નવી દિલ્હીઃ વિશ્વમાં ભારત સૌથી વધુ લોકતાંત્રિક દેશ છે, એમાં દેશમાં 1962ની તુલનાએ મતદારોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે, પણ દેશમાં આશરે એક તૃતીયાંશ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરતા. મત ના કરવાવાળાઓમાં યુવાઓ, શ્રીમંતો અને શહેરી જનસંખ્યાવાળા લોકો સામેલ હતા, એમ ચૂંટણી પંચનો રિપોર્ટ કહે છે.
હાલ દેશમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. દેશમાં આશરે 94.5 કરોડ મતદારો નોંધાયેલા છે, તેમાંથી એક તૃતીયાંશ લોકોએ લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ જ નહોતો કર્યો. હવે દેશમાં ફરી 18મી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશમાં 19 એપ્રિલથી પહેલી જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવશે. ચોથી જૂને લોકસભા ચૂંટણી-2024એ ચૂંટણી પરિણામો જારી કરવામાં આવશે. દેશમાં પહેલા તબક્કા માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ચૂંટણી પંચ મુજબ દેશમાં આશરે 30 કરોડ લોકોએ લોકસભા ચૂંટણી 2019માં મતાધિકારનો ઉપયોગ નહોતો કર્યો. ચૂંટણી પંચનું માનવું છે કે લોકો છેલ્લી લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મત આપવા મતદાન મથકોએ ગયા જ નહોતા. આટલી મોટી સંખ્યામાં લોકોનો મત નહીં આપવો, એ દેશના લોકતંત્ર માટે બિલકુલ સારા સંકેત નથી.
ગઈ લોકસભા ચૂંટણીમાં મતદારોના ઉદાસીન વલણને કારણે ચૂંટણી પંચે જાગ્રત કેમ્પેન દ્વારા મતદાન ટર્નઆઉટને 75 ટકાથી 80 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ચૂંટણી પંચ મતદારોમાં જાગ્રતતા લાવવા અને મતદાન વધારવા માટે અવેરનેસ કેમ્પેન ચલાવી રહ્યું છે. પંચ આ માટે કેટલીય જગ્યાએ નુક્કડ નાટક, રીલ બનાવવા, સ્લોગન લખવા જેવી સ્પર્ધાઓ આયોજિત કરી રહ્યું છે.
જોકોઈ મતદાતા ચૂંટણીમાં મત ના આપે તો ચૂંટણી પરિણામ પર એની અસર પડી શકે અને ચૂંટણી પરિણામ પણ અલગ આવી શકે છે. મતદાનમાં ભાગીદારી ના હોવાથી લોકો માટે પસંદગીની સરકારનું સત્તામાં આવવું મુશ્કેલ બને છે.
ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી આયુષ કારીયાને વિશેષ પ્રશંસા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. તેઓ યુનિવર્સિટી સંલગ્ન ડેપસ્ટારના બી.ટેક કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત આયુષ NCC કેડેટ અને LCPL. 2 ગુજ સીટીસી એનસીસી વીવીનગર સાથે સંલગ્ન છે. આયુષ કારીયાને દિલ્હીમાં NCC ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ ગુરદીપ પાલ સિંગ દ્વારા સ્પેશિયલ કમેન્ડેશન મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ મેડલ ગુજરાતમાંથી ફક્ત 2 કેડેટને પ્રાપ્ત થયો હતો. રિપબ્લિક ડે કેમ્પમાં ઓવરઓલ સારું પરફોર્મન્સ હોય તેવા કેડેટને આ મેડલ એનાયત થયો હતો.
આ અગાઉ આયુષે દિલ્હીમાં સૌથી પ્રતિષ્ઠિત NCC રિપબ્લિક ડે કેમ્પ 2024માં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી પસંદ થયેલા માત્ર 107 NCC કેડેટ્સમાં આયુષનો સમાવેશ થયો હતો. આ સિદ્ધિ 2 ગુજરાત સીટીસી કમાન્ડિંગ ઓફિસર લેફટનન્ટ કર્નલ રાહુલ ભોરસ્કર અને ચારુસેટના પદાધિકારીઓ અને ફેકલ્ટીના સમર્થનથી પ્રાપ્ત થઇ હતી. અભ્યાસક્રમ ઉપરાંત આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય, મિત્રતા, શિસ્ત અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ, સાહસની ભાવના અને યુવા નાગરિકોમાં નિઃસ્વાર્થ સેવાના આદર્શો વિકસાવવામાં મદદ મળે છે.
ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ, ફેકલ્ટિ ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડો. વિજય ચૌધરી અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના વડા ડો. ચિરાગ પટેલ દ્વારા ચારુસેટ NCC યુનિટને સતત પ્રેરણા અને સમર્થન પ્રાપ્ત થવા બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ બદાયું હત્યાકાંડમાં બે દિવસોથી ફરાર આરોપી જાવેદની બરેલીથી પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પછી જાવેદ મોબાઇલ બંધ કરીને દિલ્હી ભાગી ગયો હતો. જાવેદ દિલ્હીથી બરેલી પરત ફર્યો હતો અને સરન્ડરની તજવીજમાં હતો. તેની બરેલીના સેટેલાઇટ વિસ્તારમાં બરેલી પોલીસે ધરપકડ કરવામાં આવી છે. બદાયું પોલીસે એના પર રૂ. 25,000નું ઇનામ જાહેર કર્યું હતું.
બદાયુંના SSP આલોક પ્રિયદર્શીના જણાવ્યા મુજબ જાવેદની ધરપકડ માટે પાંચ ટીમોની રચના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આયુષના શરીર પર તીક્ષણ હથિયારથી 14 વાર કરવામાં આવ્યા હતા. જે અમારા દ્વારા જપ્ત કરવામાં આવેલા ધરદાર હથિયારથી મેળ ખાય છે. આહાન પર બે ઘા છે, એમાં એક ઊંડો ઘા ગરદન પર મળ્યો છે.
બરેલી પોલીસે જાવેદને બદાયું પોલીસને હવાલે કરી દીધો છે. હવે બદાયું પોલીસ એનાથી પૂછપરછ કરશે. જાવેદને મોડી રાત્રે બારાદરી પોલીસ સ્ટેશનના સેટેલાઇટ બસ સ્ટેન્ડ પર સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. એ દરમ્યાન એનો વિડિયો બનાવી લેવામાં આવ્યો હતો. જાવેદનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તે રિક્ષામાં સવાર થતો જોઈ શકાય છે.
આ કેસમાં હત્યાનો આરોપી સાજિદ પોલીસ અથડામણમાં માર્યા ગયા પછી પોલીસે આરોપી જાવેદને શોધી રહી હતી. જાવેદના પિતા અને કાકાની પૂછપરછ કરવામાં આવી હતી. એ સાથે જાવેદના નજીકના મિત્રોના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 159 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,33,029 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,533 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,666 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 239 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1002 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,55,321 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 8269 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
ગુજરાત ટાઇટન્સ (GT) એ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સ્થાનની જાહેરાત કરી છે. શમી ઈજાના કારણે IPL 2024માં નહીં રમે. જીટીએ શમીની જગ્યાએ કેરળના સંદીપ વોરિયરનો સમાવેશ કર્યો છે. તેણે આઈપીએલમાં કુલ 5 મેચ રમી છે. તેણે છેલ્લે 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મેદાન માર્યું હતું. શમીએ IPL 2023માં 28 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ઈજાગ્રસ્ત દિલશાન મદુશંકાના સ્થાને 17 વર્ષીય દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલર ક્વેના માફાકાને ટીમમાં સામેલ કરી છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર મદુશંકાને બાંગ્લાદેશ શ્રેણીમાં ઈજા થઈ હતી. IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે.
IPLએ બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, GTએ 32 વર્ષીય ફાસ્ટ બોલર સંદીપ વોરિયરને શમીના સ્થાને સામેલ કર્યો છે. શમીએ તાજેતરમાં જ હીલની સફળ સર્જરી કરાવી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. વોરિયર રૂ. 50 લાખની મૂળ કિંમતે જીટીમાં જોડાયો છે. બીજી તરફ મદુશંકા ઈજાના કારણે આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ડાબોડી ફાસ્ટ બોલર મફાકા 50 લાખ રૂપિયામાં MIનો હિસ્સો બનશે.આપને જણાવી દઈએ કે Mafakaને ICC અંડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. તેણે બે વખત પાંચ વિકેટ ઝડપી અને એક વખત ઇનિંગમાં 6 વિકેટ લીધી.
નોંધનીય છે કે શમીએ છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપમાં મેદાન માર્યું હતું. તેણે વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ કરી અને સાત મેચમાં 24 વિકેટ લીધી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે પેઈન કિલર લઈને ભારત માટે મેચ રમી હતી. શમી ઈજામાંથી સાજા થવા માટે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં લંડન ગયો હતો. ડોક્ટરોએ પહેલા ઈન્જેક્શનથી સારવાર કરી. જ્યારે શમીને ઈન્જેક્શનથી કોઈ ફાયદો ન થયો ત્યારે તેણે સર્જરી કરાવવી પડી.
33 વર્ષીય શમીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઘણો સમય લાગશે. તે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024માંથી પણ બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે થોડા દિવસો પહેલા આ વાતની પુષ્ટિ કરી હતી. શમી ભારત તરફથી બાંગ્લાદેશ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં રમી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ વર્ષે સપ્ટેમ્બરમાં સિરીઝ યોજાવાની છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી અને તમામ શાંતિ પ્રયાસો અને રશિયા-યુક્રેન સંઘર્ષના વહેલા અંત માટે ભારતનું સતત સમર્થન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ ફોન પર વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પણ કહ્યું હતું કે ભારત યુક્રેનને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખશે.
Had a good conversation with President @ZelenskyyUa on strengthening the India-Ukraine partnership. Conveyed India’s consistent support for all efforts for peace and bringing an early end to the ongoing conflict. India will continue to provide humanitarian assistance guided by…
પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવા પર રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સારી વાતચીત થઈ. તમામ શાંતિ પ્રયાસો અને ચાલી રહેલા સંઘર્ષના વહેલા અંત માટે ભારતના સતત સમર્થનની વાત કરી. ભારત તેના લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત માનવતાવાદી સહાય પૂરી પાડતું રહેશે.
Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian Federation. We agreed to work together to further deepen and expand India-Russia Special & Privileged Strategic Partnership in the years ahead. @KremlinRussia
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનના લોકો માટે ભારતની સતત માનવતાવાદી સહાયની પણ પ્રશંસા કરી. વાતચીત દરમિયાન બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુક્રેન ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. ઝેલેન્સ્કી સાથે વાત કરતા પહેલા પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી અને તેમને તેમના પાંચમા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.