Home Blog Page 2360

બે મતદારયાદીમાં નામનો મામલોઃ કેજરીવાલના પત્નીને મોકલાયેલું સમન્સ સ્થગિત

નવી દિલ્હીઃ બે વિધાનસભા મતવિસ્તારોની મતદારયાદીઓમાં નામ લખાવીને કાયદાનું કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલને નીચલી અદાલત દ્વારા મોકલવામાં આવેલા સમન્સ સામે દિલ્હી હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. આરોપના સંબંધમાં 18 નવેમ્બરે કોર્ટમાં ઉપસ્થિત થવાનો આદેશ આપતા ટ્રાયલ કોર્ટના ઓર્ડરને સુનિતા કેજરીવાલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેના સંદર્ભમાં હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ અમિત બંસલે પ્રશાસન તથા ફરિયાદી પક્ષને નોટિસ મોકલી છે.

નીચલી કોર્ટના આદેશની અમલબજવણી પર હાઈકોર્ટના જજે સ્ટે ઓર્ડર પણ આપ્યો છે અને આ બાબત પર હવે પછીની સુનાવણી માટે 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

એર ઇન્ડિયાએ ગુરુગ્રામમાં લીઝ પર લીધી ઓફિસ, જાણો…

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ ગુરુગ્રામમાં વાટિકા વનમાં કુલ 1.80 લાખ સ્ક્વેર ફૂટની સાત માળની બિલ્ડિંગ પાંચ વર્ષના સમયગાળા માટે લીઝ પર લીધી છે. એમાં વાર્ષિક ભાડું રૂ. 24.05 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં વાટિકા વન ઓન વન પ્રોજેક્ટ લિ. અને એર ઇન્ડિયા લિ.એ એક લીઝ એગ્રીમેન્ટ નોંધાવ્યો હતો. રજિસ્ટ્રેશન રેકોર્ડ અનુસાર રૂ. 1.89 કરોડના માસિક ભાડા પર એર ઇન્ડિયાએ વાટિકા વન ઓન વનના બ્લોક પાંચમાં 1,80,750 સ્કવેર ફૂટની ઓફિસ લીઝ પર લીધી છે, જેના કુલ છ માળ છે.

વાટિકા વન ઓન વન ગુરુગ્રામના સેક્ટર 16માં 12 એકરનું એક ઓફિસ કોમ્પ્લેક્સ છે, જે નેશનલ હાઇવે 48 પર સ્થિત છે. એ ઇન્દિરા ગાંધી એરપોર્ટથી છ કિલોમીટર દૂર છે અને એમાં ચોકની સામે છ અલગ-અલગ ટાવર છે એ સિગ્નલ મુક્ત ક્નેક્ટિવિટી પ્રદાન કરે છે.

એર ઇન્ડિયાએ સમજૂતીના ભાગરૂપે અને રેકોર્ડ અનુસાર રૂ. 11.34 કરોડ ઇન્ટરેસ્ટ ફ્રી રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટની ચુકવણી કરી છે. એગ્રીમેન્ટ અનુસાર બ્લોકમાં રૂ. પાંચ કરોડ અને 180 પાર્કિંગ સ્થળો ને વધારાના 18 સ્થળો આપે છે.

લીઝ 29 સપ્ટેમ્બર, 2023એ શરૂ થઈ છએ અને ભાડા લીઝ શરૂ થવાની તારીખના છ મહિના પછી આપવાનું છે. માર્ચ, 2024માં ભાડાનો સમયગાળો શરૂ થવા સુધી લીઝ પર સ્પેસ લેવાનારા ભાડામુક્ત સમય આપવામાં આવશે. આ સમજૂતીમાં એક શરત એ રાખવામાં આવી છે કે ત્રણ વર્ષ પછી વાર્ષિક ભાડું 15 ટકા વધશે.

 

 

 

 

 

 

 

ભારત સામે નામોશીભરી વર્લ્ડકપ હારને પગલે આખું શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બરતરફ

કોલંબો: વર્લ્ડકપ-૨૦૨૩માં ગઈ બીજી નવેમ્બરે મુંબઈમાંની મેચમાં શ્રીલંકા ટીમ ભારત સામે માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ થઈને ૩૦૨-રનના માર્જિનથી શરમજનક રીતે હારી ગઈ એને પગલે શ્રીલંકા સરકારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડનું વિસર્જન કરી નાખ્યું છે. શમ્મી સિલ્વાની આગેવાની હેઠળના બોર્ડના તમામ સભ્યોના રાજીનામા માંગી લેવામાં આવ્યા છે.

શ્રીલંકાના સ્પોર્ટ્સ પ્રધાન રોશન રણસિંઘેએ ૧૯૯૬માં વર્લ્ડકપ જીતનાર શ્રીલંકા ટીમના કેપ્ટન અર્જુન રણતુંગાની આગેવાની હેઠળ સાત-સભ્યોની વચગાળાની સમિતિની રચના કરી છે.

આ સમિતિમાં ત્રણ નિવૃત્ત જજ છે, જેમાં બે મહિલા છે.

શમ્મી સિલ્વાને ગયા મે મહિનામાં સતત ત્રીજી મુદત માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના વડા તરીકે ૨૦૨૫ની સાલ સુધી નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ફટાકડાથી ફાટ ફાટ થતું ગામ!

શહેરના પૂર્વ વિસ્તારના હાથીજણ સર્કલથી મહેમદાવાદ તરફ જતા માર્ગ પર ઠેરઠેર ફટાકડાનું વેચાણ કરતા વિશાળ સ્ટોલ, મંડપ લાગ્યા છે.આ વિસ્તારની ખુલ્લી જગ્યાઓમાં લાગેલા મંડપ બહાર અને માર્ગ પર લાગેલા હોર્ડિંગ્સ, બેનર્સમાં એક લખાણ ચોક્કસ જોવા મળે છે..એ છે..વાંચ ગામના પ્રખ્યાત ફટાકડા..200 થી વધારે વેરાયટી સાથેના ફટાકડા..

આવા જુદા જુદા બેનર્સ સાથે અસંખ્ય લોકો દિવાળીના પર્વ માં રોજગારી આપી રહ્યા છે. આ સાથે સ્થાનિક લોકો રોજગાર મેળવી રહ્યા છે.

દિવાળી નિમિત્તે વાંચ ગામ નજીક જ વિશાળ મંડપમાં ફટાકડાનો વેપાર કરતા રાજ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે અમદાવાદ શહેરની નજીકના અમારા વાંચ ગામની ખુલ્લી જગ્યામાં પહેલાં ફટાકડા બનાવવાનો ઉદ્યોગ ચાલતો. પણ બહારના મેન્યુફેક્ચરિંગ કરતાં લોકોનું પ્રભુત્વ હતું. છેલ્લા પંદર વર્ષથી ગામના લોકોનું ફટાકડા બનાવવાના અને વેચવાના ધંધામાં પ્રભુત્વ વધ્યું છે. ફટાકડાના આ ઉદ્યોગને કારણે ઘણાં સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહી છે. કેટલાક લોકો વાંચને અમદાવાદનું શીવાકાશી પણ કહે છે.

અમદાવાદની આસપાસ ઘણા વિસ્તારમાં ફટાકડા તૈયાર થાય છે.હવે લોકો ગ્રીન ફટાકડા બનાવવાનો અને વાપરવાનો આગ્રહ રાખી રહ્યા છે.ગ્રીન ફટાકડાથી હવાનું પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ અટકાવી શકાય છે.વાંચ ગામ ગ્રીન ફટાકડા બનાવવામાં અગ્રેસર છે.

અમદાવાદ શહેરના આ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અસંખ્ય મંડપ ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે.પરંતુ વાંચ ગામની આસપાસના માર્ગો પર ફટાકડાનું રીટેલ અને હોલસેલ બજાર લાગ્યું છે. એમાં પણ આકર્ષક અવનવી વેરાયટી જોવા મળે છે. ફટાકડાની વિશાળ શ્રેણીમાં વાતાવરણ વધારે દુષિતના થાય એવી ચીજવસ્તુઓ પણ બનાવીને સ્થાનિક લોકો વેચી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ચુનિલાલ મડિયાની સ્મૃતિવંદના કાંદિવલીમાં ઊજવાઈ

મુંબઈઃ કેઈએસ (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) ગુજરાતી ભાષા ભવન અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે પાંચ નવેમ્બરે ‘સ્મૃતિવંદના: ચુનીલાલ મડિયા’નું આયોજન કાંદિવલીમાં કરવામાં આવ્યું હતું. રવિવારની સાંજ ખરા અર્થમાં મડિયામય બની હતી. ભાવકો પોતાના હૃદયમાં સર્જકની કૃતિ અને સ્મૃતિ લઈને છૂટા પડ્યા હતા. ગુજરાતી સાહિત્ય સર્જકના જન્મનાં ૧૦૧ વર્ષની ઉજવણી ભવ્ય અને યાદગાર બની હતી.

આ કાર્યક્રમના આરંભમાં કેઈએસના ઉપપ્રમુખ મહેશ શાહે અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાઘ્યક્ષ સ્નેહલ મુઝુમદારે આવકાર ઉદબોધન કર્યું હતું. મડિયા સાથેનાં અંગત સ્મરણોને ડો. દિનકર જોષીએ વાગોળ્યાં હતાં, જેમાં મડિયાનો ઉદાર સ્વભાવ, વિશિષ્ટ લાક્ષણિકતાઓ, સાહિત્ય સૂઝ, ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર, વગેરે સાથેના સંબંધો અને પ્રજાની નાડ પારખીને મડિયા સાહિત્યસર્જન અને પત્રકારત્વને કઈ રીતે સમતોલિત કરતા અનુભવો દિનકરભાઈએ સૌ સાથે વહેંચ્યા ત્યારે ભાવકો એમાં તલ્લીન બની ગયા હતા. મુંબઈ એ ચુનીલાલ મડિયાની કાર્યક્ષેત્રની ભૂમિ અને અહીં તેમના લેખન, આયોજન, હળવા-મળવાના અનેક પ્રસંગો બન્યા હોય તે સ્વાભાવિક જ છે.
આ કાર્યક્રમમાં ત્યાર બાદ મડિયાની નવલકથા વિશે કલ્પના દવે અને વાર્તા વિશે હિતેશ પંડ્યાએ વક્તવ્ય આપ્યાં હતાં.

આ ઉપરાંત રજૂ કરાયેલી ભજવણીને કારણે ભાવકો મડિયાના સર્જનની સાવ નજીક આવ્યા હતા, જાનબાઈ એકોક્તિને ડૉ.મંજરી મુઝુમદારે ભજવી હતી, તેમણે મડિયાની ખૂબ જાણીતી વાર્તા ‘અંત:સ્ત્રોતા’ પરથી એકોક્તિ લખીને ભજવી હતી, સેજલ પોન્દા‌એ ‘અંબા ગોરાણીનો પરભુડો’ વાર્તાનું ભાવવાહી પઠન કર્યું હતું.

આ કાર્યક્રમના અંતે મહેશભાઈ શાહે કહ્યું કે આજે ચુનીલાલ મડિયા આજ હોલમાં હોય તેમ અનુભવાય છે. આ કાર્યક્રમનું સુપેરે સંચાલન ડો. સેજલ શાહે કયુઁ હતું અને કાર્યક્રમમાં કીર્તિ શાહ, કવિત પંડ્યા, જયાના શર્માનો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમની સંકલ્પના અને આયોજનમાં સક્રિય સભ્ય હિતેન આનંદપરા અને સંજય પંડ્યાનો સહકાર મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાંપડ્યો હતો.

 

 

 

 

 

ટીમ ઇન્ડિયાને અટકાવવાનો રસ્તો કયો?: મલિકનો જવાબ વાઇરલ…

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ICC મેન્સ ODI વર્લ્ડ કપમાં સળંગ આઠ મેચ જીતીને 16 પોઇન્ટ સાથે ટોચ પર છે અને લીગ સ્ટેજમાં પણ ટીમ પ્રમ ક્રમાંકે રહેશે. ગઈ કાલે કોલકાતાના ઇડન ગાર્ડનમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાને કચડી નાખ્યું હતું અને 243 રનથી સજ્જડ હાર આપી હતી.

ટીમ ઇન્ડિયાએ ગઈ કાલની મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 326 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 121 બોલમાં 101 રન બનાવ્યા હતા શ્રેયસ ઐયરે 77 રન બનાવ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં માત્ર 83 રનમાં ખખડ્યું હતું. 34 વર્ષીય રવીન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકાને 33 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે 243 રનના રેકોર્ડ માર્જિનથી ત્રીજી સૌથી મોટી જીત મેળવી હતી.

જેથી પાકિસ્તાની ભૂતપૂર્વ કેપ્ટનો- વાસિમ અક્રમ, શોએબ મલિક, મોઇન ખાન અને મિસ્બાહ ઉલ હકે સવાલ કર્યો હતો કે આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને અટકાવવાનો રસ્તો કયો? એ સવાલના જવાબમાં એ શોમાં શોએબ મલિકે ત્રણ શબ્દો કહ્યા હતા. ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરનાર 41 વર્ષીય રાઇટ હેન્ડેડ બેટરે કહ્યું હતું કે ‘ટીવી બંધ કરી દો’ એનો આ જવાબનો વિડિયો વાઇલ થઈ રહ્યો છે.

અક્રમે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ન્યુ ઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સહિત દરેક ટીમ એમ જ કહી રહી છે અને સેમી-ફાઇનલમાં રમનારી ટીમો પણ એમ કહી રહી છે કે તેઓ ઘણું સારો દેખાવ કરી રહ્યા છે અને એનું પ્લાનિંગ એક વર્ષથી તેમણે કરી રાખ્યું છે.

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 06/11/2023 થી 12/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.


મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે.  પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.

કોરાનાના આઠ નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 8 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,384 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,294 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,904 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 27 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 194 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,75,536 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 31 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ઓસ્ટ્રેલિયા: રિસોર્ટ હોટેલમાં કાર ઘૂસી ગઈ; પાંચ જણના કચડાઈ જવાથી મોત

મેલબર્નઃ આ શહેરથી આશરે 110 કિ.મી. દૂર આવેલું ડેલેસફોર્ડ નગર પર્યટકોમાં ઘણું લોકપ્રિય છે. ત્યાં ગઈ કાલે સાંજે એક દુઃખદ ગમખ્વાર બનાવ બન્યો હતો. રોયલ ડેલેસફોર્ડ હોટેલ નામના એક પબમાં અનેક મહેમાનો-ગ્રાહકો મોજ માણી રહ્યાં હતાં ત્યારે એક ધસમસતી કાર ઘૂસી આવી હતી અને ઘણા લોકોને કચડી નાખ્યા હતા. એમાંના પાંચ જણના મરણ થયા હતા અને બીજા અનેકને ઈજા થઈ છે. મૃતકોમાં બે બાળકનો પણ સમાવેશ થાય છે. ચાર જણના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ગંભીર રીતે જખ્મી થયેલી એક છોકરીને હેલિકોપ્ટરની મદદથી મેલબર્નની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ બાદમાં એનું મૃત્યુ થયું હતું. મૃતકો બે પરિવારનાં સભ્યો હતાં જેઓ એકબીજાંને જાણતાં હતાં.

અનેક લોકો હોટેલની બહારના ભાગમાં ઘાસની લોન પર બેસીને ખાણીપીણીની મજા માણી રહ્યાં હતાં ત્યારે અચાનક એક એસયૂવી કાર ધસમસતી ત્યાં આવી હતી અને ઘણા ટેબલ-ખુરશીઓ સાથે અથડાઈ હતી. કારે કેટલાકને ફંગોળી દીધા હતા તો કેટલાકને કચડી નાખ્યા હતા. ભોગ બનેલા લોકો સ્થાનિક રહેવાસીઓ નહોતાં. એમની ઓળખ કરવાની હજી બાકી હતી. કારે કરેલા અકસ્માતનું ખરું કારણ પણ હજી જાણવા મળ્યું નથી. કારનો ડ્રાઈવર 66 વર્ષનો શખ્સ હતો. પોલીસે તેને પકડી લીધો હતો. એની ટેસ્ટ લેવાતાં એના શરીરમાં આલ્કોહોલ ન હોવાનું માલુમ પડ્યું હતું. એને મામુલી ઈજા થઈ છે અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ પોલીસ એને તાબામાં લેશે અને પૂછપરછ કરશે.

એલ્વિશ યાદવ ગુનેગાર જણાશે તો પોલીસ પગલું ભરશે: હરિયાણા CM

ચંડીગઢઃ સાપનું ઝેર સપ્લાઈ કરવાના કેસમાં હરિયાણાનિવાસી યૂટ્યૂબર એલ્વિશ યાદવ સામે ઉત્તર પ્રદેશના નોઈડા શહેરની પોલીસે એફઆઈઆર ફરિયાદ નોંધી છે. આ સંદર્ભમાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે કેસની કાર્યવાહીમાં પોતાનો કોઈ પ્રભાવ નથી અને તપાસમાં જો એલ્વિશ ગુનેગાર જણાશે તો પોલીસ એની સામે પગલું ભરશે, એવું તેમણે ભારપૂર્વક કહ્યું છે. ‘અમારે આ કેસમાં કંઈ કહેવું નથી. જો એણે (એલ્વિશ યાદવે) કંઈ ખોટું કર્યું હશે તો એને સજા કરવામાં આવશે,’ એમ ખટ્ટરે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એલ્વિશ યાદવ ‘બિગ બોસ OTT-સીઝન 2’નો વિજેતા બન્યો છે. તેના પ્રશંસકો સાથેના મિલન સમારંભમાં ખટ્ટર મંચ પર હાજર રહ્યા હતા અને ઉક્ત શોમાં વિજેતા બનવા બદલ એમણે એલ્વિશને અભિનંદન આપ્યા હતા. ઘણા ઈન્ટરનેટ યૂઝર્સે આ માટે ખટ્ટરની ટીકા કરી છે. એલ્વિશ યાદવ ગઈ 18 ઓગસ્ટે ચંડીગઢમાં ખટ્ટરને એમના સત્તાવાર નિવાસસ્થાને મળવા ગયો હતો. ત્યારે ખટ્ટરે એને અભિનંદન આપ્યા હતા.

નોઈડા અને પડોશના હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં યોજાતી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે સાપનું ઝેર સપ્લાઈ કરવા માટે કોબ્રા સહિતના સાપનું ઝેર સપ્લાઈ કરવાના આરોપસર પોલીસે એલ્વિશ યાદવ સહિત છ જણ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આ કેસમાં પાંચ જણની ધરપકડ કરી છે. એલ્વિશ હજી ફરાર છે.

રેવ પાર્ટીઓ વાસ્તવમાં કેફી દ્રવ્યોના સેવન માટેની ગેરકાયદેસર ખાનગી મિજબાનીઓ (ઉજાણીઓ) હોય છે. તેમાં ભાગ લેનારાઓને સમય જતાં ભોગવવું પડે છે. આવી પાર્ટીઓમાં હાઈ પ્રોફાઈલ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે.

રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાઈ કરવાની પ્રવૃત્તિઓમાં પોતાની સંડોવણી હોવાનો એલ્વિશે અજ્ઞાત સ્થળેથી રિલીઝ કરેલા અંગત યૂટ્યૂબ વીડિયો નિવેદનમાં રદિયો આપ્યો છે અને કહ્યું છે કે જો આ કેસમાં પોતે સંડોવાયો છે એવું એને જણાશે તો એ પોલીસને શરણે આવી જશે.