
સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, દેશની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક અમદાવાદના શાહીબાગમાં આવેલું છે. આ સંગ્રહાલયમાં સરદાર પટેલના જીવનના કિંમતી સાહિત્યનો સંગ્રહ છે. કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગેનું સાહિત્ય, પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકેના પત્રો, નાયબ વડાપ્રધાન તરીકે તથા ગૃહમંત્રી તરીકે જે નિર્ણયો લીધા તે અંગેની ફાઇલો, સાથીઓ, સંસ્થાઓ તથા મિત્રોને માર્ગદર્શન આપતા પત્રો અહીં મૂકવામાં આવ્યા છે. મ્યુઝિયમના ‘સરદાર જીવનદર્શન પ્રદર્શન’માં સરદારના સમગ્ર જીવન અને કાર્યને આ મુજબના વિષયોને ક્રમવાર આવરી લઈ તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે.
આજનું આ મ્યુઝિયમ મૂળ તો અમદાવાદની ‘મોતીશાહી મહેલ’ નામની એક ઐતિહાસિક ઇમારત હતી.1618માં મુઘલ બાદશાહ શાહજહાંએ આ મહેલ બંધાવેલો. બ્રિટિશ કાળમાં આ ઇમારત સરકારના તાબામાં હતી. ઓગણીસમી સદીમાં સત્યેન્દ્રનાથ ટાગોરનું અમદાવાદના મૅજિસ્ટ્રેટની રૂએ સત્તાવાર નિવાસસ્થાન હતું. 1878માં રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તે અહીં રોકાયેલા. સ્વતંત્રતા પછી સરકારી ઑફિસો આ ઇમારતમાં ગોઠવાઈ. 1960માં ગુજરાતની સ્થાપના પછી શરૂઆતનાં વર્ષોમાં આ રાજ્યપાલોનું સત્તાવાર નિવાસસ્થાન હતું. જેના કારણે એ રાજભવન તરીકે ઓળખાય છે.
1975માં ગુજરાત સરકારે સરદારની જન્મશતાબ્દી ઊજવવાનું નક્કી કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ જન્મશતાબ્દી સમિતિ ઢેબરભાઈના પ્રમુખપણા હેઠળ નિમાઈ હતી. આ સમિતિએ 1980ના માર્ચની સાતમીએ આ ઇમારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલયનો પ્રારંભ કર્યો. આજે સરદાર સાહેબના સ્મારક તરીકે એ ભાવિ પેઢીને પ્રેરણા આપતું મહત્વનું સ્થાન છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




રાજ્યમાં હસ્તકલા અને હાથશાળની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત સરકારના સાહસ તરીકે છેલ્લાં 50 વર્ષથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કાર્યરત છે. રાજ્યના ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વંશ પરંપરાગત વારસાને જીવંત રાખનાર તથા હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ કરવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે.
નિગમના વહીવટી સંચાલક લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું, “આ મહત્વની સફળતા પાછળ રાજ્યમાં યોજાયેલી જી-20 બેઠક અને ત્યારબાદ યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો નોંધનીય ફાળો રહ્યો છે, કારણ કે આ દરમિયાન દેશ-વિદેશના અનેક અતિથિઓ ગુજરાત આવ્યાં અને તેમણે મોટી સંખ્યામાં ગરવી-ગુર્જરી સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી અને હસ્તકલાની કલાકૃતિઓની ખરીદી કરી હતી.”
નિગમ સાથે જોડાયેલ લગભગ 7200 કારીગરો પાસેથી 19.21 કરોડનાં ઉત્પાદનોની ખરીદી કરીને નિગમનાં રાજ્ય અને રાજ્ય બહાર આવેલ વેચાણ કેન્દ્રો દ્વારા 13 કરોડનું વેચાણ કરવામાં આવ્યું.
સરકારી સહાયઃ જી-20 અધ્યક્ષતા અંતર્ગત ગુજરાતમાં યોજાયેલી બેઠકો તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વેચાણના આ રેકોર્ડ બ્રેકિંગ આંકડાને પાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ઉપરાંત, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ જેવી પહેલો દ્વારા પણ પરંપરાગત હસ્તકલાની ઓળખ ઊભી કરીને તેમજ હેન્ડલૂમ ઉત્પાદનોની બજાર હાજરીને નોંધપાત્ર રીતે વેગ આપીને મહત્તમ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી છે.
નવીન ડિઝાઇનઃ ડિઝાઇનર્સની સમર્પિત ટીમે સતત સર્જનાત્મકતાઓ સાથે નવીન ડિઝાઇન્સ રજૂ કરી છે, જે પરંપરાગત સંસ્કૃતિના મૂળમાં રહીને આધુનિકતાનો પડઘો પાડે છે. આ ડિઝાઇન્સે ગ્રાહકોને આકર્ષિત કર્યા છે. કારણકે તે તેમની માંગને અનુરૂપ હતી. જેના કારણે વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાવ્યો.







સત્કાર સમારોહમાં સંબોધન સમયે સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન તેમને થયેલા અનુભવ વિશે વાત કરતા કહ્યું, “લોકો મારી સામે આંગળી ચીંધીને કહેતા હતા કે યે બહેન મોદી કે ગઢ સે જીત કે આઈ હૈ.” આગળ તેમણે ગુજરાતમાં કોંગ્રેસની જીતથી કેન્દ્રીય નેતૃત્વને જે બળ મળ્યું તે વિશે પણ વાત કરી.
ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું, “બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રૂપી ગાંધીજી બહુ ચાલ્યા. પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવા માટે નહીં પણ જ્યાં ખોટું થતું હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમને તેમની ભાષામાં સમજાવવા માટે છે. બનાસકાંઠા SPથી માંડીને તમામ ડિપાર્ટમેન્ટને દબાવવાના પ્રયત્ન થયા હતા. છેવટે તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી. પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો.”
