Home Blog Page 2497

મુસ્લિમ શાસક પણ જ્યાં ઝુકી ગયા એવો ચમત્કાર છે આ ગણેશ મંદિરનો

 ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભઃ નિર્વિધ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા’ સમગ્ર દેશમાં ચારેકોર ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આજે એવા ગણેશ મંદિરની વાત કરીએ જેમના ચમત્કારે ઔરંગઝેબને પણ નતમસ્તક કર્યા હતા.

ગુજરાતના નવસારીના સિસોદ્રા ગામમાં ગણેશવડના ગણપતિબાપાના ચમત્કારો ગુજરાત સહિત દેશેમાં પણ જાણીતા છે. ભાવિકો દૂર-દૂરથી દાદાના દર્શન કરવા આવે છે. ખાસ કરીને ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તોની ભીડ જામે છે.

કેહવાય છે કે આ મંદિર 550 વર્ષ જૂનું છે. જેનો એક અનોખો ઈતિહાસ છે. લોકવાયકા છે કે મુસ્લિમ રાજા ઔરંગઝેબ હિન્દુસ્તાનમાં આવેલા મંદિરોને નુકઆશન પહોંચાડી રહ્યાં હતા ત્યારે સિસોદ્રા ગામના મંદિરને પણ નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઔરેગઝેબે પોતાના સૈનિકોને આ મંદિરને નુકશાન પહોંચાડવાનો આદેશ કર્યો ત્યારે કહેવાય છે કે મંદિરમાં ભમરાઓનું ટોળુ આવ્યું અને સૈનિકોને બે વાર મંદિરમાંથી ભગાડ્યા. એ દિવસે ઔરંગઝેબે આ મંદિરને નુકશાન પડોંચાડવાનો ઈરાદો બદલવો પડ્યો અને ભગવાન ગણેશ આગળ શરણાગતિ સ્વીકારી મંદિરને જમીનદાનમાં આપી હતી. આજે પણ એ દસ્તાવેજી પુરાવાઓ મંદિરમાં હયાત છે.

એ સમયથી લઈ ગણેશ દાદાની સેવા અર્ચના ગોસ્વામી પરિવાર કરી રહ્યા છે. હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ઉપરાંત અંગારિકા ચોથ અને મંગળવારે પણ ભક્તોની ભારે ભીડ રહે છે.  ગણેશવડ મંદિરમાં આવીને ભક્તોને અનેક ચમત્કારી અનુભવો થયા છે.

ગુલકંદ – ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩

ગુલકંદ – ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩

આ ગણેશજી કહે છે, સાયબર ક્રાઇમથી બચવાની કથા

દેશમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે… ચોતરફ ભક્તો કે સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી ગણેશજીના જયકાર સંભળાઈ રહ્યા છે ત્યારે સુરતમાં ગણેશજી ખુદ ભક્તોને સંદેશ સંભળાવી રહ્યા છે. આ શ્રીજી શહેરીજનોને સાયબર ક્રાઇમથી બચવાની કથા વાણી રૂપે કહી રહ્યા છે.

પ્રસાદમાં અપાય છે સાયબર જાગૃતિનું કાર્ડ

સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પ્રથમ વખત ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાનાં હેતુસર થયેલા આયોજન અંગે સાયબર ક્રાઇમ એસીપી યુવરાજસિંહ ગોહિલ ચિત્રલેખા.કોમને કહે છે : ‘ગુજરાતમાં પ્રથમ વખત બોલતા સાયબર ગણેશ બિરાજમાન કર્યા છે.

વધુમાં એસપી ગોહિલ કહે છે, પ્રસાદમાં સાયબર જાગૃતિનું કાર્ડ આપવામાં આવે છે. એટલુ જ નહીં ગણેશજી  કહે છે હું તમને સાઇબર ફ્રોડથી બચાવી શકુ છું, ઉપરાંત દુંદાળા દેવ લોકોને  સાયબર ફ્રોડ સંબધિત તમામ ઇન્ફોર્મેશન આપે છે સાથે જ એમાંથી બચવાના ઉપાય પણ બતાવી રહ્યા છે. આ આયોજન માટે છેલ્લા એક મહિનાથી તૈયારી કરવામાં આવી હતી. આ આખા આયોજન પાછળ સાયબર પોલીસના ૯૦ જેટલા પોલીસ કર્મીઓએ મહેનત કરી છે.’

ગણેશજી ખાખી વર્દીમાં લોકોને જ્ઞાન બોધ આપે છે

અહીં પાંચ ફૂટની ગણેશજીની મૂર્તિને પોલીસના રૂપમાં બિરાજમાન કરાઈ છે. આખા પંડાલમાં સાયબર જાગૃતિના બેનર અને સૂત્રો લાગેલા છે. મૂર્તિને બોલતા ગણેશજી નામ એટલે અપાયુ કેમ કે ખુદ ગણેશજી સાયબર જાગૃતિ માટે ખાખી વર્દીમાં લોકોને જ્ઞાન બોધ આપી રહ્યા છે. સાથે ૪૨ ઇંચનું એલઇડી મૂકીને એમાંથી ગણેશનો અવાજ લોકો સુધી પહોંચાડાય છે.

મારો પ્રસાદ લેવાનું ભૂલશો નહીં

જેમાં ગણેશજી ભક્તોને કહી રહ્યા છે કે ” પ્રિય ભક્તો તમે મને પંડાળમાં જુદા જુદા સ્વરૂપે જુઓ છો પણ તમે ક્યારેય મારો અવાજ સાંભળ્યો છે? સુરત શહેર પોલીસ સાયબર સેલના ગણેશ ઉત્સવમાં હું તમારી સાથે વાત પણ કરીશ અને તમે સાયબર ક્રાઇમનો ભોગ ન બનો એ માટે મહત્વની વાત તમારી સાથે શેર પણ કરીશ. આ વર્ષના ગણેશ ઉત્સવમાં હું સુરતને સાયબર સેઈફ સુરત બનાવવાના આર્શીવાદ આપવા આવ્યો છું. તો હું તમારી રાહ જોઉં છું આવો મારા દર્શને. અને હા મારો પ્રસાદ લેવાનું ભૂલશો નહીં.”

પ્રસાદી સ્વરૂપે ક્યુઆર કોર્ડ સાથેના કાર્ડ

ગણેશ ઉત્સવનું આયોજન હોય એટલે પ્રસાદી તો હોય જ. પણ આ અનોખું આયોજન છે એટલે પ્રસાદી પણ અનોખી જ હોવાની ને. અહીં ભક્તોને પ્રસાદી સ્વરૂપે ક્યુઆર કોર્ડ સાથેના કાર્ડ આપવામાં આવે છે. મોબાઇલમાં આ ક્યુઆર કોર્ડ સ્કેન કરવાથી ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે બચી શકાય તેની વિડીયો સાથેની માહિતી મળે છે. એટલું જ નહીં સમગ્ર પંડાલમાં પણ ક્યુઆર કોર્ડ ચિત્રિત અવેરનેસવોલ પણ તૈયાર કરવામાં આવી છે.

પોલીસ કરતાં લોકો બાપાને બહુ માને છે

ગણેશ ચતુર્થીના પાવન અવસરે બોલતા સાયબર ગણેશની સ્થાપના કર્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે કહ્યુ હતું કે, પોલીસ કરતાં લોકો બાપાને બહુ માને છે.  ત્યારે સાયબર ફ્રોડ વિશે જો ગણેશજી ખુદ કહેશે તો લોકો ચોક્કસ માનશે અને ફ્રોડ થતા બચશે. આ રીતે આ બાબતે મોટી જાગૃતી આવશે.

અરવિંદ ગોંડલિયા (સુરત)

૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩

૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 23/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 23/09/2023

‘આ’ તારીખ પછી શરૂ થશે ચોમાસાની વિદાય સફર

મુંબઈઃ ભારતમાં આ વખતે ચોમાસાનો વરસાદ કેટલેક ઠેકાણે અપૂરતો પડ્યો છે. મુંબઈમાં પૂરતો થઈ ગયો છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં 97 ટકા જેટલું એટલે કે એક આખું વર્ષ ચાલે એટલું પાણી જમા થઈ ગયું છે. હવે આ વખતના ચોમાસાની વિદાય વિશે ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી છે.

ચોમાસાની વાપસી યાત્રાનો આરંભ પશ્ચિમ રાજસ્થાનમાંથી શરૂ થશે. ત્યાં ચોમાસું 25 સપ્ટેમ્બરથી સમાપ્તિની યાત્રા શરૂ કરે એવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રમાં ચોમાસું થોડુંક મોડું વિદાય લેશે એટલે કે, 5-8 ઓક્ટોબરથી એની વિદાય સફર શરૂ થશે.

મહારાષ્ટ્રમાં હજી બે દિવસ સુધી મુસળધાર વરસાદ પડવાની આગાહી છે. ઓક્ટોબર સુધી વરસાદનું પ્રમાણ યથાવત્ રહેવાની ધારણા છે. આજે પણ મુંબઈ, પુણે અને કોકણ સમુદ્રકાંઠા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. મુંબઈમાં જૂન મહિનો કોરો ગયા બાદ જુલાઈમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ મહિનો કોરો ગયો હતો, પણ સપ્ટેમ્બરમાં વરસાદે ફરી ઘણું કવર કરી લીધું હતું.

આઇસી15 ઇન્ડેક્સ 177 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે નાણાં નીતિ સંબંધે સાવચેતીભર્યું વલણ રખાશે એવી જાહેરાત કરી હોવાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ યથાવત્ રહ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.51 ટકા (177 પોઇન્ટ) ઘટીને 34,251 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,428 ખૂલીને 34,473ની ઉપલી અને 33,919 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટેલા કોઇન પોલીગોન, કાર્ડાનો, પોલકાડોટ અને ઈથેરિયમ હતા. ટોચના વધેલા કોઇનમાં લાઇટકોઇન, અવાલાંશ, ચેઇનલિંક અને એક્સઆરપી સામેલ હતા.

દરમિયાન, અગત્યની એક ઘટનામાં ભારતના ગૃહ મંત્રાલયે ક્રીપ્ટોકરન્સી સંબંધિત ગુનાઓને પકડી પાડવા માટે ક્રીપ્ટોકરન્સી ઇન્ટેલિજન્સ એન્ડ એનાલીસિસ ટૂલ (સીઆઇએટી) નામના ડાર્ક નેટ મોનિટરિંગ ટૂલની રચના કરી છે. ક્રીપ્ટોને લગતી કોઈ પણ ગેરરીતિને નિવારવા માટે એની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. બીજી બાજુ, ભારતીય ક્રીપ્ટો એક્સચેન્જ – વઝીરેક્સનું માનવું છે કે ક્રીપ્ટોકરન્સી માટેના ઉંચા કરવેરાની સ્થિતિ વધુ બે વર્ષ ચાલશે અને પછી ભારત ક્રીપ્ટોકરન્સી માટે અનુકૂળ નીતિ ઘડશે.

ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે આપ્યો 277 રનનો લક્ષ્યાંક

મોહાલીઃ ભારત ને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પહેલી મેચ પંજાબના મોહાલમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા ઓસ્ટ્રેલિયાને બેટિંગ આપી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 277 રનનું લક્ષ્ય આપ્યું હતું. મોહમ્મદ શમીએ પાંચ વિકેટ લીધી હતી.ટીમ ઇન્ડિયાએ નવ ઓવરમાં વિના વિકેટે 57 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર ડેવિડ વોર્નરે 52 રનની ઇનિંગ રમી હતી. તો જોસ ઈંગ્લિસે 45 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથે 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીને પાંચ વિકેટ, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને 1-1 વિકેટ મળી હતી.આ મેચમાં ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની માત્ર 35.4 ઓવર જ રમાઈ હતી જ્યારે વરસાદ આવ્યો અને રમત રોકવી પડી.  જોકે થોડી જ વારમાં વરસાદ બંધ થઈ ગયો અને મેચ ફરી શરૂ થઈ.

ઓપનર ડેવિડ વોર્નરે તેની વન-ડે કારકિર્દીની 29મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નર 98.11ના સ્ટ્રાઈક રેટથી 53 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.મિચેલ માર્શની વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 106 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી રવીન્દ્ર જાડેજાએ વોર્નરને આઉટ કરીને તોડી હતી.

 ભારત: કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, જોશ ઈંગ્લીસ(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ શોર્ટ, સીન એબોટ અને એડમ ઝામ્પા.

 

 

 

 

આશુતોષ ‘લગાન’ ગોવારીકર બનાવશે આદિ શંકરાચાર્યના જીવન પરથી ફિલ્મ ‘શંકર’

મુંબઈઃ નિર્માતા-દિગ્દર્શક આશુતોષ ગોવારીકર ‘શંકર’ શિર્ષકવાળી નવી ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મ 8મી સદીમાં થઈ ગયેલા વેદોના વિદ્વાન, ફિલસૂફ, આચાર્ય અને સંત આદિ શંકરાચાર્યના જીવન અને જ્ઞાન પર આધારિત હશે.

મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર ખાતે નર્મદા નદીના કાંઠે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી એક પ્રતિમાનું અનાવરણ કર્યાના પ્રસંગે ફિલ્મ નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ગોવારીકરે કહ્યું છે કે, ‘આદિ શંકરાચાર્ય ભારતના ઈતિહાસમાં ઉલ્લેખનીય વ્યક્તિ હતાં અને એમના જ્ઞાન-ઉપદેશો દુનિયાભરમાં લોકોને પ્રેરણા આપતા રહેશે.’