Home Blog Page 2036

રાજશ્રીએ સચિન પર હીરોની મહોર મારી

અભિનેતા સચિને મુખ્ય હીરો તરીકે ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ (1975) થી શરૂઆત કરી હતી. પરંતુ રાજશ્રી પ્રોડકશનને આ ફિલ્મ વિષે કોઈ વિચાર ન હતો છતાં સચિનને હીરો તરીકે નક્કી કરી લીધો હતો. અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભના લગ્ન પ્રસંગે બાળ કલાકાર તરીકે ‘શોલે’ (૧૯૭૫) માં કામ કરતો ૧૭ વર્ષનો સચિન ગયો ત્યારે એને જોઈ રાજશ્રીના રાજકુમાર બડજાત્યાએ એની પાસે જઈને પોતાનો પરિચય આપીને કહી દીધું હતું કે તેઓ એની સાથે એક ફિલ્મ બનાવવા માગે છે. સચિને ઘરે જઈને પિતાને વાત કરી ત્યારે એમણે આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. એટલે સચિન પણ એ વાત ભૂલી ગયો હતો. ત્રણ દિવસ પછી સચિનના ઘરની સામે રહેતા ગીતકાર મજરૂહ સુલતાનપુરીના પુત્રએ આવીને સંદેશ આપ્યો કે રાજશ્રીમાંથી ફોન હતો અને એક નંબર આપ્યો છે એના પર વાત કરવા કહ્યું છે.

સચિનના પિતાએ રાજકુમારને ફોન કર્યો ત્યારે એમણે એમ કહ્યું કે તમે ‘સચિનજી’ ને લઈને અમારી પાસે ક્યારે આવશો? ત્યારે પિતાએ આવતીકાલે મળવાની વાત કહી દીધી. બીજા દિવસે જ્યારે સચિન મળવા ગયો ત્યાં સુધીમાં રાજકુમારે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘અતિથિ’ પરથી એક ફિલ્મ બનાવવાની ચર્ચા પરિવાર સાથે કરી લીધી હતી. અસલમાં એ વાર્તા પરથી સચિનના પિતા શરદ પિલગાંવકર અને મધુસુદન કાલેલકરે મરાઠી ફિલ્મ લખી હતી. એટલે એમણે એ બંનેને જ હિન્દી ફિલ્મની વાર્તા લખવાની જવાબદારી આપી. એ સાથે સચિનને હીરો તરીકે સાઇન પણ કરી લીધો હતો. તેઓ માત્ર સચિન સાથે જ ફિલ્મ બનાવવા માગતા હતા. મૂળ વાર્તાનો અંત કરૂણ હતો. એમાં બીજા કેટલાક પાત્રો ઉમેરવા સાથે ઘણા ફેરફાર કરીને સુખાંત કરી દીધો હતો.

વાર્તા તૈયાર થયા પછી એમને લાગ્યું કે ફિલ્મ બની શકે છે એટલે એના કાયદાકીય અધિકાર માટે કવિ ટાગોરના શાંતિનિકેતનમાં એ વાર્તા મંજૂરી માટે મોકલી આપી. અને અધિકારની કિંમત પૂછી. દસ દિવસ પછી ત્યાંથી પત્ર આવ્યો કે તેઓ ફિલ્મ માટે અધિકાર આપી શકે એમ નથી. તેથી નિરાશ થયેલા રાજકુમારે જ્યારે પિતા તારાચંદ બડજાત્યાને આ વાત કરી અને કહ્યું કે હવે આ વાર્તા પર ફિલ્મ બનાવી શકાશે નહીં. તારાચંદે કારણ પૂછ્યું ત્યારે રાજકુમારે કહ્યું કે પત્રમાં લખ્યું છે કે અમે આ વાર્તાના અધિકાર આપી શકીએ એમ નથી. કેમકે આ અમારી વાર્તા જ નથી! અમારી વાર્તા અલગ છે. ત્યારે તારાચંદે સમજાવ્યું કે એમની વાર્તા નથી તો આપણે એના અધિકારની જરૂર જ નથી.

ફિલ્મનું નિર્દેશન હિરેન નાગને અને સંગીત રવીન્દ્ર જૈનને સોંપવામાં આવ્યું. કલાકારો અને કસબીઓની પસંદગી કરીને શુટિંગ શરૂ કરવામાં આવ્યું. એક વર્ષ બાદ ફિલ્મ તૈયાર થઈ અને રજૂઆતની વાત આવી ત્યારે રાજકુમારે કહ્યું કે તે રોજના ચાર શૉ ચાલે છે એવા સૌથી મોટા ‘મેટ્રો’ સિનેમામાં રજૂ કરશે. બધાએ સલાહ આપી કે નાની ફિલ્મ છે. એને નાના થિયેટરોમાં રજૂ કરો. પણ એમણે એકમાત્ર ‘મેટ્રો’ માં જ ફિલ્મ રજૂ કરવાની જીદ પકડી. ત્યારે ‘મેટ્રો’ ના સંચાલકે ‘ગીત ગાતા ચલ’ નાની ફિલ્મ હોવાથી પહેલાં ના પાડી દીધી.

તેમનું કહેવું હતું કે નવા હીરો-હીરોઈન છે અને ભગવાનના ગીતો છે એટલે ચાલશે નહીં. પણ રાજશ્રી પ્રોડકશન વિતરણનું કામ સંભાળતું હોવાથી સંબંધને કારણે માત્ર એક સપ્તાહ માટે રજૂ કરવાની સંમતિ આપી દીધી. પહેલા દિવસે ચાર શૉમાં આંગળીના વેઢે ગણાય એટલા દર્શકો આવ્યા. શનિ-રવિમાં પણ એવી જ સ્થિતિ રહી ત્યારે ‘મેટ્રો’ ના મેનેજરે ગુરુવાર છેલ્લો દિવસ હોવાનું કહી દીધું. પણ સોમવારે ચમત્કાર થયો હોય એમ પહેલાં શૉમાં પચાસ ટકા દર્શકો ભરાયા. અને છેલ્લો શૉ હાઉસફુલ ગયો. મંગળવારથી બ્લેકમાં ટિકિટ વેચાવા લાગી હતી. બે અઠવાડિયા પછી સચિન- સારિકા સ્ટાર બની ગયા હતા.

કોરાનાના 224 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 224 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,29,852 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,491 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,95,493 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 133 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1050 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,06,748 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 976 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

ગુલકંદ – ૦૨ માર્ચ, ૨૦૨૪

ગુલકંદ – ૦૨ માર્ચ, ૨૦૨૪

૦૨ માર્ચ, ૨૦૨૪

ફરાળી બફવડા

શિવજીની આરાધના માટે શિવરાત્રિનો મહિમા અનોખો છે! વ્રત માટેનો ફરાળ જો ઓછા સમયમાં સહેલાઈથી બની જતો હોય તો શિવજીની ભક્તિમાં વધુ સમય પસાર થઈ શકે! (ફરાળી પેટીસ કે બફવડાની રીતના અહીં બે પ્રકાર આપ્યા છે.)

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 6
  • ½ ટી.સ્પૂન દેશી ઘી
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • ફરાળી લોટ અથવા શિંગોળાનો લોટ

પૂરણ માટેઃ

  • બાફેલું બટેટુ 1
  • શીંગદાણા 1 કપ
  • તાજું અથવા સૂકા કોપરાનું ખમણ 4 ટે.સ્પૂન
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ (ઉપવાસમાં ખાઈ શકાય તે મીઠું)
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • અડધા લીંબુનો રસ
  • કિસમિસ 1 ટે.સ્પૂન
  • કાજુના ટુકડા 2 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • વરિયાળીનો ભૂકો 1½ ટી.સ્પૂન
  • દાડમના દાણા 2 ટે.સ્પૂન (optional)
  • ખાંડ 1 ટી.સ્પૂન (Optional)

રીતઃ બટેટા બફાય અને કૂકરમાંથી વરાળ નીકળી જાય એટલે તેમાંથી 2 બટેટા બાજુએ રાખી બાકીના બટેટા છોલીને મેશર વડે તેનો છૂંદો કરી દેવો. બટેટા ગરમ હોવાથી જલ્દી મેશ થઈ જશે.

પૂરણ માટેઃ શીંગદાણા શેકીને છોલીને તેનો મિક્સીમાં ભૂકો કરી દેવો. એક બાઉલમાં શીંગદાણાનો ભૂકો, કોપરાનું ખમણ, સ્વાદ મુજબ સિંધવ મીઠું, સમારેલી કોથમીર, કાજુના ટુકડા, કિસમિસ, વરિયાળીનો ભૂકો, કાળા મરી પાઉડર, આદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, દાડમના દાણા, ખાંડ 1 ટી.સ્પૂન (Optional), મેશ કરેલું 1 બાફેલું બટેટુ નાખવું. આ મિશ્રણનો ગોળો વળે એવું થાય એટલે તેની નાની નાની ગોળીઓ બનાવી દેવી. (ગળપણ અને તીખાશ તમને જોઈએ તે રીતે ઓછી-વત્તી રાખવી). જો ગોળી ના વળે તો તેમાં બાફેલું બટેટું તેમજ શીંગદાણાનો ભૂકો ઉમેરવો.

 

પેટીસના ઉપરનું પડ તૈયાર કરવા માટે બટેટાને મેશ કરીને રાખ્યા હતા. તે એક મોટા બાઉલમાં લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, દેશી ઘી મેળવીને લીસો માવો તૈયાર કરી લો. તેમાંથી એક ગોળો લઈ તેને ફરાળી લોટ અથવા શીંગોડાના લોટનું અટામણ લગાડી હાથેથી થાપીને પૂરીમાં પૂરણની ગોળી મૂકીને બંધ કરી દો અને ગોળો વાળીને લોટમાં ફેરવીને એક થાળીમાં ગોઠવી દો. (એક થાળીમાં ફરાળી લોટ લઈ રાખો.)

આ રીતે દરેક પેટીસ તૈયાર કરી રાખો. આ પેટીસ રાત્રે ફરાળમાં ખાવી હોય તો તેને સવારે અથવા બપોર સુધીમાં તૈયાર કરીને ફ્રીજમાં રાખી શકાય છે. અને ગરમાગરમ તળીને પીરસી શકાય છે.

પેટીસ તળવા માટે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે પેટીસ કે બફ વડા હળવેથી તેમાં નાખીને ગેસની આંચ મધ્યમ કરીને વડા સોનેરી રંગના તળી લો.

એક બીજી રીત મુજબ પૂરણની સામગ્રી તેમજ પળ માટે છૂંદો કરેલા બટેટા બધું એક સાથે મેળવીને તેમાં થોડો ફરાળી લોટ પણ ઉમેરીને ગોળા વાળી લેવા અને ફરાળી લોટમાં ફેરવીને ત્યારબાદ તળી લેવા.

આ વડા તમે અપ્પે પેનમાં ઓછા તેલમાં ફ્રાય કરી શકો છો. પેનના ખાનામાં 2 ટીપાં તેલ ઉમેરીને વડા મૂકવા. 30 સેકન્ડ બાદ તેને ફેરવીને ફરી તેની ઉપર 2 ટીપાં તેલ ઉમેરીને સોનેરી રંગના વડા ઉતારી લેવા.

આ વડા કોથમીર મરચાંની તીખી ચટણી સાથે પીરસો અથવા દહીં કે કાકડીના રાયતા સાથે પણ પીરસી શકાય છે.

રાશિ ભવિષ્ય 02/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 02/03/2024

NSEના વિવિધ ઇન્ડાયસિસની યાદીમાં મોટા ફેરફાર અમલી બનશે

મુંબઈઃ નેશનલ સ્ટોક એકસચેંજની કંપની NSE ઇન્ડાયસિસ લિમિટેડની ઇન્ડેક્સ મેઇનટેનન્સ સબ-કમિટી (ઈક્વિટી)એ તેની સમયાંતરે કરાતી પુનર્સમીક્ષાને અંતે વિવિધ ઇન્ડાયસિસમાંના સ્ટોક્સને બદલવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફાર 28 માર્ચથી અમલમાં આવશે.

  1. બ્રોડ માર્કેટ ઇન્ડાયસિસમાં અર્ધવાર્ષિક પુનર્સમીક્ષાને અંતે નિફ્ટી 50માંથી યુપીએલને બહાર કરીને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ કરવામાં આવશે.
  2. નિફ્ટી નેક્સ્ટ 50માંથી પાંચ કંપનીઓ અદાણી વિલ્મર, મુથુટ ફાઇનાન્સ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને શ્રીરામ ફાઈનાન્સને બહાર કરીને અન્ય પાંચ કંપનીઓ અદાણી પાવર, ઇન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન, જિયો ફાઈનાન્સિયલ સર્વિસિસ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આરઈસીનો સમાવેશ કરવામાં આવશે.
  3. નિફ્ટી 500 ઈન્ડેક્સમાંથી 34 કંપનીઓ દૂર કરવામાં આવશે, જેમાં આરતી ડ્રગ્સ, જી આર ઈન્ફ્રા, ગુજરાત એલ્કલીઝ, ઈન્ગરસોલ રેન્ડ, જમના ઓટો, લક્ષ્મી મશીન, ફાઈઝર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, રેઈન, રેલિઝ, ટીટીકે પ્રેસ્ટિજ, વિ-ગાર્ડ, વિનાતી ઓર્ગેનિક્સ, ઝાયડસ વેલનેસ અને અન્યોનો સમાવેશ થાય છે.

ઉક્ત 34 કંપનીઓને સ્થાને અન્ય 34 કંપનીઓનો સમાવેશ નિફ્ટી 500 ઈન્ડેક્સમાં કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે એક્શન કંસ્ટ્રક્શન્સ, આનંદ રાઠી, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, સેલો, ચેન્નઈ પેટ્રોલિયમ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ, હેમાદ્રિ સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી, જિયો ફાઈનાન્સિયલ, જેએસડબ્લ્યુ ઈન્ફ્રા, મહારાષ્ટ્ર સીમલેસ, નુવાસા વેલ્થ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. આ ફેરફાર નિફ્ટી-500 મલ્ટીકેપને 50:25:25 ઈન્ડેક્સને પણ લાગુ પડશે.

  1. નિફ્ટી 100માંથી પાંચ કંપનીઓ અદાણી વિલ્મર, મુથુટ ફાઈનાન્સ, પીઆઈ ઈન્ડ., પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને યુપીઆઈને બહાર કરી અદાણી પાવર, ઇન્ડિયન રેલવે ફાઈ., જિયો ફાઈ., પાવર ફાઈ. અને આરઈસીનો સમાવેશ કરવામાં આવશે.
  2. નિફ્ટી મિડકેપ 150 ઈન્ડાયસીસમાંથી 14 કંપનીઓ બહાર કરીને અન્ય 14 કંપનીઓ ઉમેરવામાં આવશે.
  3. નિફ્ટી સ્મોલકેપ 250 ઈન્ડેક્સમાંથી વર્તમાન 36 કંપનીઓને બદલવામાં આવશે.
  4. નિફ્ટી મિડકેપ સિલેક્ટની ચાર કંપનીઓ અબોટ ઈન્ડિયા, બાલકૃષ્ણ ઈન્ડ., બંધન બેંક અને પાવર ફાઈ.ને બહાર કરી, લુપિન, પીઆઈ ઈન્ડ., યુપીઆઈ અને વોડાફોન આઈડિયાનો સમાવેશ કરવામાં આવશે.
  5. નિફ્ટી મિડકેપ 50માંની 10 કંપનીઓને બદલવામાં આવશે અને જે સ્ક્રિપ્સનો સમાવેશ કરાશે, તેમાં મુખ્યત્વે ભેલ, એલએન્ડટી ફાઈ., મેક્સ હેલ્થકેર, પીઆઈ ઈન્ડ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ અને યસ બેન્કનો સમાવેશ થાય છે.
  6. નિફ્ટી મિડકેપ 100માંની 13 કંપનીઓ બદલવામાં આવશે.
  7. નિફ્ટી સ્મોલકેપ 50માંની 23 સ્ક્રિપ્સને બહાર કરી અન્ય 23નો સમાવેશ કરવામાં આવશે.
  8. નિફ્ટી સ્મોલકેપ 100માંની 26 સ્ક્રિપ્સને બદલવામાં આવશે.

આ સિવાય નિફ્ટી 200, નિફ્ટી લાર્જ મિડકેપ 250, નિફ્ટી મિડ સ્મોલકેપ 400, નિફ્ટી મિડકેપ 250 અને નિફ્ટી ટોટલ માર્કેટની સ્ક્રિપ્સ અને સેક્ટોરિયલ ઈન્ડાયસીસની યાદીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

 

 

 

NSEના SSE પર એકલવ્ય ફાઉન્ડેશન લિસ્ટ થઈ

મુંબઈઃ NSEના સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ (SSE) પર એકલવ્ય ફાઉન્ડેશન લિસ્ટિંગ મેળવ્યું છે. આ પૂર્વે 13 ડિસેમ્બર, 2023એ ઉન્નતિ ફાઉન્ડેશન લિસ્ટ થઈ હતી. એકલવ્યના લિસ્ટિંગ પ્રસંગે  સ્વૈચ્છિક સંસ્થાઓના અનેક પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝેરોધા જેવા દાતાઓ, નાબાર્ડ અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું હતું કે મને નાણાપ્રધાન નિર્મલા સીતારમણના 2019ના બજેટ વખતના ભાષણના શબ્દો યાદ આવે છે, જેમાં તેમણે મૂડીબજારને વિશાળ જનસંખ્યા સુધી લઈ જવાની અને સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસ સહિતના સામાજિક કલ્યાણનાં લક્ષ્યો સિદ્ધ કરવાનું વિઝન રજૂ કર્યું હતું. એમાંથી SSEનો પ્રાદુર્ભાવ થયો હતો. SSE હકીકત બની શક્યું એ માટે સેબીની ભૂમિકા પણ પ્રશંસનીય રહી છે. એકલવ્ય ફાઉન્ડેશને સફળતાપૂર્વક રૂ. 85.30 લાખ એકત્ર કર્યા હતા. આ ભંડોળ તેલંગણા રાજ્યના આદિવાસી ખે઼ડૂતોને તાલીમ પ્રાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ખેડૂતોને કૃષિ સંબંધિત ક્ષેત્રોની તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

SSE પ્લેટફોર્મ સતત વૃદ્ધિ પામી રહ્યું છે અને અત્યારે અમારી પાસે 50 રજિસ્ટર્ડ નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સ (NPO) છે. આમાંની કેટલીક એપીઓએ ફંડ એકત્ર કર્યું છે અને અન્ય ઘણી સંસ્થાઓ ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયામાં છે. SSE પ્લેટફોર્મ નાણાકીય બજારો અને સમાજકલ્યાણ હેતુઓ વચ્ચેના ગેપને પૂરવા પ્રતિબદ્ધ છે, જેના દ્વારા લોકોના વિશાળ વર્ગને નાણાકીય દ્રષ્ટિએ સક્ષમ બનાવી વિકાસ કરી શકાશે.

 

 

 

 

 

 

 

ગુજરાત ITIમાં મહિલાઓની ભરતીમાં 24 ટકાનો ઉછાળો

ગાંધીનગર રાજ્યમાં વર્ષ 2023માં મહિલાઓ માટેની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (ITI)માં પ્રવેશ મેળવનારી મહિલાઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ (DET) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડાંઓ મુજબ વર્ષ 2023માં મહિલાઓની ભરતીમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે મુજબ રાજ્યમાં આવેલી 19 મહિલા ITIમાં 5049 મહિલાઓએ પ્રવેશ મેળવ્યો હતો.

વર્ષ 2022માં કુલ 4048 મહિલાઓએ આ ITIમાં પ્રવેશ મેળવ્યો હોવાથી એમ કહી શકાય કે તેની સરખામણીએ વર્ષ 2023માં મહિલાઓની ભરતીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2023માં મહિલા ITIમાં મહિલાઓની ટકાવારીમાં 24 ટકાનો વધારો નોંધાયો છે, ત્યારે રાજ્યમાં આવેલી તમામ 288 સરકારી ITIમાં મહિલાઓની ટકાવારી નવ ટકા વધી છે. તેમાં મોટા ભાગે કો-એડ ITIનો સમાવેશ થાય છે.

કોવિડ-19 વૈશ્વિક મહામારીમાં આ સંસ્થાઓમાં પ્રવેશ મેળનારી મહિલાઓની સંખ્યા ઘણી ઘટી ગઈ હતી, પરંતુ DET દ્વારા ઘરે-ઘરે જઇને ઝુંબેશ હાથ ધરવામાં આવતાં છેલ્લાં બે વર્ષમાં તેમાં પ્રવેશ મેળવનારી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. ક્વેસ્ટ એલાયેન્સના યૂથ પ્રોગ્રામ (ઓપરેશન્સ)ના ડિરેક્ટર સેન્થિલ કુમાર એમ. કે.એ જણાવ્યું હતું કે આ આંકડાઓ સૂચવે છે કે જીવનમાં કંઈક શીખવા માગતી મહિલાઓ ફક્ત તેમના માટેની ITIમાં પ્રવેશવા માટે ઇચ્છુક છે. આ સંસ્થામાંથી કોર્સ પૂરો કર્યા બાદ તેમને ઘણી બધી નોકરીઓ અને સ્વ-રોજગારીની તકો મળી રહેતી હોવાથી તેઓ ITIમાં પ્રવેશ મેળવી રહી છે. ITIમાં મહિલાઓની ભરતી અને સહભાગિતામાં વધારો થવા પાછળનું વઘુ એક મહત્ત્વનું કારણ આ સંસ્થામાંથી અગાઉ તાલીમ મેળવી ચૂકેલી સ્ત્રીઓનો પ્રભાવ છે.

ITIમાં શીખવાના માહોલને સુધારવામાં ફ્યુચર રાઇટ સ્કિલ્સ નેટવર્ક (એફઆરએસએન)ની ભૂમિકા પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે ITIની અંદર જ પ્લેસમેન્ટ ઓફિસરો માટેના વિશિષ્ટ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું અમલીકરણ થવાથી સંસ્થા અને ઉદ્યોગજગત વચ્ચેનો સંબંધ સુધર્યો છે, જેને પરિણામે સાલ-દર-સાલ પ્લેસમેન્ટનો દર સતત સુધર્યો છે. આથી વિશેષ અમે પ્રિન્સિપલ લીડરશિપ પ્રોગ્રામ પણ હાથ ધરીએ છીએ, જેને લીધે સંસ્થાના અગ્રણીઓ તેમની સંસ્થા માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ વિકસાવી શક્યા છે અને ખૂબ મોટા પાયે પરિવર્તન લાવવા માટે વ્યૂહાત્મક ક્ષેત્રોની સાથે અસરકારક રીતે સંકળાઈ શક્યા છે, જેના પગલે ITIમાં એકંદર ગુણવત્તા ઘણી સુધરી છે.’

DETનાં ડિરેક્ટર ગાર્ગી જૈન (IAS)એ જણાવ્યું હતું કે ગુજરાતની ITIમાં મહિલાઓની ભરતીમાં ઉછાળો જોઇને હું ખૂબ જ રોમાંચિત છું, આ હકારાત્મક વલણ અમારી શૈક્ષણિક સંસ્થાઓમાં સમાવેશી અને સક્ષમ માહોલની રચના કરવાના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપાલ્સ, પ્લેસમેન્ટ ઓફિસરો અને એમ્પ્લોયેબિલિટી સ્કિલ ટ્રેનરોને પુરસ્કૃત કરવામાં આવશે. આ સમિટ યોજવા પાછળનો હેતુ ડીઇટી ગુજરાત અને એફઆરએસએન વચ્ચેના સફળ સહયોગનો સારાંશ રજૂ કરવાનો છે.