ષિત છે. નહીં તો તેનાથી એકને અથવા બીજાને અપાર પીડા થાય છે.

એક ગુરુ ફક્ત એટલી હદે જ રમત રમી રહ્યો છે કે તમે તેના પ્રેમમાં પડો, પરંતુ તે જ સાથે એ તમારી સાથે ક્યારેય ફસાઈ શકશે નહીં. પણ ધીરે ધીરે, જો તમે તમારી સાધના ચાલુ રાખો છો, તો તમે જોશો કે તમારી ઉર્જાઓ તેની સાથે કંપે છે. ભાવનાત્મક સ્થિતિમાંથી, આપણે ધીમે ધીમે તેને ઉર્જા સ્થિતિમાં સ્થળાંતરીત કરી શકીએ છીએ. તે એક અદ્દભૂત રીત છે કારણ કે તે સ્થિતિમાં, ગુરુને જે કરવાનું છે તે કરવાની વધુ સ્વતંત્રતા છે.

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

ગણેશ ચતુર્થી પૂર્વે મુંબઈવાસીઓ પર 20% પાણીકાપનું વિઘ્ન

મુંબઈઃ આ વખતે ચોમાસાની ઋતુમાં ઓગસ્ટ મહિનો આખો કોરો ગયો અને સપ્ટેમ્બરમાં જો પૂરતો વરસાદ નહીં પડે તો શહેરમાં ફરીથી પાણીકાપ લાગુ થવાની શક્યતા છે. મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયો – મોડક સાગર, મધ્ય વૈતરણા, અપર વૈતરણા, ભાતસા, તાનસા, વિહાર અને તુલસીમાં જમા થયેલા પાણીના સંગ્રહ વિશે આવતી 15 સપ્ટેમ્બર સુધીમાં સરવૈયું કરવામાં આવશે. જો 90 ટકાથી ઓછો સંગ્રહ થયો હશે તો મહાનગરપાલિકા મુંબઈના નાગરિકો પર 10થી 20 ટકા પાણીકાપ લાદે એવી સંભાવના છે.

દર વર્ષે ઓક્ટોબર મહિનામાં સાતેય જળાશયોમાં પાણી પુરવઠાનું સરવૈયું કરવામાં આવે છે. આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે અને જળાશયોમાં દોઢ મહિના જેટલું ઓછું પાણી આવ્યું છે. 90.69 ટકા પાણી જમા થયું છે. આટલું પાણી વર્ષ 2024 સુધી મુંબઈવાસીઓની તરસ છીપાવી શકશે. આ વર્ષે જૂન મહિનામાં વરસાદ ઓછો પડતાં મહાનગરપાલિકાએ 1 જુલાઈથી 10 ટકા પાણીકાપ લાગુ કર્યો હતો. ત્યારબાદ જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદને કારણે જળાશયોમાં ખૂબ પાણી એકત્ર થતાં મહાપાલિકાએ 8 ઓગસ્ટથી પાણીકાપ દૂર કર્યો હતો, પરંતુ હવે ઓગસ્ટ મહિનો સાવ કોરો જતાં પાણીની ચિંતા ફરી ઊભી થઈ છે.

ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે 68 વર્ષની ઉંમરે ત્રીજી વાર પરણ્યા

લંડનઃ સિનિયર એડવોકેટ અને ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલવેએ 68 વર્ષની ઉંમરે લંડનમાં ત્રીજી વાર લગ્ન કર્યા છે. જબરદસ્ત કાનૂની કુશળતા માટે પ્રખ્યાત સાલ્વેએ ગઈ કાલે ટ્રીના નામક બ્રિટિશ મહિલા સાથે લગ્ન કર્યા છે. સાલ્વે અનેક હાઈ-પ્રોફાઈલ કેસો લડવા માટે જાણીતા છે. (કુલભૂષણ જાધવ મૃત્યુદંડ કેસ, રતન ટાટા અને સાઈપ્રસ મિસ્ત્રી વિવાદ કેસ, સલમાન ખાનને સંડોવતો હિટ એન્ડ રન કેસ, વોડાફોન ટેક્સ વિવાદ વગેરે) વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત સરકારનું એમણે કરેલું પ્રતિનિધિત્વ ખાસ ઉલ્લેખનીય છે.

મહારાષ્ટ્રના ધૂળેમાં જન્મેલા સાલ્વેના આ ત્રીજા લગ્નની ઉજવણી રૂપે એક ચર્ચમાં યોજવામાં આવેલા સમારંભમાં આઈપીએલના ભૂતપૂર્વ વડા લલિત મોદી, નીતા અંબાણી અને સ્ટીલ ઉદ્યોગના મહારથી લક્ષ્મી મિત્તલે હાજરી આપી હોવાનો અહેવાલ છે. લલિત મોદી ઘણા વર્ષો પહેલાં ભારતમાંથી લંડન ભાગી ગયા છે. સાલ્વેની પહેલી પત્નીનું છે મીનાક્ષી (38), જેનાથી તેમણે 2020માં છૂટાછેડા લીધા હતા. મીનાક્ષીથી એમને બે પુત્રી થઈ છે – સાક્ષી અને સાનિયા. મીનાક્ષીથી છૂટાછેડા લીધા બાદ સાલ્વે 56 વર્ષીય બ્રિટિશ મહિલા કેરોલીન બ્રોસાર્ડને પરણ્યા હતા. કેરોલીન સાથે લગ્ન કર્યા તેના બે વર્ષ પહેલાં સાલ્વેએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. સાલ્વેના પિતા એન.કે.પી. સાલ્વે કોંગ્રેસ પાર્ટીના નેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. એમના માતા અંબ્રિતી ડોક્ટર હતા.

સુવિચાર – ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૩

૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૩

૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 04/09/2023 થી 10/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન માનસિકથાકના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


ઘરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય. મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

રાશિ ભવિષ્ય 04/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

ચંદ્ર પર કામ પૂરું કરીને સ્લીપ મોડમાં ચંદ્રયાન, સૂર્યયાન ધૂમ મચાવવા તૈયાર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ હવે શાંતિથી સૂઈ ગયું છે. મતલબ કે રોવર પ્રજ્ઞાનને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યું છે. પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યું ત્યારે ત્યાં દિવસ હતો, હવે ત્યાં રાત શરૂ થવાની છે. બીજી તરફ, હવે સૂર્યનો વારો ફૂંકી મારવાનો છે. દેશના પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય L1’ એ રવિવારે પૃથ્વીની ભ્રમણકક્ષા સંબંધિત પ્રથમ પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડી છે. હવે 5મી સપ્ટેમ્બરે મોડી રાત્રે ફરી એકવાર સૂર્યયાનની ભ્રમણકક્ષા બદલાશે. સૂર્યયાન વિશે, ISROએ રવિવારે કહ્યું કે આદિત્ય L1 એ સફળતાપૂર્વક ભ્રમણકક્ષા બદલી છે અને ઉપગ્રહ બરાબર અને સામાન્ય રીતે કામ કરી રહ્યો છે. ઈસરોએ કહ્યું કે સૂર્યયાનની ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા બેંગલુરુ સ્થિત ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કથી હાથ ધરવામાં આવી હતી. હાલમાં સૂર્યયાનની નવી ભ્રમણકક્ષા 245 કિમી x 22459 કિમી છે. આદિત્ય L1ને શનિવારે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો હતો.

આદિત્ય L1 પૃથ્વીની આસપાસ કુલ 16 દિવસ સુધી ફરશે. આ સમયગાળા દરમિયાન તેની ભ્રમણકક્ષા કુલ પાંચ વખત બદલાશે. રવિવારે તેની ભ્રમણકક્ષા પ્રથમ વખત બદલાઈ છે. 5 સપ્ટેમ્બરે તેની ભ્રમણકક્ષા બીજી વખત બદલવામાં આવશે. ઈસરોએ આપેલી માહિતી અનુસાર, સૂર્યયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરે રહીને સૂર્યનો અભ્યાસ કરશે.

સૂર્યયાન મિશનનો ઉદ્દેશ્ય શું છે?

ઈસરોના આ સૂર્યયાન મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરવાનો છે. સૂર્યના તાપમાનમાં થતા ફેરફારો અને તેના બાહ્ય પડમાં ઉદભવતા તોફાનોનો અભ્યાસ કરશે. આ માટે સૂર્યયાનને લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1)માં સ્થાપિત કરવામાં આવશે. સોલાર પેનલ સક્રિય થયા બાદ સેટેલાઇટ માટે વીજળી ઉત્પન્ન થવા લાગી છે.

રોવરની બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ ગઈ છે

હવે ચંદ્રયાન વિશે વાત કરીએ તો, રોવર પ્રજ્ઞાન ચોક્કસપણે સ્લીપ મોડમાં છે, પરંતુ તેની બેટરી સંપૂર્ણ ચાર્જ છે. હવે ચંદ્ર 22 સપ્ટેમ્બર, 2023 ના રોજ ફરી ઉગશે. ચંદ્રયાનનું રીસીવર ચાલુ રાખવામાં આવ્યું છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે ચંદ્ર પર ફરીથી દિવસ આવશે, ત્યારે મિશન ફરીથી શરૂ થવાની અપેક્ષા છે. હાલમાં, વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર ફરીથી દેખાવા માટે દિવસની રાહ જોવી પડશે. ઈસરોએ કહ્યું છે કે ચંદ્રયાન ભારતના ચંદ્ર એમ્બેસેડર તરીકે ચંદ્ર પર કાયમ રહેશે.

ચંદ્ર પર ચાલતા રોવરે તેનું કામ પૂર્ણ કર્યું

14 જુલાઈ, 2023ના રોજ લોન્ચ કરાયેલ ચંદ્રયાન-3 અંગે ઈસરોએ કહ્યું છે કે જે કામ માટે રોવર પ્રજ્ઞાન મોકલવામાં આવ્યું હતું તે પૂર્ણ થઈ ગયું છે. હવે ઈસરોના વૈજ્ઞાનિકો રોવર દ્વારા આપવામાં આવેલી માહિતીનો અભ્યાસ કરશે. ઈસરોએ મોકલેલા ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવામાં કુલ 40 દિવસનો સમય લાગ્યો હતો. 23 ઓગસ્ટે સાંજે 6.30 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ થયું હતું. લગભગ ચાર કલાક પછી, રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર પગ મૂક્યો.

10 દિવસમાં 100 મીટરની મુસાફરી

રોવર પ્રજ્ઞાને ચંદ્ર પરના શિવશક્તિ બિંદુથી છેલ્લા 10 દિવસમાં કુલ 100 મીટરનું અંતર કાપ્યું છે જ્યાં લેન્ડર વિક્રમ લેન્ડ થયું હતું. આ તે છે જ્યાં તેને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન ચંદ્રનું તાપમાન માઈનસ 200 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનમાં ફીટ કરાયેલા ઉપકરણો જામી શકે છે. જો આવું ન થાય અને સૂર્યપ્રકાશ પછી બંને ફરી જાગી જાય, તો રોવર પ્રજ્ઞાન ફરી એકવાર આગળ વધવાનું શરૂ કરશે.