Home Blog Page 2123

“વૃદ્ધ લોકોનું શાણપણ”

વૃદ્ધ લોકો બાળકોથી જરાય અલગ નથી! જીવનમાં તેમને કેટલીક આદતો પડી ગઈ હોય છે, ત્યારે આપણે તેઓને જેવાં છે એવા જ સ્વીકારી લેવા પડે. આપણે વૃદ્ધ લોકોને રાતોરાત અથવા થોડાં સમયમાં બદલી શકતા નથી. આપણે આર્ટ ઓફ લિવિંગના પ્રથમ સિદ્ધાંતને અપનાવવો જોઈશે અને તેઓને જેવા છે તેવા સ્વિકારી લેવા પડશે.

તેઓ જે કહે છે તેમાં થોડુક શાણપણ છે. તેઓ જે કંઇ કહે છે એ એમના વર્ષોના અનુભવ પરથી કહે છે.
જો આપણે તેમને જેવાં છે તેવાં જ સ્વિકારી શકીએ તો એક ચમત્કાર થાય. જો આપણે એમને થોડી મોકળાશ અને પ્રેમ આપીએ અને થોડી કરુણા રાખીએ, તો તેઓ ધીમે ધીમે બદલાવા લાગે છે. પરંતુ આપણે પણ ખૂબ ધીરજ રાખવી જોઈશે.

જો ક્યારેક તેઓ નારાજ કે દુઃખી હોય, તો તેને આપણે બહુ ગંભીરતાથી ન લેવું જોઈએ, નહિ તો આપણો તેમની સાથેનો વાતચીતનો તંતુ જ તૂટી જશે. તેઓ આપણી વાત સમજે કે સ્વીકારે એવો આગ્રહ ન રાખવો. કેટલીકવાર, તેઓ ફક્ત આપણી આગળ પોતાનું હૈયું જ હળવું કરવા માંગતા હોય છે. ક્યારેક તેઓ કંઈ બબડાટ કરતા હોય તો શક્ય છે કે એમાં કોઈ તથ્ય ન હોય અથવા તેઓ ખરેખર દિલથી એમ ન કહેવા માગતા હોય! કેટલાક વડીલો જે ખૂબ જ વૃદ્ધ અથવા બીમાર છે તેઓ ફક્ત આપણી સાથે વાતચીત કરવા માંગે છે, પરંતુ તેઓ શું વાત કરે? શેના અંગે વાત કરે?
અતિઆનંદની અવસ્થા હોય, સુખ હોય કે દુઃખ હોય, મનુષ્ય માત્રની ભીતર એક એવો ભાગ છે જે સદાય આ બધાંથી અલિપ્ત છે.

જ્યારે આપણે આપણા કોઈ અંગત મિત્ર કે સ્વજનને મળીએ છીએ ત્યારે હંમેશા તેની પાસે સ્મિત અને આનંદ સાથે નથી જતા. આપણે આપણી સમસ્યાઓ અને ફરિયાદો સાથે પણ જઈએ છીએ. ખરું ને? ધારો કે આપણે કોઈ મોટી પાર્ટીમાં ગયા છીએ, તો આપણે આપણા અંગત મિત્રને શોધીને શું વાત કરીશું? કે “પાર્ટી સારી છે, પરંતુ આ વસ્તુ વધુ સારી રીતે થઈ શકે અથવા આના કરતા આમ કર્યું હોત તો સારું થાત!” આપણે આપણા અંગત મિત્રોને મળીને આવી ફરિયાદ કરીશું, પરંતુ આપણે જેણે પાર્ટી રાખી છે તે યજમાનને આવી ફરિયાદ નહીં જ કરીએ ને? આ વૃદ્ધ લોકોનું પણ એવું જ છે!

એક સરસ વાર્તા છે. એક માણસ ખૂબ ધન કમાયો અને પછી તેની બધી મિલકત તેણે તેના પુત્રને આપી દીધી. પુત્રને જ્યારે બધું જ મળી ગયું, ત્યારે તેણે પોતાના માતાપિતા માટે વિશાળ ઘરની પાછળ એક નાનું આઉટહાઉસ બનાવ્યું અને તેમને કહ્યું, “હવે તમારે ત્યાં રહેવું પડશે.” તેથી વૃદ્ધ દંપતી ત્યાં જ રહેવા લાગ્યું અને પુત્ર પોતાના પરિવાર સાથે મોટા બંગલામાં રહેવા લાગ્યો. એક દિવસ રમતા રમતા પૌત્ર તેના દાદાના ઘરે આવ્યો, જ્યાં બધું જ રાચરચીલું અને ઘરવખરી ખૂબ જૂનાં અને બિસ્માર હાલતમાં હતા. અને ખૂબ જ નબળી, દયનીય સ્થિતિમાં આ માતાપિતા ત્યાં રહેતા હતાં. જૂના વાસણો, જૂની ખુરશીઓ, તદ્દન નક્કામો થઈ ગયેલો સામાન. ગમે ત્યારે તૂટી શકે તેવી વસ્તુઓ એ ઘરમાં રાખવામાં આવી હતી. તેથી પૌત્રએ આવીને તેના દાદાને કહ્યું, “દાદા, તમારી થાળી અને ખુરશીને ખૂબ કાળજીથી વાપરજો. તોડશો નહીં!” દાદાએ કારણ પૂછ્યું, ત્યારે બાળકે કહ્યું, “કારણ કે ભવિષ્યમાં, મારા પિતાને પણ આ બધી વસ્તુઓને વાપરવાની જરૂર પડશે.” બાળકના પિતાએ આ સાંભળ્યું અને તેઓ ચોંકી ગયા. પેલા નાના છોકરાએ કહ્યું, “દાદા, આને તોડશો નહીં કારણ કે કાલે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું મારા પિતાને પણ અહીં જ મોકલવાનો છું. એટલે આ બઘું સાચવી ને રાખવુ સારું!”

આપણને આ હકીકતનો ખ્યાલ નથી કે આપણે પણ એક દિવસ વૃદ્ધ થવાના છીએ, તેમના જેવા જ થવાના છીએ. જો આપણને એમ લાગે કે ઘરના વૃદ્ધ લોકો આખો દિવસ ફરિયાદ કરી રહ્યા છે, અને આપણને તે ગમતું નથી, તો આપણે પણ આજથી જ તે રીતે વર્તવાનું બંધ કરવું જોઇએ. આખો દિવસ ખોડખાંપણ કાઢવાની અને ફરિયાદો કરવાની ટેવ છોડી દેવી જોઇએ. અને જો ઘરના વડીલો ખૂબ ઉદાર, પ્રેમાળ, શાંત, કરુણામય હોય, તો આપણે પણ આજથી જ તેવા બનવાનો પ્રયાસ પ્રારંભ કરીએ.

અને એક વાત કહી દઉં કે, જો તમે આ આધ્યાત્મના માર્ગ પર છો, જ્ઞાનમાં છો, અને જો તમે નિયમિત રીતે પ્રાણાયામ અને ધ્યાન કરતા રહેશો, તો તમારી ઉંમર જાણે વધવાને બદલે ઘટશે! સતત કંઇક નવું શીખવાનો તમારો એ ઉત્સાહ હંમેશા જળવાઈ રહેશે અને તમારી સતર્કતા, જાગૃતિ અને એકાગ્રતા – બધું જ વધશે. તમે ઉંમર વધવાની સાથે લાગણીશૂન્ય અને નબળી બુદ્ધિવાળા નહીં બનો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

અમેરિકામાં ભારતીયો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી  

અમદાવાદઃ અમેરિકામાં ભારતીયો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા લોસ એન્જલસમાં આવેલા ગાયત્રી ચેતના મંદિરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે જેના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામના મોહક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ અને ઉમળકો અમેરિકામાં વસતા ભારતીયજનોમાં પણ જોવા મળ્યો હતો. અહીં ભવ્ય કાર રેલી અને ગરબા સાથે ભારતીય અમેરિકનોએ આ મહોત્સવની ઉજવણી કરી હતી. 

આ અંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ અને ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે ભારતીય ઇતિહાસના 500 વર્ષના લાંબા સંઘર્ષ કાળમાં લાખો હિન્દુઓએ આ પ્રભુ શ્રીરામની જન્મભૂમિની રક્ષા કાજે બલિદાન આપ્યા છે. ભારતીય રાજકારણમાં એકમાત્ર ભાજપે જ શ્રીરામ મંદિર નિર્માણના પ્રબળ સંકલ્પ સાથે ભારતીય પ્રજા સાથે જનઆંદોલન અને રાજકીય સંઘર્ષ કર્યો તેમ જ સત્તા પર આવતાની સાથે જ એ સંકલ્પ સાકાર કર્યો છે. આ સમારોહને લાઇવ ટેલિકાસ્ટ નિહાળી અને અમે સૌ ભારતીય અમેરિકન નાગરિકોએ ભવ્યતા અને દિવ્યતા તેમ જ પવિત્ર હૃદયથી શ્રીરામ ભગવાનની સ્તુતિ વંદના કરી આ પવિત્ર પ્રસંગને ઊજવ્યો હતો.

આ અંગે સેરિટોસ કોલેજ ફાઉન્ડેશનના ચેરમેન પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અમેરિકામાં પણ આપણે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના માધ્યમથી આ મહોત્સવની ભક્તિમય ઉજવણી કરી રહ્યા છીએ.

આ અંગે રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા સૌ માટે આ ક્ષણ રાષ્ટ્રચેતના અને રાષ્ટ્ર ગૌરવનો સમય છે. આ કાર્યક્રમમાં ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી, પશ્ચિમ ઝોન, પ્રમુખ પી.કે. નાયક, પબ્લિક અફેર્સ ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના રાજુભાઈ પટેલ , કૌશિક પટેલ અને ભાનુ પંડ્યા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતો, શ્રદ્ધાળુઓ અને રાજકીય તેમ જ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

ઓસ્કાર 2024: 13 નોમિનેશન્સની સાથે ‘ઓપનહાઇમર’ આગળ

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી લોકપ્રિય સિનેમા એવોર્ડ્સ ઓસ્કારે નોમિનેશન લિસ્ટ જારી કર્યું છે. 96મા ઓસ્કારના હોસ્ટ અને અભિનેતા જાજી બીટ્સ અને જેક કૈડે નોમિનેશન લિસ્ટની જાહેરાત કરી છે. આ વર્ષે આ લિસ્ટમાં બોક્સઓફિસ પર બ્લાકબસ્ટર રહેલી ‘ઓપનહાઇમર’ અને ‘બાર્બી’નો દબદબો છે. વર્ષ 2023 ઓસ્કાર ભારતીય ફિલ્મો માટે સારું સાબિત થયું હતું.

‘બાર્બી’ અને ‘ઓપનહાઇમર’ ગયા વર્ષે ઉનાળામાં એકસાથે રિલીઝ થઈ હતી. જે પછી બંનેનું નામ જોડીને ‘બાર્બેનહાઇમર’નું નામ આપવામાં આવ્યું હતું.હવે 96માં ઓસ્કાર એવોર્ડના લિસ્ટમાં બંને સામસામે છે. ‘બાર્બી’ને છ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે, જેમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ, કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફીમેલ, ઓરિજિનિલ સોંગ, પ્રોડક્શન ડિઝાઇન અને બેસ્ટ ફિલ્મ સામેલ છે.બીજી બાજુ, ‘ઓપનહાઇમર’ને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલ, કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફીમેલ, મેકઅપ અને હેર સ્ટાઇલ સ્ક્રીનપ્લે, ઓરિજિનિલ સ્કોર, પ્રોડક્શન ડિઝાઇન, ફિલ્મ એડિટિંગ, સાઉન્ડ, સિનેમેટોગ્રાફી સહિત 13 શ્રેણીઓમાં નોમિનેટ કરવામાં આવી છે. બંને ફિલ્મોની ઓડિયન્સ કેટલીય અલગ કેમ ના હોય, પણ બોક્સ ઓફિસ પર છેડાયેલી જંગ ઓસ્કાર એવોર્ડ્સ સુધી પહોંચી છે. જ્યારે ‘પુઅર થિંગ્સ’ આ યાદીમાં બીજા ક્રમે છે. આ ફિલ્મને 11 નોમિનેશન મળ્યા છે.આ યાદીમાં કોઈ ભારતીય ફિલ્મને સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ ભારતના એક નાનકડા ગામની વાર્તા પર આધારિત એક ડોક્યુમેન્ટરી નામાંકનમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ઓસ્કરે મંગળવારે સાંજે નોમિનેશનની સંપૂર્ણ યાદી જાહેર કરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કોરાનાના 220 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 220 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,23,954 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ  JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી સૌથી વધુ 512 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 483 કેસો નોંધાયા છે અને  કેરળમાં 182 કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,441 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,89,023 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 300 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1886 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,84,757 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 224 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

વાહ ભાઈ વાહ! – ૨૪ જાન્યુઆરી, ૨૦૨૪

વાહ ભાઈ વાહ! – ૨૪ જાન્યુઆરી, ૨૦૨૪

૨૪ જાન્યુઆરી, ૨૦૨૪

૨૪ જાન્યુઆરી, ૨૦૨૪

નોટ આઉટ @ 83 : પ્રોફેસર પ્રદીપ ખાંડવાળા

અમદાવાદની વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ(IIM-A)ના ભૂતપૂર્વ પ્રોફેસર અને ડાયરેક્ટર તથા ગુજરાતના આદરણીય કનૈયાલાલ મુનશીના દોહિત્ર એવા પ્રોફેસર પ્રદીપ ખાંડવાળાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મુંબઈમાં, બાળપણ કરાચીમાં. પિતાજી સ્વાતંત્ર-સેનાની અને પછી સિંધિયાની સબસીડરી કંપનીમાં મેનેજર. માતા (કનૈયાલાલ મુનશીના પુત્રી) ફર્ગ્યુસન કોલેજના ગ્રેજ્યુએટ. ઇંગ્લેન્ડ જઈ ડિપ્લોમા-ઇન-એજ્યુકેશન ભણ્યાં. પ્રદીપભાઈ મુંબઈમાં પોદ્દાર હાઇસ્કૂલમાં, ન્યુ-એરા હાઇસ્કુલમાં અને કેથેડ્રલ સ્કૂલમાં ભણ્યા. નરમ-ગરમ તબિયતને કારણે વિજ્ઞાનને બદલે કોમર્સ વિદ્યાશાખામાંથી બી.કોમ. કર્યું. અને CA કર્યું (આખા ભારતમાં ચોથા નંબર સાથે). વોર્ટન સ્કુલમાંથી એમ.બી.એ. કર્યું. ભણવાની મજા પડી ગઈ! જાતજાતના કોર્સ કર્યા! ફોર્ડ ફાઉન્ડેશનની ડોક્ટરલ ફેલોશીપ સાથે  ઓર્ગેનાઈઝેશન-થીયરીમાં પી.એચ.ડી. કર્યું. રીસર્ચનો જીવ.  કાર્નીગી મેલનમાં રીસર્ચનું કામ કર્યું. મોન્ટ્રીઅલ(કેનેડા)માં છ વર્ષ કામ કર્યું. પછી ભારત આવ્યા. પહેલું વર્ષ તકલીફ પડી, પણ પછી આઈ.આઈ.એમ.માં પ્રોફેસર તરીકે 27 વર્ષ કામ કર્યું. 5 વર્ષ  ડાયરેક્ટર હતા. અનેક રીસર્ચ આર્ટિકલ્સ અને પેપર્સ લખ્યાં છે. તેઓ  લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ્સ, Best Management Book Award થી શોભે છે. પત્ની અંજલીબહેન પોતે લેખિકા. શાસ્ત્રીય-સંગીત, લોકસંગીત, ભજનો જાણે. આદિવાસી વિસ્તારોમાં ઘણું કામ કર્યું. અંજલીબહેન 4 વર્ષ પહેલા અવસાન પામ્યાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેમણે સોશિયલ-લીડર્સ તૈયાર કરવાની વર્કશોપ કરી. તેમને માર્ગદર્શન આપતા લેખો લખ્યા. સર્જકતા-અનુકંપા-સક્ષમતા ભેગા કરી સમાજમાં કેવી રીતે કામ કરી શકાય તે શીખવ્યું. અંગ્રેજી અને ગુજરાતીમાં કવિતાનું પુસ્તક લખ્યું. રોજ  રાતના 9 થી 12 સાધના-પ્રાર્થના-ધ્યાન-મેડીટેશન વગેરે ચાલે. જીવન પર રામકૃષ્ણ પરમહંસનો ઘણો પ્રભાવ! સવારે ઊઠતાં મોડું થાય. ઊઠીને કસરત-ચાલવાનું-યોગાસન-પ્રાણાયામ-રેકી વગેરે બે કલાક ચાલે. પછી નાસ્તો કરી થોડું લખવાનું કામ કરે. જમ્યા પછી થોડો આરામ. ઊઠીને વળી લખવાનું ચાલે. ફોન આવે, મિત્રો મળવા આવે…એમ પ્રવૃત્તિમાં આખો દિવસ જાય.

શોખના વિષયો : 

રીસર્ચ તેમનો પહેલો શોખ અને સાહિત્ય બીજો! એસ્ટ્રોનોમી ગમે. માતાએ બાળપણમાં આકાશનો નકશો ભેટ આપ્યો હતો. પિતાએ દૂરબીન ભેટ આપ્યું હતું, જેનાથી તેમનો આ શોખ વિકસ્યો. જ્યોતિષ-શાસ્ત્રમાં રસ હતો. લગભગ 500 કુંડળીઓ ભેગી કરી તેના પર રીસર્ચ કરી હતી! સ્ટેમ્પ-કલેક્શનનો શોખ. સ્પોર્ટ્સ ગમે. ટેનિસ, ટેબલ-ટેનિસ વગેરે રમવું ગમે. શાસ્ત્રીય-સંગીત ગમે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

1994માં બાયપાસનું ઓપરેશન કર્યું હતું. તબિયત સારી છે. સિઝનમાં ક્યારેક દમનો પ્રોબ્લેમ થાય. બહાર ફરવાનું અને લોકોને મળવાનું ઓછું કરી નાખ્યું છે. પત્નીની ગેરહાજરીથી જીવનમાં શૂન્યાવકાશ લાગે છે.

યાદગાર પ્રસંગ:  

પત્ની અંજલીબહેનને સંગીતનો ભારે શોખ. એકવાર સંગીત-શિક્ષક મધુભાઈ પટેલે દક્ષિણ-ગુજરાતનાં લોકગીતો સંભળાવ્યાં. દક્ષિણ-ગુજરાતના એક રાજાની રાણી કર્ણાટકની રાજકુમારી હતી, એટલે કર્ણાટકી ગાયકીનો ટચ સ્પષ્ટ વર્તાય. અંજલીબહેન તે સંગીત શીખ્યાં અને તેમણે ઘણાં લોકગીતો અને ભજનો ગાયાં. IIM-Aમાં સંગીતના ઘણા પ્રોગ્રામ થતા. પ્રોગ્રામ પહેલા સંગીતકારો ઘેર આવતા. કિરાણા ઘરાનાના ફૈયાઝ અહેમદખાન અને નિયાઝ અહેમદખાન, પંડિત રવિશંકર, ગુંડેચા બ્રધર્સ વગેરે તેમને ઘેર આવતા. એકવાર જસરાજજી ઘરે આવ્યા. અંજલીબહેને લાડુ બનાવ્યા હતા. પૂછ્યું: ‘લાડુ ખાશો?’ જસરાજી ખુશ થઈ ગયા, ગરમાગરમ લાડુ ખાઈ ગયા! જોકે પછીનો પ્રોગ્રામ તો બહુ સરસ થયો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતાની જરૂર જેટલું કામ કમ્પ્યુટર ઉપર કરી લે છે. રિટાયરમેન્ટ પછી છ કવિતાનાં પુસ્તકો, એક નિબંધનું પુસ્તક અને ચાર ભાષાંતરના પુસ્તકો કર્યાં છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

ભારતનાં લોકો અમેરિકન થઈ રહ્યાં છે! પૈસાને ઘણું મહત્વ આપે છે. તેમણે અમેરિકાની ભૌતિક પ્રગતિ અને નૈતિક અધોગતિ જોઈ છે. આપણે તે જ રસ્તે ચાલી રહ્યાં છીએ. ભારતે ઘણી ભૌતિક પ્રગતિ કરી છે પણ આપણે નૈતિકમૂલ્યો સાચવવાં જોઈએ.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

“એસ્પાયર-સર્કલ”નું કામ ઓછું થવાથી યુવાનો સાથેનો ટચ ઓછો થઈ ગયો છે. યુવાનો કેરિયર અને સારા પગારની નોકરી સિવાય કંઈ વિચારતાં નથી. આ યુવાનો ભવિષ્યના ચેરમેન અને એમ.ડી. થવાનાં. જો એ લોકો પણ આવું જ વિચારશે તો ભારત કયા રસ્તે જશે? જો કે હજુ કમીટેડ યુવાનો ઘણાં છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી!

સંદેશો :  

સર્જકતા, અનુકંપા અને સક્ષમતા સાથે કામ કરો તો દેશ કે સંસ્થા આગળ વધી શકે. જાપાન અને જર્મની બીજા-વિશ્વયુદ્ધ પછી કંગાળ થઈ ગયાં હતાં. તેઓ આને લીધે ઝડપથી ઊભાં થઈ ગયાં! અમેરિકામાં સક્ષમતા છે, પણ અનુકંપા ઓછી થઈ રહી છે.

બિહારના દિવંગત મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને અપાશે ભારત રત્ન

બિહારના દિવંગત મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવને મંગળવારે સાંજે આની જાહેરાત કરી હતી. કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી, 1924ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લામાં થયો હતો. કર્પૂરી ઠાકુર એક વખત ડેપ્યુટી સીએમ અને બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આવતીકાલે એટલે કે 24મી જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ છે અને આ વર્ષે તેમની જન્મશતાબ્દી ઉજવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા ભારત રત્ન એવોર્ડની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મને ખુશી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના પ્રતિક એવા મહાન જન નેતા કર્પૂરી ઠાકુર જીને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તે પણ એવા સમયે જ્યારે આપણે તેમની શતાબ્દી ઉજવી રહ્યા છીએ. આ પ્રતિષ્ઠિત સન્માન હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે ચેમ્પિયન, સમાનતા અને સશક્તિકરણના હિમાયતી તરીકેના તેમના સતત પ્રયત્નોનું પ્રમાણ છે. વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, દલિતોના ઉત્થાન માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય ફેબ્રિક પર અમીટ છાપ છોડી છે. આ પુરસ્કાર માત્ર તેમના નોંધપાત્ર યોગદાનને જ સન્માનિત કરતું નથી પરંતુ વધુ ન્યાયી અને સમાન સમાજ બનાવવાના તેમના મિશનને ચાલુ રાખવા માટે પણ અમને પ્રેરણા આપે છે. પીએમ મોદીની સાથે સાથે ઘણા કેન્દ્રીય મંત્રીઓએ પણ ભારત રત્ન આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

કર્પૂરી ઠાકુરના પુત્ર અને JDU સાંસદ રામનાથ ઠાકુરે તેમના પિતાના ભારત રત્ન એવોર્ડને ત્રણ દાયકાની રાહનું પરિણામ ગણાવ્યું હતું. તે જ સમયે, JDU નેતા અને બિહારમાં પૂર્વ સાંસદ કેસી ત્યાગીએ કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમને ભારત રત્ન આપવા બદલ કેન્દ્ર સરકારનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આ કર્પૂરી ઠાકુરના વિચારોની જીત છે. તેઓ તેમના જીવનમાં ગરીબો અને ગરીબો માટે લડ્યા. ભારત સરકાર દ્વારા ભારત રત્ન આપવા બદલ આભાર.

BCCI નું 4 વર્ષ પછી એવોર્ડ ફંક્શન, જુઓ સંપૂર્ણ વિજેતા યાદી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું વાર્ષિક એવોર્ડ ફંક્શન આજે એટલે કે મંગળવારે હૈદરાબાદમાં યોજાયું હતું. આ એવોર્ડ ફંક્શનમાં મોહમ્મદ શમી, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. આ ખેલાડીઓને 2019 થી 2023 સુધીના વર્ષના શ્રેષ્ઠ ખેલાડીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે BCCIનો એવોર્ડ ફંક્શન દર ચાર વર્ષે યોજાય છે. આ પહેલા આ સમારોહ છેલ્લે 2019માં યોજાયો હતો.

 

જુઓ કોને કયો એવોર્ડ મળ્યો

શુભમન ગિલ- ક્રિકેટર ઓફ ધ યર (2022-23)

જસપ્રીત બુમરાહ- ક્રિકેટર ઓફ ધ યર (2021-22)

રવિચંદ્રન અશ્વિન- ક્રિકેટર ઓફ ધ યર (2020-21)

મોહમ્મદ શમી- ક્રિકેટર ઓફ ધ યર (2019-20)

રવિ શાસ્ત્રી- સીકે ​​નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

ફારૂક એન્જિનિયર- સીકે ​​નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- યશસ્વી જયસ્વાલ (2022-23)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- શ્રેયસ ઐયર (2021-22)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- અક્ષર પટેલ (2020-21)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- મયંક અગ્રવાલ (2019-20)

દિલીપ સરદેસાઈ એવોર્ડ- રવિચંદ્રન અશ્વિન (ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ, 2022-23)

દિલીપ સરદેસાઈ એવોર્ડ- યશસ્વી જયસ્વાલ (ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન, 2022-23)

લાલા અમરનાથ પુરસ્કાર (ઘરેલુ ક્રિકેટના મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન માટે)

બાબા અપરાજિત, ઋષિ ધવન અને રિયાન પરાગ

લાલા અમરનાથ એવોર્ડ (રણજી ટ્રોફીમાં ઓલરાઉન્ડ પ્રદર્શન માટે)

એમ.બી.મુરાસિંગ, શમ્સ મુલાણી અને સરંશ જૈન

માધવરાવ સિંધિયા એવોર્ડ – રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

જયદેવ ઉનડકટ, શમ્સ મુલાણી અને જલજ સક્સેના

માધવરાવ સિંધિયા એવોર્ડ – રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

રાહુલ દલાલ, સરફરાઝ ખાન અને મયંક અગ્રવાલ

આ મહિલા ખેલાડીઓને એવોર્ડ પણ મળ્યા હતા

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ- પ્રિયા પુનિયા (2019-20)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- શેફાલી વર્મા (2020-21)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ- સબીનેની મેઘના (2021-22)

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ- અમનજોત કૌર (2022-23)

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) – દીપ્તિ શર્મા (2019-20 અને 2022-23)

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) – સ્મૃતિ મંધાના (2020-21 અને 2021-22)

રામ મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિ હવે ‘બાલક રામ’ તરીકે ઓળખાશે

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિ હવે ‘બાલક રામ’ તરીકે ઓળખાશે, કારણ કે તેમાં ભગવાનને પાંચ વર્ષના છોકરા તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ માહિતી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સાથે જોડાયેલા પૂજારી અરુણ દીક્ષિતે આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા પૂજારી અરુણ દીક્ષિતે કહ્યું કે ભગવાન રામની મૂર્તિનું નામ બાલક રામ રાખવાનું કારણ એ છે કે તે 5 વર્ષના બાળક જેવો દેખાય છે. તેણે આગળ કહ્યું, જ્યારે મેં પહેલીવાર પ્રતિમા જોઈ, ત્યારે હું રોમાંચિત થઈ ગયો અને આંસુ વહેવા લાગ્યા. ત્યારે મને શું લાગ્યું તે સમજાવવું મુશ્કેલ છે.

કાશીના પૂજારી, જેમણે તેમના જીવનમાં 50 થી 60 અભિષેક કર્યા છે, તેમણે કહ્યું, “મેં અત્યાર સુધી જેટલા પણ અભિષેક કર્યા છે, તેમાંથી આ મારા માટે અલૌકિક (દૈવી) અને સર્વોચ્ચ છે. “મને પ્રતિમાની પહેલી ઝલક 18 જાન્યુઆરીએ મળી.”

બાળક રામના ઘરેણાં પર પણ સંશોધન કરવામાં આવ્યું હતું

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અનુસાર, અધ્યાત્મ રામાયણ, વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને અલવંદર સ્તોત્રમ જેવા ગ્રંથોના સઘન સંશોધન અને અભ્યાસ પછી બાળ રામની મૂર્તિ માટેના ઝવેરાત તૈયાર કરવામાં આવ્યા છે. મૂર્તિને બનારસી વસ્ત્રોથી શણગારવામાં આવે છે, જેમાં પીળી ધોતી અને લાલ ‘પટાકા’ અથવા ‘અંગવસ્ત્રમ’નો સમાવેશ થાય છે. ‘અંગવસ્ત્રમ’ને ‘જરી’ અને શુદ્ધ સોનાના દોરાઓથી શણગારવામાં આવ્યું હતું, જેમાં શુભ વૈષ્ણવ પ્રતીકો – ‘શંખ’, ‘પદ્મ’, ‘ચક્ર’ અને ‘મોર’.

માત્ર મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમા જ પૂજનીય

તે જ સમયે, રામલલાની મૂર્તિ મૈસુર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કોતરવામાં આવી છે. આ 51 ઇંચની પ્રતિમા ત્રણ અબજ વર્ષ જૂના ખડકમાંથી બનાવવામાં આવી છે. ભવ્ય રામ મંદિર માટે રામલલાની મૂર્તિઓ ગણેશ ભટ્ટ, યોગીરાજ અને સત્યનારાયણ પાંડે એમ ત્રણ શિલ્પકારો દ્વારા બનાવવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે ત્રણમાંથી એકને ગર્ભગૃહમાં રાખવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બેને મંદિરના અન્ય ભાગોમાં રાખવામાં આવશે.