મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર મોટો ઊલટફેર જોવા મળી શકે છે. શરદ પવારની પાર્ટી તરફથી ફરી એક વાર દાવો કરવામાં આવ્યો હતો કે અજિત પવાર જૂથના કેટલાક વિધાનસભ્યો તેમની સાથે આવે એવી શક્યતા છે. લોકસભા ચૂંટણીમાં આઠ લોકસભા સીટો પર જીત નોંધાવ્યા પછી પવારના નેતૃત્વ પાર્ટીવાળી NCPનો જુસ્સો બુલંદ છે.
પક્ષના વડા શરદ પવારે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે 19માંથી 18 વિધાનસભ્યો તેમના પક્ષમાં છે. તેઓ ક્યારેય પણ તેમની પાર્ટીમાં સામેલ થાય એવી સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં આ બધા 18-19 વિધાનસભ્યો તેમના પક્ષમાં ભળી જાય એવી અપેક્ષા છે. જોકે તેમણે કહ્યું હતું કે તેઓ બધા વિધાનસભ્યોને સામેલ કરાવતાં પહેલાં તેમના સહયોગીઓની સલાહ જરૂર લેશે. ત્યાર પછી તેઓ તેમના વિશે કોઈ નિર્ણય લેશે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંત પાટિલના NCP-શરદ પવાર જૂથમાં પરત આવવા દરમ્યાન મિડિયાથી વાત કરી રહ્યા હતા. જે પણ પાર્ટીને તોડવાવાળા વિધાનસભ્યો રહ્યા છે, જો તેઓ પાર્ટીમાં સામેલ થશે તો પાર્ટી વધુ મજબૂત થશે. જે લોકોએ પક્ષમાં રહીને પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે, તેમને અમે પરત નહીં લઈએ, કેમ કે અમારે અમારા કાર્યકર્તાઓની ભાવનાઓનું સન્માન કરવાનું છે, એમ તેમણે કહ્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને NCPમાં મોટી તૂટ જોવા મળી હતી. એક બાજુ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં તૂટ થઈ હતી, તો અજિત પવારના નેતૃત્વમાં NCPમાં તૂટ જોવા મળી હતી. બંને જગ્યે પાર્ટી બળવાખોર નેતાઓની પાસે ગઈ હતી.




આશ્રમના પ્રાંગણમાં લાવવામાં આવેલા પાર્થિવ દેહના દર્શને મોટી સંખ્યામાં ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા લોકો ઉમટી પડ્યા હતા. જેમાં કાર્તિકેય સારાભાઈ, જયેશભાઈ પટેલ, ડાયરેક્ટર અતુલ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સો વર્ષ જૂના ગાંધી આશ્રમમાં 50 વર્ષ કરતાં પણ વધારે સમય અમૃતભાઈ મોદીએ ગાંધી વિચાર અને આશ્રમને સમર્પિત કર્યો હતો.
ગાંધીનગરની નજીક આવેલા સાદરા ગામના વતની અમૃતભાઈ મોદી વિદ્યાર્થી કાળથી ગાંધી વિચારોના વાંચનમાં રુચી ધરાવતા હતા. કોંગ્રેસના સેવાદળમાં જોડાયા બાદ કેન્દ્રના સંચાલક પણ રહ્યા. ભીંત પત્ર લેખન, શ્રમ, ગામ સફાઈ, સેવા કાર્યો અને સાંસ્કૃતિક કાર્યોમાં અમૃતભાઈ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. એસ.એસ.સી પછી શિક્ષણ જગતથી માંડી સેક્રેટરીએટમાં કારકુન સુધી ચાર નોકરીઓ બદલી હતી.
1955ની ગાંધી આશ્રમની 7 દિવસની સર્વોદય વિચાર શિબિર બાદ સાબરમતીના આ આશ્રમને સમર્પિત થઈ ગયા હતા. મહેસાણા જિલ્લામાં જ્યારે ભૂદાનનું કાર્ય શરૂ થયું, ત્યારે એમણે ચાર વર્ષમાં 1100 ગામડામાં પદયાત્રા કરી હતી. ગુજરાત સર્વોદય મંડળની રચના બાદ ગાંધી આશ્રમમાં મંત્રી તરીકે ફરજ બજાવી. સર્વોદય મંડળના મુખપત્ર ‘ભૂમિપુત્ર’ માટે 1962થી 1969 વડોદરા ગયા. ત્યારબાદ મહાનુભાવો સાથે ગુજરાતભરમાં ભૂદાનની પ્રવૃત્તિ માટે ભાગ લીધો હતો.
અમૃતભાઈ મોદી સતત લખતા એમણે ઘણાં પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યુ હતું. એમણે એક સાથે પાંચ સામયિકોનું સંપાદન કર્યુ હતું. જેમાં ‘ગ્રામ નિર્માણ’, ‘કલ્યાણ યાત્રા’, ‘હિંસા વિરોધ’, ‘સ્ત્રી જીવન’ અને ‘સુવિચાર’નો સમાવેશ થાય છે. લાંબા સમયથી ગાંધી આશ્રમ સાથે જોડાયેલા હોવાથી દેશ દુનિયામાંથી આવતા મુલાકાતીઓને ગાંધી વિચાર, આશ્રમનો પરિચય કરાવતા. સમગ્ર જીવન સાદાઈથી જીવનાર અમૃતભાઈ ગાંધી આશ્રમને છોડ્યા પછી ઉંમરના પડાવ પર પહોંચ્યા અને દુનિયામાંથી વિદાય લીધી.












