Home Blog Page 242

પુતિનના વિરોધી નવલનીને આપવામાં આવ્યું હતું ‘ઝેરી દેડકાનું ઝેર’

રશિયન વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી, એલેક્સી નવલનીના મૃત્યુથી ફરી એકવાર આંતરરાષ્ટ્રીય વિવાદ થયો છે. અહેવાલો અનુસાર, યુકે, ફ્રાન્સ અને જર્મની સહિત પાંચ યુરોપીય દેશોએ રશિયા પર વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર ટીકાકાર, એલેક્સી નવલનીને ઝેર આપવાનો આરોપ લગાવ્યો છે.

આ દેશોના વિદેશ મંત્રાલયોએ દક્ષિણ અમેરિકામાં ઝેરી દેડકામાં જોવા મળતું ઝેર એપિબેટીડાઇન હોવાની પુષ્ટિ કરી છે અને તે રશિયામાં કુદરતી રીતે થતું નથી. યુકેના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે રશિયન સરકારે હવે તેના વિરોધીઓના ડરથી નવલનીને નિશાન બનાવવા માટે આ ઘાતક ઝેરનો ઉપયોગ કર્યો છે. સંયુક્ત નિવેદનમાં, દેશોએ કહ્યું કે રશિયા પાસે આ ઝેર આપવા માટે સાધન, હેતુ અને તક હતી.

બ્રિટિશ વિદેશ સચિવ યવેટ કૂપરે જણાવ્યું હતું કે, રશિયા નવલનીને એક મોટો ખતરો માનતું હતું. આ પ્રકારના ઝેરનો ઉપયોગ કરીને, રશિયન સરકારે તેના નિકાલ પર રહેલા શસ્ત્રો અને રાજકીય વિરોધીઓ પ્રત્યેનો તેનો ભારે ડર દર્શાવ્યો છે.

નવલની 2024 માં મૃત હાલતમાં મળી આવ્યો હતો

એલેક્સી નવલની ફેબ્રુઆરી 2024 માં આર્કટિક પ્રદેશમાં એક નિર્વાસિત વસાહતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે 19 વર્ષની સજા ભોગવી રહ્યો હતો, જેને નવલનીએ રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી. નવલની લાંબા સમયથી રશિયામાં ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નીતિઓના કટ્ટર ટીકાકાર રહ્યા હતા. તેમની પત્ની, યુલિયા નવલનાયાએ પણ અગાઉ પ્રયોગશાળા પરીક્ષણોમાં પુષ્ટિ આપી હતી કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું અને પુતિનને દોષી ઠેરવ્યા હતા. રશિયન સરકારે હજુ સુધી યુરોપના આરોપોનો જવાબ આપ્યો નથી. આ નવો આરોપ રશિયા અને યુરોપિયન દેશો વચ્ચે રાજદ્વારી તણાવને વધુ વધારી શકે છે.

કોલકાતા એરપોર્ટ પર પ્લેનમાં બોમ્બની ધમકી, ચારે તરફ ભયનો માહોલ

ટેકઓફ પહેલા જ કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના પાઇલટને એક ચિઠ્ઠી મળી જેનાથી ગભરાટ ફેલાયો. વિમાનને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું. અહેવાલો અનુસાર, ચિઠ્ઠીમાં વિમાનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ખાલી કરાવ્યા બાદ તપાસ ચાલી રહી છે. એરપોર્ટ પર હાઇ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ઇન્ડિગો ફ્લાઇટ 6E3074 સવારે 9:15 વાગ્યે નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી શિલોંગ માટે રવાના થવાની હતી. બોમ્બની ધમકી બાદ, તેને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવી હતી. બોર્ડિંગ દરમિયાન, પાઇલટને ટોઇલેટમાં એક ચિઠ્ઠી મળી, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં બોમ્બ છે. મુસાફરોને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.

આ માહિતીથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ચેતવણી બાદ, વિમાનને અલગ જગ્યાએ વાળવામાં આવ્યું હતું અને બધા મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ વિમાનની શોધખોળ શરૂ કરી હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં કોણે નોટ મૂકી હતી તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા તપાસ પૂર્ણ કર્યા પછી ફ્લાઇટ સવારે 11:30 વાગ્યે તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થઈ હતી.

નોંધનીય છે કે ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીનો આ પહેલો બનાવ નથી. જાન્યુઆરીમાં, 222 મુસાફરોને લઈને દિલ્હી-બાગડોગરા ફ્લાઇટને ટેકઓફ કર્યા પછી બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે તેને લખનૌમાં કટોકટી ઉતરાણ કરવાની ફરજ પડી હતી, જ્યાં તેની તપાસ કરવામાં આવી હતી.

ગયા વર્ષે, કોલકાતા-મુંબઈ ઇન્ડિગો ફ્લાઇટ (6E-5227) ને પણ બોમ્બની ધમકી મળી હતી. તે સમયે, એક અજાણ્યા વ્યક્તિએ એરપોર્ટ પર ફોન કરીને દાવો કર્યો હતો કે તેમાં વિસ્ફોટકો છે. બધા 195 મુસાફરોને ખાલી કરાવવામાં આવ્યા હતા અને વિમાનની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

સુકેશ ચંદ્રશેખરે વેલેન્ટાઇન ડે પર જેક્વેલિન ફર્નાન્ડીઝને પ્રાઈવે જેટ ગિફ્ટમાં આપ્યું

વેલેન્ટાઇન ડે પર, કોનમેન સુકેશ ચંદ્રશેખરે મંડોલી જેલની અંદરથી અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડીઝને ‘પ્રેમ પત્ર’ લખ્યો. આ વખતે, સુકેશે પણ જેક્વેલિનને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે ભેટ મોકલી. તેણે તેણીને કસ્ટમાઇઝ્ડ ગલ્ફસ્ટ્રીમ જેટ (હેલિકોપ્ટર) ભેટમાં આપ્યું. સુકેશે પત્રની શરૂઆત જેક્વેલિનને પોતાનો “વેલેન્ટાઇન” કહીને કરી. તેણે લખ્યું કે આ વેલેન્ટાઇન ડે તેના માટે ખાસ છે. તે તે દિવસની રાહ જુએ છે જ્યારે તેઓ તેમના બાકીના જીવન સાથે ઉજવી શકે. પત્રમાં, તેણે જેક્વેલિન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો, લખ્યું કે તે તેણીને “વિશ્વની શ્રેષ્ઠ વેલેન્ટાઇન” માને છે.

પોતાના સંદેશમાં, સુકેશે દાવો કર્યો કે તેની પાસે જેક્વેલિન માટે ખાસ રચાયેલ ગલ્ફસ્ટ્રીમ જેટ છે. તેના પર અંદર અને બહાર બંને બાજુ તેના નામના આદ્યાક્ષરો, “JF” લખેલા છે. તેણે એમ પણ કહ્યું કે જેટનો નોંધણી નંબર જેક્વેલિનની જન્મ તારીખ અને મહિના સાથે જોડાયેલો છે, જે ભેટને વધુ ખાસ બનાવે છે.

જેક્વેલિનએ સુકેશના દાવાનો જવાબ આપ્યો નથી

સુકેશના મતે, જેકલીન વારંવાર કામ અને શૂટિંગ માટે મુસાફરી કરે છે, તેથી આ જેટ તેને ખૂબ જ સુવિધા આપશે. નોંધનીય છે કે સુકેશ ચંદ્રશેખર હાલમાં જેલમાં છે અને ભૂતકાળમાં તેણે જેકલીનને ઘણી વખત પત્રો લખ્યા છે. આ નવા દાવા અંગે જેકલીન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

સુકેશ 2015 થી જેલમાં 

નોંધનીય છે કે સુકેશ ચંદ્રશેખર 2015 થી જેલમાં છે. તેના પર કરોડો રૂપિયાની છેતરપિંડીના ગંભીર આરોપો છે. ED તપાસ દરમિયાન, તેનું નામ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથે જોડાયું હતું. સુકેશે દાવો કર્યો છે કે તે જેકલીનને ડેટ કરી રહ્યો હતો. આ દાવાઓ બાદ, બંનેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.

બાંગ્લાદેશના PM બનતાં પહેલાં તારિક રહેમાનની કટ્ટરપંથી જમાતને ચેતવણી

ઢાકાઃ બાંગ્લાદેશની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ BNP અધ્યક્ષ તારિક રહેમાને દેશની જનતાને એકતા જાળવવા અપીલ કરી છે. તારિક રહેમાને પાર્ટીની જીતને લોકશાહી માટે બલિદાન આપનાર લોકોને સમર્પિત કરી. જનતાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ જીત બાંગ્લાદેશની છે. આ જીત લોકશાહીની છે. આ જીત તેમની છે જેમણે લોકશાહીની આશા રાખી અને તેના માટે બલિદાન આપ્યું. આજે પછી અમે બધા આઝાદ છીએ અને હકોનો સાચો અર્થ ફરીથી સ્થાપિત થયો છે. તેમણે કટ્ટરપંથી જમાતને ચેતવણી આપી હતી.

અમારે એકજુટ રહેવું પડશે: તારિક રહેમાનતેમણે કહ્યું હતું કે તમારી સક્રિય ભાગીદારીથી દોઢ દાયકાથી વધુ સમય પછી દેશમાં સીધી મતદાન પ્રક્રિયા દ્વારા સંસદ અને સરકારની ફરી સ્થાપના થઈ રહી છે. અમારે એકજુટ રહેવું પડશે, જેથી કોઈ પણ ખરાબ શક્તિ દેશમાં ફરી તાનાશાહી સ્થાપિત ન કરી શકે અને દેશ કોઈના કબજામાં ન જાય. તમામ અવરોધો પાર કરીને તમે દેશમાં લોકશાહી સ્થાપિત કરી છે — તે બદલ જનતાને અભિનંદન.”

કોઈ સાથે અન્યાય નહીં થાય

તેમણે કહ્યું હતું કે સુરક્ષિત બાંગ્લાદેશ બનાવવા માટે અમને બધાના સહકારની જરૂર છે. દેશના પુનર્નિર્માણમાં દરેકે જવાબદારીપૂર્વક કામ કરવું પડશે. કોઈ પણ બહાને કોઈ સાથે અન્યાય કરી શકાય નહીં. કાયદો અને વ્યવસ્થા કોઈ પણ કિંમતે જાળવવી પડશે.

જલદી નવી સરકાર શપથ લેશે

બાંગ્લાદેશની વચગાળા સરકારના મુખ્ય સલાહકારના પ્રેસ સચિવે જણાવ્યું છે કે નવી સરકારનો શપથવિધિ કાર્યક્રમ ખૂબ જલદી યોજાશે. એટલે માનવામાં આવે છે કે દેશને નવી સરકાર માટે ત્રણ દિવસથી વધુ રાહ જોવી નહીં પડે.

તારિક રહેમાનનો રાજકીય સફર ઉતાર-ચઢાવભર્યો રહ્યોવર્ષ 2004માં શેખ હસીનાની રેલી પર થયેલા ગ્રેનેડ હુમલા કેસમાં તારિક રહેમાનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આ હુમલામાં 24 લોકોનાં મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. રહેમાને હંમેશાં આ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા પછી વચગાળા શાસનકાળ દરમિયાન તેમને તમામ કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 2018માં ખાલિદા જિયાને ભ્રષ્ટાચાર કેસમાં જેલ મોકલાયા બાદ તારિક રહેમાનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા.

શું ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નવી શરૂઆત થશે?

ફેબ્રુઆરી 2026માં બાંગ્લાદેશમાં યોજાનારી ચૂંટણીમાં BNPએ પ્રચંડ વિજય મેળવ્યો છે. તારિક રહેમાન દેશના આગામી વડા પ્રધાન તરીકે શપથ લેવાના છે. આ ઐતિહાસિક પ્રસંગે, BNPએ ભારત સાથેના સંબંધોમાં “નવી શરૂઆત”નો સંકેત આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાની તૈયારી કરી રહી છે.

BNP તમામ પ્રાદેશિક રાષ્ટ્રપ્રમુખોને પણ આમંત્રણ આપી શકે છે. PTI સાથે વાત કરતા, તારિક રહેમાનના વિદેશ બાબતોના સલાહકાર હુમાયુ કબીરે સ્પષ્ટતા કરી કે બંને દેશોએ તેમની જૂની ધારણાઓ બદલવાનો સમય આવી ગયો છે.

BNPએ ભારતને અપીલ કરી છે કે શેખ હસીના જેવા “આતંકવાદી” ને આશ્રય ન આપે, જેમણે બાંગ્લાદેશને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે. હુમાયુ કબીરના મતે, જો ભારત ‘પડોશી પહેલા’ ની નીતિ હેઠળ આદરપૂર્વક વર્તે છે, તો બંને દેશો વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે.

 

……તો એમેઝોન પરથી ખરીદી કરીને લોકો સુખી થઈ જતા હોત

એક દિવસ હું મોરારિબાપુની કથા યુટ્યુબ પર જોવા બેઠો હતો. એ કથાવાંચન વખતે પૂજ્ય બાપુની નજર એક વૃદ્ધ ગ્રામીણ વ્યક્તિ પર પડી. એ ભાઈ આગળની હરોળમાં બેસીને કથા સાંભળી રહ્યા હતા. બાપુએ જે વર્ણન કર્યું તેના પરથી ખયાલ આવ્યો કે એ સજ્જન પ્રથમ દિવસથી બાપુની કથા ધ્યાનપૂર્વક સાંભળતા હતા.

બાપુએ એમને સ્ટેજ પર બોલાવ્યા અને પોતાની બાજુમાં બેસવાનું કહ્યું. એ વડીલે નમ્રતાપૂર્વક ના પાડી ત્યારે બાપુએ એમની સાથે બે ઘડી વાત કરી અને ખબરઅંતર પૂછ્યા તથા તેઓ ક્યાંથી આવ્યા હતા એ પૂછ્યું. બાપુએ એમને એ પણ પૂછ્યું કે કથા સાંભળવાનું એમને સારું લાગે છે કે નહીં. એ વાતચીતના અંતે પૂજ્ય બાપુએ શ્રોતાઓની વચ્ચે બેઠેલા પોતાના એક પરિચિત ડેન્ટિસ્ટને કહ્યું કે એ વડીલ માટે ચોકઠું કરાવી આપે. આ બાબતની જાણ એમણે વડીલને પણ કરી. ચોકઠા માટે પણ ઈનકાર કરતાં વૃદ્ધજન એટલું જ બોલ્યા કે ચોકઠાની જરૂર નથી. જો બાપુ કંઈક કરવા જ માગતા હોય તો એમના માટે એક ભજન ગાય. બાપુએ એમની વિનંતીનો સ્વીકાર કર્યો અને ભજન ગાયું. એ વખતે વડીલના મુખ પર અવર્ણનીય આનંદ હતો.

અહીં મને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે કહેલો કિસ્સો પણ યાદ આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તોના ઘરે પગલાં પાડવા જતા હોય છે. આ સંત એક ભક્તના ઘરે ગયા હતા. એ ભક્તે આંતરડાના કૅન્સરનું ઓપરેશન કરાવ્યું હતું. એમનું આંતરડું કાપીને એની જગ્યાએ શરીરની બહાર કોથળી બેસાડી હતી.

સંતે એ ભક્ત સાથે થયેલી વાતચીતનો સારાંશ યુટ્યુબ પર જણાવ્યો હતો. ભક્ત આનંદિત હતા. એમનું કહેવું હતું કે ફક્ત આંતરડું જ કાઢી લેવાયું છે, બાકીના બધા અવયવો નોર્મલ છે અને તેઓ નોર્મલ જીવન જીવી રહ્યા છે.

ઉપરોક્ત બન્ને કિસ્સા મારા હૃદયને સ્પર્શી ગયા છે. કોઈ પણ વ્યક્તિને સુખી કે આનંદિત થવા માટે લક્ઝરી કાર, મોટું ઘર, મોજશોખની હરવા-ફરવાની જિંદગી જરૂરી નથી. એ બધું હોય એમાં કંઈ ખોટું નથી, પરંતુ એનાથી આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત નહીં થાય.

અહીં ફરી એક વખત કહેવાનું કે ભૌતિકવાદથી સુખ પ્રાપ્ત થતું નથી. જો ભૌતિકવાદથી સુખી થવાતું હોત તો એમેઝોન ડોટ કોમ પર જઈને ઘણી બધી વસ્તુઓ ખરીદીને લોકો સુખી થઈ જતા હોત. હકીકતમાં એવું નથી. બીજી બધી વસ્તુઓ તમને એમેઝોન ડોટ કોમ પરથી મળશે, પણ સુખ નહીં મળે.

‘યોગિક વેલ્થ’ પુસ્તક તમને એમેઝોન પર મળશે, પરંતુ યોગિક વેલ્થ પ્રાપ્ત કરવા માટે અને એને ટકાવી રાખવા માટે યત્ન કરવા પડે છે.

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની મારી પ્રૅક્ટિસ દરમિયાન હું હંમેશાં કહેતો આવ્યો છું કે નાણાકીય આયોજનને નાણાં સાથે સંબંધ નથી, એ તો મન અને અભિગમની વાત છે. મારી ઑફિસમાં અમે બધા જ કહીએ છીએ કે કોઈ પણ માણસ નાણાં અને સંપત્તિ બાબતે તાર્કિક રીતે વિચાર કરતો નથી. બધા જ લોકો ભાવનાત્મક પ્રતિક્રિયા આપતા હોય છે. અહીં ‘તાર્કિક’ના વિરુદ્ધાર્થી શબ્દ તરીકે ‘અતાર્કિક’ શબ્દ વાપર્યો નથી, ‘ભાવનાત્મક’ શબ્દ વાપર્યો છે. પૈસા અને સંપત્તિની વાત આવે ત્યારે આપણે પોતાની લાગણીઓમાં ડોકિયું કરવું જોઈએ. બહારની કોઈ વસ્તુને કારણે સુખ મળે છે કે સુખ આંતરિક અનુભૂતિ છે એ ચકાસવું જોઈએ. જો આંતરિક પ્રસન્નતા હશે તો એ કાયમી હશે, અન્યથા તાત્પુરતો આનંદ અનુભવાશે.

આથી કહેવાનું કે દરેકે યોગિક વેલ્થની પ્રાપ્તિની ખેવના રાખવી જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

અમે આસામને 11 વર્ષમાં 5.5 લાખ કરોડ આપ્યા છે: PM મોદી

ગૌહાટી: વડા પ્રધાન મોદી આસામના પ્રવાસે છે, જ્યાં તેમણે 5450 કરોડ રૂપિયા કરતાં વધુની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ યોજનાઓનો હેતુ પૂર્વોત્તર ભારતમાં કનેક્ટિવિટી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચ શિક્ષણ અને અર્બન મોબિલિટી ને નવી ગતિ આપવાનો છે. આ પ્રસંગે ગૌહાટી ખાતે જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે આજે ભાજપ જ્યાં પહોંચ્યો છે તેનું શ્રેય માત્ર અને માત્ર ભાજપના કાર્યકર્તાઓને જાય છે. જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાઓનું દર્શન કરવું પોતે જ મોટું સૌભાગ્ય છે.

પૂર્વોત્તરને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા પર ભાર

તેમણે જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભાજપનો કાર્યકર પરિશ્રમની પરાકાષ્ઠા કરે છે, તેથી ભાજપ આગળ વધે છે. હું ગર્વથી કહું છું કે મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ વાત એ છે કે નરેન્દ્ર મોદી ભાજપનો કાર્યકર છે. થોડા દિવસ પહેલાં જ દેશનું બજેટ આવ્યું છે. બજેટ પછી આસામ અને પૂર્વોત્તરનો આ મારો પહેલો પ્રવાસ છે. જેને કોંગ્રેસે હંમેશાં અવગણ્યો, તે પૂર્વોત્તરની અમે ભક્તિભાવથી સેવા કરી રહ્યા છીએ.

પૂર્વોત્તર અમારા માટે અષ્ટલક્ષ્મી છે. આ વર્ષનું બજેટ અષ્ટલક્ષ્મી માટે ભાજપ અને NDAના વિઝનને વધુ મજબૂત બનાવે છે. બજેટમાં પૂર્વોત્તરને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું વિશેષ ફોકસ છે.

આસામમાં કોંગ્રેસ પર નિશાન

આ પ્રસંગે તેમણ કહ્યું હતું કે જે કોંગ્રેસ આસામના વિકાસ માટે પૈસા આપવા પણ ટાળતી હોય, તે આસામનો વિકાસ કેવી રીતે કરી શકે? અહીંના યુવાનો, ખેડૂતો અને ગામોનું ભલું કેવી રીતે કરી શકે? આ વર્ષના બજેટમાં પૂર્વોત્તરની કનેક્ટિવિટી વધુ સારી બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોંગ્રેસ સરકારના સમયમાં આસામને પાઈ-પાઈ માટે તરસાવાયો હતો. ત્યારે આસામને ટેક્સના હિસ્સા રૂપે માત્ર 10,000 કરોડ રૂપિયા મળતા હતા. હવે ભાજપ સરકારમાં આસામને કોંગ્રેસના સમયમાં કરતાં પાંચ ગણાં વધુ રૂપિયા મળી રહ્યા છે. છેલ્લાં 11 વર્ષમાં આસામને વિવિધ વિકાસ યોજનાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી સવા પાંચ લાખ કરોડ રૂપિયા કરતાં વધુ મળ્યા છે.

પહેલી વાર વડાપ્રધાનનું પ્લેન હાઇવે પર ઉતર્યું

પીએમ મોદી શનિવારે આસામની મુલાકાતે હતા. તેમની મુલાકાત દરમિયાન, તેમણે દિબ્રુગઢ-મોરાન હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલી વાર હતું જ્યારે કોઈ પ્રધાનમંત્રીનું વિમાન હાઇવે પર ઉતર્યું હતું. પીએમ મોદીએ દિબ્રુગઢમાં મોરાન બાયપાસ પર સ્થિત ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (ELF) પરથી ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનને ઉડાન ભરી હતી.

દિબ્રુગઢમાં, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેજ પર સ્વાગત કર્યું. પીએમ મોદી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુનું પણ ઉદ્ઘાટન કરશે. ₹3,030 કરોડના ખર્ચે બનેલ, આ 6-લેન પુલ ઉત્તરપૂર્વમાં પ્રથમ ‘એક્સ્ટ્રાડોઝ્ડ’ પુલ છે.

આ આધુનિક પુલની મદદથી, ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટી વચ્ચેની મુસાફરી, જે પહેલા કલાકો લેતી હતી, હવે ફક્ત 7 મિનિટમાં પૂર્ણ થશે. વધુમાં, પુલના નિર્માણમાં ભૂકંપ પ્રતિરોધક ટેકનોલોજી અને રીઅલ-ટાઇમ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ આસામની મુલાકાત દરમિયાન એક રોડ શો પણ યોજ્યો હતો. તેઓ પ્રધાનમંત્રી પીએમ-ઈબસ સેવા યોજના હેઠળ 225 બસોનું ઉદ્ઘાટન પણ કરશે. આમાંથી 100 બસો ફક્ત ગુવાહાટીને ફાળવવામાં આવશે. બાકીની બસો નાગપુર, ભાવનગર અને ચંદીગઢ મોકલવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદી કામરૂપ જિલ્લાના અમીગાંવમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્ર માટે રાષ્ટ્રીય ડેટા સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. અહેવાલો અનુસાર, આ કેન્દ્ર પ્રદેશના ડિજિટલ માળખાને મજબૂત બનાવશે અને ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ લોકોને સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે હતા.

 

વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થયું ‘એક દિન’ ફિલ્મનું પોસ્ટર

જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની આગામી ફિલ્મ ‘એક દિન’નું નવું પોસ્ટર આજે વેલેન્ટાઈન ડે નિમિત્તે રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં બંને સ્ટાર્સના લુક પર એક નજર કરીએ.

વેલેન્ટાઇન ડે નિમિત્તે નિર્માતાઓએ આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની આગામી ફિલ્મ ‘એક દિન’નું નવું પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મમાં જુનૈદ ખાન સાથે સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટરમાં બંને સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. ચાલો જાણીએ કે પોસ્ટરમાં શું ખાસ છે.

બંને સ્ટાર્સ આ અંદાજમાં જોવા મળ્યા હતા. આમિર ખાન પ્રોડક્શન્સે ‘એક દિન’ માટે એક નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં સાઈ પલ્લવી અને જુનૈદ ખાન જોવા મળે છે. બંને એક કરિયાણાની દુકાનમાં બેઠા જોવા મળે છે. સાઈ પલ્લવીએ મીણબત્તી વાળો કપકેક પકડ્યો છે. બંને હસતા હસતા એકબીજાને જોઈ રહ્યા છે. આ નાનો પણ સ્પર્શી જતો ક્ષણ ફિલ્મમાં તેમની પ્રેમકથાની મીઠી ઝલક આપે છે. શેર કરેલા કેપ્શનમાં લખ્યું છે “બસ એક દિવસ પૂરતો છે.”

સુનીલ પાંડે દ્વારા નિર્દેશિત ‘એક દિન’ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ અને મન્સૂર ખાન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે.‘જાને તુ યા જાને ના’ પછી આમિર ખાન અને મન્સૂર ખાનની સુપરહિટ જોડી ફરી એકવાર વાપસી કરી રહી છે. સાથે મળીને તેઓએ “કયામત સે કયામત તક,” “જો જીતા વોહી સિકંદર,” “અકેલે હમ અકેલે તુમ,” અને “જાને તુ… યા જાને ના” સહિત અસંખ્ય હિટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

‘એક દિન’૧ મેના રોજ રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર પહેલાથી જ રિલીઝ થઈ ગયું છે. તેમાં જુનૈદ ખાનની મનોહર અણઘડતા અને શરમાળતા દર્શાવવામાં આવી છે, જ્યારે સાઈ પલ્લવીનું પાત્ર એકદમ શાંત છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે 1મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પાકિસ્તાની કેપ્ટને અભિષેક શર્માને લઈને આપ્યું એક મોટું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા રોમાંચક સાબિત થાય છે. 2026 ના T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને-સામને થવાની તૈયારીમાં છે. તેઓ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ટકરાશે. આ મોટી મેચ માટે ફક્ત એક દિવસ બાકી હોવાથી, ચાહકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ આઠ મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયા સાત વખત જીતી છે, જ્યારે પાકિસ્તાન ફક્ત એક જ વાર જીત્યું છે. ભારત આ રેકોર્ડ સુધારવાના ઈરાદા સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે.

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ એશિયા કપમાં પાકિસ્તાનને ઘણી મુશ્કેલીમાં મુકી હતી. હવે, મોટી મેચ પહેલા, પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ તેમના વિશે એક મોટું નિવેદન આપતા કહ્યું, “મને આશા છે કે અભિષેક શર્મા કાલે રમશે. મને આશા છે કે તે સ્વસ્થ થઈ રહ્યો છે.” અમે શ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમવા માંગીએ છીએ.

હાથ મિલાવવાના વિવાદ પર પ્રતિક્રિયા આપતા, પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મારો અંગત અભિપ્રાય મહત્વનો ન હોઈ શકે, પરંતુ ક્રિકેટ હંમેશા જે રીતે રમાય છે તે રીતે રમવું જોઈએ. તેઓ શું કરવા માંગે છે તે નક્કી કરવાનું તેમનું કામ છે.

પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને ભારત સામેની મેચ વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું, “મને લાગે છે કે અમે ગયા એશિયા કપમાં જે રીતે રમ્યા હતા. અમે મેચને એકતરફી બનવા દીધી ન હતી. અમે અંત સુધી લડ્યા. અમે અંત સુધી એકતરફી મેચ રમી ન હતી, અને આશા છે કે, અમે આ વખતે એક શાનદાર મેચ રમીશું.”

પાકિસ્તાની બોલર ઉસ્માન તારિકની એક્શન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ પોતે જ જવાબ આપ્યો છે, બધા ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે. મેચ પહેલા, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ માને છે કે સ્પિનરો કોલંબોની પીચ પર પ્રભુત્વ મેળવશે. છેલ્લી કેટલીક મેચોમાં પણ, સ્પિનરોએ આ પીચ પર પ્રભુત્વ મેળવ્યું છે.