ગાંધીનગર: દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ હોય છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023માં, એપ્રિલ અને મે મહિનાના સમયમાં 1.14 કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો નોંધાયો છે.


આ પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો પણ સમાવેશ થાય છે.
| ક્રમ | પ્રવાસન સ્થળ | એપ્રિલ-23 | એપ્રિલ-24 | મે-23 | મે-24 |
| 1 | SoU અને આકર્ષણો | 1,58,605 | 1,76,942 | 1,85,989 | 2,66,835 |
| 2 | અટલ બ્રિજ | 2,09,218 | 1,84,924 | 2,64,956 | 2,41,581 |
| 3 | રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક | 14,965 | 38,538 | 14,718 | 16,548 |
| 4 | કાંકરિયા તળાવ | 5,17,438 | 5,34,639 | 6,64,400 | 5,75,987 |
| 5 | પાવાગઢ મંદિર | 6,47,712 | 6,78,508 | 5,23,307 | 5,33,281 |
| 6 | અંબાજી મંદિર | 5,18,64 | 9,47,714 | 6,48,890 | 9,27,423 |
| 7 | સાયન્સ સિટી | 79,984 | 87,010 | 1,27,568 | 1,08,408 |
| 8 | વડનગર | 31,247 | 41,302 | 33,341 | 35,152 |
| 9 | સોમનાથ મંદિર | 7,62,558 | 5,64,676 | 10,18,113 | 9,24,585 |
| 10 | દ્વારકા મંદિર | 6,58,403 | 5,27,378 | 6,57,606 | 11,03,110 |
| 11 | ગીર-દેવળીયા સફારી | 68,580 | 55,998 | 1,16,011 | 1,06,935 |
| 12 | અમદાવાદ મેટ્રો | 15,63,501 | 23,06,591 | 20,05,374 | 25,47,534 |
| કુલ | 52,30,675 | 61,44,220 | 62,60,273 | 73,87,379 |

અમદાવાદ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન
‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન વિભાગ માટે વર્ષ 2024-25ના બજેટમાં ₹ 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.




ત્યારે છેલ્લા 24 કલાકમાં ઉતર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકામા 270 મિ.મી એટલે કે 10.8 ઇંચ, મહેસાણામાં 98 મિ.મી એટલે કે 3.92 ઇંચ અને બેચરાજીમાં 96 મિ.મી એટલે કે 3.84 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં 92 મિ.મી એટલે કે 3.68 ઇંચ, વાવ તાલુકામાં 79 મિ.મી એટલે કે 3.16 ઇંચ, સુઈગામ તાલુકામાં 77 મિ.મી એટલે કે 3.08 ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાત રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 19.56 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોડાસા તાલુકામાં 72 મિ.મી, વઘઈ તાલુકામાં 65 મિ.મી, વાંસદા તાલુકા 62 મિ.મી, સિદ્ધપુર તાલુકામાં 61 મિ.મી, બાલાસિનોર તાલુકામાં 61 મિ.મી, થરાદ તાલુકામાં 60 મિ.મી, ડોલવન તાલુકામાં 56 મિ.મી, ફતેહપુરા તાલુકામાં 52 મિ.મી, ઊંઝા તાલુકામાં 49 મિ.મી મળીને કુલ 9 તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઓલપાડ, ચાણસમા, સરસ્વતી તાલુકામાં 47 મિ.મી, નવસારી તાલુકામાં 46 મિ.મી, અને ખેરગામ, જલાલપોર, ડાંગ-આહવા તાલુકામાં 45 મિ.મી, હિંમતનગર અને પાટણ તાલુકામાં 43 મિ.મી, જોટાણા અને કપડવંજ તાલુકામાં 42 મિ.મી, લુણાવાડા તાલુકામાં 41 મિ.મી, દેત્રોજ- રામપુરા તાલુકામાં 40 મિ.મી, સંજેલી તાલુકામાં 40 મિ.મી અને તલોદ તાલુકામાં 39 મિ.મી મળીને કુલ 15 તાલુકાઓમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.



સરસપુર વિસ્તારની 17 પોળોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોજન પ્રસાદી બનાવવામાં આવી રહી છે. સરસપુરની વાસણ શેરીના બાલા ભગત મંદિરમાં બુંદી, ફૂલવડી અને મોહનથાળ જેવી વાનગીઓ મોટા પ્રમાણમાં બનાવવામાં આવી રહી છે. દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળમાં હજારો ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેની માટે સરસપુરવાસીઓ કેટલાંય દિવસોથી કામે લાગેલા હોય છે.








પ્રમાણે રોજનો ક્રમ જળવાય તે રીતે પુષ્ટિ-સંગીતના “કીર્તનિયમ” નામનાં 12 પુસ્તકો રચનાર. ડોક્ટર કનકબહેન ભગતની વાત સાંભળીએ તેમની પાસેથી.



