Home Blog Page 2188

કોન્સ્ટેબલના મૃત્યુને પગલે જીવલેણ માંજા વિરુદ્ધ મુંબઈ પોલીસનો ઝપાટો

મુંબઈઃ વરલીમાં રહેતા અને ગોરેગાંવ (પૂર્વ)ના દિંડોશી પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલનું પતંગનો માંજો ગળામાં ભરાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા બાદ શહેરના પોલીસ તંત્રએ ખતરનાક એવા ચાઈનીઝ માંજા વિરુદ્ધ જોરદાર કાર્યવાહી આદરી છે. ઓછામાં ઓછા પાંચ પોલીસ સ્ટેશનોએ ચાઈનીઝ માંજો વેચતા, એનો સંગ્રહ કરતા કે ઉપયોગ કરતી વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. પતંગનો માંજો ગળામાં ભરાઈ જવાથી વ્યક્તિઓને ઈજા થવાની કે મૃત્યુ થવાની ઘટનાઓમાં તાજેતરના સમયમાં ઉછાળો આવ્યો છે.

દિંડોશી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સમીર જાધવ ગયા રવિવારે એમની મોટરસાઈકલ પર ઘેર પાછા ફરતા હતા ત્યારે સાંતાક્રુઝ (પૂર્વ)ના વિસ્તારમાં એમના ગળામાં પતંગનો માંજો ભરાઈ ગયો હતો. એને કારણે તેઓ બાઈક પરથી પડી ગયા હતા અને ગંભીર રીતે જખ્મી થયા હતા. ખેરવાડી (બાન્દ્રા પૂર્વ) પોલીસ સ્ટેશને તે ઘટનાનો સ્વયં કેસ નોંધ્યો છે અને જોખમી માંજાના વેચાણ અને ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીને ઉગ્ર બનાવી છે.

(પ્રતિકાત્મક તસવીર)

પોલીસે નાઈલોનના માંજા સાથે પતંગ ચગાવતા બે ભાઈઓને પકડ્યા છે. આ ઉપરાંત આ બંને જણને તે માંજો વેચરનાર વેપારીની પણ ધરપકડ કરી છે. ગોરેગાંવ (પશ્ચિમ)ના બાંગૂર નગર પોલીસ સ્ટેશને ચાઈનીઝ માંજાને વેચવાના ઈરાદા સાથે એનો સંગ્રહ કરનાર એક શખ્સની ધરપકડ કરી છે. દિંડોશી પોલીસ સ્ટેશને 19 વર્ષના એક યુવક સામે ગુનો નોંધ્યો છે, એવી જ રીતે, મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારની પોલીસે 36-વર્ષના એક પુરુષની અને સહાર (અંધેરી પૂર્વ) પોલીસ સ્ટેશને 70 વર્ષના એક જણની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ પર પોલીસે ભારતીય ફોજદારી કાયદાની કલમ 336 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે કહ્યું છે કે મકર સંક્રાંતિ તહેવારને લીધે જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી પતંગ ચગાવવાનું વધશે. તે સાથે જ પોલીસતંત્ર ચાઈનીઝ માંજો વેચનારાઓ વિરુદ્ધ પોતાની કાર્યવાહીને કડક બનાવશે.

રણબીર કપૂર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો કેમ ?

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રિસમસ સેલિબ્રેટ કરતા અભિનેતાનો વીડિયો વાયરલ થયા બાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મામલે FIR નોંધવામાં આવી નથી.

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Desai (@poojadesai)

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો ક્રિસમસ સેલિબ્રેટ કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર કેક પર શરાબ રેડતા અને ‘જય માતા દી’ કહેતા જોવા મળે છે. આ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા. આ વીડિયોને લઈને સંજય તિવારીએ પોતાના વકીલ આશિષ રાય અને પંકજ મિશ્રા મારફતે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

IND Vs AFG: T20માં કેપ્ટનશિપને લઈને ભારતની મુશ્કેલી વધી

અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે જઈ રહી છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. જેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવતા અઠવાડિયે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. આ સિરીઝ પહેલા ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમની કેપ્ટનશીપને લઈને મોટી સમસ્યા છે. હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ પંડ્યા ટીમની બહાર છે. અહેવાલો અનુસાર, હાર્દિક અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાંથી પણ બહાર રહી શકે છે. હાર્દિક બાદ સૂર્યકુમાર યાદવ પણ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં તેના રમવાની શક્યતા ઘણી ઓછી છે. હવે મોટો સવાલ એ છે કે અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન કોણ હશે.

રોહિત શર્મા વાપસી કરી શકે છે

હાર્દિક અને સૂર્યકુમારની ઈજાઓ બાદ એવી આશા છે કે રોહિત શર્મા ફરી એકવાર T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી શકે છે. રોહિત શર્મા ફરી ટી-20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા સાથે અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણી માટે ટીમની કેપ્ટનશીપને લઈને લાંબી ચર્ચા થઈ હતી. જો કે ટીમનું નેતૃત્વ કોણ કરશે તે પસંદગીકારો પર નિર્ભર છે. પરંતુ ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણી ટીમ માટે ઘણી મહત્વની છે.

રોહિત એક વર્ષથી T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી

રોહિત શર્મા છેલ્લા એક વર્ષથી એકપણ T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. રોહિત શર્મા છેલ્લે ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. ODI વર્લ્ડ કપ બાદ રોહિતે BCCIને વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી બ્રેક માંગી હતી. હાલમાં, રોહિત દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. હવે ચાહકોને આશા છે કે રોહિત શર્મા ફરી એકવાર અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

ભવિષ્યના રોગચાળા માટે વિશ્વએ તૈયારી કરવી જોઈએઃ UN પ્રમુખ

સંયુક્ત રાષ્ટ્રઃ ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેડકનેસના દિવસે UN સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે કોવિડ રોગચાળાના સંકટમંથી સબક લેતાં ભવિષ્ટના રોગચાળાઓ વિરુદ્ધ વૈશ્વિક તૈયારીઓ પર ભાર મૂકતો સંદેશ આપ્યો હતો. જ્યારે હવે આગામી રોગચાળો આવશે તો એ માટે અમારે સારી રીતે કામગીરી કરવી પડશે, પણ હજી અમે એ માટે તૈયાર નથી અને એટલે કોવિડ19માંથી પદાર્થપાઠ લઈને કામ કરવું પડશે, એમ UNના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આપણે શ્રીમંત દેશોની મહામારી સામે આરોગ્યની સારસંભાળની જમાખોરી ને નિયંત્રણની નૈતિક અને મેડિકલ ઇમર્જન્સીને ત્યાગવી જોઈએ અને દરેક જણ પાસે નિદાન, સારવાર અને રસી ઉપલબ્ધ થાય છે. તેમણે કહ્યું હતું કે એ માટે વૈશ્વિક સહયોગની જરૂર છે. વિશ્વના વારસની દેખરેખમાં સુધારો કરવાની જરૂર છે. આરોગ્યની સુવિધાને વધુ સારી બનાવવી જોઈએ અને આરોગ્યની સુવિધા સૌને મળી રહેવી જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે કહ્યું હતું કે સૌને માટેના પ્રયાસ સફળ થઈ રહ્યા છે. રોગચાળાને અટકાવવાની તૈયારી અને સપ્ટેમ્બરમાં આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠક એક સારી રાજકીય જાહેરાત સાથે પૂરી થઈ છે, જે એક મહામારી સમજૂતીની દિશામાં ચાલી રહેલી વાતચીતની પૂરક છે. સંયુક્ત રાષ્ટ્રએ સાત ડિસેમ્બરે પ્રસ્તાવમા 27 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારીના દિવસ ઘોષિત કર્યો છે.

 

 

 

 

 

 

મુંબઈ, જયપુર સહિત દેશના 7 એરપોર્ટને બોમ્બ વડે ફૂંકી મારવાની ધમકી મળી

જયપુરઃ દિલ્હી અને જયપુરના વિમાનીમથકોના અડધા ડઝન જેટલા અધિકારીઓને ઈમેલ મળ્યો છે જેમાં એવી ધમકી આપવામાં આવી છે કે સાત શહેરના એરપોર્ટ અને વિમાનોને બોમ્બ વિસ્ફોટ વડે ફૂંકી મારવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઈમેલ ગઈ કાલે રાતે 10.23 વાગ્યે આવ્યો હતો. એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી, જયપુર, લખનઉ, ચંડીગઢ, મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ એરપોર્ટને બોમ્બ વડે ફૂંકી મારવામાં આવશે.

આ ધમકીભર્યા ઈમેલને કારણે જયપુર એરપોર્ટ ખળભળાટ મચી ગયો હતો. આ ઈમેલ સત્તાવાર કસ્ટમર કેર આઈડી પર આવ્યો હતો. આની જાણ થતાવેંત સીઆઈએસએફ તંત્રના અધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો હતો. એમને તેમાં સ્થાનિક પોલીસો સહાયતા કરી રહ્યા છે. જવાનોએ તપાસ અને સંભવિત બોમ્બની ખોજ શરૂ કરી દીધી છે. સાથોસાથ એરપોર્ટ તથા અહીં ઉતરનારી ફ્લાઈટ્સની તલાશી અને સફાઈ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

માર્કેટ કેપિટલાઝેશનની દ્રષ્ટિએ દેશનું શેરબજાર NSE ચોથા ક્રમે

મુંબઈઃ દેશમાં ઈક્વિટી ઓપ્શન્સમાં વધી રહેલા ટ્રેડિંગને પગલે શેરબજારમાં ઇન્ડાયસિસ નવા ઉચ્ચતમ શિખરે પહોંચ્યા છે એ સાથે શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં માત્ર આઠ મહિનામાં એક કરોડનો વધારો થયો છે. રોકાણકારોની સંખ્યા સપ્ટેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા આઠ મહિનામાં સાત કરોડ પરથી વધીને આઠ કરોડની થઈ છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે બહાર પાડેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

દેશના શેરબજારમાં માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4 લાખ કરોડ (4 ટ્રિલિયન)ને આંબી ગયું છે, જે વિશ્વના દેશોમાં ચોથા ક્રમે છે. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ સૌથી મોટું અર્થતંત્ર અમેરિકા છે અને તે પછીના ક્રમે ચીન અને જપાન છે. બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે 11 સપ્ટેમ્બરે 20,000ની અને 8 ડિસેમ્બરે 21,000ની સપાટી વટાવી હતી.

ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કરન્સી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 65 ટકા હિસ્સા અને બધા એસેટ ક્લાસના 61 ટકા હિસ્સા સાથે ટોચ પર છે.

ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં ઓછામાં ઓછું એક વાર ટ્રેડિંગ કર્યું હોય એવા રોકાણકારોની સંખ્યા એક વર્ષમાં આશરે 31 ટકા વધીને 83.6 લાખની થઈ છે. કેશ માર્કેટમાં આવા રોકાણકારોની સંખ્યા જળવાઈ રહી છે, જ્યારે કરન્સી ડેરિવેટિવ્ઝમાં આવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

ઈક્વિટી ઓપ્શન્સમાં સોદાઓની કુલ સંખ્યા 134 ટકા વધી છે, જ્યારે ઈક્વિટી ફ્યુચર્સ, કરન્સી ફ્યુચર્સ અને કોમોડિટી ઓપ્શન્સમાં આગલા વર્ષની તુલનાએ આશરે 32 ટકાથી અધિકનો ઘટાડો નોંધાયો છે. એ જ પ્રમાણે ઈક્વિટી ઓપ્શન્સમાં કુલ ટર્નઓવર અને દૈનિક સરેરાશ ટર્નઓવર અનુક્રમે 30 અને 33 ટકા વધ્યું છે.

 

 

 

 

 

રૂ.400 કરોડનો જીએસટી વેરો ન ચૂકવવા બદલ ઝોમેટોને નોટિસ

મુંબઈઃ જીએસટી સત્તાવાળાઓ તરફથી રૂ. 400 કરોડની રકમની કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હોવાના સમાચારને પગલે શેરબજારમાં ઝોમેટો કંપનીનો શેર નીચા માથે પછડાયો હતો. આ નોટિસ ડિલિવરી ચાર્જિસની ચૂકવણી ન કરાઈ હોવા બદલ મોકલવામાં આવી છે. આને કારણે ફૂડ ડિલિવરી કંપની સત્તાવાળાઓના સકંજામાં આવી છે.

ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ) સંસ્થાએ ગયા મહિને ઝોમેટો અને તેની હરીફ કંપની સ્વિગી, બંનેને પેન્ડિંગ જીએસટી ચૂકવણી મામલે ડીમાન્ડ નોટિસ મોકલી હતી. ઝોમેટોએ જીએસટી પેટે રૂ. 400 કરોડના ચૂકવવાન નીકળે છે. સ્વિગીને રૂ. 350 કરોડ ચૂકવવાનું જણાવાયું છે.

ઝોમેટોએ આ નોટિસના જવાબમાં એક નિવેદનમાં કહ્યું છે કે ડિલિવરી ચાર્જિસ પર પોતે કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવાને બંધાયેલી નથી. કારણ કે ડિલિવરી ચાર્જ ડિલિવરી પાર્ટનર્સ વતી વસૂલ કરવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે

ગાંધીનગરઃ પંદરમી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી મળશે, એમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. લોકસભા ચૂંટણીને કારણે બજેટ સત્ર વહેલું શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભામાં રજૂ કરાશે.

સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ મુજબ પહેલી ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

તેમણે કહ્યું હતું કે  વર્ષ૨૦૨૪-૨૫નું બજેટ બીજી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માગ ઉપર ચર્ચા તેમ જ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ  કરવામાં આવેલા બજેટ સત્રમાં ૨૬ બેઠકોમાં ચર્ચા થશે. આ સત્રમાં સરકારી વિધેયકો તેમ જ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમ જ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્રમાં દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના ૨૪ દિવસ રહેશે.

 

 

 

 

 

અયોધ્યા રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ તરીકે ઓળખાશે

અયોધ્યાઃ અયોધ્યા રેલવે સ્ટેશનનું બદલાઈ ગયું છે. રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામના નામથી ઓળખવામાં આવશે. રેલવે સ્ટેશનનું નામ બદલવાના આદેશ ગઈ કાલે સાંજે જારી કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બે દિવસ પહેલાં નિરીક્ષણ દરમ્યાન અયોધ્યા ધામ સ્ટેશન નામ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, એ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અયોધ્યા ધામ રેલવે સ્ટેળનનું ઉદઘાટન વડા પ્રધાન મોદીને હસ્તે 30 ડિસેમ્બરે થશે.

અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની તૈયારીઓનો તાગ મેળવવા ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. PM મોદી અયોધ્યા પહોંચે તે પહેલાં ત્યાંના સાંસદ લલ્લુ સિંહે અયોધ્યા રેલવે સ્ટેશનના નામ સાથે જોડાયેલી એક મોટી જાણકારી X દ્વારા શેર કરી છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નામ હવે બદલીને ‘અયોધ્યા ધામ’ જંકશન કરવામાં આવ્યું છે.

તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અયોધ્યા જંક્શન ‘અયોધ્યા ધામ’ જંક્શન બની ગયું, ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ, લોકોની અપેક્ષા મુજબ નવા બનેલા ભવ્ય અયોધ્યા રેલ્વે સ્ટેશનના અયોધ્યા જંકશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે.

અયોધ્યા ધામ રેલવે સ્ટેશન બનીને તૈયાર છે અને પહેલી જાન્યુઆરીએ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. PM મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે. શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ વડા પ્રધાન મોદી લોકાર્પણ કરશે

તેમણે આગામી પોસ્ટમાં જણાવ્યું હતું કે જે માટે હું આદરણીય સંતો, અયોધ્યાના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યામાં એક મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત ‘સૂર્ય સ્તંભો’ થી શણગારવામાં આવી રહ્યો છે. દરેક 30 ફૂટ ઊંચા સ્તંભમાં સુશોભન વર્તુળ હોય છે, જે રાત્રે જ્યારે પ્રકાશ પ્રગટાવવામાં આવે છે ત્યારે સૂર્ય જેવું લાગે છે.

 

 

 

કોરાનાના 575 નવા કેસો, છનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 109 દર્દી મળી ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 575 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,10,189 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,346 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,73,448 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 603 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4097 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

હાલમાં WHO અને ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે JN.1 ને વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ શકે છે. જોકે રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

લોકોને ક્રિસમસ અને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.