Home Blog Page 1699

વધેલા ભાતના રસિયા મુઠિયા

રાત્રે વધેલા ભાત બીજા દિવસે ખાવા નથી ભાવતા. પણ તેના રસિયા મુઠિયા બનાવવામાં આવે તો તે બહુ જ સ્વાદિષ્ટ વાનગી બને છે!

સામગ્રીઃ

  • રાતનો વધેલો ભાત 2 કપ
  • ધઉંનો લોટ ½ કપ
  • ચણાનો લોટ ½ કપ
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • ધાણાજીરુ 2 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહીં ½ કપ
  • તેલ
  • સાકર 1 ટી.સ્પૂન (optional)
  • જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન

ગ્રેવી માટેઃ

  • દહીં 2 કપ
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • ધાણાજીરુ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • આદુ-મરચાં પેસ્ટ 1 ટી.સ્પૂન
  • રાઈ
  • તેલ કળી પત્તાના પાન 3-4
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હીંગ 2-3 ચપટી
  • રાઈ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • લાલ સૂકા મરચાં 2

રીતઃ ભાતમાં ધઉંનો લોટ, ચણાનો લોટ, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ, હળદર , હીંગ, સ્વાદ પ્રમાણે મીઠું, દહીં,  સાકર, જીરૂ પાઉડર મેળવીને નરમ લોટ બાંધી લો.

ત્યારબાદ તેમાં ખાવાનો સોડા અને 1 ચમચી તેલ મેળવીને તેમાંથી લંબગોળ મુઠીયા વાળી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને તળી લો અથવા મુઠીયાને વરાળમાં બાફી લો.

ગ્રેવી તૈયાર કરવા માટે દહીંમાં ચણાનો લોટ, આદુ-મરચાં પેસ્ટ તેમજ સૂકા મસાલા મેળવીને થોડું પાણી ઉમેરીને ગ્રેવી તૈયાર કરી લો.

એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી રાઈ તતડાવો. ત્યારબાદ તેમાં મરચાં નાખીને હીંગ અને કઢીપત્તાનો વઘાર કરીને દહીંવાળી ગ્રેવી હળવેથી નાખીને ઉકળવા દો. એક ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરીને મુઠીયા તેમાં ઉમેરીને ધીમી આંચે 15 મિનિટ થવા દો. જો ગ્રેવી ઘટ્ટ થઈ જાય તો થોડું પાણી ઉમેરી દો.

15 મિનિટ બાદ ગેસ બંધ કરીને મુઠીયા ઉતારીને કોથમીર ભભરાવીને પીરસો.

૨૬ જૂન, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 26/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂની ઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

નોટ આઉટ @ 91 : શારદાબહેન આત્મારામ ઠક્કર

જેમને જીવનમાં પોતાની પાંચમી પેઢીને (દોહિત્રીનો પૌત્ર) આવકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેવાં 91 વર્ષનાં શારદાબહેન ઠક્કરની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મોરજ (ચરોતર) ગામમાં. બે ભાઈ, ત્રણ બહેનનું કુટુંબ. પિતાને કરિયાણાનો ધંધો. પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધું. એક વર્ષની ઉંમરે શારદાબહેને માતાને ખોયાં, પણ નવી મા ઘણી સારી. 14 વર્ષની ઉંમરે તેમના લગ્ન આત્મારામભાઈ (બીજવર) સાથે થયા. તેમને બે દીકરા અને ત્રણ દીકરી. નાના દીકરા (ડૉ. મહેશભાઈ-ભાભી) સાથે સુખેથી રહે છે. તેમને નવ પૌત્ર-પૌત્રી, પાંચ પ્રપૌત્ર-પ્રપૌત્રી અને એક પાંચમી પેઢીનો દીકરો અમેરિકામાં! પતિ આત્મારામભાઈ સ્કૂલમાં શિક્ષક હતા. ધોળકા અને મુંબઈમાં લુહાણા-છાત્રાલયમાં ગૃહપતિ તરીકે સેવા આપી. લુહાણા-જ્ઞાતિની પ્રવૃત્તિઓમાં અને વિકાસના કામમાં સક્રિય રહેતા. સત્યાગ્રહની લડતના લડવૈયા હતા. ગાંધી-વિચારધારા ધરાવતા, ખાદીધારી હતા, રેંટિયો ચલાવતા. ઘણીવાર ભૂગર્ભમાં જવાનો વારો આવતો, ત્યારે શારદાબેન હિંમતથી ઘર અને બાળકોનું ધ્યાન રાખતાં. આત્મારામભાઈનું અવસાન 1996માં થયું. પતિની પ્રવૃત્તિઓને કારણે શારદાબહેનને ભણતરનું મહત્વ સમજાયું. મોટી દીકરી પાંચમાં ધોરણમાં હતી ત્યારે તેઓએ પણ પાંચમાં ધોરણનો અભ્યાસ કરી પોતાની જાતને અપડેટ કરી!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

છ વાગે ઊઠે. નાહી-ધોઈને પૂજાપાઠ કરે. નારાયણ-કવચ, હનુમાન-ચાલીસા કરે. રસોઈમાં થોડી-ઘણી મદદ કરે. શાક સુધારે, સફાઈ કરે, દાડમ છોલે. કાચબાને-ગાયને- કૂતરાને ખાવાનું નાખે. જમીને છાપુ અને ભગવાનની ચોપડીઓ વાંચે. ટીવી જુએ. વેવાણ સાથે રહે છે, જે મિત્રની ગરજ સારે છે! બપોરે કોફી પી મોબાઈલ હાથમાં લે. સ્પીડ-ડાયલથી લગભગ 25-30 ફોન કરી કુટુંબીઓ-મિત્રો સાથે વાતો કરે! સાત વાગ્યે જમે. જમવામાં ખીચડી વધુ પસંદ છે. દીકરા-વહુ સાથે વાતો કરે, ટીવી જુએ અને સુઈ જાય. મહિને એકવાર બૃહદ્-પરિવારનાં સભ્યોએ સમૂહ-ભોજન માટે ભેગાં થવાનો વણ-લખ્યો નિયમ છે! યુવાનીમાં વિધવા-તકતા, વડીલોની સેવા કરી. કેટલીએ મહિલાઓની સુવાવડો કરાવી. રોજ ઘરનાં કરતાં મહેમાનો જમનારાં વધારે હોય!

શોખના વિષયો : 

ભજનો ગાવાનો બહુ શોખ. ફરવાનું ગમે. સગા-સંબંધી અને મિત્રોને મળવાનું ગમે. કોઈ માંદુ હોય તો ખબર કાઢવા જાય. જરૂર હોય ત્યાં ટિફિન કે ખાવાનું લઈને જાય. દિવાળીમાં પરિવારમાં બધાંને મીઠાઈનાં બોક્સ જાતે આપવા જાય.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. પોતાનું કામ જાતે કરે છે. ઘરમાં હરતાં-ફરતાં છે. તેમના હૃદયના ધબકારા વર્ષોથી અનિયમિત છે તેથી ડોક્ટર દીકરો મહેશભાઈ નિયમિત દવા આપે, પણ સોશિયલ પ્રવૃત્તિઓમાં ઉત્સાહ એટલો બધો કે “શાંતિ રાખો” કહેવું પડે! જેટલા વધારે માણસો મળે તેટલો વધારે આનંદ થાય અને તબિયત પણ સારી રહે!

યાદગાર પ્રસંગ:  

આત્મારામભાઈ લુહાણા-છાત્રાલયમાં ગૃહપતિ. ગામડામાંથી રમેશને તેના પિતાએ છાત્રાલયમાં દાખલ કર્યો. વારંવાર દીકરાને મળવા આવે. આથી દીકરો છાત્રાલયમાં સેટ થાય નહીં. આત્મારામભાઈએ પિતાને વારંવાર આવવાની ના કહી. પિતાએ કહ્યું: “આ છોકરો તમને સોંપ્યો, હવે તમારે તેનું ધ્યાન રાખવાનું!” કુદરતનું કરવું તે થોડા વખતમાં રમેશના પિતાનું અવસાન થયું! આત્મારામભાઈ તથા શારદાબહેને રમેશને દત્તક-પુત્રની જેમ ઉછેર્યો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવ્યો, તેના લગ્ન કરાવ્યા. હવે તેને ઘેર પણ એક બાળક છે! આત્મારામભાઈ ગાંધીવાદી. સાદગીમાં માને. લુહાણા-જ્ઞાતિમાં સમૂહ-લગ્ન કરાવે. તેમની મોટી-દીકરીના લગ્ન સમયે, કુટુંબ ખમતીધર હોવાથી, કુટુંબીઓએ દીકરીના લગ્ન સમૂહ-લગ્નમાં કરવાનો વિરોધ કર્યો. કુટુંબીઓના વિરોધ સામે તેમણે પોતાની મોટી બંને દીકરીઓનાં લગ્ન સમૂહ-લગ્નમાં કર્યાં.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:  

મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરી પરિવારનાં  સભ્યો અને મિત્રો સાથે ટચમાં રહે છે. 70 વર્ષે લેન્ડમાર્ક-ફોરમનો કોર્સ કરી “મારી ખુશીનો આધાર હું જ છું” તેવું સાબિત કર્યું! આમૂલ પરિવર્તન આવ્યું અને ફરિયાદો બંધ થઈ ગઈ. દીકરો ડોક્ટર હોવા છતાં, મોતિયાનું ઓપરેશન કરાવવા બહેનને લઈ રિક્ષામાં જાતે હોસ્પિટલ પહોંચી ગયાં!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો બદલાવ છે! જોકે તેઓ બધે એડજસ્ટ થઈ જાય! પહેલાં સવારે જમવામાં રોટલી-શાક હોય અને સાંજે ખીચડી-ભાખરી હોય. હવે રોજ જુદું-જુદું જમવા જોઈએ છે! કપડાં પહેરવામાં કેવા ફેરફાર થઈ ગયા છે! રહેવાનુંએ દેશ-પરદેશમાં દૂર-દૂર થઈ ગયું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘરનાં યુવાનો/બાળકો સાથે ફાવે. કોઈ દેખાય નહીં તો તરત પૂછે. છોકરાઓ પણ એમને બહુ સાચવે. તેમની બોર્ડિંગમાં 100 છોકરાઓ હતા, એટલે યુવાનો અને બાળકો સાથે તરત ફાવી જાય!

સંદેશો :  

ખાસ બહેનો માટે : ભણતરનું મહત્વ સમજો. તમે ભણો, પોતાનાં બાળકોને ભણાવો, ગરીબોનાં બાળકોને ભણાવો. કામવાળાનાં બાળકોને પણ ભણાવો!

 

પંચાંગ 26/06/2024

CBI કેજરીવાલની કરી શકે છે ધરપકડ : સંજય સિંહ

CBI દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં તેમની પૂછપરછ કરી છે. એજન્સીએ સોમવારે તેની પૂછપરછ પણ કરી હતી અને મળતી માહિતી મુજબ આજે પણ એજન્સીની ટીમ તિહારની મુલાકાતે ગઈ હતી. પૂછપરછ બાદ તેની ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પહેલા સમાચાર આવ્યા હતા કે સીબીઆઈ દ્વારા સીએમ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેની લીગલ ટીમે સ્પષ્ટતા કરી હતી કે તેની ધરપકડ કરવામાં આવી નથી. એજન્સીએ તેની માત્ર પૂછપરછ કરી છે.

 

અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ED કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હોવાથી તેમની ઔપચારિક ધરપકડ કોર્ટ સમક્ષ જ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જ્યારે તેમને બુધવારે સવારે 10 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારે સીબીઆઈ સત્તાવાર રીતે તેમની ધરપકડ કરશે અને તેમને કસ્ટડીમાં લેશે.

સીબીઆઈની હવે સીએમ કેજરીવાલ પર પકડ છે

સીબીઆઈ બુધવારે કોર્ટમાં સીએમ કેજરીવાલની ઔપચારિક ધરપકડ કરી શકે છે. સીબીઆઈએ કેજરીવાલને બુધવારે કોર્ટમાં રજૂ કરવા માટે પ્રોડક્શન વોરંટની માંગણી કરી છે.CBI કેજરીવાલની કસ્ટોડિયલ પૂછપરછ માટે પરવાનગી માંગશે. ઉદાહરણ તરીકે, તેણી તેના રિમાન્ડની માંગ કરી શકે છે. કેજરીવાલના નિવેદનમાં અન્ય લોકોના નિવેદનો સાથે વિરોધાભાસ હોવાનું દર્શાવીને કસ્ટડીની માંગ કરી શકાય છે.
AAP સાંસદ સંજય સિંહનો મોટો આરોપ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. તેમણે કહ્યું કે સીબીઆઈએ તેમની વિરુદ્ધ ખોટો કેસ બનાવ્યો છે. સંજય સિંહે કહ્યું, અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની પૂરેપૂરી સંભાવના છે. આ પહેલા કેન્દ્રની ભાજપ સરકારે CBI સાથે મળીને કેજરીવાલ જીની સામે ખોટો કેસ તૈયાર કરીને તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચ્યું છે.

રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીપીપી અધ્યક્ષે પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે.

મંગળવારે રાત્રે ખડગેના ઘરે આયોજિત બેઠક વિશે માહિતી આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને ગૃહમાં વિપક્ષના નેતા બનાવવા પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પ્રોટેમ સ્પીકરને સભામાં વિપક્ષના નેતા બનાવવા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે.

 

ભાજપ અને કોંગ્રેસે તેમના સાંસદોને વ્હીપ જારી કર્યો

લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સંસદના વિશેષ સત્ર દરમિયાન થવાની છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે આને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ચૂંટણી આવતીકાલે એટલે કે બુધવારે યોજાવા જઈ રહી છે. આ ક્રમમાં, કોંગ્રેસે લોકસભામાં તેના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને આવતીકાલે 26 જૂને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે.

કોંગ્રેસ સંસદીય દળ વતી સાંસદોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવતીકાલે લોકસભામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મહેરબાની કરીને હાજર રહે. સવારે 11 વાગ્યાથી ગૃહ સ્થગિત થવા સુધી ગૃહમાં હાજર રહે છે. આ સંદેશને ખૂબ જ મહત્વપૂર્ણ માનવો જોઈએ. કોંગ્રેસનો આ વ્હીપ કે સુરેશ દ્વારા જારી કરવામાં આવ્યો છે, જેઓ વિપક્ષ તરફથી લોકસભા અધ્યક્ષના ઉમેદવાર પણ છે. ભાજપે તેના તમામ સાંસદોને વ્હિપ જારી કરીને બુધવારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે સત્ર દરમિયાન હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

1952 પછી પહેલીવાર 18મી લોકસભામાં સ્પીકર પદ માટે લડાઈ થશે. વાસ્તવમાં, NDA તરફથી ઓમ બિરલા I.N.D.I.A બ્લોકમાંથી K.K નો સામનો કરશે. સુરેશ તરફથી છે. શરૂઆતમાં, ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને વિપક્ષ વચ્ચે સ્પીકર પદ માટે સહમતિ હોય તેવું લાગતું હતું પરંતુ પછી વિપક્ષે માંગ કરી હતી કે ડેપ્યુટી સ્પીકરનું પદ તેમને આપવામાં આવે, પરંતુ એનડીએએ શરતી સમર્થન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સર્વસંમતિ થઈ શકી નથી.

સુરતમાં રૂ. 40 લાખના MD ડ્રગ્સ સાથે સાતની ધરપકડ

સુરતઃ પોલીસે મુંબઈથી સુરતમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલી મહિલા સહિત ત્રણ જણને રેલવે સ્ટેશન બહાર જ અટકાયત કરી હતી. રેલવે સ્ટેશન પાસેથી રાબિયા નામની મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 25 લાખની કિંમતનું 253 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ તમામની પૂછપરછ કરતાં પેડલરોનાં નામ સામે બહાર આવ્યા હતા. આ ઉપરાંત સુરત પોલીસે અન્ય પાંચ સ્થળે પણ દરોડા પાડ્યા હતા, ત્યાંથી પણ વધુ રૂ. 15 લાખ જેટલું ડ્રગ્સ પકડી પાડ્યુ હતું.

શહેર ક્રાઇમ બ્રાંચે મુંબઈથી સૂર્યનગરી એક્સપ્રેસમાં એક યુવક શફિક અને યુવતી રાબિયા સ્કૂલ બેગમાં રૂ. 25 લાખનું MD ડ્રગ્સ રેલવે સ્ટેશનથી જપ્ત કર્યું હતું.  ક્રાઇમ બ્રાન્ચે આ ડ્રગ્સ સપ્લાય કરાય એ પહેલાં જ સ્ટેશનની બહારથી જ બંનેને પકડી પાડ્યા હતાં. તેમની પાસેની બેગમાંથી કપડાની નીચે છુપાવેલું 253 ગ્રામ જેટલું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

પોલીસે બંનેની પૂછપરછને આધારે પોલીસે અન્ય પાંચ સ્થળે દરોડા પાડ્યા હતા. અઠવા પોલોસ સ્ટેશનમાં બે, પાલ પોલીસ સ્ટેશનમાં એક અને રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે જે અન્ય પાંચ જગ્યાએ દરોડા પાડ્યા હતા, તેમાં પકડાયેલા આરોપીઓમાં સરફરાજ ઉર્ફે સલમાનની તપાસમાં 28.79 ગ્રામ MD ડ્રગ્સ અને 1.93 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. વોન્ટેડ આરોપી ફૈસલ શેખની તપાસ કરતાં યાસીન બાબુલ મુલ્લા પણ મળી આવ્યો હતો. આમ પાંચ દરોડામાંથી કુલ 354.65 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

 

 

 

 

 

 

 

ભારતનું વિદેશી દેવું 663 અબજ ડોલરને પાર થયું

છેલ્લા એક વર્ષમાં ભારતનું વિદેશી દેવું વધ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે કહ્યું કે માર્ચ 2024 ના અંત સુધીમાં આ આંકડો $ 39.7 બિલિયન વધીને $ 663.8 બિલિયન થઈ ગયો છે. જો કે આટલા વધારા છતાં દેશની જીડીપીમાં વિદેશી દેવાનો હિસ્સો ઘટીને 18.7 ટકા થયો છે. માર્ચ 2023ના અંત સુધીમાં આ આંકડો લગભગ 19 ટકા હતો.

યુએસ ડોલર ભારતના વિદેશી દેવાનો સૌથી મોટો ઘટક

આરબીઆઈના જણાવ્યા અનુસાર, માર્ચ 2024ના અંતે 53.8 ટકાના હિસ્સા સાથે યુએસ ડોલર ભારતના વિદેશી દેવાનો સૌથી મોટો ઘટક છે. આ પછી, ભારતીય રૂપિયો લગભગ 31.5 ટકા, યેનનો 5.8 ટકા, SDR 5.4 ટકા અને યુરોનો લગભગ 2.8 ટકા વિદેશી દેવું છે. આ સિવાય લોન 33.4 ટકા હિસ્સા સાથે વિદેશી દેવાનો સૌથી મોટો ઘટક છે. આ પછી, કરન્સી અને ડિપોઝિટ 23.3 ટકા, ટ્રેડ ક્રેડિટ અને એડવાન્સ 17.9 ટકા અને સિક્યોરિટીઝ 17.3 ટકા હતી.

ડૉલરના મૂલ્યમાં વધારાને કારણે મૂલ્યાંકન અસર $8.7 બિલિયન હતી

રિઝર્વ બેંકે કહ્યું કે જો વેલ્યુએશન ઈફેક્ટ દૂર કરવામાં આવે તો વિદેશી દેવું $39.7 બિલિયનને બદલે $48.4 બિલિયન વધી જશે. વેલ્યુએશન ઇફેક્ટમાં, વિદેશમાં સ્થિત અસ્કયામતોનું મૂલ્ય જોવામાં આવે છે. આ ઉપરાંત, વિદેશી રોકાણકારો પાસે રહેલી સ્થાનિક સંપત્તિનું મૂલ્ય પણ તેમાં આંકવામાં આવે છે. આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ડૉલર (યુએસ ડૉલર) સામે રૂપિયો, યેન, યુરો અને એસડીઆરની નબળાઈને કારણે મૂલ્યાંકન અસર $8.7 બિલિયન થઈ હતી.

સામાન્ય સરકારી દેવું વાર્ષિક ધોરણે 11.5 ટકા વધ્યું

આરબીઆઈના ડેટા દર્શાવે છે કે માર્ચ 2024 સુધી સામાન્ય સરકારી દેવું વાર્ષિક ધોરણે 11.5 ટકા વધ્યું છે. બીજી તરફ ઘરગથ્થુ અને બિન-લાભકારી સંસ્થાઓનું દેવું 16.5 ટકા ઘટ્યું છે. રિઝર્વ બેંકના ડેટા દર્શાવે છે કે કુલ વિદેશી દેવામાં બિન-નાણાકીય કોર્પોરેશનોની બાકી લોનનો હિસ્સો સૌથી વધુ 37.4 ટકા હતો. આમાં સામાન્ય સરકારનો હિસ્સો 22.4 ટકા હતો.