Home Blog Page 1717

રાશિ ભવિષ્ય 19/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા, માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 19/06/2024

PM મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી

પીએમ મોદી ચૂંટણી પરિણામો બાદ મંગળવારે પહેલીવાર વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂત સંમેલનમાં પચાસ હજાર ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમજ કિસાન સન્માન નિધિના 17મા હપ્તામાં 20 હજાર કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ કૃષિ સખીઓ તરીકે પ્રશિક્ષિત 30,000 થી વધુ સ્વ-સહાય જૂથોને પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું.

પીએમ મોદીની કાશીની આ મુલાકાત માત્ર ખેડૂત સંમેલન માટે નથી પરંતુ પીએમ મોદીને લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીતના આશીર્વાદ મળ્યા બાદ થઈ રહી છે. પીએમ મોદી જ્યારે વારાણસીના મતદાતાઓનો આભાર માનવા આવ્યા ત્યારે વારાણસીના લોકોએ પણ તેમનું એ જ ઉત્સાહથી સ્વાગત કર્યું. આ પ્રવાસમાં પીએમ મોદી માતા ગંગાની આરતી અને કાશી વિશ્વનાથની પૂજાના આશીર્વાદ પણ લેવાના છે.

આ પછી પીએમ મોદીએ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરી. પીએમ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર હતા. ગંગા આરતી પૂરી થયા બાદ ઘાટ પર હાજર સ્થાનિક લોકોએ ભારત માતા કી જય જેવા નારા લગાવ્યા અને પીએમ મોદીનું અભિવાદન કર્યું. ત્યારબાદ પીએમ મોદી અહીંથી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા અને પૂજા અર્ચના કરી.

પ્રાદેશિક ભાષામાં લોકોનો આભાર માન્યો

આ પહેલા એક કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “ચૂંટણી જીત્યા બાદ આજે પહેલીવાર અમે બનારસ તેલમાં આવ્યા છીએ, અમે કાશીની જનતાને સલામ કરીએ છીએ. કાશીના લોકોના કારણે હું ધન્ય બની ગયો છું. સૂર્યદેવે પણ થોડી ઠંડક વરસાવવાનું શરૂ કર્યું.” જાણે માતા ગંગાએ મને દત્તક લીધો હોય, અમારી સરકાર અમારા ખેડૂત ભાઈ-બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પવિત્ર ભૂમિ પરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડીને કાશીનું ગૌરવ.

તેમણે કહ્યું, “18મી લોકસભાની ચૂંટણી ભારતની લોકશાહીની વિશાળતા, ભારતની લોકશાહીની તાકાત, ભારતના લોકતંત્રની પહોળાઈ, ભારતના લોકતંત્રના મૂળની ઊંડાઈને વિશ્વ સમક્ષ રજૂ કરે છે. જો યુરોપ અને યુરોપિયન યુનિયન ઉમેરે તો પણ. બનારસની જનતાએ ત્રીજી વખત પીએમને પસંદ કર્યા છે.

24 વર્ષમાં પહેલીવાર ઉત્તર કોરિયા પહોંચ્યા પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 24 વર્ષમાં પ્રથમવાર ઉત્તર કોરિયાની મુલાકાતે છે. મુલાકાત પહેલા, તેમણે યુક્રેનમાં તેમના પગલાઓને સમર્થન આપવા બદલ ઉત્તર કોરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. પુતિને કહ્યું કે બંને દેશો સાથે મળીને અમેરિકાના નેતૃત્વમાં તેમના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હરાવી દેશે.

તેઓ મંગળવારે બે દિવસની મુલાકાતે પ્યોંગયાંગ પહોંચ્યા હતા. ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા દ્વારા પ્રકાશિત એક લેખમાં, પુતિને કોરિયન દેશના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની પ્રશંસા કરી હતી અને વચન આપ્યું હતું કે તેઓ સંયુક્ત રીતે અન્યાયી અને એકપક્ષીય પ્રતિબંધોનો વિરોધ કરશે. રશિયા અને ઉત્તર કોરિયા વેપાર અને ચુકવણી પ્રણાલી વિકસાવશે જેને પશ્ચિમી દેશો નિયંત્રિત કરી શકશે નહીં.

યુએનએ પ્રતિબંધો લાદ્યા

તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયા પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમોને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કડક આર્થિક પ્રતિબંધોના દબાણમાં છે. જ્યારે રશિયા પણ યુક્રેન પર હુમલા માટે અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. અમેરિકાનો દાવો છે કે ઉત્તર કોરિયાએ યુક્રેનમાં ઉપયોગ માટે રશિયાને બેલેસ્ટિક મિસાઈલ અને 11,000 થી વધુ દારૂગોળો મોકલ્યો છે.

બિહારમાં કરોડોનો પુલ તેના ઉદ્ઘાટન પહેલા તૂટી પડ્યો

બિહારમાં ફરી એકવાર પુલ દુર્ઘટના સામે આવી છે. ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટીને નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અરરિયા જિલ્લાના સિક્તી બ્લોકમાં બની હતી. અહીં બાકરા નદીના પાદરિયા ઘાટ પર કરોડોના ખર્ચે બનેલો પુલ અચાનક નદીમાં ડૂબી ગયો હતો. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

 

કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ પહેલાના બ્રિજના એપ્રોચને કાપ્યા બાદ બનાવવામાં આવ્યો હતો. લોકોનો આરોપ છે કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી ઉદ્ઘાટન પહેલા પુલ તૂટી પડ્યો હતો. લોકોનું કહેવું છે કે તાજેતરમાં વિભાગ દ્વારા પુલના એપ્રોચ રોડને પુનઃસ્થાપિત કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. પરંતુ, તે પહેલા આ અકસ્માત થયો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ પડ્યો

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોને રાહત થઇ છે. જેમાં વાંસદા પંથકના લોકોને ભારે ગરમી અને બફારાથી રાહત મળી છે. ત્યારે પાલિતાણામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં પાલિતાણામાં સતત પાંચમાં દિવસે વરસાદ આવ્યો છે. તેમાં પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવમાં વરસાદ પડ્યો છે. અવિરત વરસાદ વરસવાથી શહેર તેમજ ગ્રામ્યનું વાતાવરણ ઠંડુ બન્યુ છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. વલસાડ શહેરમાં મોડી સાંજે વરસાદનું આગમન થયુ છે. જેમાં ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ શહેરના દાણા બજાર, છીપવાડ અને ખેરગામ તાલુકાને જોડતા અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. થોડાજ વરસાદે વલસાડ શહેરમાં પાણી ભરી દીધા છે.

પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. તેમજ પાણી ભરાતાં વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થયા હતા. તથા અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જેમાં ડાંગના સાપુતારા-આહવામાં વરસાદ આવ્યો છે. જેમાં આહવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ ડાંગના મોટાભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ આવ્યો છે.

પાકિસ્તાને ત્રણ એપથી હેક કરી લીધું હતું બ્રહ્મોસ વિજ્ઞાનીનું લેપટોપ

નવી દિલ્હીઃ ભારતીય ટેક્નિક પર આધારિત બ્રહ્મોસ મિસાઇલ વિકસિત કરવામાં મોટી ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ સાયન્ટિસ્ટ નિશાંત અગ્રવાલને સેશન્સ કોર્ટે ઉંમરકેદની સજા સંભળાવી છે. એવોર્ડ વિનિંગ એન્જિનિયર નિશાંત પર પર મિસાઇલથી જોડાયેલી સિક્રેટ માહિતી વિદેશી તાકાતોના હાથમાં સોંપવાનો આરોપ હતો અને કોર્ટે તેમને CPCની કલમ 235 હેઠળ ઉંમર કેદની સજા આપવામાં આવી છે.

આ કેસની તપાસ કરવાવાળા UP-ATSના અધિકારી પંકડ અવસ્થીનું કહેવું છે કે નિશાંતે પાકિસ્તાનની સેજલ ફેસબુક IDવાળી મહિલાથી વાતચીત દરમ્યાન સેનાના અનેક સિક્રેટ લીક કર્યા હતા. ફેસબુક ચેટિંગ દરમ્યાન તેમણે પાકિસ્તાની શખસથી વાતચીત મહત્ત્વની માહિતી લીક થઈ હતી.

તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે સેજલની સાથે ચેટિંગ કરતાં સમયે નિશાંતે તેના નિર્દેશ પર વર્ષ 2017માં ત્રણ લિન્ક પર ક્લિક કર્યું હતું અને એનાથી જોડાયેલી એપ લેપટોપ પર ઇન્સ્ટોલ કરી હતી. આ ત્રણ એપ- Qwhisper, Chat to Hire  અને X-trust હતી. આ એપ એક પ્રકારે મેલવેર હતી, જેણે નિશાંતના લેપટોપથી સંપૂર્ણ ડેટા કાઢી લીધો હતો. તપાસમાં માલૂમ પડ્યું હતું કે બ્રહ્મોસ મિસાઇલથી જોડાયેલી ગુપ્ત માહિતી નિશાંતના લેપટોપમાં હતી, જે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે.

નિશાંતે તપાસમાં જણાવ્યું હતું કે તેણે લિન્ક્ડઇન પર સેજલે પણ ચેટિંગ કરી હતી, જ્યાં સેજલે તેમને હાયર કરવાની વાત કરી હતી. તેણે નિશાંતને કહ્યું હતું કે તે યુકેની હેયઝ એવિયેશનમાં નોકરી અપાવશે, આ રીતે નિશાંત તેની જાળમાં ફસાતો ગયો અને સેનાની માહિતી આપતો ગયો હતો.

 

 

 

 

 

 

 

 

X, Jio, Google દેશભરમાં થયું ઠપ્પ

શું તમે પણ WhatsApp, Instagram અને Telegram ચલાવવામાં સમસ્યાનો સામનો કરી રહ્યાં છો? દેશમાં Jio, Airtel, Google અને અન્ય ઘણી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. નેટવર્ક ડાઉન હોવાના અહેવાલો મંગળવારે IST બપોરે 1:44 વાગ્યે આવવા લાગ્યા. મળતી માહિતી મુજબ, આ સમસ્યા કોઈ એક કંપનીના સર્વરમાં નથી. તેના બદલે દેશવ્યાપી નેટવર્કમાં સમસ્યા આવી શકે છે જેના કારણે વપરાશકર્તાઓને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.આ સમસ્યા હાલમાં ભારતમાં જોવા મળી રહી છે. હાલમાં, આઉટેજની સમસ્યા દેશની બહાર કોઈ દેશમાં જોવા મળી રહી નથી.

લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સિવાય ગૂગલ અને યુટ્યુબની સ્થિતિ પણ આવી જ છે. આ સમસ્યા ઘણા મોટા શહેરોમાં જોવા મળી છે. આઉટેજ પર નજર રાખતી સાઇટ ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, ઘણા વિસ્તારોમાં Jio, Airtel અને Googleની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. 3000થી વધુ યુઝર્સે એપ્સ ડાઉન થવાની ફરિયાદ કરી છે. X અને Snapchat ચલાવવામાં વપરાશકર્તાઓને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ, નેટવર્ક ડાઉન થવાને કારણે બપોરે 1.30 વાગ્યાની આસપાસ વોટ્સએપ પર સમસ્યાઓ આવવા લાગી.

જે બાદ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ફરિયાદો પોસ્ટ કરી રહ્યા છે. આ સિવાય જિયોનો આઉટેજ રિપોર્ટ જે 2.45 પર આવ્યો હતો તે ફરીથી 1900ને પાર કરી ગયો છે. એપ્સ ઉપરાંત હવે યુઝર્સને Jio ફાઈબર અને ઈન્ટરનેટ ચલાવવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નિરાશ યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સતત તેમની સમસ્યાઓ વ્યક્ત કરી રહ્યા છે.

વડોદરા સહિત દેશના 40 એરપોર્ટને મળી ધમકી..

દેશમાં ધમકીભર્યા મેઈલ અને ખાસ કરીને બોમ્બથી સંસ્થાઓ-એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપવાનો સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે મંગળવારે દેશભરના એકબાદ એક 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી સર્જાઈ હતી. સૌપ્રથમ વડોદરા, બાદમાં પટણા અને જયપુર સહિત હવે દેશના 40 એરપોર્ટમાં બોમ્બ હોવાના ઈ-મેઈલથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

આજે વડોદરનું પોલીસ તંત્ર દોડતું થયું હતું. કેમ કે આજે એરપોર્ટ ઓથોરીટે એક મેઈલ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટમાં બોમ્બ છે, અને હું એરપોર્ટને હબોમ્બથી ઉઠાવી દઈશ. ધમકી ભર્યો મેઈલ મળ્યાની સાથે વડોદરા પોલીસ તંત્ર દોડતું થયું હતું. વડોદરા પોલીસસ, બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિત CRSFનું સઘન ચેકિંગ ચાલ્યું હતું. આ ઉપરાંત એરપોર્ટ પરથી અવર જવર કરનારા યાત્રીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એરપોર્ટ પર કંઈ પણ શંકાસ્પદ ન મળતાં એજન્સીઓએ હાશકારો લીધો હતો.

આ અગાઉ લોકસભા ચૂંટણી એક દિવસ પહેલા અમદાવાદની 27 સ્કૂલોને પણ બોમ્બથી ઉઠાવી દેવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ એક ફ્લાટ સહિત અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉઠાવી દેવાના મેઈલ મળ્યા હતા. જે બાદ મેઈલ ક્યાથી કરવામાં આવ્યો ક્યા ઈરાદાથી કરવામાં આવ્યો જેની તપાસ પણ ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. જ્યારે આ ધમકી ભર્ય મેઈલ આવવાનો સિલસિલો દિલ્હીથી શરૂ થયો છે. જ્યાં થોડ સમય પહેલા લગભગ 100 જેટલી શાળામાં બોમ્બ મુક્યા હોવાની ધમકી મળી હતી.

Sarfira Trailer: અક્ષય કુમાર અને પરેશ રાવલની જોડીનો અનોખો અંદાજ

મુંબઈ: ‘હેરા ફેરી’ થી લઈને ‘આવારા પાગલ દીવાના’ સુધીની ફિલ્મોમાં જોવા મળેલ અક્ષય કુમાર અને પરેશ રાવલની જોડીને દર્શકો પસંદ કરે છે. પરંતુ આ વખતે પડદા પર તેમની કેમેસ્ટ્રી સાવ અલગ જોવા મળશે. ખિલાડીની 2024માં આવનારી ફિલ્મ ‘સરફિરા’ નું ટ્રેલર જોયા પછી ચાહકો આ વાત કહી રહ્યા છે. આ ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. જેના કારણે ‘સરફિરા’નું ટ્રેલર વાયરલ થઈ રહ્યું છે.

‘સરફિરા’ 12 જુલાઈ, 2024ના રોજ રિલીઝ થવાની છે, જેમાં અક્ષય કુમાર ઉપરાંત રાધિકા મદાન અને પરેશ રાવલ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સુધા કોંગારા પ્રસાદે કર્યું છે. જ્યારે નિર્માતા સૂર્યા, જ્યોતિકા અને અરુણા ભાટિયા છે.

ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી ફિલ્મનું ટ્રેલર શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું કે, સપના તે નથી જે તમે સૂતી વખતે જુઓ છો, સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા. સરફિરા આવા જ એક સપનાની વાર્તા છે, ટ્રેલર આવી ગયું છે. સરફિરા 12 જુલાઈ 2024ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે.

ટ્રેલર શેર થતાં જ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું કે, એક ખેલાડી બધા કરતા ચડિયાતો છે. અન્ય એક યુઝરે લખ્યું, ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ. ત્રીજા યુઝરે લખ્યું, અક્ષય કુમાર રિયલ હીરો છે, પાજી. આ સાથે, ચાહકોએ ફાયર અને હાર્ટ ઇમોજીસ સાથે પ્રતિક્રિયા આપી છે.

નોંધનીય છે કે અક્ષય કુમારની બડે મિયાં છોટે મિયાં વર્ષ 2024માં રિલીઝ થઈ હતી, જે 350 કરોડ રૂપિયાના બજેટ સાથે માત્ર 100 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. તે મોટી ફ્લોપ સાબિત થઈ.