વર્લ્ડ કપની 17મી મેચમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. ટીમ ઈન્ડિયાને નવમી ઓવરમાં મોટો ફટકો પડ્યો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. અત્યારે મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખી રહી છે. ત્યારે જ ખબર પડશે કે તે કેટલી ગંભીર છે.
🚨 Update 🚨
Hardik Pandya’s injury is being assessed at the moment and he is being taken for scans.
બાંગ્લાદેશની ઇનિંગ્સની નવમી ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસે ફ્રન્ટ શોટ રમ્યો હતો. હાર્દિકે પોતાના પગથી શોટ રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન તેના પગમાં તણાઈ આવી હતી. મેડિકલ ટીમે મેદાનમાં જ હાર્દિકની સારવાર કરી હતી. તે બોલિંગ કરવા પણ ઉભો થયો, પરંતુ રન કરી શક્યો નહીં. હાર્દિકને બહાર જવું પડ્યું. તેની જગ્યાએ વિરાટ કોહલીએ ઓવર પૂરી કરી. બીસીસીઆઈએ કહ્યું કે, હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે.
કેપ્ટન રોહિત શર્માએ અનુભવી ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે વાત કરી હતી. બંનેએ જોખમ ન લેવાનું નક્કી કર્યું. કોહલી અને રોહિતે હાર્દિક સાથે વાત કરી અને તેને મેદાન છોડવા કહ્યું. હાર્દિકે બોલિંગની જીદ છોડી દીધી અને મેડિકલ ટીમ સાથે બહાર ગયો.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ગરમી સહન કરવી પડશે. તેવું રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ રાજ્યમાં દિવસે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેશે. તથા 21 ઓક્ટોબરે લો પ્રેશર સક્રિય થતા વાતાવરણમાં પલટો રહેશે. તેમજ ગઈકાલે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાત્રે લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. 5 દિવસ રાજ્યભરમાં બેવડી ઋતુની અસર રહેશે. જેમાં માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. અરેબિયન સીમા થઈ રહેલ લો પ્રેશરને પગલે હવામાન વિભાગનુ સૂચન છે કે માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવો. ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા છે. ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે.
દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું
આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે. ભારત દ્વારા જ આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું છે. તેથી દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના છે. હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી કે, આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. જોકે સાથે જ અરેબિયન સમુદ્રમાં એક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. 21 તારીખે આ લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. દક્ષિણ પૂર્વ દક્ષીણ મધ્યમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આ ડિપ્રેશન બાદમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. તેના બાદ આ સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થશે. જોકે હાલ લો પ્રેસર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે.
સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ
સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ છે. આ દિવસોમાં રાજ્યમાં તાપમાન 34 થી 36 ડિગ્રી આસપાસ રહેશે. હાલ અમદાવાદમાં 35 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયુ છે. તો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિ વિશે જણાવ્યું કે, ગુજરાતમાં વાવાઝોડાની અસરને લઈને હાલ કહેવું વહેલું છે. પરંતુ લો પ્રેસર સિસ્ટમ પર અમારું સતત મોનીટરીંગ ચાલુ જ છે.
મોદી સરકારે દિવાળી પહેલા ખેડૂતોને મોટી રાહત આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ફરજિયાત રવી પાકો માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારે માર્કેટિંગ સીઝન 2024-25 માટે રવી પાકોની એમએસપીમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરી શકાય. એમએસપીમાં સૌથી વધુ વધારાને મંજૂરી મસૂર માટે ક્વિન્ટલદીઠ રૂ. 425, ત્યારબાદ રેપસીડ અને રાઈમાં રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી છે. ઘઉં અને કુસુમ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.150નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જવ અને ચણા માટે ક્વિન્ટલદીઠ અનુક્રમે રૂ.115 અને ક્વિન્ટલદીઠ રૂ.105નો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
માર્કેટિંગ સીઝન 2024-25 માટે તમામ રવી પાકો માટે લઘુતમ ટેકાના ભાવ
માર્કેટિંગ સીઝન 2024-25 માટે ફરજિયાત રવી પાકો માટે એમએસપીમાં વધારો એ કેન્દ્રીય બજેટ 2018-19ની જાહેરાતને અનુરૂપ છે, જેમાં એમએસપી નક્કી કરવાની જાહેરાત અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચનાં ઓછામાં ઓછા 1.5 ગણી વધારે છે. અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ પર અપેક્ષિત માર્જિન ઘઉં માટે 102 ટકા છે, ત્યારબાદ રેપસીડ અને સરસવ માટે 98 ટકા છે. મસૂરની દાળ માટે ૮૯ ટકા; ગ્રામ માટે ૬૦ ટકા; જવ માટે 60 ટકા; અને કુસુમ માટે 52 ટકા. રવી પાકની આ વધેલી એમએસપીથી ખેડૂતોને વળતરદાયી કિંમતો સુનિશ્ચિત થશે અને પાકના વૈવિધ્યીકરણને પ્રોત્સાહન મળશે.
ખાદ્ય સુરક્ષા વધારવા, ખેડૂતોની આવક વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર તેલીબિયાં, કઠોળ અને શ્રી અન્ના/બાજરી તરફ પાકના વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી રહી છે. ભાવ નીતિ ઉપરાંત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અભિયાન (એનએફએસએમ), પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય) અને નેશનલ મિશન ઓન તેલીબિયાં અને ઓઇલ પામ (એનએમઓઓપી) જેવી વિવિધ પહેલો હાથ ધરી છે, જેનો ઉદ્દેશ ખેડૂતોને તેલીબિયાં અને કઠોળની ખેતી માટે પ્રોત્સાહિત કરવા નાણાકીય સહાય, ગુણવત્તાયુક્ત બિયારણ પ્રદાન કરવાનો છે.
તદુપરાંત, કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) યોજનાનો લાભ દેશભરના દરેક ખેડૂત સુધી પહોંચાડવા માટે, સરકારે કિસાન રિન પોર્ટલ (કેઆરપી), કેસીસી ઘર ઘર અભિયાન અને હવામાન માહિતી નેટવર્ક ડેટા સિસ્ટમ્સ (વીઓએસ) શરૂ કરી છે, જેનો ઉદ્દેશ ખેડૂતોને તેમના પાક સંબંધિત સમયસર નિર્ણયો લેવામાં સક્ષમ બનાવવા માટે સમયસર અને સચોટ હવામાન માહિતી પ્રદાન કરવાનો છે. આ પહેલોનો ઉદ્દેશ કૃષિમાં ક્રાંતિ લાવવાનો, નાણાકીય સર્વસમાવેશકતામાં વધારો કરવાનો, ડેટાના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવાનો અને સમગ્ર દેશમાં ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાનો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 1 જુલાઈ, 2023થી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત (DR)માં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે 42 ટકાથી વધીને 46 ટકા થયો છે. આ ઉપરાંત રેલ્વે કર્મચારીઓને બોનસ આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ વધુમાં જણાવ્યું હતું કે રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલું બોનસ આપવામાં આવશે.
શું સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચેનો ઝઘડો હવે ખતમ થઈ ગયો છે? આ પ્રશ્નો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. અરિજિત સિંહ એ બોલિવૂડ સિંગર છે. જેણે આમિર ખાન, અક્ષય કુમાર અને રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સ માટે પ્લેબેક ગીતો કરીને લોકોના દિલ પર રાજ કર્યું છે, પરંતુ તેણે માત્ર સલમાન ખાન માટે કોઈ ગીત ગાયું નથી. તેની પાછળનું કારણ બંને વચ્ચેનો વિવાદ હતો. પરંતુ હવે આ વિવાદ 9 વર્ષ પછી ખતમ થઈ ગયો છે. આ વાતની જાહેરાત ખુદ ‘ટાઈગરે’ કરી છે. અરિજીત સિંહ અને સલમાન ખાન વચ્ચે મિત્રતાના સમાચારની પુષ્ટિ થઈ છે. આ સસ્પેન્સનો અંત કરીને સલમાને પુષ્ટિ કરી છે કે બંને વચ્ચેની લડાઈ હવે પૂરી થઈ ગઈ છે. આ મિત્રતાની સાથે અરિજિતે પહેલીવાર સલમાન માટે ગીત પણ ગાયું છે, જેની પહેલી ઝલક ખુદ અભિનેતાએ શેર કરી છે.
Pehle gaane ki pehli jhalak. #LekePrabhuKaNaam! Oh haan, yeh hai Arijit Singh ka pehla gaana mere liye. Song out on 23rd Oct. #Tiger3 coming to theatres this Diwali, 12th Nov.
જે પોસ્ટ સાથે સલમાન ખાને આ મિત્રતાની જાહેરાત કરી છે. તેમાં કેટરિના કૈફ, સલમાન ખાન સાથે રસપ્રદ રેડ ફેડર આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે. ફિલ્મના પોસ્ટરની સાથે સલમાને ફની અંદાજમાં કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું- ‘પહેલા ગીતની પહેલી ઝલક, #LekePrabhuKaNaam! ઓ…હા…મારા માટે આ અરિજીત સિંહનું પહેલું ગીત છે.
Tiger se dushmani sabko bhaari padti hai. This time it’s personal!
આ સાથે અભિનેતાએ જણાવ્યું કે ફિલ્મનો આ ટ્રેક 23 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટાઈગર 3 એ ‘ટાઈગર’ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે, જેમાં કેટરિના કૈફ સલમાન ખાન અને ઈમરાન હાશ્મીની સાથે ખતરનાક વિલનની ભૂમિકામાં છે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ‘ટાઈગર 3’ 12 નવેમ્બરે રિલીઝ થશે.
બંને વચ્ચે 9 વર્ષ પહેલા ઝઘડો થયો હતો
તમને જણાવી દઈએ કે 9 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2014માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી સલમાન પર ઘણી વખત આરોપ લાગ્યો કે તેણે અરિજીત પાસેથી ઘણા પ્રોજેક્ટ છીનવી લીધા. બંને પોતપોતાના ક્ષેત્રના રાજા છે. એક અભિનયનો બાદશાહ અને બીજો અવાજનો જાદુગર. એકની ફિલ્મ ફ્લોપ થાય તો પણ કરોડો કમાય છે અને બીજાની ફિલ્મ ફ્લોપ થાય તો તેના ગીતો જાતે જ હિટ થઈ જાય છે. એક બોલિવૂડના ‘ભાઈજાન’ અને બીજા સંગીત જગતના ‘દાદા’. સલમાન અને અરિજીતના ફેન્સ તેમની મિત્રતાથી ખૂબ જ ખુશ છે.
જયપુરઃ કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે અત્યાર સુધી એક પણ ટિકિટ નથી આપી, તેમ છતાં ગહેલોત જૂથ અને સચિન પાઇલટ જૂથ વચ્ચે ચાલી રહેલી રસાકસીને કારણે ઉમેદવારોની યાદીમાં વિલંબ થઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને મુદ્દે કહ્યું છે કે સચિન પાઇલટની નજીકના બધી વ્યક્તિઓને ટિકિટ ક્લિયર થઈ રહી છે. અમારી તરફથી એક પણ સમર્થકે એ ટિકિટો પર વાંધો નથી ઉઠાવ્યો, એના પરથી અંદાજ લગાવી લો કે અમારી વચ્ચે કેટલો પ્રેમ છે? એમ તેમણે કહ્યું હતું.
તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાનપદ છોડવા ઇચ્છે છે, પણ આ પદ તેમને નથી છોડી રહ્યું અને કદાચ છોડશે પણ નહીં. પાર્ટીના સર્વોચ્ચ નેતા જે નિર્ણય લેશે એનો બધાને સ્વીકાર કરવો પડશે. સચિન પાઇલટની સાથેના મતભેદો પર તેમણે કહ્યું હતું કે ‘ભૂલો અને માફ કરો’ની નીતિના અમલની વાત કરી હતી.
તેમણે ભાજપ પર હુમલો કરતાં આરોપ લગાવ્યો હતો કે ‘લાલ ડાયરી’નું ષડયંત્ર ભાજપના વડા મથકમાં રચવામાં આવ્યું હતું, પણ એ નિષ્ફળ થઈ ગયું. સરકાર પાડવા માટે ‘લાલ ડાયરી’થી જોડાયેલા કાવતરામાં અમિત શાહ, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર શેખાવત અને જફર ઇસ્લામ સામેલ હતા. આ ભાજપ ચૂંટાયેલી સરકાર પાડી રહી છે અને એને સત્તાવામાં રહેવાનો કોઈ હક નથી, એમ તેમણે કહ્યું હતું.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 6 વર્ષ બાદ વન-ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. વર્લ્ડકપ 2023ની મેચ દરમિયાન બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરમાં કંઈક એવું બન્યું જેના કારણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને બોલિંગ કરવાની ફરજ પડી હતી. લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલીને આ રીતે બોલિંગ કરતા જોઈને તમામ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશી ઇનિંગ્સની નવમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં માત્ર ત્રણ બોલ ફેંક્યા હતા ત્યારે અચાનક તેને ડાબા પગમાં દુખાવો થવા લાગ્યો.
બાંગ્લાદેશી ઇનિંગ્સની નવમી ઓવરમાં હાર્દિક પંડ્યા અચાનક બોલિંગ છોડી ગયો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક સાહસિક નિર્ણય લીધો છે. નવમી ઓવરમાં 3 બોલ બાકી હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અચાનક એક મોટો નિર્ણય લીધો અને બોલ ટીમના મજબૂત બેટ્સમેન વિરાટ કોહલીને સોંપ્યો. વિરાટ કોહલીએ નવમી ઓવરના બાકીના ત્રણ બોલ ફેંક્યા. વિરાટ કોહલીએ પણ પોતાના કેપ્ટન રોહિત શર્માના આત્મવિશ્વાસને તૂટવા ન દીધો અને 3 બોલમાં માત્ર 2 રન જ ખર્ચ્યા. વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીએ અગાઉ 15 ઓગસ્ટ 2017ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે રમાયેલી ODI મેચમાં બોલિંગ કરી હતી.
મુંબઈઃ બોલીવુડમાં અનેક કલાકારોનાં સંતાનો પદાર્પણ કરી રહ્યાં છે. હવે ટૂંક સમયમાં જ સુપરસ્ટાર આમિર ખાનનો પુત્ર પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવાનો છે. એની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. જુનૈદે લીલા રંગનું શર્ટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટામાં એ હેન્ડસમ દેખાય છે. એનો આ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જુનૈદની તસવીર તેના ફોટોગ્રાફર અવિનાશ ગોવારીકરે એમના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે: ‘બાપ તેવો બેટો? જુનૈદ ખાન હવે મોટો થઈ ગયો છે અને ફિલ્મોમાં કામ કરવા સજ્જ થઈ ગયો છે.’
આ ફોટો વાઈરલ થતાં ઈન્ટરનેટ યૂઝર્સ દ્વારા લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. એક યૂઝરે લખ્યું છે, વાહ, આ આમિર ખાનનો દીકરો છે? ઘણો હેન્ડસમ દેખાય છે. બીજા એક યૂઝરે લખ્યું છે, મસ્ત. એણે પોતાના લુક પર ઘણી મહેનત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આમિર ખાનનો પુત્ર જુનૈદ છેલ્લા છ વર્ષથી નાટકોમાં કામ કરે છે. 2017માં એણે દિગ્દર્શક ક્વાસર ઠાકોર પદમશી સાથે કામ કરીને અભિનયસફરની શરૂઆત કરી હતી. આજ સુધી એ નાટકોમાં જ કામ કરતો દેખાયો છે. યશરાજ ફિલ્મ્સની આગામી હિન્દી ફિલ્મ મહારાજામાં એ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
વડોદરા: રાજ્યમાં ચર્ચિત કિરણ પટેલ કાંડ પછી PMOના એક વધુ નકલી અધિકારીનો કેસ બહાર આવ્યો છે. કિરણ પટેલની જેમ મયંક તિવારી કુદને PMOમાં એડવાઇઝર હોવાની વાત કહીને અધિકારીઓને પરેશાન કરતો હતો. થોડા દિવસ પહેલાં વડોદરા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરી છે. PMO ઓફિસથી ફરિયાદ મળ્યા પછી CBIએ કેસ નોંધ્યો છે.
CBIએ ગુજરાતની એક 45 વર્ષીય વ્યક્તિની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વડોદરાના મયંક તિવારીનું CBIએ રેકેટ પકડી પાડ્યું છે. મયંક પરશુરામ તિવારીએ ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ઇન્દોરમાં આંખની હોસ્પિટલ શરૂ કરવા માટે રોકાણ કરેલા રૂ. 16 કરોડથી વધુ રૂપિયા પરત આપ્યા ન હતા. આ ઉપરાંત તે PMOના નામે ધમકીઓ આપતો હતો. આ અંગે દિલ્હી CBIએ વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મયંક તિવારી વિનાયક આંખની હોસ્પિટલના ડો. પ્રણયની તરફેણમાં રૂ.16.43 કરોડના વિવાદનું સમાધાન કરવા ડો.અગ્રવાલ આંખની હોસ્પિટલના MD ડો.અગ્રવાલને ધમકી આપી રહ્યો હતો.
શું છે ફરિયાદ?
પ્રાપ્ત માહિતી પ્રમણે ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં 100થી વધુ આંખની હોસ્પિટલ છે. આ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી મયંક તિવારીએ ડો. પ્રણય કુમાર સિંહ અને ડો. સોનુ વર્મા વતી ડો. અગ્રવાલને “મામલો પતાવવા” માટે ઘણા મેસેજ મોકલ્યા હતા. નકલી PMO અધિકારી બનીને ડો. અગ્રવાલ આંખની હોસ્પિટલના CEOને મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે મેં તમને પરસ્પર સંમતિથી મામલો ઉકેલવા વિનંતી કરી હતી અને તે તમારા પર નિર્ભર છે કે તમે આ મામલાને કેવી રીતે હેન્ડલ કરો છો.
PMOની સ્પષ્ટતા
PMOએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તિવારીએ પોતાને PMOમાં સરકારી સલાહકારોના ડિરેક્ટર તરીકે ગણાવ્યા હતા. તે આ આધારે કેટલાક લોકોને ધમકાવતો હતો. PMO તરફથી કહેવામાં આવ્યું કે આ નામનr કોઈ વ્યક્તિ PMOમાં કામ નથી કરતી.
પેરિસઃ ફ્રાંસમાં આઠ એરપોર્ટ સુરક્ષા કારણોસર ખાલી કરાવવામાં આવ્યાં હતાં. એ અજ્ઞાત ધમકી મળ્યા પછી આ એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યાં હતાં. પેરિસની પાસે બ્યુવૈસ, સ્ટ્રાસબર્ગ, નેનટેસ, બિયારિટ્સ, ટૂલુઝ, લિલી, લ્યોન-બ્રોન અને નાઇસ એરપોર્ટ સામેલ છે. ફ્રાંસના મિડિયા અહેવાલો અનુસાર બોમ્બની ધમકી મળ્યા પછી સ્ટ્રાસબર્ગ અને નૈનટેસને ખાલી કરાવવામાં આવ્યાં હતાં.
જોકે નાઇસ એરપોર્ટની સર્વિસ ફરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે પેરિસની પાસેના વર્સેલ્સથી એક સપ્તાહથી પણ ઓછા સમયમાં ત્રીજી વાર સુરક્ષાનાં કારણોસર પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. મંગળવારે એક શંકાસ્પદ ચીજવસ્તુ મળવાને કારણે ને સપ્તાહને અંતે બોમ્બની ધમકીને કારણે કાર્યક્રમ સ્થળ ખાલી કરાવવો પડ્યો હતો. પેરિસમાં સુરક્ષાનાં કારણોસર લોવર મ્યુઝિયમ બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે એ ખોલવામાં આવ્યું છે.
ગયા સપ્તાહે વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને ઉત્તરી શહેર અર્રાસની એક સ્કૂલમાં એક હુમલાખોરે એક શિક્ષકની હત્યા કર્યા બાદ ત્રણ અન્ય લોકોને ઘાયલ કર્યા બાદ દેશમાં સુરક્ષા સલામતી વધારવામાં આવી છે. હાલના વર્ષોમાં ફ્રાંસ સિલસિલેવાર ઇસ્લામી હુમલાથી પ્રભાવિત થયું છે.