Home Blog Page 2301

ઉત્તરકાશી ટનલ બચાવકાર્ય: વર્ટિકલ ડ્રિલિંગમાં પ્રગતિ, બે દિવસમાં ખુશખબરની ધારણા

ઉત્તરકાશી (ઉત્તરાખંડ): ગઈ દિવાળીના દિવસથી અહીંની બાંધકામ હેઠળની સિલક્યારા ટનલમાં ફસાઈ ગયેલા 41 કામદારોને બચાવવાની કામગીરીનો આજે 16મો દિવસ છે. મોટી ભેખડ (પહાડ) ધસી પડવાને કારણે ટનલનું પ્રવેશદ્વાર બંધ થઈ ગયું છે અને કામદારો અંદર ફસાઈ ગયા છે. પહાડની ટોચ પરથી વર્ટિકલ (ઊભું) ડ્રિલિંગ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 31 મીટરનું ડ્રિલિંગ કામ પૂરું થઈ ગયું છે. કામદારો 86 મીટરના અંતરે છે. કામદારોને બચાવવા માટે 1.2 મીટર ડાયામીટરની પાઈપલાઈન નાખવા માટે આ ડ્રિલિંગ વર્ક કરવામાં આવી રહ્યું છે.

હોરિઝોન્ટલ (આડા) ડ્રિલિંગ કામ માટે ઉપયોગમાં લેવામાં આવેલું અમેરિકન ઓગર મશીન તૂટી જતાં વર્ટિકલ ડ્રિલિંગનો વિકલ્પ હાથ ધરાયો છે. ટનલના કાટમાળમાં ફસાઈ ગયા બાદ ઓગર મશીનના ટૂકડા થઈ ગયા હતા. મશીન જ કાટમાળમાં ફસાઈ ગયું હતું. પણ એન્જિનિયરો તે મશીનને કાટમાળમાંથી હટાવી દેવામાં આજે સવારે સફળ થયા છે. હવે જો કોઈ અવરોધ ન આવે તો શ્રમિકો સુધી બે જ દિવસમાં પહોંચી શકાશે. વર્ટિકલ ડ્રિલિંગ કામ માટે 100 કલાકનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. દરમિયાન, લાઈફલાઈન (150 વ્યાસની પાઈપલાઈન) મારફત શ્રમિકોને નિયમિત રીતે તાજું તેમજ સૂકું ભોજન, ફળ, દવાઓ મોકલવામાં આવી રહ્યા છે.

બાળકોની ચોરીઃ મહારાષ્ટ્રમાં વધુ 2ની ધરપકડ; કુલ 10 બદમાશ પકડાયા

મુંબઈઃ ક્રાઈમ બ્રાન્ચ વિભાગના અમલદારોએ બાળકોની ચોરી કરતી ટોળકી વિરુદ્ધ જોરદાર કાર્યવાહી શરૂ કરી છે. એમણે વધુ બે જણની ધરપકડ કરી છે. આમાંના એક જણને મુંબઈ નજીકના વિરારમાંથી અને બીજાને ચિપલુણમાંથી પકડ્યો છે. આ સાથે આ ગેરપ્રવૃત્તિ કરનાર કુલ 10 જણ પકડાયા છે. આ બદમાશો બાળકોને ઉપાડી જઈ એમને વેચી દેતા હતા.

બાળકોની ચોરીની ગુનાઈત પ્રવૃત્તિનું નેટવર્કનું મૂળ મુંબઈના અંધેરી ઉપનગરમાં હોવાનું માલૂમ પડ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા એક દંપતીની ધરપકડ કરાતા ચોંકાવનારી વિગતો પોલીસને જાણવા મળી છે. ગુનેગાર પતિ-પત્ની બાળકોની હેરાફેરી કરતી એક ટોળકી સાથે સંકળાયેલા છે. લૂખ્ખા-બદમાશો મારફત બાળકોને ઉઠાવી લેવાયા બાદ પતિ-પત્ની હરામખોરોની ટોળકીને વેચી દેતા હતા. પોલીસો આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છે. એમનો ઉદ્દેશ્ય ઉપાડી જવાયેલા બાળકોને ગેરકાયદેસર કસ્ટડીમાંથી બચાવવાનો અને એમના માતાપિતાને પરત કરવાનો છે. આ દાણચોરીમાં સંડોવાયેલા લોકોને પકડીને જેલભેગા કરવામાં આવશે.

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

સુવિચાર – ૨૭ નવેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૨૭ નવેમ્બર, ૨૦૨૩

૨૭ નવેમ્બર, ૨૦૨૩

૨૭ નવેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 27/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

રાશિ ભવિષ્ય 27/11/2023 થી 03/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે.. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

પંચાંગ 27/11/2023

બીજી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી-20 શ્રેણીમાં પણ 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પહેલા રમતા ભારતે યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને રિંકુ સિંહની તોફાની ઈનિંગ્સને કારણે 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ બીજી T20 44 રને જીતી લીધી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ ડેવિડે 37 રનની ઇનિંગ રમી હતી અને મેથ્યુ વેડે 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત માટે પ્રખ્યાત કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય મુકેશ કુમાર, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને એક-એક સફળતા મળી છે.

ભારતે ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ઓપનર યશસ્વી જયસ્વાલે 53 રનની ઇનિંગ રમી હતી, જેના માટે તેણે માત્ર 25 બોલ જ ખર્ચ્યા હતા. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. બીજા છેડે ઈશાન કિશને 32 બોલમાં 4 સિક્સ અને 3 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયવાડે સમજદારીપૂર્વક બેટિંગ કરી અને 43 બોલમાં 58 રન બનાવ્યા. આ પછી રિંકુ સિંહે છેલ્લી બે ઓવરમાં સ્કોરબોર્ડ વધારવાની જવાબદારી લીધી. તેણે માત્ર 9 બોલ રમ્યા અને 31 રન બનાવ્યા. જેમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ પણ યજમાન ટીમને આવી જ લડત આપી હતી.

 

ગુજરાતમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી 13 લોકોના મોત

ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો કહેર પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી 13 લોકોના મોત થયા છે. દાહોદમાં વીજળી પડવાથી 3 અને ભરૂચમાં 2 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં વીજળી પડવાથી 1-1ના મોતના સમાચાર છે. અમરેલી જિલ્લામાં વીજ કરંટ લાગવાથી 16 વર્ષના છોકરાનું મોત થયું હતું

 

રાજ્યમાં વીજળી પડવાથી પશુઓના મોતના અહેવાલો પણ છે. અત્યાર સુધીમાં કુલ 39 પશુઓના મોત થયા છે. ખેડામાં સૌથી વધુ 15 પશુઓના મોત થયા છે. વરસાદની વાત કરીએ તો રાજ્યના 229 તાલુકાઓમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો. 65 તાલુકામાં 1 ઈંચથી લઈને 4.4 ઈંચ સુધીનો વરસાદ થયો છે. સુરેન્દ્રનગર તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સાડા ત્રણ ઈંચ, ભાભર અને રાધનપુરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં થયો છે

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત લગભગ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે. અહીં રાજકોટ જિલ્લામાં હાઇવે પર એટલો બધો કરા પડ્યો કે થોડા સમય માટે કાશ્મીર જેવો નજારો બની ગયો હતો. વાહનો દ્વારા જતા લોકો સેલ્ફી લેવા લાગ્યા. જેના કારણે માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની આશંકા છે.

ખેડૂતો તેમના પાકને લઈને ચિંતિત છે

આ વર્ષે સૌરાષ્ટ્રમાં બિપરજોય ચક્રવાતને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ દરમિયાન ધારી, અમરેલી, જૂનાગઢ અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. આ વરસાદને કારણે ગ્રામજનો તેમના પાકની ચિંતા કરવા લાગ્યા છે.