Home Blog Page 1767

રવીના ટંડન મારપીટ મામલો: મુંબઈ પોલીસે કહ્યું અભિનેત્રી નશામાં….

મુંબઈ: રવિવારે રવીના ટંડનનું નામ એક વિવાદને કારણે ચર્ચામાં આવ્યું હતું. અભિનેત્રી પર તેના ડ્રાઈવર સાથે એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર પર મારપીટ કરવાનો આરોપ હતો, જેના પછી કેટલાક ગુસ્સે થયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાંદ્રાના રિઝવી લો કોલેજ પાસે બની હતી. પીડિતા મોહમ્મદે આરોપ લગાવ્યો હતો કે રવીના ટંડને નશાની હાલતમાં તેની માતા પર હુમલો કર્યો હતો. તેણે તેમની કાર પણ તેમના પર ચડાવી દીધી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો. બાદમાં પીડિતાના પરિવારે ખાર પોલીસ સ્ટેશનમાં તેની (રવીના ટંડન) વિરુદ્ધ FIR નોંધાવી હતી. હવે આ અંગે મુંબઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે.

મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે કેટલાક લોકોએ રવીના ટંડન અને તેના ડ્રાઈવર વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. CCTV જોયા પછી સત્ય સામે આવ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને ન તો રવીના ટંડન નશામાં હતી.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે,”અમે સોસાયટીના સમગ્ર સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે અને જાણવા મળ્યું છે કે અભિનેત્રી (રવીના ટંડન)નો ડ્રાઈવર રોડ પરથી કારને સોસાયટીમાં રિવર્સ કરી પાર્ક કરી રહ્યો હતો જ્યારે પરિવાર એ જ લેન ક્રોસ કરી રહ્યો હતો. પરિવારને લાગ્યું કે ગાડી તેઓની સાથે અથડાશે.આ કારણે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો.”

પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે,ઝઘડો મોટી દલીલમાં બદલાયો અને મોટુ સ્વરૂપ લીધું એટલે રવીના આ મામલાની તપાસ કરવા વચ્ચે પડી. જ્યારે તેણે ડ્રાઈવરને ટોળાથી બચાવવાનો પ્રયાસ કર્યો તો ટોળાએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. ઘટના બાદ તરત જ રવીના અને તેના પરિવારજનો ખાર પોલીસ સ્ટેશન ગયા અને લેખિત ફરિયાદ કરી. જોકે,અભિનેત્રીએ બાદમાં એફઆઈઆર નોંધાવી ન હતી. અધિકારીએ કહ્યું કે રવીના નશામાં ન હતી કે તેની કારે કોઈને ટક્કર મારી ન હતી. આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી.

આ મામલે અભિનેત્રીથી રાજકારણી બનેલી કંગના રનૌત રવીના ટંડનના સપોર્ટમાં આવી છે. 37 વર્ષીય કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે,’રવીના ટંડન જી સાથે જે પણ થયું તે ખૂબ જ ચિંતાજનક છે. જો તે જૂથમાં 5-6 વધુ લોકો હોત તો માર મારીને તેણીની હત્યા કરી નાખત. અમે આવી રોડ રેજની ઘટનાઓને વખોડીએ છીએ. એવા લોકોને ઠપકો આપવો જોઈએ. તેઓએ આવી હિંસા અને દુર્વ્યવહાર સહન ન કરવો જોઈએ.’

સિક્કિમમાં કોંગ્રેસને નોટાથી ત્રણ ગણા ઓછા મત મળ્યા

નવી દિલ્હીઃ સિક્કિમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જારી રવિવારે જારી કરી દેવામાં આવ્યાં હતાં. લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો પહેલાં સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીને નોટાથી પણ ઓછા મત મળ્યા છે. જોકે ભાજપને પણ હાર ખમવી પડી છે. રાજ્યની સંસદમાં ભાજપના 12 સભ્યો હતા.

સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના cm પ્રેમ સિંહ તમાંગની પાર્ટીને મોટી જીત મળી છે. સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 સીટો પર રેકોર્ડ જીત હાંસલ કરી છે. એક સીટ SDFને મળી છે. સિક્કિમની 32 વિધાનસભા સીટો પર લોકસભા સીટોના પહેલા તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. મોટા ભાગના ભાજપના ઉમેદવારોની જમાનત જપ્ત થઈ હતી.સિક્કિમમાં કોંગ્રેસને નોટાથી પણ ઓછા મતો મળ્યા છે. સિક્કિમમાં નોટાને 0.99 ટકા મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 0.32 ટકા મતો મળ્યા છે અને ભાજપને રાજ્યમાં 5.18 ટકા મતો મળ્યા છા. આ સાથે SKMને 58.38 ટકા, SDFને 27.37 ટકા અને અન્યોને 7.7 ટકા મતો મળ્યા છે. સિક્કિમના CM હાલમાં પ્રેમ સિંહ તમાંગ છે. તેઓ 2019માં રાજ્યના છઠ્ઠા મુખ્ય મંત્રી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પશ્ચિમ સિક્કિમથી આવે છે અને 1990માં તેઓ રાજકારણમાં સક્રિય થયા છે. 1993માં તેઓ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સામેલ થયા હતા અને 1994માં ચાકુંગ વિધાનસભા સીટથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા હતા. તેઓ 2009 સુધી કેબિનેટ મંત્રી બન્યા હતા.

 

 

 

 

 

 

 

 

સાઇકલ ડે: સરળ, સસ્તી, સલામત સવારી

અમદાવાદ: દુનિયામાં સાઇકલનું મહત્વ વધે એ માટે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ખરડો પસાર કરવામાં આવ્યો. આથી સમગ્ર વિશ્વમાં 3 જૂનના રોજ સાઇકલ દિવસ તરીકે ઉજવાય છે. સાઇકલ ડેની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય એ છે કે તંદુરસ્ત રાખતા એકદમ ઉપયોગી સરળ,સસ્તા સાધન વિશે સમગ્ર વિશ્વના લોકોમાં જાગૃતિ વધે. લોકો વધુમાં વધુ સાઇકલ તરફ વળે જેથી ઈંધણથી ચાલતા મોટા વાહનોનો ઉપયોગ ઘટે.કેટલાક લોકો બિનજરૂરી રીતે નજીકના સ્થળે જવા માટે પણ ઈંધણથી ચાલતા વાહનોનો ઉપયોગ કરે છે. જેનાથી ઈંધણ વપરાય, પર્યાવરણને નુકસાન થાય, ટ્રાફિકની સમસ્યા વધે અને પાર્કિંગ માટે પણ ફાંફા મારવા પડે. આવાં સમયે સાઇકલ શરીરને સ્વસ્થ રાખતી સરળ, સસ્તી અને સલામત સવારી સાબિત થાય છે. જગત આખાયમાં સાઇકલ ચલાવવાની જાગૃતિ માટે રેલીઓ, હરિફાઇ યોજાય છે. મોટાં-મોટાં તબીબો, કલાકારો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ સાઇકલ ચલાવી તંદુરસ્ત રહેવા પ્રયત્નશીલ હોય છે અને લોકોને જાગૃત પણ કરે છે. સમાજની સેલિબ્રિટીઓ સાઇકલ પ્રત્યે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમો યોજે છે. એકસાથે સૌ સાઇકલિંગ કરતા હોય એવી અનેક ક્લબો પણ બની છે. જે સમાજમાં સત્કાર્યો પણ કરે છે. પરંતુ આ એકદમ ‘ફાસ્ટ’ જગતમાં ‘સ્લો’ ચાલતી સાઇકલના શારિરીક અને પર્યાવરણીય ફાયદાની સાથે સામાજિક મહત્વ પણ લોકો સમજે તો સાચી જાગૃતિ કહેવાય!

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

રાજયના મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે.

મુખ્ય નિવાર્ચિન અધિકારી પી. ભારતીએ કહ્યું કે, રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.

વધુમાં એમણે કહ્યું કે મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે Third Randomization આવતીકાલે વહેલી સવારે 5 વાગ્યે Observers ની હાજરીમાં કરવામાં આવશે.
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે, માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે.

આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે.

તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

કમિશનના Observers સિવાય મતગણતરી કેન્દ્રમાં Mobile, Tablet કે Laptop જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવા Counting Supervisors પૂર્વપરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ તથા Voter Helpline App પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે.

અમદાવાદની મહત્વની જગ્યાઓએ મુવેબલ ટ્રોલી કેમેરા મુકાયા

અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદમાં VVIP મુવમેન્ટ સતત વધતી જાય છે. બીજી તરફ શહેરમાં વધતી જતી ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તેમજ દરેક ગતિવિધિ પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનારની સીધી નજર રહે એ માટે ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. શહેરમાં સાયન્સ સિટી, નવરંગપુરા, ગુજરાત કોલેજ જેવા મહત્વના અંદાજે 22 સ્થળોએ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવ્યા છે. આ ટ્રોલી કેમેરા પર અમદાવાદ શહેર પોલીસ, નિર્ભયા પ્રોજેક્ટ લખેલા સ્ટિકર લગાડવામાં આવ્યા છે.કેમેરાના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાનગી કંપનીના કર્મચારી ચિત્રલેખા.કોમને કહે છે બસ સ્ટેન્ડ જેવા મહત્વનાં સ્થળોએ ચાંપતી નજર રાખવા માટે 400 જેટલાં પોલ પર કેમેરા લાગી ચૂક્યા છે.4 જૂનના રોજ મત ગણતરી થવાની છે. ત્યારે આવી VVIP મુવમેન્ટ વખતે સ્પેશિયલ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવે છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઠેર-ઠેર હેલ્પલાઇન સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જેમાં બટન દબાવવાથી કંટ્રોલ રૂમમાં વાત થઈ શકે. જ્યારે આખાય શહેરમાં સિસ્ટમ લાગી જશે ત્યારે નાગરિકોની સહાયતા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થશે.લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે તમામ ચેક પોઈન્ટ પર નજર રાખવા માટે વધારાના CCTV કેમેરા પણ મુકવામાં આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

અનંત-રાધિકાની ઈટાલીની પ્રી-વેડિંગ પાર્ટીની પહેલી ઝલક આવી સામે, જુઓ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાં બૉલિવૂડથી લઈ કેટલાય ઈન્ટરનેશનલ હસ્તીઓ સામેલ થઈ હતી. કેટલાક બૉલિવૂડ સ્ટાર્સે આ પાર્ટીની ઝલક પણ પોતાના ફેન્સને બતાવી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની કોઈ પણ તસવીર સામે આવી નથી. જોકે, ચાહકોની આતુરતાનો હવે અંત આવ્યો છે.

રાધિકા-અનંતની પહેલી તસવીર

બધાને રાધિકા અને અનંત અંબાણીની ઈટાલીમાં આયોજીત પાર્ટીની તસવીરની રાહ હતી. આખરે હવે ઈટાલીમાં આયોજિત ગ્રાન્ડ પાર્ટીની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં અનંત પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળી રહ્યાં છે તો રાધિકા રેડ કલરની ડ્રેસમાં સજ્જ છે. તસવીરમાં અનંત રાધિકાને વહાલી નિહારતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

વ્હાઈટ આઉટફિટમાં ઈશા અંબાણીનો સુંદર અંદાજ

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

ઈટાલીમાં ક્રુઝ પાર્ટીમાંથી ઈશા અંબાણીની પણ પહેલી ફોટો સામે આવી છે. આ તસવીરમાં ઈશા અંબાણી વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટોમાં ઈશા અંબાણી ખુબ જ સુંદર દેખાય છે. પરિવારના અન્ય સભ્યોની પણ ઝલક સામે આવી છે.

એક વીડિયોમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી મ્યુઝિકને માણી રહ્યાં છે અને કઈંક વાતચીત કરતા દેખાય છે. આ તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અંબાણી અપડેટ નામના પેજ પર શેર કરવામાં આવી છે.

આ સાથે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પણ એક તસવીર સામે આવી છે, જેમાં તે મહેમાનો સાથે વાત કરતા જોવા મળી રહ્યાં છે. એક વીડિયોમાં નીતા અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી સાથે જોવા મળ્યા.

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં જપ્ત કર્યા રૂ. 10,000 કરોડઃ EC

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામોની મત ગણતરી પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે મતદાતાઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે 64 કરોડથી વધુ મતદાતાઓએ મતદાન કર્યું હતું. વિશ્વની સૌથી મોટી મતદાનપ્રક્રિયામાં 68,000થી વધુ નિગરાની દળ, 1.5 કરોડથી વધુ મતદાન અને સુરક્ષા કર્મચારીઓ સામેલ થયા હતા, એમ તેમણે કહ્યું હતું.

લોકસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ કરી હતી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે રોકડ, દારૂ, સાડી અને મતદાતાઓને આકર્ષવા માટે અનેક ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત રૂ. 10,000 કરોડ છે, જે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની તુલનાએ આશરે ત્રણ ઘણા વધુ છે, એમ તેમણે કહ્યું હતુંઆ ચૂંટણી પ્રક્રિયામાં 64.2 કરોડ મતદાતાઓએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. એ બધા G& દેશોના મતદાતાઓના 1.5 ગણા અને યુરોપીય સંઘના 27 દેશોના મતદાતાઓ કરતાં 2.5 ગણા છે. આપણે ઇતિહાસ રચ્યો છે અને આ ચૂંટણીમાં 31 કરોડ મહિલાઓએ અને 33 કરોડ પુરુષોએ મતદાન કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.

લોકસભા ચૂંટણી કરાવવામાં આશરે ચાર લાખ વાહનો, 135 વિશેષ ટ્રેનો અને 1692 ફ્લાઇટ્સનો ઉપયોગ થયો હતો.

ECIએ ચૂંટણીમાં સફળ સંચાલનનો ટ્રેક રેકોર્ડ જારી રાખ્યો છે. ભારતીય ચૂંટણી વાસ્તવમાં એક ચમત્કાર છે. એની વિશ્વમાં કોઈ સમાનતા નથી. 85 વર્ષથી વધુના મતદાતાઓનું યોગદાન આપણી યુવા પેઢી માટે પ્રેરમાદાયક છે.  આ લોકશાહીના ગણનાયક છે, એમ તેમણે કહ્યું હતું.

લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી, જે 19 એપ્રિલથી શરૂ થઈ હતી અને પહેલી જૂને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા દેશમાં બધે જ મતદાનની કામગીરી પૂરી થઈ હતી.

 

 

 

 

 

 

સટ્ટાબજારમાં લોકસભા ચૂંટણી પરિણામો પર રૂ. 300 કરોડ લાગ્યા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મતદાન પછી હવે સૌની નજર ચૂંટણી પરિણામો પર છે. મોટા ભાગના એક્ઝિટ પોલ BJP ગઠબંધન (NDA)ને 350થી વધુ સીટો આપી રહ્યા છે. ભાજપને 300 કરતાં વધુ અને કોંગ્રેસને 64 સીટો જીતવાનો અંદાજ છે.

ફલોદી સટ્ટાબજારમાં ભાજપને 303-305 સીટો, NDAને 350-355 સીટો મળવાની સંભાવના છે. આ સાથે ગુજરાતમાં ભાજપને 26 બેઠકો, કર્ણાટકમાં 20-22 સીટો અને રાજસ્થાનમાં 19-20 સીટ ભાજપને મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 5-6 સીટો આવવાની સંભાવના છે.

ફલોદી સટ્ટાબજારમાં મધ્ય પ્રદેશમાં 25-27 સીટો, હરિયાણામાં 5-6 સીટો, ઓડિશામાં 11-12 સીટો, હિમાચલ અને ઉત્તરાખંડમાં બધી સીટો, ઝારખંડ અને છત્તીસગઢમાં 10-11 સીટો અને દિલ્હીમાં 5-6 સીટો મળવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ગઠબંધનને 7-75 સીટો અને ઇન્ડિયા ગઠબંધનને 5-10 સીટો મળવાની શક્યતા છે.

PM મોદીની હારજીત પર સૌથી મોટો દાવ

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી UPની વારાણસી સીટથી સતત બે વાર (2014 અને 2019) જીત્યા છે. આ વખતે પણ તેઓ કાશીથી તો હેટટ્રિક કરે એવી સંભાવના છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલનાં પરિમામો પછી સટ્ટા બજાર વધુ ગરમાયું છે. સટ્ટાબજારમાં રૂ. 300 કરોડથી વધુની રકમ દાવ પર લાગી ચૂકી છે, એમાં પણ સૌથી મોટો દાવ વડા પ્રધાન મોદીની વારાણસી સીટ પર લાગ્યા છે. વડા પ્રધાન મોદીની જીત પર રૂ. એક લાખ લગાવવા પર રૂ. 2000ના નફાનો રેટ છે. આ સાથે મોદીની હાર પર સર્વાધિક ભાવ છે. તેઓ હારે તો રૂ. એક લાખ લગાવવા પર રૂ. 3.50 લાખ મળશે.

રસપ્રદ વાત એ છે કે PM મોદીની જીત-હારથી વધુ તેમના માર્જિન પર દાવ લગાવવામાં આવ્યો છે. જો મોદી રૂ. બે લાખના અંતરથી જીતે તો સટ્ટામાં રૂ. એક લાખથી રૂ. 1.50 લાખ મળશે. જો તેઓ ત્રણ લાખથી વધુ માર્જિનથી જીતે તો પૈસા બે ગણા થઈ જશે.

મોદીની જીતનું માર્જિન 2019માં 4.79 લાખ (મત) હતા, જ્યારે 2014માં એ 3.71 લાખ હતા.

ફલોદી સટ્ટા બજારથી વિપરીત મુંબઈ સટ્ટાબજારમાં દેશમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને 300થી વધુ સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ફલોદી સટ્ટાબજારમાં NDAને સ્પષ્ટ બહુમત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

World Bicycle Day: ક્યા દેશમાં સૌથી વધુ ચલાવાય છે સાયકલ?

સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day)આજે એટલે કે 3જી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું કારણ સમગ્ર વિશ્વમાં સાયકલનું મહત્વ જણાવવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.

વિશ્વ સાયકલ દિવસ

તમને જણાવી દઈએ કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ડૉક્ટરો અને નિષ્ણાતો પણ સાઈકલ ચલાવવાની સલાહ આપે છે. કારણ કે નિયમિત રીતે સાયકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે સારી છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 3 જૂન 2018ના રોજ જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.

ક્યારે શરૂ થયું

નોંધનીય છે કે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી સત્તાવાર રીતે 3 જૂન, 2018 ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુએનના અધિકારીઓ અને ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ દિવસની ઉજવણીની શરૂઆતથી જ સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના સ્વાસ્થ્ય લાભો પણ સમજાવવામાં આવ્યા હતા. ત્યારથી આ દિવસને સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.

સાયકલ કેપિટલ

નેધરલેન્ડને વિશ્વની સાયકલ રાજધાની પણ કહેવામાં આવે છે. કારણ કે અહીંની વસ્તી માત્ર 170 લાખ છે, પરંતુ અહીં સાયકલની સંખ્યા 2 કરોડથી વધુ છે.

શા માટે શરૂ થયું?

વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો હેતુ માત્ર આરોગ્ય અને પર્યાવરણ વિશે વિશ્વને જાગૃત કરવાનો હતો. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ દ્વારા વિશ્વભરના દેશોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમોમાં સાયકલનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. આ ઉપરાંત રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતીને પણ પ્રમોટ કરવાની હતી.

સાયકલ ચલાવવાના ફાયદા

  • કેલરી બર્ન કરવા માટે સાયકલ ચલાવવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમને સ્નાયુઓ બનાવવામાં, વજન ઘટાડવામાં અને એકંદર ફિટનેસમાં સુધારો કરવામાં મદદ કરે છે.
  • આ સિવાય જો તમે નિયમિત રીતે સાઈકલ ચલાવો છો, તો તમારું શરીર વધુ લચીલું બને છે.
  • નિયમિત સાયકલ ચલાવવાથી તમારા શરીરના ઉપરના ભાગની મુદ્રામાં સુધારો થાય છે. તે તમારા શરીરના ઉપરના ભાગમાં સંકલન અને શક્તિ પણ વધારે છે.
  • સાયકલ ચલાવવાથી શરીરની ફિટનેસ સારી રહે છે અને શરીરનું વજન વધતું નથી.

કોરાનાના 14 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,618 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,962 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 27 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 307 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,676 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.