નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 63 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,035 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,029 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,524 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 50 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 554 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 26,510 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.51 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,69,777 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 146 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બીજા દિવસે પણ વૃદ્ધિનું વાતાવરણ રહ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં વધારાનું ચક્ર હવે પૂરું થયું હોવાનો સંકેત આપ્યો એને પગલે બજારમાં માનસ સુધર્યું છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.03 ટકા (351 પોઇન્ટ) વધીને 34,428 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,077 ખૂલીને 34,672ની ઉપલી અને 34,014 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન સુધર્યા હતા, જેમાંથી ટ્રોન, એક્સઆરપી, સોલાના અને શિબા ઇનુ 1થી 4 ટકાની રેન્જમાં વધ્યા હતા.
દરમિયાન, ભારતીય રિઝર્વ બેન્કના એક અધિકારીએ જણાવ્યું છે કે રિટેલ સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી)ની ચકાસણીમાં ડિજિટલ રૂપીના વ્યવહારોનું પ્રમાણ આશરે 15,000 થઈ ગયું છે. હવે એનું પ્રમાણ વધારીને 10 લાખ કરવાનું છે.
એક અહેવાલ મુજબ હોંગકોંગ ક્રીપ્ટોકરન્સી માટેની સજ્જતા ધરાવતાં રાષ્ટ્રોની યાદીમાં મોખરે રહ્યું છે. દેશમાં ક્રીપ્ટોને અનુકૂળ વાતાવરણ રચવામાં આવ્યું હોવાથી એનું સ્થાન ટકી રહ્યું છે.
બીજી બાજુ, જર્મનીની ડોઈશ બેન્કે ક્રીપ્ટો કસ્ટડી અને ટોકનાઇઝેશન સેવાઓ પૂરી પાડવા માટે સ્વિટઝરલેન્ડની ક્રીપ્ટોકરન્સી કંપની ટોરસ સાથે સહકાર સાધ્યો છે.
મુંબઈઃ જર્મનીની લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝની બેંગલુરુસ્થિત ભારતીય પેટાકંપની મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તે અન્ય બ્રાન્ડ્સની મોટરકારોના ગ્રાહકોને પણ પોતાના ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ નેટવર્કનો લાભ આપશે. આમ કરવા પાછળ કંપનીનો હેતુ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશમાં તેજી લાવવાનો હોય એવું લાગે છે.
(ફાઈલ તસવીર)
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ સંતોષ ઐયરે કહ્યું છે કે એમની કંપની પાસે લક્ઝરી કારો માટે સૌથી મોટું ચાર્જિંગ નેટવર્ક છે. તેની પાસે જુદા જુદા સ્થળોએ 140 ચાર્જર્સ છે. એમાંના 40 ચાર્જર્સ 180 કિલોવોટ્સ અને 60 કિલોવોટ્સના છે. મતલબ કે ફાસ્ટ ચાર્જર્સ છે.
Mercedes-Benz India To મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ આ સાથે ભારતમાં તેની આધુનિક ઢબની EQE 500 4MATIC ઈલેક્ટ્રિક SUV કાર પણ લોન્ચ કરી છે. તેની કિંમત રૂ. 1 કરોડ 39 લાખ (એક્સ-શોરૂમ) છે.
મુંબઈઃ ઓનલાઇન સટ્ટેબાજી પ્લેટફોર્મ મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરનાં લગ્ન UAEમાં થયાં હતાં. ત્યાં એ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિડિયો ભારતીય એજન્સીઓને હાથ લાગ્યો છે. એ સમારોહમાં અનેક બોલીવૂડ ગાયકો અને અભિનેતાઓને પર્ફોર્મ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને હવાલા દ્વારા રૂ. 200 કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હાલમાં મુંબઈ, ભોપાલ, કોલકાતાના એ હવાલા ઓપરેટરોને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં રૂ. 417 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઓનલાઇન બુક બેટિંગ એપ ગેરકાયદે સટ્ટેબાજ વેબસાઇટોને સક્ષમ કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મની વ્યવસ્થા કરવાવાળી મુખ્ય સિન્ડિકેટ છે. એના દ્વારા બેનામી બેન્ક એકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. સટ્ટાથી થતી આવતને વિદેશી ખાતાંઓમાં મોકલવા માટે મોટા પાયે હવાલા ઓપરેશન કરવામાં આવે છે.
ED has conducted searches against the money laundering networks linked with Mahadev APP in cities like Kolkata, Bhopal, Mumbai etc and retrieved large amount of incriminating evidences and has frozen/seized proceeds of crime worth Rs 417 Crore. pic.twitter.com/GXHWCmKOuY
જેમણે એ UAEની ઇવેન્ટ માટે રકમ મુંબઈની ઇવેન્ટ કંપનીઓને મોકલી હતી. EDને તપાસમાં માલૂમ પડ્યું હતું કે મહાદેવ બુક એપ અને સટ્ટાબાજીનો આ મામલો છત્તીસગઢના કેટલાક રાજકારણીઓ, તેમના સહયોગીઓ અને પોલીસ અધિકારીઓ સાથે જોડાયેલો છે. આ સટ્ટાબાજી એપનું ટર્નઓવર આશરે રૂ. 20,000 કરોડ છે.
UAEમાં આયોજિત એ લગ્ન સમારંભમાં પર્ફોર્મ કરનારી યાદીમાં વિશાલ દદલાણી, ટાઇગર શ્રોફ, ભારતી, સિંહ સની લિયોની, ભાગ્યશ્રી, કૃષ્ણા અભિષેક, નેહા કક્કડ, એલી એવરામ, પુલકિત, કીર્તિ ખરબંદા, અલી અસગર, નુસરત ભરૂચા અને રાહત ફેતહ અલી ખાન અને આતિફ અસલમનો સમાવેશ થાય છે.
અંદાજે ૨૦૦ વર્ષથી દર વર્ષે અહીં ભાદરવી અમાસે ભરાય છે લોકમેળોઃ પર્વતના ૫૮૫ પગથિયાંઃ યુવા સાહસિકો માટે દરવર્ષે યોજાય છે ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા
રાજકોટ જિલ્લામાં આવેલા પર્વતો પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના છેવાડે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઓસમ ડુંગર આવેલો છે. રાજય સરકારે આ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. જેથી આ સ્થળનો લાખોના ખર્ચે આકર્ષક અને રળિયામણો વિકાસ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થયો છે.
અંદાજે ૨૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અહીં ભાદરવી અમાસના રોજ લોકમેળો ભરાય છે. ચાલુ વર્ષે પણ તા.૧૫થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન અહીં લોક મેળો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડવાની સંભાવના છે.
રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન એવા ઓસમ પહાડ ઉપર હરિયાળી આચ્છાદિત હોવાથી અહીં કુદરતી સૌંદર્યને માણવા લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે.
યુવા સાહસિકો માટે દર અહીં વર્ષે ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવન્ચર સ્પોર્ટસ તરીકે પણ આ સ્થળનો વિકાસ થઇ રહયો છે.
૬૩૫ એકર વિસ્તારનો ફેલાવો અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા પર્વતની ટોચે માત્રી માતાનું મંદિર આવેલું છે. લોક મેળાના આ પ્રસંગે દેશ-વિદેશમાંથી ભાવિકો ઉમટી પડે છે. આ પર્વત પર ૫૮૫ જેટલાં પગથિયાં છે.
ઓસમ ડુંગરની શિલાઓ સપાટ અને લીલી હોવાથી ભૂતકાળમાં એક સમયે તે માખણિય પર્વત તરીકે ઓળખાતો હતો. આ પર્વતનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલા જોવા મળે છે. જેમાં શ્રી માત્રી માતાનો ઉલ્લેખ શ્રી છત્રેશ્વરી માતા તરીકે થયો છે.
આ ઓસમ ડુંગરનો હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જોવા લાખો પર્યટકો આવી આનંદિત થતાં હોય છે. ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હીડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ સહિત જૈન ધર્મના આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે.
ગાંધીનગરઃ ભાજપે OBC વોટબેંકને મેળવવા માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક વિધાનસભામાં રજૂ કર્યું છે. આ વિધેયક કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ ગૃહમાં રજૂ કર્યુ છે. આ બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે. આ વિધેયકમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ-5ની પેટા કલમ-છમાં સુધારવાની જોગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં 10 ટકાને બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ છે. આ ઉપરાંત તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય એ અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે.
સરકારે ઝવેરી પંચની ભલામણો પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, અને પંચાયતોમાં OBC બેઠકો અને પદાધિકારીઓ માટે 10 ટકાને બદલે 27 ટકા OBC અનામતની જાહેરાત કરી છે. ત્યારે બંધારણમાં કાયદામાં સુધારો કરવાનો થતો હોવાથી હાલ ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલને ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBC સમાજને 27% અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણય બદલ ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, રાજ્ય સરકારના સાથી મંત્રીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દેવદુર્લભ… pic.twitter.com/fDRsYnHfIV
વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું એ પહેલાં ગાંધીનગરમાં જ OBC જ્ઞાતિઓનું સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમા પાટીલે કોંગ્રેસ પર OBCના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ દ્વારા આયોજિત OBC સંમેલનમાં OBC સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે આવનારી પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં OBC મતદારોને રીઝવવા માટેનો ભાજપનું આયોજન છે.