મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ (ચીફ એકિઝકયુટિવ ઓફિસર) આશિષકુમાર ચૌહાણ (Ashish Chauhan Fake Video)નો સ્ટોકની ભલામણ કરતો એક ઓડિયો વીડિયો સોશિયલ
મીડિયા પર ફરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાયરલ થયેલા આ વીડિયોમાં આશિષ ચૌહાણને સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરતા બતાવવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયો મામલે NSEએ પોતાના રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપતી અખબારી યાદી બહાર પાડી છે અને વીડિયોને બનાવટી ગણાવ્યો છે. વાસ્તવિકતામાં NSEના CEO આશિષ ચૌહાણે કોઈ પણ પ્રકારના સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરી નથી.
Caution – clarification on fake audio/ videos of NSE MD and CEO recommending specific stocks – circulating on social media for last few days. @NSEIndia pic.twitter.com/SOphwN9Onf
— Ashish Chauhan (@ashishchauhan) April 10, 2024
સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરતા ફેક વીડિયો મામલે આશિષ ચૌહાણ (Ashish Chauhan)એ એક્સ (અગાઉ ટ્વિટર) પર સ્પષ્ટતા આપી છે. તેમણે એક્સ પર એક પત્ર પોસ્ટ કરી વીડિયોને ફેક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર સ્ટોકનો જે વીડિયો વાયરલ થયો છે તે બનાવટી છે. આ સાથે જ તેમણે રોકાણકારોને સાવચેત રહેવા ટકોર કરી છે.

આશિષકુમાર ચૌહાણના અવાજ, ચહેરો અને ચહેરાના હાવભાવની નકલ ટેકનોલોજીની મદદથી કરી તૈયાર કરાયેલા વિડિયો અને ઓડિયો ક્લિપ્સમાં તેમને સ્ટોક્સની ભલામણ કરતા દેખાડવામાં આવ્યા છે. આ વીડિયો, ઓડિયો બનાવટી છે અને રોકાણકારોએ તેના આધારે રોકાણના નિર્ણયો લેવા નહિ, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે બહાર પાડેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે. રોકાણકારોએ એક હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્ટોક એકસચેંજના કોઈપણ કર્મચારીઓને સ્ટોકસ કે માર્કેટની ભલામણ કરવાની સત્તા હોતી નથી.
એનએસઈએ આવા ગેરકાનુની, બનાવટી અને વાંધાજનક વિડિયો દૂર કરવા સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ્સને પણ અનુરોધ કર્યો છે. એનએસઈ કોઈ પણ સત્તાવાર માહિતી માત્ર તેની સત્તાવાર વેબસાઈટ www.nseindia.com
અને એક્સચેન્જના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ મારફત કરે છે. જેથી એકસચેંજે રોકાણકારોને સ્પષ્ટ કર્યુ છે કે એનએસઈ સંબંધિત કોઈ પણ પ્રાપ્ત માહિતીની સત્યતાની ચકાસણી એક્સચેન્જની વેબસાઈટ્સ અને તેનાં સત્તાવાર
સોશિયલ મીડિયા પર જ કરવી જોઈએ.
એકસ પર પોસ્ટ કરેલા પત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે CEO દ્વારા કોઈ પણ પ્રકારના ખાસ સ્ટોક વિશે વાત કરવામાં આવી નથી. વીડિયોમાં કહેવામાં આવેલી માહિતી તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. સ્ટોક એક્સચેન્જે જણાવ્યું કે આશિષ ચૌહાણનો ચહેરો અને તેનો અવાજ તથા NSE લોગોનો ઉપયોગ કરી ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે.



સંદેશખાલીની મહિલાઓએ TMCના નેતાઓ પર યૌન ઉત્પીડન અને જબરદસ્તી જમીન કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં શેખ શાહજહાં, શિબુ હાજરા અને ઉત્તમ સરદાર આરોપી છે. ત્રણની ધરપકડ કરી લીધી હતી. સંદેશખાલીથી જોડાયેલી પાં જનહિત અરજી પર ચીફ જસ્ટિસ TS શિવજ્ઞાનમ અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે સુનાવણી કરી હતી.




કેલિફોર્નિયામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની વેસ્ટ ઝોન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારતીય અમેરિકનો, હોદ્દેદારો, કાર્યકરો અને ભાજપ સમર્થકોએ હાજરી આપી હતી. જ્યાં નરેન્દ્ર મોદી સરકારના સાહસિક કર્યો, યોજનાઓ, વ્યાપાર અને વિદેશ નીતિ સહિતની ઉપલબ્ધિઓ તેમજ તે થકી ઊભી થયેલ વૈશ્વિક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાઉથ એશિયન બિઝનેસ નેટવર્કના વાઇસ ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીની સરકારમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપી છે. આથી અને લોકો મોદી સરકારને સમર્થન આપીએ છીએ.”
ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, “કોરોના જેવું સંકટનો મોદી સરકારે હિંમતભેર સામનો કર્યો હતી. આ પડકારરૂપ પરિસ્થિતિમાંથી દેશને બહાર લાવી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. ભાજપે દેશને પ્રથમ દલિત રાષ્ટ્રપતિ, આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા છે.”
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી વેસ્ટ ઝોનમાં કો. ઓર્ડીનેટર પી. કે.નાયકએ જણાવ્યું હતું કે, “ભાજપ સરકારનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયોનો યુગ બની રહેશે. છે. જેથી ભાજપને વોટ આપી વિજયી બનાવવા અને ભારતના સર્વે નાગરિકોને અંહી વસતા ભારતીયોને તેમના મિત્ર, સ્નેહી અને કુટુંબીજનોને આ વાત પહોંચાડવા અપીલ કરી છે.”

2019 અને 2021ની કેનેડાની સામાન્ય ચૂંટણીમાં ચીને દખલ કરી હતી અને એમાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીને જીત મળી હતી. વિપક્ષ સતત આ મુદ્દો ઉઠાવી રહ્યો હતો અને વિદેશી દખલની વાત કરી રહ્યો હતો. ત્યાર બાદ વડા પ્રધાન ટ્રુડોએ તપાસ પંચની રચના કરી હતી. આ બંને કેસોમાં વિદેશી દખલના નક્કર પુરાવા મળ્યા છે. બીજી બાજુ, ચીને કેનેડાના રાજકારણમાં દખલના આરોપોથી ઇનકાર કર્યો છે. કેનેડામાં 2021માં થયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રચારની આગેવાની કરી રહેલા એરિન ઓટુલીએ ચૂંટણીમાં ચીનની દખલનો અંદેશો વ્યક્ત કર્યો હતો.

